ભારે વરસાદને કારણે સાબરમતી નદીમાં છોડાયું પાણી, સાવચેતીના ભાગ રૂપે આ સેવા હાલ માટે કરાઈ બંધ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-20 10:49:16

છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. વરસાદને પગલે નદીઓમાં નવા નીરની આવક થઈ છે તો ડેમ પણ ઓવરફ્લો થઈ રહ્યા છે. ડેમમાં પાણીની આવક થતાં નવા નીરના વધામણાં કરવામાં આવી રહ્યા છે. નદીઓમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ત્યારે ભારે વરસાદને કારણે સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. સાબરમતી નદીમાં પાણી છોડતા ફ્લોટિંગ રેસ્ટોરા બંધ કરી દેવામાં આવી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવાયો છે. 


ડેમમાં તેમજ નદીઓમાં વરસાદી પાણીની બમ્પર આવક 

ગુજરાતમાં વરસાદી મૌસમ ફૂલજોશમાં ખીલી છે. છેલ્લા થોડા દિવસોથી અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. અનેક જગ્યાઓ પર તો પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. રસ્તા પર પાણી ભરાઈ જવાને કારણે લોકો ઘરમાં રહેવા મજબૂર બન્યા છે. જનજીવન પર સૌથી વધારે અસર વરસાદને કારણે પડી છે. સરદાર સરોવર ડેમ, કડાણા ડેમમાં તો પાણીની બમ્પર આવક થઈ છે. પરંતુ રાજ્યના અનેક ડેમો પણ પાણીથી છલોછલ છે. ડેમમાં પાણી આવતા નદીઓમાં પાણીને છોડવામાં આવતું હોય છે જેને કારણે સ્થાનિક લોકોને એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવતી હોય છે. રસ્તા પર નદીઓના નીર વહેતા હોય તેવા દ્રશ્યો અનેક વખત આપણી સામે આવ્યા છે. 

Like Mumbai-Goa, Ahmedabad People get the pleasure of dining in the middle  of water, facilities including live shows and music parties in floating  restaurants | મુંબઈ-ગોવાની જેમ અમદાવાદીઓને મળશે પાણી વચ્ચે જમવાની

સાબરમતી નદીમાં થઈ પાણીની આવક 

ભારે વરસાદને કારણે સરદાર સરોવર પોતાના મહત્તમ સપાટી પર પહોંચ્યો, કડાણા ડેમ સહિતના ડેમોમાં ભારે વરસાદ થવાને કારણે પાણીની જોરદાર આવક થઈ. પાણીની આવક થતાં નદીમાં પાણી છોડવામાં આવે છે. જેને કારણે ગુજરાતની અનેક એવી નદીઓ છે જે બે કાંઠે વહી રહી છે. ત્યારે અમદાવાદમાં તો ભારે વરસાદ નથી વરસ્યો પરંતુ અનેક જગ્યાઓ પર પડેલા ભારે વરસાદને કારણે સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. 


ફ્લોટિંગ રેસ્ટોરા સાવચેતીના ભાગરૂપે કરાયું બંધ 

નદીમાં પાણી છોડાતા તંત્ર એલર્ટ થઈ ગયું છે. સાવચેતીના ભાગરૂપે અનેક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું જેને કારણે નદીમાં નવા નીરની આવક થઈ છે. નદીમાં પાણી આવતા સુરક્ષાને ધ્યાનમાં રાખી ફ્લોટિંગ રેસ્ટોરા બંધ કરવામાં આવી છે. સ્થિતિ જેવી જ સામાન્ય બનશે તે બાદ ફરીથી આ સુવિધા પુન: શરૂ કરવામાં આવશે. એવી પણ માહિતી સામે આવી છે કે જો આગામી સમયમાં વરસાદ રહેશે તો રિવર ક્રૂઝ સેવા પણ બંધ કરી દેવામાં આવશે.  



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.