Gujaratનું ગરમાયું હવામાન, એવો સમય હમણાંથી આવી ગયો કે બહાર નિકળતા પહેલા વિચાર કરવો પડે, જાણો રવિવારે ક્યાં કેટલું નોંધાયું તાપમાન?


  • Published By :
  • Published Date : 2024-03-11 15:54:30

ધીમે ધીમે આપણે શિયાળામાંથી ઉનાળા તરફ પ્રયાણ કરી રહ્યા છીએ. તાપમાનનો પારો સતત વધી રહ્યો છે જેને કારણે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. માર્ચના મહિનામાં એટલો તડકો, એટલી ગરમી પડી રહી છે જેને જોતા લાગે છે કે માર્ચ મહિનામાં આવી હાલત છે તો મે મહિનામાં શુ હાલત કરશે ગરમી? ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. તાપમાનનો પારો સતત વધી રહ્યો છે જેને કારણે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. આવનાર સમયમાં આ તાપમાનનો પારો વધી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રવિવારે રાજ્યના અનેક શહેરોમાં તાપમાન 30-35 ડિગ્રી આસપાસ પહોંચ્યું હતું. 

After 60 days in Rajkot, the mercury dropped below 40 degrees | ગરમી ઘટશે:  રાજકોટમાં 60 દિવસ બાદ ગરમીનો પારો 40 ડિગ્રી નીચે - Rajkot News | Divya  Bhaskar

રવિવારે તાપમાનનો પારો પહોંચ્યો હતો 35 ડિગ્રી આસપાસ!

રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો હતો. સવારે વહેલી સવારે ઠંડી હોય છે પરંતુ બપોરના સમયે ગરમીનો અહેસાસ થતો હોય છે. એટલી ગરમી માર્ચ મહિનામાં પડી રહી છે કે બહાર નીકળતા પહેલા બે વખત વિચાર કરવો પડે છે. હવામાન વિભાગની આગાહી મુજબ આવનાર સમયમાં તાપમાનમાં ફેરફાર આવી શકે છે અને વધુ ગરમીનો અનુભવ થઈ થઈ શકે છે. આવનાર દિવસમાં મોટો ફેરફાર નહીં થાય તેવી આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા. રવિવારે અમદાવાદ સહિત 12 શહેરમાં સરેરાશ મહત્તમ તાપમાન 34 ડિગ્રીને પાર નોંધાયું હતુ. રવિવારે અમદાવાદ સહિત 12 શહેરમાં તાપમાનનો પારો 34 ડિગ્રીને પાર નોંધાયો હતો. આવનાર બે ત્રણ દિવસમાં તાપમાનનો પારો વધી શકે છે. 


આવનાર દિવસોમાં વધશે સૂર્યનારાયણનો પ્રકોપ!

મહત્વનું છે કે શિયાળાની શરૂઆતમાં પણ વરસાદ આવ્યો હતો અને શિયાળો જ્યારે વિદાય લઈ રહ્યો હતો તે વખતે પણ વરસાદ આવ્યો હતો. થોડા સમય પહેલા જ્યારે કમોસમી વરસાદ આવ્યો હતો ત્યારે ખેડૂતોને રડવાનો વારો આવ્યો હતો. માવઠાને કારણે જગતના તાતની ચિંતા વધતી હોય છે. વરસાદ એક વખત આવે છે પરંતુ તે વરસાદે ખેડૂતોની મહિનાઓની મહેનતને પાણીમાં ડુબાડી દે છે. ત્યારે આવનાર દિવસોમાં ગરમીનો પારો વધી શકે છે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. હવામાન નિષ્ણાત દ્વારા પણ ગરમીને લઈ આગાહી કરવામાં આવી છે. પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે કે હમણા જેવું વાતાવરણ છે તેવું વાતાવરણ થોડા દિવસ માટે યથાવત રહેશે. 19થી 21 તારીખ દરમિયાન તાપમાનમાં થોડો વધારો નોંધાશે.      




લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે સમાધાન થઇ ગયું છે. બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવી વિવાદનો અંત લાવવામાં આવ્યો છે. ધ્રુવરાજસિંહ ચૌહાણ પર ૧૨મી ઓગસ્ટના રોજ હુમલો થયો હતો. ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા બંને વચ્ચે તકરાર થઈ હતી. હવે સોશ્યિલ મીડિયા પર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણની આ તસ્વીર ખુબ જ વાઇરલ થઇ રહી છે.

Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા અને શહેરમાં બાકી રહેલી નિયુક્તિઓને લઇને કવાયત તેજ કરવામાં આવી છે. છેલ્લા એક અઠવાડિયાથી જિલ્લા અને શહેર પ્રમુખની નિયુક્તિઓ માટે બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ માટે પ્રદેશપ્રમુખ જગદીશ પંચાલ અને સંગઠનમંત્રી રત્નાકર પાંડે તબક્કાવાર બેઠકો કરી રહ્યા છે જે અંતર્ગત વિવિધ જિલ્લાઓના હોદ્દેદારો સાથે બેઠક યોજવામાં આવી છે.

અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.