Weather Analysis : જાણો આગામી દિવસોમાં થશે ઠંડીનો અહેસાસ કે આવશે મુસીબતનું માવઠું?


  • Published By :
  • Published Date : 2023-12-15 15:24:42

અનેક વખત આપણે કહેતા હોઈએ છીએ કે માણસ છે ગમે ત્યારે બદલાઈ જાય, પરંતુ હવે તો વાતાવરણ પણ ગમે ત્યારે બદલાઈ રહ્યું છે! પ્રમાણસર વરસાદની જરૂર ચોમાસામાં હોય છે પરંતુ હવે ચોમાસામાં પણ વરસાદ અનિયમિત થઈ ગયો છે. કોઈ વખત ના પડે તો બિલકુલ ના પડે પરંતુ જ્યારે પડે ત્યારે ખેડૂતોને રડાવે એવો વરસે. ત્યારે હાલ શિયાળાની સિઝન ચાલી રહી છે પરંતુ કમોસમી વરસાદને લઈ આગાહી કરવામાં આવી રહી છે. એક તરફ શિયાળામાં ધીરે ધીરે ઠંડીનો અનુભવ થવાની શરૂઆત થઈ તો ફરી એક વખત માવઠાને લઈ અંબાલાલ કાકાએ આગાહી કરી છે જેને કારણે જગતનો તાત ચિંતિત બન્યો છે.

આ વર્ષે કડકડતી ઠંડી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી | this year  the increas of cold will increase the meteorological department informed

તાપમાનના પારામાં થઈ શકે છે ફેરફાર   

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. વહેલી સવારે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે પરંતુ આ ઠંડીનું જોર આવનાર દિવસમાં વધશે તેવું લાગી રહ્યું છે, તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અત્યારે પ્રમાણસરની ઠંડી પડી રહી છે પરંતુ આવનાર સમયમાં તાપમાનનો પારો ગગડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. આવનાર બે દિવસમાં તાપમાનના પારામાં ફેરફાર વધારે નહીં આવે. 


ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

નલિયા ફરી એક વખત ઠંડોગાર પ્રદેશ બન્યો છે. ત્યાંનું તાપમાન 10.5 ડિગ્રી જેટલું ગગડ્યો છે. અમદાવાદનું તાપમાન 16.5 ડિગ્રીએ પહોંચ્યું છે, ગાંધીનગરમાં તો તાપમાન 14.9 ડિગ્રી નોંધાયું છે. સુરતનું તાપમાન 21.4 પર પહોંચ્યું છે. વલસાડનું તાપમાન 19 ડિગ્રી પર પહોંચ્યું છે. ભુજનું તાપમાન 14.6 ડિગ્રી, કંડલા પોર્ટનું તાપમાન 16.8 ડિગ્રી નોંધાયું છે. વડોદરાનું તાપમાન 16.4 ડિગ્રી, ડીસાનું તાપમાન 13.4 ડિગ્રી પર પહોંચ્યું છે. ભાવનગરનું તાપમાન 16 ડિગ્રીએ પહોંચ્યું હતું, દ્વારકાનું તાપમાન 19 જ્યારે ઓખાનું તાપમાન 22.5 ડિગ્રી પર પહોંચ્યું હતું. રાજકોટનું તાપમાન 14.5 ડિગ્રી નોંધાયું હતું. સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો 16.2 ડિગ્રી પર પહોંચ્યો હતો.   


Ambalal Patelની ગંભીર આગાહી... Rain, Heatwave અને Stormનો ત્રકોણીયો સંકટ  Gujaratને ઘમરોળશે

અંબાલાલ પટેલે કરી માવઠાની આગાહી!

એક તરફ તાપમાનનો પારો ગગડી રહ્યો છે તો બીજી તરફ કમોસમી વરસાદને લઈ આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે. રાજ્યમાં ફરી એક વખત કમોસમી વરસાદ આવી શકે છે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું હતું. આગાહી કરતા તેમણે કહ્યું કે 25 ડિસેમ્બર એટલે નાતાલ સુધી હવામાનમાં કોઈ ફેરફાર નહીં આવે પરંતુ તે બાદ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની સંભાવના છે. રાજ્યમાં ગાજવીજ, કરા સાથે વરસાદ વરસી શકે છે તેમ તેમણે જણાવ્યું હતું. અંબાલાલની વરસાદની આગાહીએ પગલે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં આગામી 5 દિવસ દરમિયાન વાતાવરણ સૂકું રહેશે. તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધી ફેરફાર આવી શકે છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.