દારૂબંધી કાયદાના ધજાગરા ઉડતા જુઓ LIVE! Ahmedabadના કાગડાપીઠ પોલીસ સ્ટેશનના આંગણમાં ચારેય બાજુ દારૂની બોટલો!


  • Published By :
  • Published Date : 2024-09-16 12:21:09

ગુજરાતમાં દારૂબંધી છે... આ વાક્ય સાંભળી તમારા ચહેરા પર કટાક્ષ વાળી સ્માઈલ આવી હશે અને તમેય કહ્યું હશે કે આ તો કહેવા માટે દારૂબંધી છે. દારૂ તો ગુજરાતમાં મળે જ છે....! આ વાત સાચી છે.. કહેવાતી દારૂબંધીના ધજાગરા ઉડતા તમે અવાર નવાર જોયા હશે, એમ કહીએ કે એવા વીડિયો તો અવાર નવાર સામે આવતા રહે છે.. પરંતુ આજે અહીંયા વાત પોલીસની દારૂબંધીની કરવી છે.. જમાવટ એક એવી જગ્યા પર પહોંચ્યું જ્યાં ખુલ્લેઆમ દારૂની બોટલો દેખાતી હતી.. વોશરૂમથી લઈ પાછળ પડેલા કબાડમાં દારૂની બોટલો હતી અને એ પણ ખાલી... 

કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં મળી આવી દારૂની ખાલી બોટલો

આટલું વાંચ્યા પછી તમને થતું હશે કે દારૂના અડ્ડા પર જમાવટની ટીમ પહોંચી હશે.. જો તમે આવું વિચારો છો તો ખોટું છે.. જમાવટની ટીમ પહોંચી હતી કાગડાપીઠ પોલીસ સ્ટેશન અને ત્યાં ખાલી દારૂની બોટલો મળી હતી.. પોલીસ સ્ટેશનમાં દારૂની બોટલ મળી આવી આ વાત સાંભળી તમને નવાઈ લાગી હશેને.. પરંતુ આ સત્ય છે.. જે પોલીસની ફરજમાં આવે છે દારૂબંધીના કાયદાનો અમલ કરવાની ત્યાંથી જ દારૂની અનેક બોટલો મળી આવે ત્યારે પ્રશ્ન થાય.. કાયદાનું રક્ષણ કરવાવાળા લોકો જ કાયદાનું ભક્ષણ કરવા લાગે ત્યારે પ્રશ્ન થાય.. જમાવટની ટીમે જ્યારે ત્યાં ઉપસ્થિત constableને આ દારૂ અંગે સવાલ પૂછ્યો ત્યારે તેમણે કહ્યું કે કોઈ આવીને મૂકી ગયું હશે... તમને આ વાત માનવામાં આવે કે પોલીસ સ્ટેશનમાં કોઈ ખાલી દારૂની બોટલ મૂકી જાય અને પોલીસને ખબર જ ના પડે?

શું કામ પોલીસ એક્શન નથી લેતી?

જ્યારે જ્યારે એવું સાંભળીએ છીએ કે ગુજરાતમાં દારૂબંધી છે ત્યારે હસવું આવે છે.. અને સવાલ થાય કે દારૂબંધી હોય તો દારૂં આવે છે ક્યાંથી? કહેવાતી દારૂબંધીના ધજાગરા તો અનેક વખત ઉડ્યા છે.. પરંતુ જ્યારે દારૂની ખાલી બોટલોનો જથ્થો પોલીસ સ્ટેશનમાં દેખાય છે ત્યારે સવાલો થાય છે. મોટા ભાગના કિસ્સાઓમાં દારૂનો અડ્ડો ક્યાં ચાલે છે તેની જાણ પોલીસને હોય જ છે, પરંતુ તો પણ પોલીસ કોઈ એક્શન નથી લેતી.. કારણ કે જો પોલીસ કોઈ એક્શન લે તો તેમનો હપ્તો બંધ થઈ જાય એવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..        



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.