ડબલ એન્જીનની સરકારમાં ગામડાઓની આવી પરિસ્થિતિ અમે નહોતી વિચારી


  • Published By :
  • Published Date : 2022-10-25 19:20:59

મોદી સાહેબ તમે તો રૂપાળા પ્લેન મોં હરો સો ને ફરો સો અહીંયા માણસોના હાલ તો જુઓ 

આ શબ્દો છે નાગલા ગામના એક વૃદ્ધ બા ના જે અમારી સાથે વાત કરતા કરતા તંત્રની સામે પોતાની વેદનાઓ ઠાલવતા હતા.



જો તમારી પાસે તમારું પોતાનું ઘર હોય છતાં તમે એમાં રહી ના શકો તો તમને કેવું લાગે ? 
પોતાનું ઘર હોવા છતાં જો તમારે ઝૂંપડામાં રહેવું પડે તો તમને કેવું લાગે ? 
નેતાઓથી લઈને પ્રશાસન કોઈ તમારી વાત ન સાંભળે તો તમને કેવું લાગે ? 


આવું જ થયું છે બનાસકાંઠાના નાગલા ગામના લોકો સાથે કુદરતના કહેર અને તંત્રના પાપે આ લોકોને પોતાનું ગામ છોડી ઝુપડાંમા રહેવું પડે છે. થરાદ તાલુકાનું નાગલા ગામ કે જે છેલ્લા સાત વર્ષથી પાણીમાં ડૂબેલું છે આ ગામમાં મકાનો, શાળા,ખેતરો સહીત દવાખાનું બધું જ પાણીમાં ડૂબી ગયું છે. તમને એમ લાગશે કે કેવી રીતે આ ગામ પાણીમાં ડૂબી ગયું ? 2015ની સાલમાં બનાસકાંઠામાં વરસાદી પૂર આવ્યું હતું ત્યારે અનેક ગામો સહીત આ ગામ આખું પાણીમાં ડૂબી ગયું હતું પછી જેમ જેમ સમય ગયો તેમ આસપાસના ગામોનું પાણી તો ઓસરી ગયું પણ નાગલા ગામનું પાણી ઓસર્યું નહિ તંત્રએ પાણી બહાર કાઢવાના પ્રયાસો કર્યા પણ પણ ગામની બહાર નીકળી જ ન શક્યું..તો બીજી તરફ કહેવાય છે ને કે એક સાંધે ત્યાં તેર તૂટે તેવું આ લોકો સાથે થયું ગામની બાજુમાં આવેલી કેનાલ પણ લીકેજ થઇ ગઈ જેના કારણે આ ગામનું પાણી કાઢવું તંત્ર માટે પણ મુશ્કેલી સમાન બની ગયું છેલ્લા 7 વર્ષથી આખું ગામ પાણીમાં ડૂબેલું છે જેના કારણે અહીં રહેતા લોકોનું જીવન આટલા વર્ષોથી અસ્તવ્યસ્ત થઇ ગયું છે 


અમે ગયા હતા બનાસકાંઠાના છેવાડાના ગામોમાં 

ગુજરાતમાં ચૂંટણીના બણગા ફૂંકાઈ રહ્યા છે. ગુજરાતની રાજનીતિ ચરમસીમાએ પહોંચી છે જેને લઈને અમે ગુજરાતમાં ચૂંટણી યાત્રા કરી રહ્યા છીએ અમે પ્રયાસ કરી રહ્યા છીએ કે ગુજરાતના છેવાડે રહેતા માણસોનો અવાજ બની શકીયે અમે અમે બનાસકાંઠાના છેવાડે આવેલા અનેક ગામોમાં ફર્યા અમારો હેતુ એ જ હતો કે અમે બનાસકાંઠામાં અને આસપાસ ગામડાઓમાં રહેતા લોકોને મળી શકીયે એમની વાત સરકાર સુધી પહોંચાડી શકીયે 


નાગલા ગામના લોકોની આંખમા આંસુ

સરકારને આ ગામથી નારાજગી હોય તેવું લાગી રહ્યું છે. સરકાર આ લોકો તમારી મીટ માંડીને બેઠા છે.આ પણ વિકાશશીલ ગુજરાતમાં આવતું એક ગામ છે તમે કેમ એટલા વર્ષોથી આંખ આડા કાન કરો છો. ત્યાંના લોકો કહી રહ્યા છે કે ચૂંટણી આવી છે એટલે વડાપ્રધાન સહીત અનેક કદાવર નેતાઓ બનાસકાંઠાની મુલાકાતે આવી રહ્યા છે પણ આ ગામમાં કેમ નથી આવતા ? આટલા વર્ષોથી ત્યાંનું સ્થાનિક તંત્ર ત્યાંના સ્થાનિક નેતાઓ કઈ ઊંઘમાં છે ?હવે નેતાઓ જાગી જજો નહીતો આ ચૂંટણીમાં જનતા તમને ઢંઢોળીને જગાડશે 




ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .