કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે હાથ ધરાશે મતદાન, ખડગેનું પલડું ભારે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 12:57:59

24 વર્ષ બાદ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી આજે યોજાવા જઈ રહી છે. દેશભરમાં સ્ટેટ કોંગ્રેસ કમિટીના કાર્યલયોમાં મતદાન પ્રક્રિયા હાથ ધરાશે જેમાં 9 હજાર મતદાર પોતાનો મત આપશે. ચૂંટણી માટે તમામ પ્રકારની તૈયારી કરી દેવામાં આવી છે. મતદાન માટે દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટરની સાથે સાથે સમગ્ર દેશમાં 65થી વધુ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી તેમજ ડો. મનમોહન સિંહ હેડક્વાર્ટરથી મતદાન કરવાના છે. સવારના 10 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા હાથ ધરાશે. અધ્યક્ષ પદ માટે મલ્લિકાર્જુન અને થરૂર વચ્ચે ચૂંટણીનો જંગ જામવાનો છે. ભારત જોડો યાત્રામાં વ્યસ્ત રાહુલ ગાંધી માટે કર્ણાટક ખાતે પોલિંગ બૂથની વ્યવસ્થા કરવામાં આવી છે.

      



કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કર્યું મતદાન

દિલ્હી ખાતે આવેલા હેરકવાર્ટર ખાતે કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ મતદાન કરી રહ્યા છે. સોનિયા ગાંધી તેમજ પ્રિંયંકા ગાંધીએ મતદાન કર્યું હતું. 

એવું માનવામાં આવી રહ્યું છે કે છત્તીસગઢ કોંગ્રેસ મલ્લિકાર્જુન ખડગેના સમર્થનમાં છે. જ્યારે થરૂરને એજન્ટ પણ નથી મળ્યા. ઉપરાંત રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ સમિતિએ ખડગે માટે 4 પદાધિકારીઓની નિમણૂંક કરી છે જે પોલિંગ એજન્ટ તરીકે કાર્યભાર સંભાળશે. જ્યારે શશિ થરૂર માટે 6 પોલિંગ એજન્ટ હશે. આ તમામ પ્રક્રિયા AICCના સેન્ટ્રલ ઈલેક્શન ઓથોરિટીના અધ્યક્ષ મધુસૂદન મિસ્ત્રીની દેખરેખમાં હાથ ધરાશે. સાથે સાથે દેશના દરેક રાજ્યમાં 1 PRO અને 4 DRO ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ કરશે. 

19 ઓક્ટોબરે થશે મતગણતરી

કોંગ્રેસની સેન્ટ્રલ ઈલેક્શન ઓથોરિટીએ કહ્યું હતું કે ચૂંટણીમાં 36 મતદાન કેન્દ્રો બનાવામાં આવ્યા છે જેમાં 67 બૂથ રાખવામાં આવ્યા છે.  ઉપરાંત રાહુલ ગાંધી માટે અલગ બૂથની વ્યવસ્થા કરવામાં આવી છે. રાહુલ ગાંધી સહિત અંદાજીત 42 જેટલા પ્રતિનિધિ મતદાન કરવાના છે. મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મતપેટીને દિલ્હી ખાતે રાખવામાં આવશે અને 19 ઓક્ટોબરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.   

સ્ટોરી અપડેટ થઈ રહી છે... 



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.