દારૂબંધી કાયદાના ધજાગરા ઉડતા જુઓ LIVE! Ahmedabadના કાગડાપીઠ પોલીસ સ્ટેશનના આંગણમાં ચારેય બાજુ દારૂની બોટલો!


  • Published By :
  • Published Date : 2024-09-16 12:21:09

ગુજરાતમાં દારૂબંધી છે... આ વાક્ય સાંભળી તમારા ચહેરા પર કટાક્ષ વાળી સ્માઈલ આવી હશે અને તમેય કહ્યું હશે કે આ તો કહેવા માટે દારૂબંધી છે. દારૂ તો ગુજરાતમાં મળે જ છે....! આ વાત સાચી છે.. કહેવાતી દારૂબંધીના ધજાગરા ઉડતા તમે અવાર નવાર જોયા હશે, એમ કહીએ કે એવા વીડિયો તો અવાર નવાર સામે આવતા રહે છે.. પરંતુ આજે અહીંયા વાત પોલીસની દારૂબંધીની કરવી છે.. જમાવટ એક એવી જગ્યા પર પહોંચ્યું જ્યાં ખુલ્લેઆમ દારૂની બોટલો દેખાતી હતી.. વોશરૂમથી લઈ પાછળ પડેલા કબાડમાં દારૂની બોટલો હતી અને એ પણ ખાલી... 

કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં મળી આવી દારૂની ખાલી બોટલો

આટલું વાંચ્યા પછી તમને થતું હશે કે દારૂના અડ્ડા પર જમાવટની ટીમ પહોંચી હશે.. જો તમે આવું વિચારો છો તો ખોટું છે.. જમાવટની ટીમ પહોંચી હતી કાગડાપીઠ પોલીસ સ્ટેશન અને ત્યાં ખાલી દારૂની બોટલો મળી હતી.. પોલીસ સ્ટેશનમાં દારૂની બોટલ મળી આવી આ વાત સાંભળી તમને નવાઈ લાગી હશેને.. પરંતુ આ સત્ય છે.. જે પોલીસની ફરજમાં આવે છે દારૂબંધીના કાયદાનો અમલ કરવાની ત્યાંથી જ દારૂની અનેક બોટલો મળી આવે ત્યારે પ્રશ્ન થાય.. કાયદાનું રક્ષણ કરવાવાળા લોકો જ કાયદાનું ભક્ષણ કરવા લાગે ત્યારે પ્રશ્ન થાય.. જમાવટની ટીમે જ્યારે ત્યાં ઉપસ્થિત constableને આ દારૂ અંગે સવાલ પૂછ્યો ત્યારે તેમણે કહ્યું કે કોઈ આવીને મૂકી ગયું હશે... તમને આ વાત માનવામાં આવે કે પોલીસ સ્ટેશનમાં કોઈ ખાલી દારૂની બોટલ મૂકી જાય અને પોલીસને ખબર જ ના પડે?

શું કામ પોલીસ એક્શન નથી લેતી?

જ્યારે જ્યારે એવું સાંભળીએ છીએ કે ગુજરાતમાં દારૂબંધી છે ત્યારે હસવું આવે છે.. અને સવાલ થાય કે દારૂબંધી હોય તો દારૂં આવે છે ક્યાંથી? કહેવાતી દારૂબંધીના ધજાગરા તો અનેક વખત ઉડ્યા છે.. પરંતુ જ્યારે દારૂની ખાલી બોટલોનો જથ્થો પોલીસ સ્ટેશનમાં દેખાય છે ત્યારે સવાલો થાય છે. મોટા ભાગના કિસ્સાઓમાં દારૂનો અડ્ડો ક્યાં ચાલે છે તેની જાણ પોલીસને હોય જ છે, પરંતુ તો પણ પોલીસ કોઈ એક્શન નથી લેતી.. કારણ કે જો પોલીસ કોઈ એક્શન લે તો તેમનો હપ્તો બંધ થઈ જાય એવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..        



ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.