Weather Analysis : વરસાદને લઈ સાંભળો Ambalal Kakaએ શું કરી છે આગાહી? September મહિનો નહીં રહે August જેવો કોરો!


  • Published By :
  • Published Date : 2023-08-31 09:57:26

ઓગસ્ટ મહિનાની શરૂઆત થતાં જ વરસાદે જાણે વિરામ લીધો હતો. વરસાદ ન વરસવાને કારણે ગરમીનું પ્રમાણ વધી ગયું છે. આ વર્ષે ઓગસ્ટમાં દર વર્ષની સરખામણીમાં ખૂબ ઓછો વરસાદ વરસ્યો છે. ઓગસ્ટ મહિનામાં વરસાદ ન વરસવાને કારણે ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રવર્તી ઉઠી છે. જુલાઈ સુધી સારો વરસાદ થવાને કારણે ખેડૂતોને સારા પાકની આશા હતી. ખેડૂતોને લાગતું હતું કે સારો વરસાદ થશે અને તેમના પાક સફળ જશે. પરંતુ ઓગસ્ટ મહિનો કોરો કટ સાબિત થયો. ત્યારે સપ્ટેમ્બર મહિનામાં વરસાદ કેવો રહેશે તે અંગે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોએ આગાહી કરી છે. 

વરસાદને લઈ હવામાન વિભાગે કરી આ આગાહી 

વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આગામી 7 દિવસ સુધી વરસાદ વરસવાની સંભાવના નહીંવત છે. સપ્ટેમ્બરનું પહેલું અઠવાડિયું ઓગસ્ટની જેમ કોરું જશે તેવી આગાહી કરવામાં આવી છે. પરંતુ સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં વરસાદનું આગમન થઈ શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે. સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતમાં સારો વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા તેમજ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી અને અંબાલાલ કાકા દ્વારા કરવામાં આવી છે.  


લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં આ જગ્યાઓ પર થશે વરસાદ 

સપ્ટેમ્બરમાં સારો એવો વરસાદ વરસી શકે છે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. અંબાલાલ પટેલની આગાહી મુખ્યત્વે સાચી પડતી હોય છે. જ્યોતિષના આધારે તેમજ નક્ષત્રોના આધારે અંબાલાલ પટેલ આગાહી કરતા હોય છે. બંગાળની ખાડીમાં સિસ્ટમ બની રહી છે જેને કારણે ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ વરસી શકે છે. તે સિવાય અરબ સાગરમાં પણ સિસ્ટમ બની રહી છે. અને જો આ સિસ્ટમ સક્રિય થશે તો ગુજરાતમાં સપ્ટેમ્બર દરમિયાન સારો વરસાદ થશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 4 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી મજબૂત સિસ્ટમ બનશે. તે સિવાય વચ્ચે 4થી 7 સપ્ટેમ્બર દરમિયાન ઓડીસા, ઝારખંડ સહિતના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. તેવી આગાહી અંબાલાલ કાકાએ કરી છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.