Weather Analysis : લો પ્રેશર સિસ્ટમ ગુજરાતમાં લાવશે વરસાદ, જાણો વરસાદને લઈ શું કરાઈ છે આગાહી?


  • Published By :
  • Published Date : 2023-09-12 16:41:33

સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતમાં વરસાદની સારી બેટિંગ જોવા મળી રહી છે. ઓગસ્ટ મહિનાની જેમ સપ્ટેમ્બર મહિનાએ ખેડૂતોને દુખી નથી કર્યા. સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતમાં વરસાદની મહેર જોવા મળી રહી છે. રાજ્યના અનેક ભાગોમાં વરસાદની પધરામણી થઈ છે. ગુજરાતના કેટલાય ભાગોમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે આગામી દિવસો પણ વરસાદી માહોલ જામશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા તેમજ હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી છે. 



ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી જામ્યો છે વરસાદી માહોલ 

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત તો ધમાકેદાર થઈ હતી. જૂન જુલાઈ મહિના દરમિયાન વરસાદે સારી બેટિંગ પણ કરી હતી પરંતુ ઓગસ્ટ મહિનાએ દગો આપી દીધો. ઓગસ્ટ મહિનો એકદમ કોરો સાબિત થયો છે. રાજ્યના અનેક ભાગોમાં જ છુટો છવાયો વરસાદ નોંધાયો હતો ત્યારે સપ્ટેમ્બર મહિનામાં ફરી એક વખત વરસાદી મોસમ એક્ટિવ થઈ છે. છેલ્લા થોડા દિવસોથી ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ વરસ્યો હતો. 



આ ભાગોમાં વરસી શકે છે વરસાદ 

બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતમાં ફરી એક વખત વરસાદી રાઉન્ડ જામશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. લો પ્રેશર સિસ્ટમ સર્જાવાને કારણે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદ વરસી શકે છે તેવી સંભાવના છે. તે ઉપરાંત કચ્છમાં પણ સારો વરસાદ વરસવાની સંભાવના છે. 



ગુજરાતમાં આ તારીખથી ફરી જામશે વરસાદી માહોલ 

17 સપ્ટેમ્બરથી રાજ્યમાં ફરી એક વખત વરસાદી સિસ્ટમ સક્રિય થવાની છે. આ વખતે જે સિસ્ટમ સક્રિય થશે તેની અસર 24 સપ્ટેમ્બર સુધી ગુજરાતના હવામાન પર વર્તાશે. દક્ષિણ ગુજરાત તેમજ પૂર્વ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે. વલસાડ, ડાંગ, ભરૂચ, મહિસાગર, પંચમહાલ, છોટાઉદેપુર સહિતના જિલ્લાઓમાં વરસાદ ખાબકી શકે છે તેવી આગાહી કરવામાં આવી  છે. 



અમદાવાદમાં છવાયેલું રાખશે વાદળછાયું વાતાવરણ

આગામી પાંચ દિવસ રાજ્યમાં છુટો છવાયો વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. સુરતના અનેક ભાગોમાં છુટોછવાયો વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે.    


વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આ આગાહી  

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈ આગાહી કરી છે. તેમની આગાહી મુજબ 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન ગુજરાતના કેટલાક ભાગમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ છે. એવી પણ આગાહી કરી કે હવાના હળવા દબાણને કારણે ઓક્ટોબરમાં વાવાઝોડાની અસર સર્જાશે.17 ઓક્ટોબરના સમુદ્રમાં ભારે પવન ફૂકાશે અને નવરાત્રીમાં વાદળ છાયું વાતાવરણ રહેશે અને વરસાદની પણ સંભાવનાઓ છે. નવરાત્રીમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જેને કારણે ખેલૈયાઓની ચિંતા વધી છે. 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.