રશિયાના પ્રમુખ પુતિનની ઊંઘ હરામ કરનાર વેગનર ગ્રુપ શું છે, શા માટે તે ખુનખાર મનાય છે?


  • Published By :
  • Published Date : 2023-06-25 18:50:04

વર્ષ 2022માં 28 ફેબ્રુઆરીએ બ્રિટિશ અખબાર 'ધ ટાઈમ્સ'એ એક રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો. તેમાં ખૂબ જ સનસનીખેજ દાવો કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે રશિયાએ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીની હત્યા કરવા માટે 400 થી વધુ ખુનખાર લડવૈયાઓ મોકલ્યા છે. આ લડવૈયાઓ વેગનર મિલિટરી ગ્રુપના કહેવાતા હતા. વેગનર ગ્રૂપ છેલ્લા ઘણા વર્ષોથી તેના સૈન્ય અને ગુપ્તચર કામગીરીને કારણે ચર્ચામાં રહ્યું છે.


વેગનર ગ્રૂપમાં 6,000 લડવૈયાઓ છે


વેગનર એક પ્રાઈવેટ મિલિટરી ગ્રૂપ છે. જે લોકો તેને ચલાવે છે તેમના પર રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નજીકના સહયોગીઓનો હાથ હોવાનું કહેવાય છે. આ ગ્રૂપ  રશિયન સરકાર સાથે ખભે ખભા મિલાવીને કામ કરે છે. જો સ્થિતિ વિકટ બને છે, તો પુતિનના આદેશ હેઠળ, તેઓ દરેક મોરચે લડવા માટે તૈયાર રહે છે. એવું પણ કહેવાય છે કે વિશ્વભરમાં રશિયન સરકારની કામગીરી સામે છૂપી રીતે લડવામાં વેગનર ગ્રુપ મોખરે રહે છે. વર્ષ 2017માં બ્લૂમબર્ગ દ્વારા એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે વેગનર જૂથમાં લગભગ 6,000 લડવૈયાઓ છે. તેમની હાજરી યુરોપથી લિબિયા, સીરિયા, મોઝામ્બિક, માલી, સુદાન અને મધ્ય આફ્રિકન રિપબ્લિક સુધીની હોવાનું માનવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે ઓક્ટોબર 2015 થી 2018 સુધી, વેગનર ગ્રુપ સીરિયામાં રશિયન સેના અને બશર-અલ-અસદની સરકારની સાથે મળીને લડ્યું હતું.


તેની સ્થાપના કોણે કરી હતી?


વેગનર ગ્રુપની સ્થાપના દિમિત્રી ઉત્કીન દ્વારા કરવામાં આવી હતી. તેમણે 1993 થી 2013 સુધી રશિયન આર્મીમાં સેવા આપી હતી. તેઓ લેફ્ટનન્ટ કર્નલ રેન્કના અધિકારી હતા. તેમણે 2014માં વેગનર ગ્રૂપની શરૂઆત કરી હતી અને ત્યારથી તે તેની સાથે જોડાયેલા છે. દિમિત્રી ઉત્કીન જ્યારે રશિયન સેનામાં હતા ત્યારે વેગનર તેમનું ઉપનામ હતું, આ જ નામ પર આ ગ્રુપનું નામ પડ્યું છે. વેગનર જૂથનું નેતૃત્વ હાલમાં યેવજેની પ્રિગોઝિન કરી રહ્યા છે. પ્રિગોઝિન એક જાણીતા રશિયન ફાઇનાન્સર છે અને તેમને 'પુટિનના રસોઇયા' તરીકે પણ ઓળખવામાં આવે છે. વાસ્તવમાં તેમનો રેસ્ટોરન્ટ અને હોટલનો બિઝનેસ પણ છે. પુતિન ઘણીવાર તેમની એક રેસ્ટોરન્ટમાં જમવા જતા હતા. અહીંથી જ પુતિન અને પ્રિગોઝિન વચ્ચે મિત્રતા વધી અને બંને એકબીજાના સાથી બની ગયા. તેમને રશિયન સરકાર પાસેથી કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ મળવા લાગ્યા. પ્રિગોઝિને પહેલા આ જૂથ સાથેના તેના સંબંધોનો ઇનકાર કર્યો હતો, પરંતુ વર્ષ 2022 માં તેમણે વેગનર ગ્રુપ સાથેનું કનેક્શન સ્વીકારી લીધું હતું. એવું કહેવાય છે કે પ્રિગોઝિન વેગનર ગ્રૂપને ભંડોળ પણ પૂરું પાડે છે.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી