Weather Analysis - Gujarat પર મંડરાતો વાવાઝોડાનો ખતરો,જાણો વરસાદને લઈ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી


  • Published By :
  • Published Date : 2024-08-30 14:54:28

રાજ્યમાં ધીરે ધીરે વરસાદનું જોર ઘટી રહ્યું છે... અનેક જગ્યાઓ પર વરસાદની તીવ્રતા ઘટી છે.. સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યને મેઘરાજા ઘમરોળી રહ્યા હતા... વરસાદનો ખતરો તો ઓછો થયો છે પરંતુ આગામી 48 કલાક રાજ્યમાં વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. ડીપ ડિપ્રેશન સર્જાતા વાવાઝોડાનો સંકટ કચ્છ પર આવી ગયો છે. સંભવિત વાવાઝોડાની અસર કચ્છના માંડવી, અબડાસા અને લખપત તાલુકામાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. લોકોને સુરક્ષિત સ્થળ પર જતા રહેવા કલેક્ટરે અપીલ કરી છે..  

ક્યાંક અનાધાર તો ક્યાંક વરસાદની પ્રતિક્ષા 

ગુજરાતમાં રવિવારથી વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદી મહેર કહેર બનીને વરસ્યો છે.  વરસાદે અનેક જિલ્લાઓની હાલત કફોળી બનાવી દીધી હતી. દ્રશ્યો આપણી સામે આવ્યા છે જેમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને લોકોને અગવડનો સામનો કરવો પડી રહ્યો છે. વડોદરામાં તો સ્થિતિ એટલી ભયંકર છે કે વરસાદી પાણી ઉતરવાના શરૂ થઈ ગયા છે પરંતુ તે પછીની પરિસ્થિતિ કપરી હશે. અનેક જિલ્લામાં રહેતા લોકો વરસાદ ક્યારે ખમૈયા કરે તેની પ્રતિક્ષામાં છે તો અનેક વિસ્તારો એવા છે જ્યાં રહેતા લોકો વરસાદની પ્રતિક્ષા કરી રહ્યા છે. આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તેની આગાહી હવામાન વિભાગે કરી છે.


અનેક વિસ્તારો માટે ઓરેન્જ અને યલો એલર્ટ

હવામાન વિભાગે આજ માટે અનેક વિસ્તારો માટે ઓરેન્જ તેમજ યલો એલર્ટ જાહેર કર્યું છે..મોટા ભાગોના વિસ્તારોમાં વરસાદની આગાહી નથી કરવામાં આવી.. આગાહીની વાત કરીએ તો કચ્છ, જામનગર. દેવભૂમિ દ્વારકા, પોરબંદર માટે ઓરેન્જ એલર્ટ આપ્યું છે જ્યારે મોરબી, રાજકોટ, જૂનાગઢ તેમજ ગીર સોમનાથ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 31મી તારીખની વાત કરીએ તો કચ્છ. જામનગર, દ્વારકા, પોરબંદર તેમજ નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.



સપ્ટેમ્બરમાં પણ થશે ઝાપટાનો અનુભવ

હવામાન નિષ્ણાતો અનુસાર સપ્ટેમ્બરમાં પણ વરસાદી ઝાપટા આવવાના શરૂ રહેશે.. પહેલી તારીખ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. તે સિવાય બીજી તારીખે વડોદરા, છોટા ઉદેપુર માટે ઓરેન્જ એલર્ટ જ્યારે ભાવનગર, આણંદ, ભરૂચ, નર્મદા, પંચમહાલ તેમજ દાહોદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. ત્રીજી તારીખે અનેક ભાગો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.




પાંચમી તારીખે આ વિસ્તારો માટે આપવામાં આવ્યું એલર્ટ

વિસ્તારોની વાત કરીએ તો અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, સુરત, નવસારી, ડાંગ, તાપી, વલસાડ, દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે ભરૂચ અને નર્મદા માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ચોથી તારીખે ભરૂચ અને વડોદરા માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તે સિવાય અનેક ભાગો માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. પાંચમી તારીખે પંચમહાલ, વડોદરા અને ભરૂચ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તમારે ત્યાં વરસાદી પાણી ભરાયા હતા કે નહીં તે અમને કમેન્ટમાં જણાવજો..   



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.