બોપલ, ઘુમા, ગોધાવી અને શેલા વિસ્તારમાં પાણીના વપરાશ પર AUDA ચાર્જ વસૂલશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 18:29:50

મોંઘવારીનો માર સહન કરી રહેલા લોકો પર વિવિધ પ્રકારના કરવેરા ઝીંકીને સરકાર તેમની મુશીબત વધારી રહી છે. જેમ કે અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA) ના બોર્ડે સર્વસંમતિથી તેની 'પાણી વિતરણ વ્યવસ્થા નીતિ'પસાર કરી છે. તે હવે વપરાશના હિસાબે ઘરેલું, વાણિજ્યિક અને સંસ્થાકીય પાણીના જોડાણોનો ચાર્જ વસૂલશે. તેનાથી બોપલ, ઘુમા, ગોધવી અને શેલાના રહેવાસીઓને અસર થશે. AUDA વોટર મીટર ઈન્સ્ટોલેશન માટે ડિપોઝીટ ચાર્જ કરશે અને તેના ગ્રાહકોને માસિક પાણી વપરાશ બિલ જારી કરશે.


નવી પોલિસી અનુસાર AUDA પ્રતિ માસ 22,500 લિટર પ્રતિ ઘરગથ્થુ સપ્લાય પર કોઈ ચાર્જ વસૂલશે નહીં. જોકે, ગ્રાહકોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) પ્રોપર્ટી ટેક્સ બિલ સાથે આવતી મૂળભૂત વાર્ષિક પાણીની ફી ચૂકવવી પડશે.


બોપલ, ઘુમા, ગોધાવી અને શેલાના લોકોને કેટલો ચાર્જ ચૂકવવો પડશે?


જો કોઈ ઘરનો વપરાશ મહિને 22,500 લિટર અને 30,000 લિટરની વચ્ચે હોય, તો માલિક 1000 વધારાના લિટર દીઠ રૂ. 10ના દરે વધુમાં વધુ રૂ. 75 ચૂકવશે. 30,001 લિટર અને 40,000 લિટર વચ્ચેના માસિક વપરાશ માટે, Auda 1,000 લિટર દીઠ 20 રૂપિયા ચાર્જ કરશે. તેવી જ રીતે, 60,001 લિટરથી વધુ વપરાશ માટે 50 રૂપિયા પ્રતિ હજાર લિટરનો ચાર્જ લેવામાં આવશે.


કોમર્શિયલ પ્રોપર્ટી માટે, પ્રકાર પર આધાર રાખીને, AUDA વપરાશમાં લેવાયેલા પાણીના હજાર લિટર દીઠ રૂ. 25 થી રૂ. 40 વસૂલશે. સરકારી કે અર્ધ-સરકારી સંસ્થાઓ પાસેથી પ્રતિ 1,000 લીટર દીઠ 15 રૂપિયાની ફી વસૂલવામાં આવશે. AUDAએ બોપલ અને ઘુમા નગરપાલિકાઓમાં તેના પાણી પુરવઠાના સંચાલન અને જાળવણી માટે એક એજન્સીની ઓળખ કરી છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.