કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે હાથ ધરાશે મતદાન, ખડગેનું પલડું ભારે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 12:57:59

24 વર્ષ બાદ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી આજે યોજાવા જઈ રહી છે. દેશભરમાં સ્ટેટ કોંગ્રેસ કમિટીના કાર્યલયોમાં મતદાન પ્રક્રિયા હાથ ધરાશે જેમાં 9 હજાર મતદાર પોતાનો મત આપશે. ચૂંટણી માટે તમામ પ્રકારની તૈયારી કરી દેવામાં આવી છે. મતદાન માટે દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટરની સાથે સાથે સમગ્ર દેશમાં 65થી વધુ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી તેમજ ડો. મનમોહન સિંહ હેડક્વાર્ટરથી મતદાન કરવાના છે. સવારના 10 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા હાથ ધરાશે. અધ્યક્ષ પદ માટે મલ્લિકાર્જુન અને થરૂર વચ્ચે ચૂંટણીનો જંગ જામવાનો છે. ભારત જોડો યાત્રામાં વ્યસ્ત રાહુલ ગાંધી માટે કર્ણાટક ખાતે પોલિંગ બૂથની વ્યવસ્થા કરવામાં આવી છે.

      



કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કર્યું મતદાન

દિલ્હી ખાતે આવેલા હેરકવાર્ટર ખાતે કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ મતદાન કરી રહ્યા છે. સોનિયા ગાંધી તેમજ પ્રિંયંકા ગાંધીએ મતદાન કર્યું હતું. 

એવું માનવામાં આવી રહ્યું છે કે છત્તીસગઢ કોંગ્રેસ મલ્લિકાર્જુન ખડગેના સમર્થનમાં છે. જ્યારે થરૂરને એજન્ટ પણ નથી મળ્યા. ઉપરાંત રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ સમિતિએ ખડગે માટે 4 પદાધિકારીઓની નિમણૂંક કરી છે જે પોલિંગ એજન્ટ તરીકે કાર્યભાર સંભાળશે. જ્યારે શશિ થરૂર માટે 6 પોલિંગ એજન્ટ હશે. આ તમામ પ્રક્રિયા AICCના સેન્ટ્રલ ઈલેક્શન ઓથોરિટીના અધ્યક્ષ મધુસૂદન મિસ્ત્રીની દેખરેખમાં હાથ ધરાશે. સાથે સાથે દેશના દરેક રાજ્યમાં 1 PRO અને 4 DRO ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ કરશે. 

19 ઓક્ટોબરે થશે મતગણતરી

કોંગ્રેસની સેન્ટ્રલ ઈલેક્શન ઓથોરિટીએ કહ્યું હતું કે ચૂંટણીમાં 36 મતદાન કેન્દ્રો બનાવામાં આવ્યા છે જેમાં 67 બૂથ રાખવામાં આવ્યા છે.  ઉપરાંત રાહુલ ગાંધી માટે અલગ બૂથની વ્યવસ્થા કરવામાં આવી છે. રાહુલ ગાંધી સહિત અંદાજીત 42 જેટલા પ્રતિનિધિ મતદાન કરવાના છે. મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મતપેટીને દિલ્હી ખાતે રાખવામાં આવશે અને 19 ઓક્ટોબરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.   

સ્ટોરી અપડેટ થઈ રહી છે... 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .