ઉનાળામાં વિકટ બનતી પાણીની સમસ્યા! નલ સે જલ યોજના પાછળ કરોડો રુપિયા ખર્ચાયા પરંતુ અંતરિયાળ ગામોમાં હજી પણ નથી મળતું પાણી!


  • Published By :
  • Published Date : 2023-04-25 16:40:05

દરેક ઘરમાં નળ સુધી પાણી પહોંચે તે માટે સરકારે નલ સે જલ યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. અનેક લોકોને આ યોજનાથી ફાયદો પણ થયો હતો ત્યારે અનેક એવા ગામડાઓ છે જ્યાં આ યોજના માત્ર કાગળ પર પહોંચી છે. આજે પણ ગામના લોકો પીવાના પાણી માટે વલખા મારતા હોય છે. અનેક અંતરિયાળ વિસ્તાર એવા છે જ્યાં પાણી માટે દુર દુર સુધી સુધી ચાલીને જવું પડતું હોય છે. ત્યારે દેદિયાપાડા તાલુકાના બેબાર ગામની પરિસ્થિતિ પણ આવી જ છે. તે સિવાય પાટણમાંથી પણ આવા દ્રશ્યો સામે આવ્યા છે જ્યાં પાણી માટે લોકોને વલખા મારવા પડે છે.  


પાણી માટે અંતરિયાળ વિસ્તારમાં લોકો મારે છે વલખા!     

એક તરફ સરકાર સો ટકા નલ સે જલ યોજના પૂર્ણ થવાનો દાવો કરે છે પરંતુ આપણી સામે એવા અનેક ગામડાઓ છે જ્યાં પાણી માટે પણ લોકો વલખા મારે છે. મુખ્યત્વે અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગામડાઓમાં આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે જ્યાં પાણી માટે લોકોએ કિલોમીટર સુધી ચાલવું પડતું હોય છે. દેદિયાપાડા તાલુકાના બેબાર ગામના લોકો પીવાના પાણી માટે લોકોને વલખા મારવા પડ્યા છે. આવા દ્રશ્યો પાટણથી પણ સામે આવ્યા છે.  

 

સરપંચની બેદરકારીને કારણે લોકોને નથી મળતું પાણી! 

કરોડો રૂપિયાના ખર્ચે સરકાર દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે. પાણી પહોંચાડવા માટે કરોડો રુપિયા વાપરવામાં આવે છે. કરોડો રુપિયાનું પાણી થઈ જતું હોય છે. ત્યારે મળતી માહિતી અનુસાર બેબાર ગામમાં ઘરે ઘરે નળ મૂકાયા છે. પાણીની ટાંકી પણ મૂકાઈ છે. પરંતુ સરપંચની બેદરકારીને કારણે ગામના લોકો સુધી પાણી પહોંચતું નથી તેવા આક્ષેપો લોકો દ્વારા કરવામાં આવ્યા છે. નલ સે જલ યોજના અંતર્ગત મૂકાયેલા નળથી પીવાનું પાણી મળતું નથી જેને કારણે પાણી ભરવા માટે દૂર જવું પડે છે. પાઈપ લાઈન હોવા છતાંય પાણી છોડાતું નથી. જેને કારણે પીવાનું પાણી લોકો સુધી પહોંચતું નથી.


સરકાર કેમ કરે છે 100 ટકા યોજના પૂર્ણ થવાનો દાવો?

અનેક એવી યોજનાઓ છે જે સરકાર દ્વારા સારા આશયથી શરૂ કરવામાં આવતી હોય છે. અનેક લોકો સુધી યોજનાઓ પહોંચી છે પરંતુ અનેક એવા ગામડાઓ છે જ્યાં નળ છે, પાઈપ છે પરંતુ નળમાંથી આવતું પાણી નથી. અનેક એવા ગામડાઓ છે જ્યાં પાઈપથી પાણી લોકોના ઘરે નથી પહોંચતા. ત્યારે સરકારને એક પ્રશ્ન પૂછવાની ઈચ્છા થાય કે જો યોજના લોકો સુધી પહોંચી જ નથી તો યોજના 100 ટકા પૂર્ણ થઈ હોય તેવા દાવા કેમ કરો છો.  



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.