Fire Extinguisherનો ઉપયોગ કેવી રીતે કરવો તે અમને નહોતું આવતું એટલે એક્સપર્ટ પાસેથી શીખ્યા, તમે પણ જાણીલો કેવી રીતે કરાય તેનો ઉપયોગ..


  • Published By :
  • Published Date : 2024-05-28 12:57:16

આગ લાગવાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે.. રાજકોટમાં બનેલી દુર્ઘટનામાં 27 જેટલા લોકોની જિંદગી હોમાઈ ગઈ.. અનેક વખત એવું બનતું હોય છે કે આપણી સામે Fire Extinguisher હોય પરંતુ તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેની જાણકારી નથી હોતી... આગ લાગે તો કેવી રીતે આપણે બચાવ કરવો જોઈએ, કેવી રીતે આગને રોકવાના પ્રયત્નો કરવા જોઈએ તેની ખબર નથી હોતી. ત્યારે આજે જાણો કેવી રીતે આગથી પોતાનું રક્ષણ કરવું જોઈએ અને કેવા પગલા લેવા જોઈએ આગને રોકવા માટે. કેવી રીતે  Fire Extinguisherનો ઉપયોગ કરવો જોઈએ ફાયર એક્સપર્ટ પાસેથી..

Fire Extinguisher કેવી રીતે વાપરવું તેની નથી હોતી જાણકારી..!

સામાન્ય રીતે જ્યારે આગ લાગે છે ત્યારે આપણે ફાયર ફાયટરની ટીમની રાહ જોતા હોઈએ છીએ..અનેક વખત એવું બનતું હોય છે કે આગ નાની હોય, જો તેને બુઝાવવાનો પ્રયત્ન કરવામાં આવે તો તેને શાંત આપણે કરી શકીએ છીએ. દેશી ભાષામાં આપણે જેને લાલ બમ્બા કહીએ એટલે કે Fire Extinguisherથી.. પરંતુ આપણી સામે Fire Extinguisher હોવા છતાંય તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેની આપણને જાણકારી નથી હોતી.. Fire Extinguisherના સાધનને કેવી રીતે વાપરવો, કઈ દિશામાં આપણે Fire Extinguisherમાં નિકળતા કેમિકલને મારવો તેની જાણકારી નથી હોતી..


કેવી રીતે કરવો જોઈએ Fire Extinguisherનો ઉપયોગ? 

જમાવટની ટીમ દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. ફાયર એસ્પર્ટે સમજાવ્યું કે જો આગ લાગે તો પ્રાથમિક તબક્કામાં કેવી રીતે કામ કરવું જોઈએ... શું પગલા લેવા જોઈએ.. ફાયર એસ્પર્ટે જણાવ્યું કે આગ લાગવાના પાંચ પ્રકાર હોય.. અલગ અલગ વર્ગોમાં તેને રાખવામાં આવ્યું છે.. કયા Fire Extinguisherની મદદથી કેવા પ્રકારની આગથી બચી શકાય તેની માહિતી તેમણે આપી. 


આટલા સમય બાદ કરવું પડે છે Fire Extinguisherનું મેન્ટેનન્સ!   

Fire Extinguisherને શરૂ કેવી રીતે કરવું તે તેમણે જણાવ્યું હતું.. સામાન્ય રીતે આપણે માનતા હોઈએ છીએ કે એક વખત Fire Extinguisher લગાવી દીધું એટલે પતી ગયું પરંતુ એવું નથી. તેનું Maintenance કરવું પડે છે.. અનેક પાર્ટ એવા હોય છે જેનું મેન્ટેનન્સ અઠવાડિયાએ કરવું પડે છે તો કોઈને quaterly કરવું પડે છે... તે સિવાય ફાયર એલાર્મ સિસ્ટમ આપણે જેને માનીએ છીએ તે કેવી રીતે કામ કરે છે તે પણ તેમણે સમજાવ્યું.. મહત્વું છે કે પ્રાથમિક માહિતી આપણી પાસે હોવી જોઈએ.. એટલે જ જમાવટે આવી શરૂઆત ઘરથી કરી છે..       



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે