Fire Extinguisherનો ઉપયોગ કેવી રીતે કરવો તે અમને નહોતું આવતું એટલે એક્સપર્ટ પાસેથી શીખ્યા, તમે પણ જાણીલો કેવી રીતે કરાય તેનો ઉપયોગ..


  • Published By :
  • Published Date : 2024-05-28 12:57:16

આગ લાગવાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે.. રાજકોટમાં બનેલી દુર્ઘટનામાં 27 જેટલા લોકોની જિંદગી હોમાઈ ગઈ.. અનેક વખત એવું બનતું હોય છે કે આપણી સામે Fire Extinguisher હોય પરંતુ તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેની જાણકારી નથી હોતી... આગ લાગે તો કેવી રીતે આપણે બચાવ કરવો જોઈએ, કેવી રીતે આગને રોકવાના પ્રયત્નો કરવા જોઈએ તેની ખબર નથી હોતી. ત્યારે આજે જાણો કેવી રીતે આગથી પોતાનું રક્ષણ કરવું જોઈએ અને કેવા પગલા લેવા જોઈએ આગને રોકવા માટે. કેવી રીતે  Fire Extinguisherનો ઉપયોગ કરવો જોઈએ ફાયર એક્સપર્ટ પાસેથી..

Fire Extinguisher કેવી રીતે વાપરવું તેની નથી હોતી જાણકારી..!

સામાન્ય રીતે જ્યારે આગ લાગે છે ત્યારે આપણે ફાયર ફાયટરની ટીમની રાહ જોતા હોઈએ છીએ..અનેક વખત એવું બનતું હોય છે કે આગ નાની હોય, જો તેને બુઝાવવાનો પ્રયત્ન કરવામાં આવે તો તેને શાંત આપણે કરી શકીએ છીએ. દેશી ભાષામાં આપણે જેને લાલ બમ્બા કહીએ એટલે કે Fire Extinguisherથી.. પરંતુ આપણી સામે Fire Extinguisher હોવા છતાંય તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેની આપણને જાણકારી નથી હોતી.. Fire Extinguisherના સાધનને કેવી રીતે વાપરવો, કઈ દિશામાં આપણે Fire Extinguisherમાં નિકળતા કેમિકલને મારવો તેની જાણકારી નથી હોતી..


કેવી રીતે કરવો જોઈએ Fire Extinguisherનો ઉપયોગ? 

જમાવટની ટીમ દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. ફાયર એસ્પર્ટે સમજાવ્યું કે જો આગ લાગે તો પ્રાથમિક તબક્કામાં કેવી રીતે કામ કરવું જોઈએ... શું પગલા લેવા જોઈએ.. ફાયર એસ્પર્ટે જણાવ્યું કે આગ લાગવાના પાંચ પ્રકાર હોય.. અલગ અલગ વર્ગોમાં તેને રાખવામાં આવ્યું છે.. કયા Fire Extinguisherની મદદથી કેવા પ્રકારની આગથી બચી શકાય તેની માહિતી તેમણે આપી. 


આટલા સમય બાદ કરવું પડે છે Fire Extinguisherનું મેન્ટેનન્સ!   

Fire Extinguisherને શરૂ કેવી રીતે કરવું તે તેમણે જણાવ્યું હતું.. સામાન્ય રીતે આપણે માનતા હોઈએ છીએ કે એક વખત Fire Extinguisher લગાવી દીધું એટલે પતી ગયું પરંતુ એવું નથી. તેનું Maintenance કરવું પડે છે.. અનેક પાર્ટ એવા હોય છે જેનું મેન્ટેનન્સ અઠવાડિયાએ કરવું પડે છે તો કોઈને quaterly કરવું પડે છે... તે સિવાય ફાયર એલાર્મ સિસ્ટમ આપણે જેને માનીએ છીએ તે કેવી રીતે કામ કરે છે તે પણ તેમણે સમજાવ્યું.. મહત્વું છે કે પ્રાથમિક માહિતી આપણી પાસે હોવી જોઈએ.. એટલે જ જમાવટે આવી શરૂઆત ઘરથી કરી છે..       



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.