Gujaratનું ગરમાયું હવામાન, એવો સમય હમણાંથી આવી ગયો કે બહાર નિકળતા પહેલા વિચાર કરવો પડે, જાણો રવિવારે ક્યાં કેટલું નોંધાયું તાપમાન?


  • Published By :
  • Published Date : 2024-03-11 15:54:30

ધીમે ધીમે આપણે શિયાળામાંથી ઉનાળા તરફ પ્રયાણ કરી રહ્યા છીએ. તાપમાનનો પારો સતત વધી રહ્યો છે જેને કારણે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. માર્ચના મહિનામાં એટલો તડકો, એટલી ગરમી પડી રહી છે જેને જોતા લાગે છે કે માર્ચ મહિનામાં આવી હાલત છે તો મે મહિનામાં શુ હાલત કરશે ગરમી? ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. તાપમાનનો પારો સતત વધી રહ્યો છે જેને કારણે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. આવનાર સમયમાં આ તાપમાનનો પારો વધી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રવિવારે રાજ્યના અનેક શહેરોમાં તાપમાન 30-35 ડિગ્રી આસપાસ પહોંચ્યું હતું. 

After 60 days in Rajkot, the mercury dropped below 40 degrees | ગરમી ઘટશે:  રાજકોટમાં 60 દિવસ બાદ ગરમીનો પારો 40 ડિગ્રી નીચે - Rajkot News | Divya  Bhaskar

રવિવારે તાપમાનનો પારો પહોંચ્યો હતો 35 ડિગ્રી આસપાસ!

રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો હતો. સવારે વહેલી સવારે ઠંડી હોય છે પરંતુ બપોરના સમયે ગરમીનો અહેસાસ થતો હોય છે. એટલી ગરમી માર્ચ મહિનામાં પડી રહી છે કે બહાર નીકળતા પહેલા બે વખત વિચાર કરવો પડે છે. હવામાન વિભાગની આગાહી મુજબ આવનાર સમયમાં તાપમાનમાં ફેરફાર આવી શકે છે અને વધુ ગરમીનો અનુભવ થઈ થઈ શકે છે. આવનાર દિવસમાં મોટો ફેરફાર નહીં થાય તેવી આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા. રવિવારે અમદાવાદ સહિત 12 શહેરમાં સરેરાશ મહત્તમ તાપમાન 34 ડિગ્રીને પાર નોંધાયું હતુ. રવિવારે અમદાવાદ સહિત 12 શહેરમાં તાપમાનનો પારો 34 ડિગ્રીને પાર નોંધાયો હતો. આવનાર બે ત્રણ દિવસમાં તાપમાનનો પારો વધી શકે છે. 


આવનાર દિવસોમાં વધશે સૂર્યનારાયણનો પ્રકોપ!

મહત્વનું છે કે શિયાળાની શરૂઆતમાં પણ વરસાદ આવ્યો હતો અને શિયાળો જ્યારે વિદાય લઈ રહ્યો હતો તે વખતે પણ વરસાદ આવ્યો હતો. થોડા સમય પહેલા જ્યારે કમોસમી વરસાદ આવ્યો હતો ત્યારે ખેડૂતોને રડવાનો વારો આવ્યો હતો. માવઠાને કારણે જગતના તાતની ચિંતા વધતી હોય છે. વરસાદ એક વખત આવે છે પરંતુ તે વરસાદે ખેડૂતોની મહિનાઓની મહેનતને પાણીમાં ડુબાડી દે છે. ત્યારે આવનાર દિવસોમાં ગરમીનો પારો વધી શકે છે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. હવામાન નિષ્ણાત દ્વારા પણ ગરમીને લઈ આગાહી કરવામાં આવી છે. પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે કે હમણા જેવું વાતાવરણ છે તેવું વાતાવરણ થોડા દિવસ માટે યથાવત રહેશે. 19થી 21 તારીખ દરમિયાન તાપમાનમાં થોડો વધારો નોંધાશે.      




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.