પાટનગર ગાંધીનગરમાંથી મળી આવ્યા હથિયાર! બંધ ગાડીમાંથી હથિયાર મળી આવતા મચ્યો ચકચાર! જાણો પોલીસે શું કર્યું જપ્ત!


  • Published By :
  • Published Date : 2023-05-09 12:53:50

ગાંધીનગરમાંથી બિનવારસી ગાડીમાંથી હથિયારો મળી આવ્યા હતા. મોટા પ્રમાણમાં હથિયારો મળી આવતા ચકચાર મચી ગયો હતો. મળતી માહિતી અનુસાર આ ગાડી ગાંધીનગરના સરગાસણમાં આવેલા ફ્લેટના ભોંયરામાં પાર્ક કરેલી હતી. ગાડીની પાછળની સીટ પર કાર્ટિજ દેખાતા આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. આ મામલે રહીશોએ પોલીસને જાણ કરી હતી અને પોલીસે આવીને આ અંગે તપાસ કરી હતી અને તે દરમિયાન દેશી બનાવટની પિસ્તોલ, 300 કારતૂસ, તમંચા સહિતના મુદ્દામાલ મળી આવ્યા હતા.    


ગાડીમાંથી હથિયારો મળી આવતા પોલીસને જાણ કરી! 

બિનવારસી હાલતમાં રાખેલી ગાડીમાંથી હથિયારો મળી આવ્યાા હતા. મળતી માહિતી અનુસાર સરગાસણની સ્વાગત એફોર્ડ સોસાયટીમાં આ ગાડીને પાર્ક કરવામાં આવી હતી. સોસાયટીના સ્ટિકર વગરની ગાડી દેખાતા તેમણે આ ગાડી કોની છે તે અંગે તપાસ કરી હતી. ગાડીનો કાચ પાછળથી તૂટેલો હતો. ગાડીની પાછળની સીટમાં કાર્ટિજ જોવા મળતા આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. ગાંધીનગર પોલીસ કન્ટ્રોલ રૂમને જાણ કરી હતી. 


પીએમ મોદીના પ્રવાસ પહેલા હથિયારો મળી આવતા ચકચાર! 

પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. કારની તપાસ કરી હતી. તપાસ દરમિયાન કારની પાછળની સીટમાંથી બે પિસ્તોલ તથા કારતૂસ મળી આવ્યા હતા. જે બાદ ચકચાર મચી ગયો હતો. કારની નંબર પ્લેટ પણ ખોટી હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તે પહેલા આવા હથિયારો મળી આવતા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.     



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.