ઉનાળામાં વિકટ બનતી પાણીની સમસ્યા! નલ સે જલ યોજના પાછળ કરોડો રુપિયા ખર્ચાયા પરંતુ અંતરિયાળ ગામોમાં હજી પણ નથી મળતું પાણી!


  • Published By :
  • Published Date : 2023-04-25 16:40:05

દરેક ઘરમાં નળ સુધી પાણી પહોંચે તે માટે સરકારે નલ સે જલ યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. અનેક લોકોને આ યોજનાથી ફાયદો પણ થયો હતો ત્યારે અનેક એવા ગામડાઓ છે જ્યાં આ યોજના માત્ર કાગળ પર પહોંચી છે. આજે પણ ગામના લોકો પીવાના પાણી માટે વલખા મારતા હોય છે. અનેક અંતરિયાળ વિસ્તાર એવા છે જ્યાં પાણી માટે દુર દુર સુધી સુધી ચાલીને જવું પડતું હોય છે. ત્યારે દેદિયાપાડા તાલુકાના બેબાર ગામની પરિસ્થિતિ પણ આવી જ છે. તે સિવાય પાટણમાંથી પણ આવા દ્રશ્યો સામે આવ્યા છે જ્યાં પાણી માટે લોકોને વલખા મારવા પડે છે.  


પાણી માટે અંતરિયાળ વિસ્તારમાં લોકો મારે છે વલખા!     

એક તરફ સરકાર સો ટકા નલ સે જલ યોજના પૂર્ણ થવાનો દાવો કરે છે પરંતુ આપણી સામે એવા અનેક ગામડાઓ છે જ્યાં પાણી માટે પણ લોકો વલખા મારે છે. મુખ્યત્વે અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગામડાઓમાં આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે જ્યાં પાણી માટે લોકોએ કિલોમીટર સુધી ચાલવું પડતું હોય છે. દેદિયાપાડા તાલુકાના બેબાર ગામના લોકો પીવાના પાણી માટે લોકોને વલખા મારવા પડ્યા છે. આવા દ્રશ્યો પાટણથી પણ સામે આવ્યા છે.  

 

સરપંચની બેદરકારીને કારણે લોકોને નથી મળતું પાણી! 

કરોડો રૂપિયાના ખર્ચે સરકાર દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે. પાણી પહોંચાડવા માટે કરોડો રુપિયા વાપરવામાં આવે છે. કરોડો રુપિયાનું પાણી થઈ જતું હોય છે. ત્યારે મળતી માહિતી અનુસાર બેબાર ગામમાં ઘરે ઘરે નળ મૂકાયા છે. પાણીની ટાંકી પણ મૂકાઈ છે. પરંતુ સરપંચની બેદરકારીને કારણે ગામના લોકો સુધી પાણી પહોંચતું નથી તેવા આક્ષેપો લોકો દ્વારા કરવામાં આવ્યા છે. નલ સે જલ યોજના અંતર્ગત મૂકાયેલા નળથી પીવાનું પાણી મળતું નથી જેને કારણે પાણી ભરવા માટે દૂર જવું પડે છે. પાઈપ લાઈન હોવા છતાંય પાણી છોડાતું નથી. જેને કારણે પીવાનું પાણી લોકો સુધી પહોંચતું નથી.


સરકાર કેમ કરે છે 100 ટકા યોજના પૂર્ણ થવાનો દાવો?

અનેક એવી યોજનાઓ છે જે સરકાર દ્વારા સારા આશયથી શરૂ કરવામાં આવતી હોય છે. અનેક લોકો સુધી યોજનાઓ પહોંચી છે પરંતુ અનેક એવા ગામડાઓ છે જ્યાં નળ છે, પાઈપ છે પરંતુ નળમાંથી આવતું પાણી નથી. અનેક એવા ગામડાઓ છે જ્યાં પાઈપથી પાણી લોકોના ઘરે નથી પહોંચતા. ત્યારે સરકારને એક પ્રશ્ન પૂછવાની ઈચ્છા થાય કે જો યોજના લોકો સુધી પહોંચી જ નથી તો યોજના 100 ટકા પૂર્ણ થઈ હોય તેવા દાવા કેમ કરો છો.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.