Weather Analysis : લો પ્રેશર સિસ્ટમ ગુજરાતમાં લાવશે વરસાદ, જાણો વરસાદને લઈ શું કરાઈ છે આગાહી?


  • Published By :
  • Published Date : 2023-09-12 16:41:33

સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતમાં વરસાદની સારી બેટિંગ જોવા મળી રહી છે. ઓગસ્ટ મહિનાની જેમ સપ્ટેમ્બર મહિનાએ ખેડૂતોને દુખી નથી કર્યા. સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતમાં વરસાદની મહેર જોવા મળી રહી છે. રાજ્યના અનેક ભાગોમાં વરસાદની પધરામણી થઈ છે. ગુજરાતના કેટલાય ભાગોમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે આગામી દિવસો પણ વરસાદી માહોલ જામશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા તેમજ હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી છે. 



ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી જામ્યો છે વરસાદી માહોલ 

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત તો ધમાકેદાર થઈ હતી. જૂન જુલાઈ મહિના દરમિયાન વરસાદે સારી બેટિંગ પણ કરી હતી પરંતુ ઓગસ્ટ મહિનાએ દગો આપી દીધો. ઓગસ્ટ મહિનો એકદમ કોરો સાબિત થયો છે. રાજ્યના અનેક ભાગોમાં જ છુટો છવાયો વરસાદ નોંધાયો હતો ત્યારે સપ્ટેમ્બર મહિનામાં ફરી એક વખત વરસાદી મોસમ એક્ટિવ થઈ છે. છેલ્લા થોડા દિવસોથી ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ વરસ્યો હતો. 



આ ભાગોમાં વરસી શકે છે વરસાદ 

બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતમાં ફરી એક વખત વરસાદી રાઉન્ડ જામશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. લો પ્રેશર સિસ્ટમ સર્જાવાને કારણે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદ વરસી શકે છે તેવી સંભાવના છે. તે ઉપરાંત કચ્છમાં પણ સારો વરસાદ વરસવાની સંભાવના છે. 



ગુજરાતમાં આ તારીખથી ફરી જામશે વરસાદી માહોલ 

17 સપ્ટેમ્બરથી રાજ્યમાં ફરી એક વખત વરસાદી સિસ્ટમ સક્રિય થવાની છે. આ વખતે જે સિસ્ટમ સક્રિય થશે તેની અસર 24 સપ્ટેમ્બર સુધી ગુજરાતના હવામાન પર વર્તાશે. દક્ષિણ ગુજરાત તેમજ પૂર્વ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે. વલસાડ, ડાંગ, ભરૂચ, મહિસાગર, પંચમહાલ, છોટાઉદેપુર સહિતના જિલ્લાઓમાં વરસાદ ખાબકી શકે છે તેવી આગાહી કરવામાં આવી  છે. 



અમદાવાદમાં છવાયેલું રાખશે વાદળછાયું વાતાવરણ

આગામી પાંચ દિવસ રાજ્યમાં છુટો છવાયો વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. સુરતના અનેક ભાગોમાં છુટોછવાયો વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે.    


વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આ આગાહી  

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈ આગાહી કરી છે. તેમની આગાહી મુજબ 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન ગુજરાતના કેટલાક ભાગમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ છે. એવી પણ આગાહી કરી કે હવાના હળવા દબાણને કારણે ઓક્ટોબરમાં વાવાઝોડાની અસર સર્જાશે.17 ઓક્ટોબરના સમુદ્રમાં ભારે પવન ફૂકાશે અને નવરાત્રીમાં વાદળ છાયું વાતાવરણ રહેશે અને વરસાદની પણ સંભાવનાઓ છે. નવરાત્રીમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જેને કારણે ખેલૈયાઓની ચિંતા વધી છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.