Weather Analysis : જાણો આગામી દિવસોમાં થશે ઠંડીનો અહેસાસ કે આવશે મુસીબતનું માવઠું?


  • Published By :
  • Published Date : 2023-12-15 15:24:42

અનેક વખત આપણે કહેતા હોઈએ છીએ કે માણસ છે ગમે ત્યારે બદલાઈ જાય, પરંતુ હવે તો વાતાવરણ પણ ગમે ત્યારે બદલાઈ રહ્યું છે! પ્રમાણસર વરસાદની જરૂર ચોમાસામાં હોય છે પરંતુ હવે ચોમાસામાં પણ વરસાદ અનિયમિત થઈ ગયો છે. કોઈ વખત ના પડે તો બિલકુલ ના પડે પરંતુ જ્યારે પડે ત્યારે ખેડૂતોને રડાવે એવો વરસે. ત્યારે હાલ શિયાળાની સિઝન ચાલી રહી છે પરંતુ કમોસમી વરસાદને લઈ આગાહી કરવામાં આવી રહી છે. એક તરફ શિયાળામાં ધીરે ધીરે ઠંડીનો અનુભવ થવાની શરૂઆત થઈ તો ફરી એક વખત માવઠાને લઈ અંબાલાલ કાકાએ આગાહી કરી છે જેને કારણે જગતનો તાત ચિંતિત બન્યો છે.

આ વર્ષે કડકડતી ઠંડી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી | this year  the increas of cold will increase the meteorological department informed

તાપમાનના પારામાં થઈ શકે છે ફેરફાર   

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. વહેલી સવારે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે પરંતુ આ ઠંડીનું જોર આવનાર દિવસમાં વધશે તેવું લાગી રહ્યું છે, તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અત્યારે પ્રમાણસરની ઠંડી પડી રહી છે પરંતુ આવનાર સમયમાં તાપમાનનો પારો ગગડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. આવનાર બે દિવસમાં તાપમાનના પારામાં ફેરફાર વધારે નહીં આવે. 


ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

નલિયા ફરી એક વખત ઠંડોગાર પ્રદેશ બન્યો છે. ત્યાંનું તાપમાન 10.5 ડિગ્રી જેટલું ગગડ્યો છે. અમદાવાદનું તાપમાન 16.5 ડિગ્રીએ પહોંચ્યું છે, ગાંધીનગરમાં તો તાપમાન 14.9 ડિગ્રી નોંધાયું છે. સુરતનું તાપમાન 21.4 પર પહોંચ્યું છે. વલસાડનું તાપમાન 19 ડિગ્રી પર પહોંચ્યું છે. ભુજનું તાપમાન 14.6 ડિગ્રી, કંડલા પોર્ટનું તાપમાન 16.8 ડિગ્રી નોંધાયું છે. વડોદરાનું તાપમાન 16.4 ડિગ્રી, ડીસાનું તાપમાન 13.4 ડિગ્રી પર પહોંચ્યું છે. ભાવનગરનું તાપમાન 16 ડિગ્રીએ પહોંચ્યું હતું, દ્વારકાનું તાપમાન 19 જ્યારે ઓખાનું તાપમાન 22.5 ડિગ્રી પર પહોંચ્યું હતું. રાજકોટનું તાપમાન 14.5 ડિગ્રી નોંધાયું હતું. સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો 16.2 ડિગ્રી પર પહોંચ્યો હતો.   


Ambalal Patelની ગંભીર આગાહી... Rain, Heatwave અને Stormનો ત્રકોણીયો સંકટ  Gujaratને ઘમરોળશે

અંબાલાલ પટેલે કરી માવઠાની આગાહી!

એક તરફ તાપમાનનો પારો ગગડી રહ્યો છે તો બીજી તરફ કમોસમી વરસાદને લઈ આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે. રાજ્યમાં ફરી એક વખત કમોસમી વરસાદ આવી શકે છે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું હતું. આગાહી કરતા તેમણે કહ્યું કે 25 ડિસેમ્બર એટલે નાતાલ સુધી હવામાનમાં કોઈ ફેરફાર નહીં આવે પરંતુ તે બાદ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની સંભાવના છે. રાજ્યમાં ગાજવીજ, કરા સાથે વરસાદ વરસી શકે છે તેમ તેમણે જણાવ્યું હતું. અંબાલાલની વરસાદની આગાહીએ પગલે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં આગામી 5 દિવસ દરમિયાન વાતાવરણ સૂકું રહેશે. તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધી ફેરફાર આવી શકે છે.  



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."