ભારે વરસાદને કારણે સાબરમતી નદીમાં છોડાયું પાણી, સાવચેતીના ભાગ રૂપે આ સેવા હાલ માટે કરાઈ બંધ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-20 10:49:16

છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. વરસાદને પગલે નદીઓમાં નવા નીરની આવક થઈ છે તો ડેમ પણ ઓવરફ્લો થઈ રહ્યા છે. ડેમમાં પાણીની આવક થતાં નવા નીરના વધામણાં કરવામાં આવી રહ્યા છે. નદીઓમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ત્યારે ભારે વરસાદને કારણે સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. સાબરમતી નદીમાં પાણી છોડતા ફ્લોટિંગ રેસ્ટોરા બંધ કરી દેવામાં આવી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવાયો છે. 


ડેમમાં તેમજ નદીઓમાં વરસાદી પાણીની બમ્પર આવક 

ગુજરાતમાં વરસાદી મૌસમ ફૂલજોશમાં ખીલી છે. છેલ્લા થોડા દિવસોથી અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. અનેક જગ્યાઓ પર તો પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. રસ્તા પર પાણી ભરાઈ જવાને કારણે લોકો ઘરમાં રહેવા મજબૂર બન્યા છે. જનજીવન પર સૌથી વધારે અસર વરસાદને કારણે પડી છે. સરદાર સરોવર ડેમ, કડાણા ડેમમાં તો પાણીની બમ્પર આવક થઈ છે. પરંતુ રાજ્યના અનેક ડેમો પણ પાણીથી છલોછલ છે. ડેમમાં પાણી આવતા નદીઓમાં પાણીને છોડવામાં આવતું હોય છે જેને કારણે સ્થાનિક લોકોને એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવતી હોય છે. રસ્તા પર નદીઓના નીર વહેતા હોય તેવા દ્રશ્યો અનેક વખત આપણી સામે આવ્યા છે. 

Like Mumbai-Goa, Ahmedabad People get the pleasure of dining in the middle  of water, facilities including live shows and music parties in floating  restaurants | મુંબઈ-ગોવાની જેમ અમદાવાદીઓને મળશે પાણી વચ્ચે જમવાની

સાબરમતી નદીમાં થઈ પાણીની આવક 

ભારે વરસાદને કારણે સરદાર સરોવર પોતાના મહત્તમ સપાટી પર પહોંચ્યો, કડાણા ડેમ સહિતના ડેમોમાં ભારે વરસાદ થવાને કારણે પાણીની જોરદાર આવક થઈ. પાણીની આવક થતાં નદીમાં પાણી છોડવામાં આવે છે. જેને કારણે ગુજરાતની અનેક એવી નદીઓ છે જે બે કાંઠે વહી રહી છે. ત્યારે અમદાવાદમાં તો ભારે વરસાદ નથી વરસ્યો પરંતુ અનેક જગ્યાઓ પર પડેલા ભારે વરસાદને કારણે સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. 


ફ્લોટિંગ રેસ્ટોરા સાવચેતીના ભાગરૂપે કરાયું બંધ 

નદીમાં પાણી છોડાતા તંત્ર એલર્ટ થઈ ગયું છે. સાવચેતીના ભાગરૂપે અનેક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું જેને કારણે નદીમાં નવા નીરની આવક થઈ છે. નદીમાં પાણી આવતા સુરક્ષાને ધ્યાનમાં રાખી ફ્લોટિંગ રેસ્ટોરા બંધ કરવામાં આવી છે. સ્થિતિ જેવી જ સામાન્ય બનશે તે બાદ ફરીથી આ સુવિધા પુન: શરૂ કરવામાં આવશે. એવી પણ માહિતી સામે આવી છે કે જો આગામી સમયમાં વરસાદ રહેશે તો રિવર ક્રૂઝ સેવા પણ બંધ કરી દેવામાં આવશે.  



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી