પાટનગર ગાંધીનગરમાંથી મળી આવ્યા હથિયાર! બંધ ગાડીમાંથી હથિયાર મળી આવતા મચ્યો ચકચાર! જાણો પોલીસે શું કર્યું જપ્ત!


  • Published By :
  • Published Date : 2023-05-09 12:53:50

ગાંધીનગરમાંથી બિનવારસી ગાડીમાંથી હથિયારો મળી આવ્યા હતા. મોટા પ્રમાણમાં હથિયારો મળી આવતા ચકચાર મચી ગયો હતો. મળતી માહિતી અનુસાર આ ગાડી ગાંધીનગરના સરગાસણમાં આવેલા ફ્લેટના ભોંયરામાં પાર્ક કરેલી હતી. ગાડીની પાછળની સીટ પર કાર્ટિજ દેખાતા આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. આ મામલે રહીશોએ પોલીસને જાણ કરી હતી અને પોલીસે આવીને આ અંગે તપાસ કરી હતી અને તે દરમિયાન દેશી બનાવટની પિસ્તોલ, 300 કારતૂસ, તમંચા સહિતના મુદ્દામાલ મળી આવ્યા હતા.    


ગાડીમાંથી હથિયારો મળી આવતા પોલીસને જાણ કરી! 

બિનવારસી હાલતમાં રાખેલી ગાડીમાંથી હથિયારો મળી આવ્યાા હતા. મળતી માહિતી અનુસાર સરગાસણની સ્વાગત એફોર્ડ સોસાયટીમાં આ ગાડીને પાર્ક કરવામાં આવી હતી. સોસાયટીના સ્ટિકર વગરની ગાડી દેખાતા તેમણે આ ગાડી કોની છે તે અંગે તપાસ કરી હતી. ગાડીનો કાચ પાછળથી તૂટેલો હતો. ગાડીની પાછળની સીટમાં કાર્ટિજ જોવા મળતા આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. ગાંધીનગર પોલીસ કન્ટ્રોલ રૂમને જાણ કરી હતી. 


પીએમ મોદીના પ્રવાસ પહેલા હથિયારો મળી આવતા ચકચાર! 

પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. કારની તપાસ કરી હતી. તપાસ દરમિયાન કારની પાછળની સીટમાંથી બે પિસ્તોલ તથા કારતૂસ મળી આવ્યા હતા. જે બાદ ચકચાર મચી ગયો હતો. કારની નંબર પ્લેટ પણ ખોટી હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તે પહેલા આવા હથિયારો મળી આવતા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.     



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.