ડબલ એન્જીનની સરકારમાં ગામડાઓની આવી પરિસ્થિતિ અમે નહોતી વિચારી


  • Published By :
  • Published Date : 2022-10-25 19:20:59

મોદી સાહેબ તમે તો રૂપાળા પ્લેન મોં હરો સો ને ફરો સો અહીંયા માણસોના હાલ તો જુઓ 

આ શબ્દો છે નાગલા ગામના એક વૃદ્ધ બા ના જે અમારી સાથે વાત કરતા કરતા તંત્રની સામે પોતાની વેદનાઓ ઠાલવતા હતા.



જો તમારી પાસે તમારું પોતાનું ઘર હોય છતાં તમે એમાં રહી ના શકો તો તમને કેવું લાગે ? 
પોતાનું ઘર હોવા છતાં જો તમારે ઝૂંપડામાં રહેવું પડે તો તમને કેવું લાગે ? 
નેતાઓથી લઈને પ્રશાસન કોઈ તમારી વાત ન સાંભળે તો તમને કેવું લાગે ? 


આવું જ થયું છે બનાસકાંઠાના નાગલા ગામના લોકો સાથે કુદરતના કહેર અને તંત્રના પાપે આ લોકોને પોતાનું ગામ છોડી ઝુપડાંમા રહેવું પડે છે. થરાદ તાલુકાનું નાગલા ગામ કે જે છેલ્લા સાત વર્ષથી પાણીમાં ડૂબેલું છે આ ગામમાં મકાનો, શાળા,ખેતરો સહીત દવાખાનું બધું જ પાણીમાં ડૂબી ગયું છે. તમને એમ લાગશે કે કેવી રીતે આ ગામ પાણીમાં ડૂબી ગયું ? 2015ની સાલમાં બનાસકાંઠામાં વરસાદી પૂર આવ્યું હતું ત્યારે અનેક ગામો સહીત આ ગામ આખું પાણીમાં ડૂબી ગયું હતું પછી જેમ જેમ સમય ગયો તેમ આસપાસના ગામોનું પાણી તો ઓસરી ગયું પણ નાગલા ગામનું પાણી ઓસર્યું નહિ તંત્રએ પાણી બહાર કાઢવાના પ્રયાસો કર્યા પણ પણ ગામની બહાર નીકળી જ ન શક્યું..તો બીજી તરફ કહેવાય છે ને કે એક સાંધે ત્યાં તેર તૂટે તેવું આ લોકો સાથે થયું ગામની બાજુમાં આવેલી કેનાલ પણ લીકેજ થઇ ગઈ જેના કારણે આ ગામનું પાણી કાઢવું તંત્ર માટે પણ મુશ્કેલી સમાન બની ગયું છેલ્લા 7 વર્ષથી આખું ગામ પાણીમાં ડૂબેલું છે જેના કારણે અહીં રહેતા લોકોનું જીવન આટલા વર્ષોથી અસ્તવ્યસ્ત થઇ ગયું છે 


અમે ગયા હતા બનાસકાંઠાના છેવાડાના ગામોમાં 

ગુજરાતમાં ચૂંટણીના બણગા ફૂંકાઈ રહ્યા છે. ગુજરાતની રાજનીતિ ચરમસીમાએ પહોંચી છે જેને લઈને અમે ગુજરાતમાં ચૂંટણી યાત્રા કરી રહ્યા છીએ અમે પ્રયાસ કરી રહ્યા છીએ કે ગુજરાતના છેવાડે રહેતા માણસોનો અવાજ બની શકીયે અમે અમે બનાસકાંઠાના છેવાડે આવેલા અનેક ગામોમાં ફર્યા અમારો હેતુ એ જ હતો કે અમે બનાસકાંઠામાં અને આસપાસ ગામડાઓમાં રહેતા લોકોને મળી શકીયે એમની વાત સરકાર સુધી પહોંચાડી શકીયે 


નાગલા ગામના લોકોની આંખમા આંસુ

સરકારને આ ગામથી નારાજગી હોય તેવું લાગી રહ્યું છે. સરકાર આ લોકો તમારી મીટ માંડીને બેઠા છે.આ પણ વિકાશશીલ ગુજરાતમાં આવતું એક ગામ છે તમે કેમ એટલા વર્ષોથી આંખ આડા કાન કરો છો. ત્યાંના લોકો કહી રહ્યા છે કે ચૂંટણી આવી છે એટલે વડાપ્રધાન સહીત અનેક કદાવર નેતાઓ બનાસકાંઠાની મુલાકાતે આવી રહ્યા છે પણ આ ગામમાં કેમ નથી આવતા ? આટલા વર્ષોથી ત્યાંનું સ્થાનિક તંત્ર ત્યાંના સ્થાનિક નેતાઓ કઈ ઊંઘમાં છે ?હવે નેતાઓ જાગી જજો નહીતો આ ચૂંટણીમાં જનતા તમને ઢંઢોળીને જગાડશે 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.