રશિયાના પ્રમુખ પુતિનની ઊંઘ હરામ કરનાર વેગનર ગ્રુપ શું છે, શા માટે તે ખુનખાર મનાય છે?


  • Published By :
  • Published Date : 2023-06-25 18:50:04

વર્ષ 2022માં 28 ફેબ્રુઆરીએ બ્રિટિશ અખબાર 'ધ ટાઈમ્સ'એ એક રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો. તેમાં ખૂબ જ સનસનીખેજ દાવો કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે રશિયાએ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીની હત્યા કરવા માટે 400 થી વધુ ખુનખાર લડવૈયાઓ મોકલ્યા છે. આ લડવૈયાઓ વેગનર મિલિટરી ગ્રુપના કહેવાતા હતા. વેગનર ગ્રૂપ છેલ્લા ઘણા વર્ષોથી તેના સૈન્ય અને ગુપ્તચર કામગીરીને કારણે ચર્ચામાં રહ્યું છે.


વેગનર ગ્રૂપમાં 6,000 લડવૈયાઓ છે


વેગનર એક પ્રાઈવેટ મિલિટરી ગ્રૂપ છે. જે લોકો તેને ચલાવે છે તેમના પર રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નજીકના સહયોગીઓનો હાથ હોવાનું કહેવાય છે. આ ગ્રૂપ  રશિયન સરકાર સાથે ખભે ખભા મિલાવીને કામ કરે છે. જો સ્થિતિ વિકટ બને છે, તો પુતિનના આદેશ હેઠળ, તેઓ દરેક મોરચે લડવા માટે તૈયાર રહે છે. એવું પણ કહેવાય છે કે વિશ્વભરમાં રશિયન સરકારની કામગીરી સામે છૂપી રીતે લડવામાં વેગનર ગ્રુપ મોખરે રહે છે. વર્ષ 2017માં બ્લૂમબર્ગ દ્વારા એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે વેગનર જૂથમાં લગભગ 6,000 લડવૈયાઓ છે. તેમની હાજરી યુરોપથી લિબિયા, સીરિયા, મોઝામ્બિક, માલી, સુદાન અને મધ્ય આફ્રિકન રિપબ્લિક સુધીની હોવાનું માનવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે ઓક્ટોબર 2015 થી 2018 સુધી, વેગનર ગ્રુપ સીરિયામાં રશિયન સેના અને બશર-અલ-અસદની સરકારની સાથે મળીને લડ્યું હતું.


તેની સ્થાપના કોણે કરી હતી?


વેગનર ગ્રુપની સ્થાપના દિમિત્રી ઉત્કીન દ્વારા કરવામાં આવી હતી. તેમણે 1993 થી 2013 સુધી રશિયન આર્મીમાં સેવા આપી હતી. તેઓ લેફ્ટનન્ટ કર્નલ રેન્કના અધિકારી હતા. તેમણે 2014માં વેગનર ગ્રૂપની શરૂઆત કરી હતી અને ત્યારથી તે તેની સાથે જોડાયેલા છે. દિમિત્રી ઉત્કીન જ્યારે રશિયન સેનામાં હતા ત્યારે વેગનર તેમનું ઉપનામ હતું, આ જ નામ પર આ ગ્રુપનું નામ પડ્યું છે. વેગનર જૂથનું નેતૃત્વ હાલમાં યેવજેની પ્રિગોઝિન કરી રહ્યા છે. પ્રિગોઝિન એક જાણીતા રશિયન ફાઇનાન્સર છે અને તેમને 'પુટિનના રસોઇયા' તરીકે પણ ઓળખવામાં આવે છે. વાસ્તવમાં તેમનો રેસ્ટોરન્ટ અને હોટલનો બિઝનેસ પણ છે. પુતિન ઘણીવાર તેમની એક રેસ્ટોરન્ટમાં જમવા જતા હતા. અહીંથી જ પુતિન અને પ્રિગોઝિન વચ્ચે મિત્રતા વધી અને બંને એકબીજાના સાથી બની ગયા. તેમને રશિયન સરકાર પાસેથી કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ મળવા લાગ્યા. પ્રિગોઝિને પહેલા આ જૂથ સાથેના તેના સંબંધોનો ઇનકાર કર્યો હતો, પરંતુ વર્ષ 2022 માં તેમણે વેગનર ગ્રુપ સાથેનું કનેક્શન સ્વીકારી લીધું હતું. એવું કહેવાય છે કે પ્રિગોઝિન વેગનર ગ્રૂપને ભંડોળ પણ પૂરું પાડે છે.



23 જૂન 2026ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં નાગરિક અલંકાર સમારોહ-II યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલા, સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા, જાહેર જીવન, રમતગમત, વિજ્ઞાન, ચિકિત્સા, કૃષિ, ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. આ સમારોહની સત્તાવાર યાદીમાં 2 પદ્મ વિભૂષણ, 7 પદ્મ ભૂષણ અને 57 પદ્મ શ્રી પ્રાપ્તકર્તાઓ સહિત કુલ 66 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રંજની અને ગાયત્રીને સંયુક્ત એટલે કે Duo શ્રેણીમાં એક પુરસ્કાર આપવામાં આવ્યો છે. કેટલાક મહાનુભાવોને મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા છે.

સ્ટોરીમાં કોર્ટનો ચુકાદો, પત્ની સહિત નવ લોકોને સજા, 2023ની ઘટનાની શરૂઆત, વન અધિકારીઓ સાથે જોડાયેલા આરોપો, ₹60 હજારના વ્યવહારનો મુદ્દો, FIRથી ચુકાદા સુધીની સમયરેખા, કેસમાં ટ્રાયલ થયેલી IPC અને Arms Actની કલમો, સાક્ષીઓ, જેલની સ્થિતિ, ધારાસભ્ય તરીકેની અયોગ્યતા, અપીલનો રસ્તો અને AAP પર પડનારી રાજકીય અસર આવરી લેવાઈ છે. નર્મદા જિલ્લાના રાજપીપળાની કોર્ટે ચૈતર વસાવા અને અન્ય આઠ લોકોને સાત વર્ષની સજા સંભળાવીને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યાના અહેવાલ છે.

૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.