Weather Analysis : લો પ્રેશર સિસ્ટમ ગુજરાતમાં લાવશે વરસાદ, જાણો વરસાદને લઈ શું કરાઈ છે આગાહી?


  • Published By :
  • Published Date : 2023-09-12 16:41:33

સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતમાં વરસાદની સારી બેટિંગ જોવા મળી રહી છે. ઓગસ્ટ મહિનાની જેમ સપ્ટેમ્બર મહિનાએ ખેડૂતોને દુખી નથી કર્યા. સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતમાં વરસાદની મહેર જોવા મળી રહી છે. રાજ્યના અનેક ભાગોમાં વરસાદની પધરામણી થઈ છે. ગુજરાતના કેટલાય ભાગોમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે આગામી દિવસો પણ વરસાદી માહોલ જામશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા તેમજ હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી છે. 



ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી જામ્યો છે વરસાદી માહોલ 

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત તો ધમાકેદાર થઈ હતી. જૂન જુલાઈ મહિના દરમિયાન વરસાદે સારી બેટિંગ પણ કરી હતી પરંતુ ઓગસ્ટ મહિનાએ દગો આપી દીધો. ઓગસ્ટ મહિનો એકદમ કોરો સાબિત થયો છે. રાજ્યના અનેક ભાગોમાં જ છુટો છવાયો વરસાદ નોંધાયો હતો ત્યારે સપ્ટેમ્બર મહિનામાં ફરી એક વખત વરસાદી મોસમ એક્ટિવ થઈ છે. છેલ્લા થોડા દિવસોથી ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ વરસ્યો હતો. 



આ ભાગોમાં વરસી શકે છે વરસાદ 

બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતમાં ફરી એક વખત વરસાદી રાઉન્ડ જામશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. લો પ્રેશર સિસ્ટમ સર્જાવાને કારણે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદ વરસી શકે છે તેવી સંભાવના છે. તે ઉપરાંત કચ્છમાં પણ સારો વરસાદ વરસવાની સંભાવના છે. 



ગુજરાતમાં આ તારીખથી ફરી જામશે વરસાદી માહોલ 

17 સપ્ટેમ્બરથી રાજ્યમાં ફરી એક વખત વરસાદી સિસ્ટમ સક્રિય થવાની છે. આ વખતે જે સિસ્ટમ સક્રિય થશે તેની અસર 24 સપ્ટેમ્બર સુધી ગુજરાતના હવામાન પર વર્તાશે. દક્ષિણ ગુજરાત તેમજ પૂર્વ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે. વલસાડ, ડાંગ, ભરૂચ, મહિસાગર, પંચમહાલ, છોટાઉદેપુર સહિતના જિલ્લાઓમાં વરસાદ ખાબકી શકે છે તેવી આગાહી કરવામાં આવી  છે. 



અમદાવાદમાં છવાયેલું રાખશે વાદળછાયું વાતાવરણ

આગામી પાંચ દિવસ રાજ્યમાં છુટો છવાયો વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. સુરતના અનેક ભાગોમાં છુટોછવાયો વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે.    


વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આ આગાહી  

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈ આગાહી કરી છે. તેમની આગાહી મુજબ 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન ગુજરાતના કેટલાક ભાગમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ છે. એવી પણ આગાહી કરી કે હવાના હળવા દબાણને કારણે ઓક્ટોબરમાં વાવાઝોડાની અસર સર્જાશે.17 ઓક્ટોબરના સમુદ્રમાં ભારે પવન ફૂકાશે અને નવરાત્રીમાં વાદળ છાયું વાતાવરણ રહેશે અને વરસાદની પણ સંભાવનાઓ છે. નવરાત્રીમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જેને કારણે ખેલૈયાઓની ચિંતા વધી છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.