પાટનગર ગાંધીનગરમાંથી મળી આવ્યા હથિયાર! બંધ ગાડીમાંથી હથિયાર મળી આવતા મચ્યો ચકચાર! જાણો પોલીસે શું કર્યું જપ્ત!


  • Published By :
  • Published Date : 2023-05-09 12:53:50

ગાંધીનગરમાંથી બિનવારસી ગાડીમાંથી હથિયારો મળી આવ્યા હતા. મોટા પ્રમાણમાં હથિયારો મળી આવતા ચકચાર મચી ગયો હતો. મળતી માહિતી અનુસાર આ ગાડી ગાંધીનગરના સરગાસણમાં આવેલા ફ્લેટના ભોંયરામાં પાર્ક કરેલી હતી. ગાડીની પાછળની સીટ પર કાર્ટિજ દેખાતા આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. આ મામલે રહીશોએ પોલીસને જાણ કરી હતી અને પોલીસે આવીને આ અંગે તપાસ કરી હતી અને તે દરમિયાન દેશી બનાવટની પિસ્તોલ, 300 કારતૂસ, તમંચા સહિતના મુદ્દામાલ મળી આવ્યા હતા.    


ગાડીમાંથી હથિયારો મળી આવતા પોલીસને જાણ કરી! 

બિનવારસી હાલતમાં રાખેલી ગાડીમાંથી હથિયારો મળી આવ્યાા હતા. મળતી માહિતી અનુસાર સરગાસણની સ્વાગત એફોર્ડ સોસાયટીમાં આ ગાડીને પાર્ક કરવામાં આવી હતી. સોસાયટીના સ્ટિકર વગરની ગાડી દેખાતા તેમણે આ ગાડી કોની છે તે અંગે તપાસ કરી હતી. ગાડીનો કાચ પાછળથી તૂટેલો હતો. ગાડીની પાછળની સીટમાં કાર્ટિજ જોવા મળતા આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. ગાંધીનગર પોલીસ કન્ટ્રોલ રૂમને જાણ કરી હતી. 


પીએમ મોદીના પ્રવાસ પહેલા હથિયારો મળી આવતા ચકચાર! 

પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. કારની તપાસ કરી હતી. તપાસ દરમિયાન કારની પાછળની સીટમાંથી બે પિસ્તોલ તથા કારતૂસ મળી આવ્યા હતા. જે બાદ ચકચાર મચી ગયો હતો. કારની નંબર પ્લેટ પણ ખોટી હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તે પહેલા આવા હથિયારો મળી આવતા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.     



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.