Weather Analysis : જાણો આગામી દિવસોમાં થશે ઠંડીનો અહેસાસ કે આવશે મુસીબતનું માવઠું?


  • Published By :
  • Published Date : 2023-12-15 15:24:42

અનેક વખત આપણે કહેતા હોઈએ છીએ કે માણસ છે ગમે ત્યારે બદલાઈ જાય, પરંતુ હવે તો વાતાવરણ પણ ગમે ત્યારે બદલાઈ રહ્યું છે! પ્રમાણસર વરસાદની જરૂર ચોમાસામાં હોય છે પરંતુ હવે ચોમાસામાં પણ વરસાદ અનિયમિત થઈ ગયો છે. કોઈ વખત ના પડે તો બિલકુલ ના પડે પરંતુ જ્યારે પડે ત્યારે ખેડૂતોને રડાવે એવો વરસે. ત્યારે હાલ શિયાળાની સિઝન ચાલી રહી છે પરંતુ કમોસમી વરસાદને લઈ આગાહી કરવામાં આવી રહી છે. એક તરફ શિયાળામાં ધીરે ધીરે ઠંડીનો અનુભવ થવાની શરૂઆત થઈ તો ફરી એક વખત માવઠાને લઈ અંબાલાલ કાકાએ આગાહી કરી છે જેને કારણે જગતનો તાત ચિંતિત બન્યો છે.

આ વર્ષે કડકડતી ઠંડી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી | this year  the increas of cold will increase the meteorological department informed

તાપમાનના પારામાં થઈ શકે છે ફેરફાર   

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. વહેલી સવારે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે પરંતુ આ ઠંડીનું જોર આવનાર દિવસમાં વધશે તેવું લાગી રહ્યું છે, તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અત્યારે પ્રમાણસરની ઠંડી પડી રહી છે પરંતુ આવનાર સમયમાં તાપમાનનો પારો ગગડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. આવનાર બે દિવસમાં તાપમાનના પારામાં ફેરફાર વધારે નહીં આવે. 


ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

નલિયા ફરી એક વખત ઠંડોગાર પ્રદેશ બન્યો છે. ત્યાંનું તાપમાન 10.5 ડિગ્રી જેટલું ગગડ્યો છે. અમદાવાદનું તાપમાન 16.5 ડિગ્રીએ પહોંચ્યું છે, ગાંધીનગરમાં તો તાપમાન 14.9 ડિગ્રી નોંધાયું છે. સુરતનું તાપમાન 21.4 પર પહોંચ્યું છે. વલસાડનું તાપમાન 19 ડિગ્રી પર પહોંચ્યું છે. ભુજનું તાપમાન 14.6 ડિગ્રી, કંડલા પોર્ટનું તાપમાન 16.8 ડિગ્રી નોંધાયું છે. વડોદરાનું તાપમાન 16.4 ડિગ્રી, ડીસાનું તાપમાન 13.4 ડિગ્રી પર પહોંચ્યું છે. ભાવનગરનું તાપમાન 16 ડિગ્રીએ પહોંચ્યું હતું, દ્વારકાનું તાપમાન 19 જ્યારે ઓખાનું તાપમાન 22.5 ડિગ્રી પર પહોંચ્યું હતું. રાજકોટનું તાપમાન 14.5 ડિગ્રી નોંધાયું હતું. સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો 16.2 ડિગ્રી પર પહોંચ્યો હતો.   


Ambalal Patelની ગંભીર આગાહી... Rain, Heatwave અને Stormનો ત્રકોણીયો સંકટ  Gujaratને ઘમરોળશે

અંબાલાલ પટેલે કરી માવઠાની આગાહી!

એક તરફ તાપમાનનો પારો ગગડી રહ્યો છે તો બીજી તરફ કમોસમી વરસાદને લઈ આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે. રાજ્યમાં ફરી એક વખત કમોસમી વરસાદ આવી શકે છે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું હતું. આગાહી કરતા તેમણે કહ્યું કે 25 ડિસેમ્બર એટલે નાતાલ સુધી હવામાનમાં કોઈ ફેરફાર નહીં આવે પરંતુ તે બાદ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની સંભાવના છે. રાજ્યમાં ગાજવીજ, કરા સાથે વરસાદ વરસી શકે છે તેમ તેમણે જણાવ્યું હતું. અંબાલાલની વરસાદની આગાહીએ પગલે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં આગામી 5 દિવસ દરમિયાન વાતાવરણ સૂકું રહેશે. તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધી ફેરફાર આવી શકે છે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.