Weather Analysis : આ તારીખો બાદ મેઘરાજા Gujaratમાં ધબધબાટી બોલાવશે! જાણો વરસાદને લઈ Ambalal Patelએ શું કરી આગાહી?


  • Published By :
  • Published Date : 2023-09-14 13:30:12

ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. મેઘરાજા ફરી ધબધબાટી બોલાવા માટે તૈયાર હોય તેવું લાગી રહ્યું છે. કોઈ જગ્યાઓ પર ભારે વરસાદ વરસી રહ્યો છે તો કોઈ જગ્યા પર ધીમો વરસાદ વરસી રહ્યો છે. આગામી દિવસો દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા અને હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી છે. 17 તારીખ બાદ ગુજરાતમાં વરસાદ ધબધબાટી બોલાવશે તેવી આગાહી કરાઈ છે. બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતમાં વરસાદ વરસી શકે છે.


સપ્ટેમ્બરમાં આવેલા વરસાદને કારણે ખેડૂતોના જીવમાં જીવ આવ્યો 

ચોમાસાની શરૂઆત તો ગુજરાતમાં ધમાકેદાર થઈ હતી. જુન તેમજ જુલાઈમાં વરસાદ સારો વરસ્યો હતો પરંતુ ઓગસ્ટ મહિનામાં વરસાદે વિરામ લીધો હતો. વરસાદ ન થવાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. શરૂઆતમાં સારો વરસાદ વરસ્યો હતો જેને લઈ ખેડૂતોએ વાવણી કરી દીધી હતી અને સારો પાક થશે તેવી આશા ખેડૂતો રાખી રહ્યા હતા. પરંતુ ઓગસ્ટ મહિનો કોરોકટ સાબિત થયો હતો જેને કારણે ખેડૂતોની ચિંતામાં સતત વધારો થયો હતો. પાક નિષ્ફળ જશે તેનો ડર જગતના તાતને સતાવી રહ્યો હતો. પરંતુ સપ્ટેમ્બર મહિનામાં વરસાદની મહેર જોવા મળી રહી છે. ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. 


આ તારીખો દરમિયાન ગુજરાતમાં જામશે વરસાદી માહોલ 

બંગાળની ખાડીમાં જ્યારે લો પ્રેશર સર્જાય છે ત્યારે ત્યારે ગુજરાતમાં વરસાદ આવે છે. વરસાદની સિસ્ટમ સક્રિય થઈ રહી છે જેને કારણે ફરી એક વખત ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ વરસવાનો છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આવતી કાલથી આગામી પાંચ દિવસો દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, નવસારી, તાપી, વલસાડ, દાહોદ, મહિસાગર સહિતના ભાગોમાં વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.



17 તારીખ બાદ ગુજરાતમાં આવશે મેઘસવારી 

17 તારીખ બાદ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. 16 તારીખની વાત કરીએ તો આ તારીખે છોટાઉદેપુર, સુરત,ડાંગ, નવસારી, વલસાજ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ સહિતના ભાગોમાં વરસાદની સંભાવના છે જ્યારે 17 તારીખે અમદાવાદ સહિત આ વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં પણ સારો વરસાદ વરસશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી  છે. આગામી ચાર દિવસ દરમિયાન સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ થશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 


અંબાલાલ પટેલે વરસાદને લઈ કરી આ આગાહી 

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈ આગાહી કરી છે. અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેને કારણે સપ્ટેમ્બરના બાકી રહેલા દિવસોમાં વરસાદી માહોલ જોવા મળશે. અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આગામી દિવસો દરમિયાન જૂનાગઢ, પોરબંદર,ડાંગ, નવસારી, વિસાવદર, ગોધરા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. તે ઉપરાંત આણંદ, ખેડા,વડોદરા, છોટા ઉદેપુર, નડીયાદ, થરાદ સહિતના ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે. પાલનપુર, થરાદ, ભૂજ, બાયડ, પાટણ સહિતના વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી શકે છે. 


પરેશ ગોસ્વામીએ કહ્યું કે વરસાદનો રાઉન્ડ હજી બાકી છે!

અંબાલાલ પટેલ ઉપરાંત હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા પણ વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. તેમના અનુમાન અનુસાર સપ્ટેમ્બરમાં વરસાદનો બીજો રાઉન્ડ આવવાનો બાકી છે. 16થી 22 સપ્ટેમ્બર સુધી વરસાદની જોરદાર બેટિંગ ગુજરાતમાં જોવા મળશે તેવી આગાહી તેમના દ્વારા કરવામાં આવી છે. મહત્વનું છે કે સિઝનનો અનેક ઘણો વરસાદ હજી સુધીમાં વરસી ગયો છે. સારો વરસાદ આવવાને કારણે ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે અને જળાશયોમાં પાણીની આવક થઈ છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.