પાટનગર ગાંધીનગરમાંથી મળી આવ્યા હથિયાર! બંધ ગાડીમાંથી હથિયાર મળી આવતા મચ્યો ચકચાર! જાણો પોલીસે શું કર્યું જપ્ત!


  • Published By :
  • Published Date : 2023-05-09 12:53:50

ગાંધીનગરમાંથી બિનવારસી ગાડીમાંથી હથિયારો મળી આવ્યા હતા. મોટા પ્રમાણમાં હથિયારો મળી આવતા ચકચાર મચી ગયો હતો. મળતી માહિતી અનુસાર આ ગાડી ગાંધીનગરના સરગાસણમાં આવેલા ફ્લેટના ભોંયરામાં પાર્ક કરેલી હતી. ગાડીની પાછળની સીટ પર કાર્ટિજ દેખાતા આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. આ મામલે રહીશોએ પોલીસને જાણ કરી હતી અને પોલીસે આવીને આ અંગે તપાસ કરી હતી અને તે દરમિયાન દેશી બનાવટની પિસ્તોલ, 300 કારતૂસ, તમંચા સહિતના મુદ્દામાલ મળી આવ્યા હતા.    


ગાડીમાંથી હથિયારો મળી આવતા પોલીસને જાણ કરી! 

બિનવારસી હાલતમાં રાખેલી ગાડીમાંથી હથિયારો મળી આવ્યાા હતા. મળતી માહિતી અનુસાર સરગાસણની સ્વાગત એફોર્ડ સોસાયટીમાં આ ગાડીને પાર્ક કરવામાં આવી હતી. સોસાયટીના સ્ટિકર વગરની ગાડી દેખાતા તેમણે આ ગાડી કોની છે તે અંગે તપાસ કરી હતી. ગાડીનો કાચ પાછળથી તૂટેલો હતો. ગાડીની પાછળની સીટમાં કાર્ટિજ જોવા મળતા આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. ગાંધીનગર પોલીસ કન્ટ્રોલ રૂમને જાણ કરી હતી. 


પીએમ મોદીના પ્રવાસ પહેલા હથિયારો મળી આવતા ચકચાર! 

પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. કારની તપાસ કરી હતી. તપાસ દરમિયાન કારની પાછળની સીટમાંથી બે પિસ્તોલ તથા કારતૂસ મળી આવ્યા હતા. જે બાદ ચકચાર મચી ગયો હતો. કારની નંબર પ્લેટ પણ ખોટી હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તે પહેલા આવા હથિયારો મળી આવતા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.     



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.