કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે હાથ ધરાશે મતદાન, ખડગેનું પલડું ભારે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 12:57:59

24 વર્ષ બાદ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી આજે યોજાવા જઈ રહી છે. દેશભરમાં સ્ટેટ કોંગ્રેસ કમિટીના કાર્યલયોમાં મતદાન પ્રક્રિયા હાથ ધરાશે જેમાં 9 હજાર મતદાર પોતાનો મત આપશે. ચૂંટણી માટે તમામ પ્રકારની તૈયારી કરી દેવામાં આવી છે. મતદાન માટે દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટરની સાથે સાથે સમગ્ર દેશમાં 65થી વધુ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી તેમજ ડો. મનમોહન સિંહ હેડક્વાર્ટરથી મતદાન કરવાના છે. સવારના 10 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા હાથ ધરાશે. અધ્યક્ષ પદ માટે મલ્લિકાર્જુન અને થરૂર વચ્ચે ચૂંટણીનો જંગ જામવાનો છે. ભારત જોડો યાત્રામાં વ્યસ્ત રાહુલ ગાંધી માટે કર્ણાટક ખાતે પોલિંગ બૂથની વ્યવસ્થા કરવામાં આવી છે.

      



કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કર્યું મતદાન

દિલ્હી ખાતે આવેલા હેરકવાર્ટર ખાતે કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ મતદાન કરી રહ્યા છે. સોનિયા ગાંધી તેમજ પ્રિંયંકા ગાંધીએ મતદાન કર્યું હતું. 

એવું માનવામાં આવી રહ્યું છે કે છત્તીસગઢ કોંગ્રેસ મલ્લિકાર્જુન ખડગેના સમર્થનમાં છે. જ્યારે થરૂરને એજન્ટ પણ નથી મળ્યા. ઉપરાંત રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ સમિતિએ ખડગે માટે 4 પદાધિકારીઓની નિમણૂંક કરી છે જે પોલિંગ એજન્ટ તરીકે કાર્યભાર સંભાળશે. જ્યારે શશિ થરૂર માટે 6 પોલિંગ એજન્ટ હશે. આ તમામ પ્રક્રિયા AICCના સેન્ટ્રલ ઈલેક્શન ઓથોરિટીના અધ્યક્ષ મધુસૂદન મિસ્ત્રીની દેખરેખમાં હાથ ધરાશે. સાથે સાથે દેશના દરેક રાજ્યમાં 1 PRO અને 4 DRO ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ કરશે. 

19 ઓક્ટોબરે થશે મતગણતરી

કોંગ્રેસની સેન્ટ્રલ ઈલેક્શન ઓથોરિટીએ કહ્યું હતું કે ચૂંટણીમાં 36 મતદાન કેન્દ્રો બનાવામાં આવ્યા છે જેમાં 67 બૂથ રાખવામાં આવ્યા છે.  ઉપરાંત રાહુલ ગાંધી માટે અલગ બૂથની વ્યવસ્થા કરવામાં આવી છે. રાહુલ ગાંધી સહિત અંદાજીત 42 જેટલા પ્રતિનિધિ મતદાન કરવાના છે. મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મતપેટીને દિલ્હી ખાતે રાખવામાં આવશે અને 19 ઓક્ટોબરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.   

સ્ટોરી અપડેટ થઈ રહી છે... 



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.