Weather Analysis - Gujarat પર મંડરાતો વાવાઝોડાનો ખતરો,જાણો વરસાદને લઈ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી


  • Published By :
  • Published Date : 2024-08-30 14:54:28

રાજ્યમાં ધીરે ધીરે વરસાદનું જોર ઘટી રહ્યું છે... અનેક જગ્યાઓ પર વરસાદની તીવ્રતા ઘટી છે.. સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યને મેઘરાજા ઘમરોળી રહ્યા હતા... વરસાદનો ખતરો તો ઓછો થયો છે પરંતુ આગામી 48 કલાક રાજ્યમાં વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. ડીપ ડિપ્રેશન સર્જાતા વાવાઝોડાનો સંકટ કચ્છ પર આવી ગયો છે. સંભવિત વાવાઝોડાની અસર કચ્છના માંડવી, અબડાસા અને લખપત તાલુકામાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. લોકોને સુરક્ષિત સ્થળ પર જતા રહેવા કલેક્ટરે અપીલ કરી છે..  

ક્યાંક અનાધાર તો ક્યાંક વરસાદની પ્રતિક્ષા 

ગુજરાતમાં રવિવારથી વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદી મહેર કહેર બનીને વરસ્યો છે.  વરસાદે અનેક જિલ્લાઓની હાલત કફોળી બનાવી દીધી હતી. દ્રશ્યો આપણી સામે આવ્યા છે જેમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને લોકોને અગવડનો સામનો કરવો પડી રહ્યો છે. વડોદરામાં તો સ્થિતિ એટલી ભયંકર છે કે વરસાદી પાણી ઉતરવાના શરૂ થઈ ગયા છે પરંતુ તે પછીની પરિસ્થિતિ કપરી હશે. અનેક જિલ્લામાં રહેતા લોકો વરસાદ ક્યારે ખમૈયા કરે તેની પ્રતિક્ષામાં છે તો અનેક વિસ્તારો એવા છે જ્યાં રહેતા લોકો વરસાદની પ્રતિક્ષા કરી રહ્યા છે. આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તેની આગાહી હવામાન વિભાગે કરી છે.


અનેક વિસ્તારો માટે ઓરેન્જ અને યલો એલર્ટ

હવામાન વિભાગે આજ માટે અનેક વિસ્તારો માટે ઓરેન્જ તેમજ યલો એલર્ટ જાહેર કર્યું છે..મોટા ભાગોના વિસ્તારોમાં વરસાદની આગાહી નથી કરવામાં આવી.. આગાહીની વાત કરીએ તો કચ્છ, જામનગર. દેવભૂમિ દ્વારકા, પોરબંદર માટે ઓરેન્જ એલર્ટ આપ્યું છે જ્યારે મોરબી, રાજકોટ, જૂનાગઢ તેમજ ગીર સોમનાથ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 31મી તારીખની વાત કરીએ તો કચ્છ. જામનગર, દ્વારકા, પોરબંદર તેમજ નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.



સપ્ટેમ્બરમાં પણ થશે ઝાપટાનો અનુભવ

હવામાન નિષ્ણાતો અનુસાર સપ્ટેમ્બરમાં પણ વરસાદી ઝાપટા આવવાના શરૂ રહેશે.. પહેલી તારીખ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. તે સિવાય બીજી તારીખે વડોદરા, છોટા ઉદેપુર માટે ઓરેન્જ એલર્ટ જ્યારે ભાવનગર, આણંદ, ભરૂચ, નર્મદા, પંચમહાલ તેમજ દાહોદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. ત્રીજી તારીખે અનેક ભાગો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.




પાંચમી તારીખે આ વિસ્તારો માટે આપવામાં આવ્યું એલર્ટ

વિસ્તારોની વાત કરીએ તો અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, સુરત, નવસારી, ડાંગ, તાપી, વલસાડ, દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે ભરૂચ અને નર્મદા માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ચોથી તારીખે ભરૂચ અને વડોદરા માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તે સિવાય અનેક ભાગો માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. પાંચમી તારીખે પંચમહાલ, વડોદરા અને ભરૂચ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તમારે ત્યાં વરસાદી પાણી ભરાયા હતા કે નહીં તે અમને કમેન્ટમાં જણાવજો..   



યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .

થોડાક સમયથી , આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં છે. વિસાવદરની બેઠક પર જીત મળ્યા બાદ આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું છે. સાથેજ પાર્ટીએ આગામી સમયમાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ અને ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયારીઓ શરુ કરી દીધી છે . આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ સદસ્યતા અભિયાનનો પ્રારંભ પણ કરી દીધો છે. પરંતુ આ તમામ કાર્યક્રમ વચ્ચે એક જણની ગેરહાજરી ખુબ જ સૂચક જણાતી હતી તે છે , ગારિયાધારના MLA સુધીર વાઘાણીની . કેમ તો , કાર્યક્રમ તો ઠીક , આમ આદમી પાર્ટીએ જે હોર્ડિંગ્સ તૈયાર કર્યા હતા , તેમાંથી પણ સુધીર વાઘાણીની બાદબાકી જોવા મળી હતી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .