દારૂબંધી કાયદાના ધજાગરા ઉડતા જુઓ LIVE! Ahmedabadના કાગડાપીઠ પોલીસ સ્ટેશનના આંગણમાં ચારેય બાજુ દારૂની બોટલો!


  • Published By :
  • Published Date : 2024-09-16 12:21:09

ગુજરાતમાં દારૂબંધી છે... આ વાક્ય સાંભળી તમારા ચહેરા પર કટાક્ષ વાળી સ્માઈલ આવી હશે અને તમેય કહ્યું હશે કે આ તો કહેવા માટે દારૂબંધી છે. દારૂ તો ગુજરાતમાં મળે જ છે....! આ વાત સાચી છે.. કહેવાતી દારૂબંધીના ધજાગરા ઉડતા તમે અવાર નવાર જોયા હશે, એમ કહીએ કે એવા વીડિયો તો અવાર નવાર સામે આવતા રહે છે.. પરંતુ આજે અહીંયા વાત પોલીસની દારૂબંધીની કરવી છે.. જમાવટ એક એવી જગ્યા પર પહોંચ્યું જ્યાં ખુલ્લેઆમ દારૂની બોટલો દેખાતી હતી.. વોશરૂમથી લઈ પાછળ પડેલા કબાડમાં દારૂની બોટલો હતી અને એ પણ ખાલી... 

કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં મળી આવી દારૂની ખાલી બોટલો

આટલું વાંચ્યા પછી તમને થતું હશે કે દારૂના અડ્ડા પર જમાવટની ટીમ પહોંચી હશે.. જો તમે આવું વિચારો છો તો ખોટું છે.. જમાવટની ટીમ પહોંચી હતી કાગડાપીઠ પોલીસ સ્ટેશન અને ત્યાં ખાલી દારૂની બોટલો મળી હતી.. પોલીસ સ્ટેશનમાં દારૂની બોટલ મળી આવી આ વાત સાંભળી તમને નવાઈ લાગી હશેને.. પરંતુ આ સત્ય છે.. જે પોલીસની ફરજમાં આવે છે દારૂબંધીના કાયદાનો અમલ કરવાની ત્યાંથી જ દારૂની અનેક બોટલો મળી આવે ત્યારે પ્રશ્ન થાય.. કાયદાનું રક્ષણ કરવાવાળા લોકો જ કાયદાનું ભક્ષણ કરવા લાગે ત્યારે પ્રશ્ન થાય.. જમાવટની ટીમે જ્યારે ત્યાં ઉપસ્થિત constableને આ દારૂ અંગે સવાલ પૂછ્યો ત્યારે તેમણે કહ્યું કે કોઈ આવીને મૂકી ગયું હશે... તમને આ વાત માનવામાં આવે કે પોલીસ સ્ટેશનમાં કોઈ ખાલી દારૂની બોટલ મૂકી જાય અને પોલીસને ખબર જ ના પડે?

શું કામ પોલીસ એક્શન નથી લેતી?

જ્યારે જ્યારે એવું સાંભળીએ છીએ કે ગુજરાતમાં દારૂબંધી છે ત્યારે હસવું આવે છે.. અને સવાલ થાય કે દારૂબંધી હોય તો દારૂં આવે છે ક્યાંથી? કહેવાતી દારૂબંધીના ધજાગરા તો અનેક વખત ઉડ્યા છે.. પરંતુ જ્યારે દારૂની ખાલી બોટલોનો જથ્થો પોલીસ સ્ટેશનમાં દેખાય છે ત્યારે સવાલો થાય છે. મોટા ભાગના કિસ્સાઓમાં દારૂનો અડ્ડો ક્યાં ચાલે છે તેની જાણ પોલીસને હોય જ છે, પરંતુ તો પણ પોલીસ કોઈ એક્શન નથી લેતી.. કારણ કે જો પોલીસ કોઈ એક્શન લે તો તેમનો હપ્તો બંધ થઈ જાય એવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..        



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.