ઉનાળામાં વિકટ બનતી પાણીની સમસ્યા! નલ સે જલ યોજના પાછળ કરોડો રુપિયા ખર્ચાયા પરંતુ અંતરિયાળ ગામોમાં હજી પણ નથી મળતું પાણી!


  • Published By :
  • Published Date : 2023-04-25 16:40:05

દરેક ઘરમાં નળ સુધી પાણી પહોંચે તે માટે સરકારે નલ સે જલ યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. અનેક લોકોને આ યોજનાથી ફાયદો પણ થયો હતો ત્યારે અનેક એવા ગામડાઓ છે જ્યાં આ યોજના માત્ર કાગળ પર પહોંચી છે. આજે પણ ગામના લોકો પીવાના પાણી માટે વલખા મારતા હોય છે. અનેક અંતરિયાળ વિસ્તાર એવા છે જ્યાં પાણી માટે દુર દુર સુધી સુધી ચાલીને જવું પડતું હોય છે. ત્યારે દેદિયાપાડા તાલુકાના બેબાર ગામની પરિસ્થિતિ પણ આવી જ છે. તે સિવાય પાટણમાંથી પણ આવા દ્રશ્યો સામે આવ્યા છે જ્યાં પાણી માટે લોકોને વલખા મારવા પડે છે.  


પાણી માટે અંતરિયાળ વિસ્તારમાં લોકો મારે છે વલખા!     

એક તરફ સરકાર સો ટકા નલ સે જલ યોજના પૂર્ણ થવાનો દાવો કરે છે પરંતુ આપણી સામે એવા અનેક ગામડાઓ છે જ્યાં પાણી માટે પણ લોકો વલખા મારે છે. મુખ્યત્વે અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગામડાઓમાં આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે જ્યાં પાણી માટે લોકોએ કિલોમીટર સુધી ચાલવું પડતું હોય છે. દેદિયાપાડા તાલુકાના બેબાર ગામના લોકો પીવાના પાણી માટે લોકોને વલખા મારવા પડ્યા છે. આવા દ્રશ્યો પાટણથી પણ સામે આવ્યા છે.  

 

સરપંચની બેદરકારીને કારણે લોકોને નથી મળતું પાણી! 

કરોડો રૂપિયાના ખર્ચે સરકાર દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે. પાણી પહોંચાડવા માટે કરોડો રુપિયા વાપરવામાં આવે છે. કરોડો રુપિયાનું પાણી થઈ જતું હોય છે. ત્યારે મળતી માહિતી અનુસાર બેબાર ગામમાં ઘરે ઘરે નળ મૂકાયા છે. પાણીની ટાંકી પણ મૂકાઈ છે. પરંતુ સરપંચની બેદરકારીને કારણે ગામના લોકો સુધી પાણી પહોંચતું નથી તેવા આક્ષેપો લોકો દ્વારા કરવામાં આવ્યા છે. નલ સે જલ યોજના અંતર્ગત મૂકાયેલા નળથી પીવાનું પાણી મળતું નથી જેને કારણે પાણી ભરવા માટે દૂર જવું પડે છે. પાઈપ લાઈન હોવા છતાંય પાણી છોડાતું નથી. જેને કારણે પીવાનું પાણી લોકો સુધી પહોંચતું નથી.


સરકાર કેમ કરે છે 100 ટકા યોજના પૂર્ણ થવાનો દાવો?

અનેક એવી યોજનાઓ છે જે સરકાર દ્વારા સારા આશયથી શરૂ કરવામાં આવતી હોય છે. અનેક લોકો સુધી યોજનાઓ પહોંચી છે પરંતુ અનેક એવા ગામડાઓ છે જ્યાં નળ છે, પાઈપ છે પરંતુ નળમાંથી આવતું પાણી નથી. અનેક એવા ગામડાઓ છે જ્યાં પાઈપથી પાણી લોકોના ઘરે નથી પહોંચતા. ત્યારે સરકારને એક પ્રશ્ન પૂછવાની ઈચ્છા થાય કે જો યોજના લોકો સુધી પહોંચી જ નથી તો યોજના 100 ટકા પૂર્ણ થઈ હોય તેવા દાવા કેમ કરો છો.  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે