Weather Analysis - Gujarat પર મંડરાતો વાવાઝોડાનો ખતરો,જાણો વરસાદને લઈ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી


  • Published By :
  • Published Date : 2024-08-30 14:54:28

રાજ્યમાં ધીરે ધીરે વરસાદનું જોર ઘટી રહ્યું છે... અનેક જગ્યાઓ પર વરસાદની તીવ્રતા ઘટી છે.. સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યને મેઘરાજા ઘમરોળી રહ્યા હતા... વરસાદનો ખતરો તો ઓછો થયો છે પરંતુ આગામી 48 કલાક રાજ્યમાં વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. ડીપ ડિપ્રેશન સર્જાતા વાવાઝોડાનો સંકટ કચ્છ પર આવી ગયો છે. સંભવિત વાવાઝોડાની અસર કચ્છના માંડવી, અબડાસા અને લખપત તાલુકામાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. લોકોને સુરક્ષિત સ્થળ પર જતા રહેવા કલેક્ટરે અપીલ કરી છે..  

ક્યાંક અનાધાર તો ક્યાંક વરસાદની પ્રતિક્ષા 

ગુજરાતમાં રવિવારથી વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદી મહેર કહેર બનીને વરસ્યો છે.  વરસાદે અનેક જિલ્લાઓની હાલત કફોળી બનાવી દીધી હતી. દ્રશ્યો આપણી સામે આવ્યા છે જેમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને લોકોને અગવડનો સામનો કરવો પડી રહ્યો છે. વડોદરામાં તો સ્થિતિ એટલી ભયંકર છે કે વરસાદી પાણી ઉતરવાના શરૂ થઈ ગયા છે પરંતુ તે પછીની પરિસ્થિતિ કપરી હશે. અનેક જિલ્લામાં રહેતા લોકો વરસાદ ક્યારે ખમૈયા કરે તેની પ્રતિક્ષામાં છે તો અનેક વિસ્તારો એવા છે જ્યાં રહેતા લોકો વરસાદની પ્રતિક્ષા કરી રહ્યા છે. આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તેની આગાહી હવામાન વિભાગે કરી છે.


અનેક વિસ્તારો માટે ઓરેન્જ અને યલો એલર્ટ

હવામાન વિભાગે આજ માટે અનેક વિસ્તારો માટે ઓરેન્જ તેમજ યલો એલર્ટ જાહેર કર્યું છે..મોટા ભાગોના વિસ્તારોમાં વરસાદની આગાહી નથી કરવામાં આવી.. આગાહીની વાત કરીએ તો કચ્છ, જામનગર. દેવભૂમિ દ્વારકા, પોરબંદર માટે ઓરેન્જ એલર્ટ આપ્યું છે જ્યારે મોરબી, રાજકોટ, જૂનાગઢ તેમજ ગીર સોમનાથ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 31મી તારીખની વાત કરીએ તો કચ્છ. જામનગર, દ્વારકા, પોરબંદર તેમજ નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.



સપ્ટેમ્બરમાં પણ થશે ઝાપટાનો અનુભવ

હવામાન નિષ્ણાતો અનુસાર સપ્ટેમ્બરમાં પણ વરસાદી ઝાપટા આવવાના શરૂ રહેશે.. પહેલી તારીખ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. તે સિવાય બીજી તારીખે વડોદરા, છોટા ઉદેપુર માટે ઓરેન્જ એલર્ટ જ્યારે ભાવનગર, આણંદ, ભરૂચ, નર્મદા, પંચમહાલ તેમજ દાહોદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. ત્રીજી તારીખે અનેક ભાગો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.




પાંચમી તારીખે આ વિસ્તારો માટે આપવામાં આવ્યું એલર્ટ

વિસ્તારોની વાત કરીએ તો અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, સુરત, નવસારી, ડાંગ, તાપી, વલસાડ, દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે ભરૂચ અને નર્મદા માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ચોથી તારીખે ભરૂચ અને વડોદરા માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તે સિવાય અનેક ભાગો માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. પાંચમી તારીખે પંચમહાલ, વડોદરા અને ભરૂચ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તમારે ત્યાં વરસાદી પાણી ભરાયા હતા કે નહીં તે અમને કમેન્ટમાં જણાવજો..   



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.