રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારનો મોટો નિર્ણય, પૂર્વ મંત્રીઓની સુરક્ષા પાછી ખેંચી


  • Published By :
  • Published Date : 2023-02-26 15:20:43

રાજ્યની ભૂપેન્દ્ર પટેલની સરકારે મહત્વનો નિર્ણય લેતા પૂર્વ મંત્રીઓની સુરક્ષા પાછી ખેંચી છે. રાજ્યના ગૃહ વિભાગે ગાંધીનગરમાં કેટલાક નેતાઓને મળતી સુરક્ષા પરત ખેંચી લીધી છે. જેમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના 14  પૂર્વ ધારાસભ્યો તેમજ વિજય રૂપાણી સરકારના 10 મંત્રીઓની સુરક્ષા પાછી ખેંચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સરકારના આ મોટા નિર્ણય બાદ હવે પૂર્વ  અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને દંડકો ગનમેન રાખી શકશે નહીં.


VVIPની સુરક્ષાની કરાઈ સમીક્ષા


રાજ્યના ગૃહ વિભાગે VVIPને મળતી સમીક્ષાના અંતે સલામતી પાછી ખેંચી લેવાનો નિર્ણય લીધો હતો. ભૂપેન્દ્ર પટેલની પહેલી સરકારના 14 અને રૂપાણીના પૂર્વ 10 મંત્રીઓની સુરક્ષા પાછી લેવા હુકમ કરાયો છે. આ નેતાઓને VVIP સુરક્ષા નહીં મળે. આ નેતાઓને ફાળવાયેલા સ્થાનિક પોલીસ, SRPFમાંથી 67 બંગલા ગાર્ડ, અંગરક્ષકો, સુરક્ષા ગાર્ડને તેમના હથિયાર આજે સવારે 11 વાગ્યા સુધી જમા કરાવવાનો હુકમ ગાંધીનગરથી થયો છે. 


આ પૂર્વ મંત્રીઓની સુરક્ષા પાછી ખેંચાઈ


ગૃહ વિભાગે તાજેતરમાં જે 290 માંથી 96 જેટલા પૂર્વ મંત્રીઓ અને પદાધિકારીઓની સલામતી વ્યવસ્થા પરત ખેંચવાનો નિર્ણય કર્યો હતો તે અંતર્ગત રાજેન્દ્ર ત્રિવેદી, જીતુ વાઘાણી, પૂર્ણેશ મોદી, અર્જુનસિંહ ચૌહાણ, પ્રદીપ પમાર, બ્રિજેશ મેરજા, જીતુ ચૌધરી, મનીષા વકીલ, નિમિષા સુથાર, કિર્તીસિંહ વાઘેલા, ગજેન્દ્રસિંહ પરમાર, વિનોદ મોરડીયા, દેવા માલમ, આરસી ફળદુ, કૌશિક પટેલ, સૌરભ પટેલ, જયદ્રથસિંહ પરમાર, ઈશ્વરસિંહ પટેલ, વાસણ આહિર, વિભાવરી દવે, રમણ પાટકર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, યોગેશ પટેલ, વલ્લભ કાકડિયાની સુરક્ષા પાછી ખેંચવામાં આવી છે.


આ સિનિયર નેતાઓની સુરક્ષા યથાવત


રાજ્યના ગૃહ વિભાગે પૂર્વ મંત્રીઓ અને પદાધિકારીઓની સુરક્ષા ભલે પાછી ખેંચી જો કે તેમ છતાં, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ ગૃહમંત્રીઓ પ્રદીપસિંહ જાડેજા, રજનીકાંત પટેલ અને ગોરધન ઝડફિયાની સુરક્ષા યથાવત રાખવામાં આવી છે. 


અત્રે ઉલ્લેખનિય છે કે મંત્રીપદ ગયા પછી પણ 5 ધારાસભ્યો પાસે 4- 4 રક્ષકો હતા. આથી આ નિર્ણય અંતર્ગત 67 પોલીસ અને SRPFને હથિયાર જમા કરાવવા આદેશ આપવામાં આવ્યા છે. પૂર્ણેશ મોદી, જીતુ ચૌધરી, મનિષા વકીલ સહિતના MLA પાસે હાલમાં 4-4 સલામતી રક્ષકો છે. રાજ્ય વિધાનસભામાં હાલ કુલ 30 VVIP પૈકી 13 તો  ધારાસભ્ય છે.



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.