ડબલ એન્જીનની સરકારમાં ગામડાઓની આવી પરિસ્થિતિ અમે નહોતી વિચારી


  • Published By :
  • Published Date : 2022-10-25 19:20:59

મોદી સાહેબ તમે તો રૂપાળા પ્લેન મોં હરો સો ને ફરો સો અહીંયા માણસોના હાલ તો જુઓ 

આ શબ્દો છે નાગલા ગામના એક વૃદ્ધ બા ના જે અમારી સાથે વાત કરતા કરતા તંત્રની સામે પોતાની વેદનાઓ ઠાલવતા હતા.



જો તમારી પાસે તમારું પોતાનું ઘર હોય છતાં તમે એમાં રહી ના શકો તો તમને કેવું લાગે ? 
પોતાનું ઘર હોવા છતાં જો તમારે ઝૂંપડામાં રહેવું પડે તો તમને કેવું લાગે ? 
નેતાઓથી લઈને પ્રશાસન કોઈ તમારી વાત ન સાંભળે તો તમને કેવું લાગે ? 


આવું જ થયું છે બનાસકાંઠાના નાગલા ગામના લોકો સાથે કુદરતના કહેર અને તંત્રના પાપે આ લોકોને પોતાનું ગામ છોડી ઝુપડાંમા રહેવું પડે છે. થરાદ તાલુકાનું નાગલા ગામ કે જે છેલ્લા સાત વર્ષથી પાણીમાં ડૂબેલું છે આ ગામમાં મકાનો, શાળા,ખેતરો સહીત દવાખાનું બધું જ પાણીમાં ડૂબી ગયું છે. તમને એમ લાગશે કે કેવી રીતે આ ગામ પાણીમાં ડૂબી ગયું ? 2015ની સાલમાં બનાસકાંઠામાં વરસાદી પૂર આવ્યું હતું ત્યારે અનેક ગામો સહીત આ ગામ આખું પાણીમાં ડૂબી ગયું હતું પછી જેમ જેમ સમય ગયો તેમ આસપાસના ગામોનું પાણી તો ઓસરી ગયું પણ નાગલા ગામનું પાણી ઓસર્યું નહિ તંત્રએ પાણી બહાર કાઢવાના પ્રયાસો કર્યા પણ પણ ગામની બહાર નીકળી જ ન શક્યું..તો બીજી તરફ કહેવાય છે ને કે એક સાંધે ત્યાં તેર તૂટે તેવું આ લોકો સાથે થયું ગામની બાજુમાં આવેલી કેનાલ પણ લીકેજ થઇ ગઈ જેના કારણે આ ગામનું પાણી કાઢવું તંત્ર માટે પણ મુશ્કેલી સમાન બની ગયું છેલ્લા 7 વર્ષથી આખું ગામ પાણીમાં ડૂબેલું છે જેના કારણે અહીં રહેતા લોકોનું જીવન આટલા વર્ષોથી અસ્તવ્યસ્ત થઇ ગયું છે 


અમે ગયા હતા બનાસકાંઠાના છેવાડાના ગામોમાં 

ગુજરાતમાં ચૂંટણીના બણગા ફૂંકાઈ રહ્યા છે. ગુજરાતની રાજનીતિ ચરમસીમાએ પહોંચી છે જેને લઈને અમે ગુજરાતમાં ચૂંટણી યાત્રા કરી રહ્યા છીએ અમે પ્રયાસ કરી રહ્યા છીએ કે ગુજરાતના છેવાડે રહેતા માણસોનો અવાજ બની શકીયે અમે અમે બનાસકાંઠાના છેવાડે આવેલા અનેક ગામોમાં ફર્યા અમારો હેતુ એ જ હતો કે અમે બનાસકાંઠામાં અને આસપાસ ગામડાઓમાં રહેતા લોકોને મળી શકીયે એમની વાત સરકાર સુધી પહોંચાડી શકીયે 


નાગલા ગામના લોકોની આંખમા આંસુ

સરકારને આ ગામથી નારાજગી હોય તેવું લાગી રહ્યું છે. સરકાર આ લોકો તમારી મીટ માંડીને બેઠા છે.આ પણ વિકાશશીલ ગુજરાતમાં આવતું એક ગામ છે તમે કેમ એટલા વર્ષોથી આંખ આડા કાન કરો છો. ત્યાંના લોકો કહી રહ્યા છે કે ચૂંટણી આવી છે એટલે વડાપ્રધાન સહીત અનેક કદાવર નેતાઓ બનાસકાંઠાની મુલાકાતે આવી રહ્યા છે પણ આ ગામમાં કેમ નથી આવતા ? આટલા વર્ષોથી ત્યાંનું સ્થાનિક તંત્ર ત્યાંના સ્થાનિક નેતાઓ કઈ ઊંઘમાં છે ?હવે નેતાઓ જાગી જજો નહીતો આ ચૂંટણીમાં જનતા તમને ઢંઢોળીને જગાડશે 




રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .