રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારનો મોટો નિર્ણય, પૂર્વ મંત્રીઓની સુરક્ષા પાછી ખેંચી


  • Published By :
  • Published Date : 2023-02-26 15:20:43

રાજ્યની ભૂપેન્દ્ર પટેલની સરકારે મહત્વનો નિર્ણય લેતા પૂર્વ મંત્રીઓની સુરક્ષા પાછી ખેંચી છે. રાજ્યના ગૃહ વિભાગે ગાંધીનગરમાં કેટલાક નેતાઓને મળતી સુરક્ષા પરત ખેંચી લીધી છે. જેમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના 14  પૂર્વ ધારાસભ્યો તેમજ વિજય રૂપાણી સરકારના 10 મંત્રીઓની સુરક્ષા પાછી ખેંચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સરકારના આ મોટા નિર્ણય બાદ હવે પૂર્વ  અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને દંડકો ગનમેન રાખી શકશે નહીં.


VVIPની સુરક્ષાની કરાઈ સમીક્ષા


રાજ્યના ગૃહ વિભાગે VVIPને મળતી સમીક્ષાના અંતે સલામતી પાછી ખેંચી લેવાનો નિર્ણય લીધો હતો. ભૂપેન્દ્ર પટેલની પહેલી સરકારના 14 અને રૂપાણીના પૂર્વ 10 મંત્રીઓની સુરક્ષા પાછી લેવા હુકમ કરાયો છે. આ નેતાઓને VVIP સુરક્ષા નહીં મળે. આ નેતાઓને ફાળવાયેલા સ્થાનિક પોલીસ, SRPFમાંથી 67 બંગલા ગાર્ડ, અંગરક્ષકો, સુરક્ષા ગાર્ડને તેમના હથિયાર આજે સવારે 11 વાગ્યા સુધી જમા કરાવવાનો હુકમ ગાંધીનગરથી થયો છે. 


આ પૂર્વ મંત્રીઓની સુરક્ષા પાછી ખેંચાઈ


ગૃહ વિભાગે તાજેતરમાં જે 290 માંથી 96 જેટલા પૂર્વ મંત્રીઓ અને પદાધિકારીઓની સલામતી વ્યવસ્થા પરત ખેંચવાનો નિર્ણય કર્યો હતો તે અંતર્ગત રાજેન્દ્ર ત્રિવેદી, જીતુ વાઘાણી, પૂર્ણેશ મોદી, અર્જુનસિંહ ચૌહાણ, પ્રદીપ પમાર, બ્રિજેશ મેરજા, જીતુ ચૌધરી, મનીષા વકીલ, નિમિષા સુથાર, કિર્તીસિંહ વાઘેલા, ગજેન્દ્રસિંહ પરમાર, વિનોદ મોરડીયા, દેવા માલમ, આરસી ફળદુ, કૌશિક પટેલ, સૌરભ પટેલ, જયદ્રથસિંહ પરમાર, ઈશ્વરસિંહ પટેલ, વાસણ આહિર, વિભાવરી દવે, રમણ પાટકર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, યોગેશ પટેલ, વલ્લભ કાકડિયાની સુરક્ષા પાછી ખેંચવામાં આવી છે.


આ સિનિયર નેતાઓની સુરક્ષા યથાવત


રાજ્યના ગૃહ વિભાગે પૂર્વ મંત્રીઓ અને પદાધિકારીઓની સુરક્ષા ભલે પાછી ખેંચી જો કે તેમ છતાં, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ ગૃહમંત્રીઓ પ્રદીપસિંહ જાડેજા, રજનીકાંત પટેલ અને ગોરધન ઝડફિયાની સુરક્ષા યથાવત રાખવામાં આવી છે. 


અત્રે ઉલ્લેખનિય છે કે મંત્રીપદ ગયા પછી પણ 5 ધારાસભ્યો પાસે 4- 4 રક્ષકો હતા. આથી આ નિર્ણય અંતર્ગત 67 પોલીસ અને SRPFને હથિયાર જમા કરાવવા આદેશ આપવામાં આવ્યા છે. પૂર્ણેશ મોદી, જીતુ ચૌધરી, મનિષા વકીલ સહિતના MLA પાસે હાલમાં 4-4 સલામતી રક્ષકો છે. રાજ્ય વિધાનસભામાં હાલ કુલ 30 VVIP પૈકી 13 તો  ધારાસભ્ય છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.