Fire Extinguisherનો ઉપયોગ કેવી રીતે કરવો તે અમને નહોતું આવતું એટલે એક્સપર્ટ પાસેથી શીખ્યા, તમે પણ જાણીલો કેવી રીતે કરાય તેનો ઉપયોગ..


  • Published By :
  • Published Date : 2024-05-28 12:57:16

આગ લાગવાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે.. રાજકોટમાં બનેલી દુર્ઘટનામાં 27 જેટલા લોકોની જિંદગી હોમાઈ ગઈ.. અનેક વખત એવું બનતું હોય છે કે આપણી સામે Fire Extinguisher હોય પરંતુ તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેની જાણકારી નથી હોતી... આગ લાગે તો કેવી રીતે આપણે બચાવ કરવો જોઈએ, કેવી રીતે આગને રોકવાના પ્રયત્નો કરવા જોઈએ તેની ખબર નથી હોતી. ત્યારે આજે જાણો કેવી રીતે આગથી પોતાનું રક્ષણ કરવું જોઈએ અને કેવા પગલા લેવા જોઈએ આગને રોકવા માટે. કેવી રીતે  Fire Extinguisherનો ઉપયોગ કરવો જોઈએ ફાયર એક્સપર્ટ પાસેથી..

Fire Extinguisher કેવી રીતે વાપરવું તેની નથી હોતી જાણકારી..!

સામાન્ય રીતે જ્યારે આગ લાગે છે ત્યારે આપણે ફાયર ફાયટરની ટીમની રાહ જોતા હોઈએ છીએ..અનેક વખત એવું બનતું હોય છે કે આગ નાની હોય, જો તેને બુઝાવવાનો પ્રયત્ન કરવામાં આવે તો તેને શાંત આપણે કરી શકીએ છીએ. દેશી ભાષામાં આપણે જેને લાલ બમ્બા કહીએ એટલે કે Fire Extinguisherથી.. પરંતુ આપણી સામે Fire Extinguisher હોવા છતાંય તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેની આપણને જાણકારી નથી હોતી.. Fire Extinguisherના સાધનને કેવી રીતે વાપરવો, કઈ દિશામાં આપણે Fire Extinguisherમાં નિકળતા કેમિકલને મારવો તેની જાણકારી નથી હોતી..


કેવી રીતે કરવો જોઈએ Fire Extinguisherનો ઉપયોગ? 

જમાવટની ટીમ દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. ફાયર એસ્પર્ટે સમજાવ્યું કે જો આગ લાગે તો પ્રાથમિક તબક્કામાં કેવી રીતે કામ કરવું જોઈએ... શું પગલા લેવા જોઈએ.. ફાયર એસ્પર્ટે જણાવ્યું કે આગ લાગવાના પાંચ પ્રકાર હોય.. અલગ અલગ વર્ગોમાં તેને રાખવામાં આવ્યું છે.. કયા Fire Extinguisherની મદદથી કેવા પ્રકારની આગથી બચી શકાય તેની માહિતી તેમણે આપી. 


આટલા સમય બાદ કરવું પડે છે Fire Extinguisherનું મેન્ટેનન્સ!   

Fire Extinguisherને શરૂ કેવી રીતે કરવું તે તેમણે જણાવ્યું હતું.. સામાન્ય રીતે આપણે માનતા હોઈએ છીએ કે એક વખત Fire Extinguisher લગાવી દીધું એટલે પતી ગયું પરંતુ એવું નથી. તેનું Maintenance કરવું પડે છે.. અનેક પાર્ટ એવા હોય છે જેનું મેન્ટેનન્સ અઠવાડિયાએ કરવું પડે છે તો કોઈને quaterly કરવું પડે છે... તે સિવાય ફાયર એલાર્મ સિસ્ટમ આપણે જેને માનીએ છીએ તે કેવી રીતે કામ કરે છે તે પણ તેમણે સમજાવ્યું.. મહત્વું છે કે પ્રાથમિક માહિતી આપણી પાસે હોવી જોઈએ.. એટલે જ જમાવટે આવી શરૂઆત ઘરથી કરી છે..       



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.