Weather Analysis : વરસાદને લઈ સાંભળો Ambalal Kakaએ શું કરી છે આગાહી? September મહિનો નહીં રહે August જેવો કોરો!


  • Published By :
  • Published Date : 2023-08-31 09:57:26

ઓગસ્ટ મહિનાની શરૂઆત થતાં જ વરસાદે જાણે વિરામ લીધો હતો. વરસાદ ન વરસવાને કારણે ગરમીનું પ્રમાણ વધી ગયું છે. આ વર્ષે ઓગસ્ટમાં દર વર્ષની સરખામણીમાં ખૂબ ઓછો વરસાદ વરસ્યો છે. ઓગસ્ટ મહિનામાં વરસાદ ન વરસવાને કારણે ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રવર્તી ઉઠી છે. જુલાઈ સુધી સારો વરસાદ થવાને કારણે ખેડૂતોને સારા પાકની આશા હતી. ખેડૂતોને લાગતું હતું કે સારો વરસાદ થશે અને તેમના પાક સફળ જશે. પરંતુ ઓગસ્ટ મહિનો કોરો કટ સાબિત થયો. ત્યારે સપ્ટેમ્બર મહિનામાં વરસાદ કેવો રહેશે તે અંગે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોએ આગાહી કરી છે. 

વરસાદને લઈ હવામાન વિભાગે કરી આ આગાહી 

વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આગામી 7 દિવસ સુધી વરસાદ વરસવાની સંભાવના નહીંવત છે. સપ્ટેમ્બરનું પહેલું અઠવાડિયું ઓગસ્ટની જેમ કોરું જશે તેવી આગાહી કરવામાં આવી છે. પરંતુ સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં વરસાદનું આગમન થઈ શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે. સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતમાં સારો વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા તેમજ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી અને અંબાલાલ કાકા દ્વારા કરવામાં આવી છે.  


લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં આ જગ્યાઓ પર થશે વરસાદ 

સપ્ટેમ્બરમાં સારો એવો વરસાદ વરસી શકે છે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. અંબાલાલ પટેલની આગાહી મુખ્યત્વે સાચી પડતી હોય છે. જ્યોતિષના આધારે તેમજ નક્ષત્રોના આધારે અંબાલાલ પટેલ આગાહી કરતા હોય છે. બંગાળની ખાડીમાં સિસ્ટમ બની રહી છે જેને કારણે ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ વરસી શકે છે. તે સિવાય અરબ સાગરમાં પણ સિસ્ટમ બની રહી છે. અને જો આ સિસ્ટમ સક્રિય થશે તો ગુજરાતમાં સપ્ટેમ્બર દરમિયાન સારો વરસાદ થશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 4 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી મજબૂત સિસ્ટમ બનશે. તે સિવાય વચ્ચે 4થી 7 સપ્ટેમ્બર દરમિયાન ઓડીસા, ઝારખંડ સહિતના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. તેવી આગાહી અંબાલાલ કાકાએ કરી છે. 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.