Rajkot TRP Game Zoneની પાસે આ જુઓ ભયંકર બેદરકારી! કેમ સામાન્ય માણસના જીવની કિંમત નથી? જુઓ લાપરવાહીનો વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-29 15:43:06

અનેક કન્સ્ટ્રક્શન સાઈટ આપણે જોઈ છે.. મજૂરો કેવી રીતે કામ કરે છે તે આપણે જોઈએ છીએ... પરંતુ ક્યારેય એ આપણે વિચાર્યું છે કે તેમને સેફ્ટી મળે છે કે નહીં? ક્યારેય એવું વિચાર્યું છે કે જો તે ઉપરથી નીચે પડી જાય છે તો તેમને કેવી રીતે બચાવાશે? કદાચ નહીં.. રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી ઘટનાઓ બાદ અનેક સવાલ થયા કે શા માટે લાપરવાહી દાખવવામાં આવી? જમાવટની ટીમ જ્યારે રાજકોટ પહોંચી હતી ત્યારે ટીઆરપી ગેમ ઝોનથી 500 મીટરની દૂરી પર આવેલા એક કન્સ્ટ્રક્શન સાઈટની મુલાકાતે ગઈ હતી. ત્યાંથી જે દ્રશ્યો સામે આવ્યા તે ભયજનક હતા.. સેફ્ટી વગર મજૂરો કામ કરી રહ્યા હતા.. 



જીવના જોખમે મજૂરો કરે છે મજૂરી  

આપણે જ્યારે મજૂરોને જોઈએ ત્યારે આપણને તેમને જોઈ દયા આવે..ધગધગતા તાપમાં તે લોકો પેટ માટે કામ કરે છે.. તાપમાનનો પારો ગમે તેટલો કેમ ના હોય તેઓ કામ કરતા દેખાય છે.. અનેક વખત મજૂરો આપણને સેફ્ટીના સાધનો વગર દેખાતા હોય છે.. સેફ્ટીના સાધનો વગર તેઓ ઉપર ચઢતા હોય છે અને જીવના જોખમે તેઓ મજૂરી કરતા હોય છે.. 

જો ઈતિહાસમાંથી આપણે શીખ્યા હોત તો... 

અનેક વખત આવા દ્રશ્યો આપણને દેખાય છે કે ત્યારે તે વાત સામાન્ય લાગે છે કે આવા દ્રશ્યો તો દેખાય.. પરંતુ આપણે ભૂલી જઈએ છીએ કે આવી જ લાપરવાહીને કારણે દુર્ઘટનાઓ સર્જાય છે. આપણે જ અનેક વખત આપણા જીવને જોખમમાં નાખતા હોઈએ છીએ.. આપણે ઈતિહાસમાંથી કોઈ બોધપાઠ નથી લેતા જેને કારણે ભવિષ્યમાં પણ આવી ઘટનાઓ બને છે.. જો આપણે ભૂતકાળમાંથી કઈ શીખ્યા હોત તો રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં જે ઘટના બની તે ઘટના ના બની હોત..   



ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.

દરેકમાં ઈશ્વર રહેલા છે તેવું આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ. ઈશ્વરે આપણને બનાવ્યા છે.. ઈશ્વરે માણસને બનાવ્યો પરંતુ તે જ માણસ ઈશ્વરને મંદિરમાં સ્થાન આપે છે. ધર્મની અલગ અલગ વ્યાખ્યા આપણે ત્યાં લોકો કરતા હોય છે.

ગુજરાતની સહકારી મંડળીઓ અને સંઘોને નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે એનસીડીસી દ્વારા લોન તેમજ ગ્રાન્ટના સ્વરૂપમાં નાણાકીય સહાય આપવામાં આવતી હોય છે. 2021-22માં નાણાકીય સહાયનો આંક રૂ. 37.40 કરોડ હતો જે 2023-24માં વધીને રૂ. 586.99 કરોડે પહોંચી ગયો છે.

ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોનો પાણીમાં ઘરકાવ થઈ ગયો છે.. ભારે વરસાદને કારણે લોકોનું જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. પાણી ભરાઈ ગયા છે જેને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આગામી દિવસોમાં વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.