Fire Extinguisherનો ઉપયોગ કેવી રીતે કરવો તે અમને નહોતું આવતું એટલે એક્સપર્ટ પાસેથી શીખ્યા, તમે પણ જાણીલો કેવી રીતે કરાય તેનો ઉપયોગ..


  • Published By :
  • Published Date : 2024-05-28 12:57:16

આગ લાગવાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે.. રાજકોટમાં બનેલી દુર્ઘટનામાં 27 જેટલા લોકોની જિંદગી હોમાઈ ગઈ.. અનેક વખત એવું બનતું હોય છે કે આપણી સામે Fire Extinguisher હોય પરંતુ તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેની જાણકારી નથી હોતી... આગ લાગે તો કેવી રીતે આપણે બચાવ કરવો જોઈએ, કેવી રીતે આગને રોકવાના પ્રયત્નો કરવા જોઈએ તેની ખબર નથી હોતી. ત્યારે આજે જાણો કેવી રીતે આગથી પોતાનું રક્ષણ કરવું જોઈએ અને કેવા પગલા લેવા જોઈએ આગને રોકવા માટે. કેવી રીતે  Fire Extinguisherનો ઉપયોગ કરવો જોઈએ ફાયર એક્સપર્ટ પાસેથી..

Fire Extinguisher કેવી રીતે વાપરવું તેની નથી હોતી જાણકારી..!

સામાન્ય રીતે જ્યારે આગ લાગે છે ત્યારે આપણે ફાયર ફાયટરની ટીમની રાહ જોતા હોઈએ છીએ..અનેક વખત એવું બનતું હોય છે કે આગ નાની હોય, જો તેને બુઝાવવાનો પ્રયત્ન કરવામાં આવે તો તેને શાંત આપણે કરી શકીએ છીએ. દેશી ભાષામાં આપણે જેને લાલ બમ્બા કહીએ એટલે કે Fire Extinguisherથી.. પરંતુ આપણી સામે Fire Extinguisher હોવા છતાંય તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેની આપણને જાણકારી નથી હોતી.. Fire Extinguisherના સાધનને કેવી રીતે વાપરવો, કઈ દિશામાં આપણે Fire Extinguisherમાં નિકળતા કેમિકલને મારવો તેની જાણકારી નથી હોતી..


કેવી રીતે કરવો જોઈએ Fire Extinguisherનો ઉપયોગ? 

જમાવટની ટીમ દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. ફાયર એસ્પર્ટે સમજાવ્યું કે જો આગ લાગે તો પ્રાથમિક તબક્કામાં કેવી રીતે કામ કરવું જોઈએ... શું પગલા લેવા જોઈએ.. ફાયર એસ્પર્ટે જણાવ્યું કે આગ લાગવાના પાંચ પ્રકાર હોય.. અલગ અલગ વર્ગોમાં તેને રાખવામાં આવ્યું છે.. કયા Fire Extinguisherની મદદથી કેવા પ્રકારની આગથી બચી શકાય તેની માહિતી તેમણે આપી. 


આટલા સમય બાદ કરવું પડે છે Fire Extinguisherનું મેન્ટેનન્સ!   

Fire Extinguisherને શરૂ કેવી રીતે કરવું તે તેમણે જણાવ્યું હતું.. સામાન્ય રીતે આપણે માનતા હોઈએ છીએ કે એક વખત Fire Extinguisher લગાવી દીધું એટલે પતી ગયું પરંતુ એવું નથી. તેનું Maintenance કરવું પડે છે.. અનેક પાર્ટ એવા હોય છે જેનું મેન્ટેનન્સ અઠવાડિયાએ કરવું પડે છે તો કોઈને quaterly કરવું પડે છે... તે સિવાય ફાયર એલાર્મ સિસ્ટમ આપણે જેને માનીએ છીએ તે કેવી રીતે કામ કરે છે તે પણ તેમણે સમજાવ્યું.. મહત્વું છે કે પ્રાથમિક માહિતી આપણી પાસે હોવી જોઈએ.. એટલે જ જમાવટે આવી શરૂઆત ઘરથી કરી છે..       



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.