Weather Analysis : આગામી દિવસોમાં પડશે વરસાદ કે વધશે ઠંડી? જાણો શું કહે છે Ambalal Patelની આગાહી?


  • Published By :
  • Published Date : 2023-12-16 13:59:25

સામાન્ય રીતે ડિસેમ્બરમાં કડકડતી ઠંડીનો અહેસાસ થતો હોય છે. સ્વેટરમાં લપેટાયેલા લોકો દેખાતા હોય છે. જ્યાં પણ જાય ત્યાં એકસ્ટ્રા સ્વેટર લઈને જાય છે પરંતુ હવે તો લોકો રેઈનકોર્ટ પણ સાથે રાખે છે. રેઈનકોર્ટ એટલા માટે સાથે રાખે છે કારણ કે ગમે ત્યારે વરસાદ વરસી શકે છે. ઋતુ ચક્ર પર એટલી ગંભીર અસર થઈ છે કે સિઝન શિયાળાની હોય પરંતુ માવઠું આવી જાય છે. ત્યારે આગામી દિવસોમાં માવઠું આવશે તેવી સંભાવના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.      


માવઠાને લઈ શું કહે છે અંબાલાલ કાકાની આગાહી? 

અંબાલાલ કાકાની આગાહી અનુસાર 17મી ડિસેમ્બરથી ઉત્તર ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. આ ઠંડીનો ચમકારો 19મી તારીખ સુધી દેખાશે. પરંતુ 22મી તારીખથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ થશે જેવી સીધી અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળશે. કાકાની આગાહી અનુસાર 22 અને 23 ડિસેમ્બરે રાજ્યમાં માવઠાની સંભાવના છે. સૌરાષ્ટ્ર કચ્છ, દ.ગુજરાત અને બનાસકાંઠામાં વરસાદની આગાહી છે. જ્યારે 25 તારીખ એટલે નાતાલના દિવસે પણ વરસાદની સંભાવના રહેલી છે. તેમના અનુસાર બનાસકાંઠા, કચ્છ, દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ આવશે જેને કારણે ખેડૂતોને રડવાનો વારો આવશે. 


ક્યાં કેટલો ગગડ્યો તાપમાનનો પારો? 

એક તરફ લોકો ઠંડીની રાહ જોઈ રહ્યા છે તો બીજી તરફ કમોસમી વરસાદ આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં તાપમાનના પારામાં વધારો આવી રહ્યો છે પરંતુ આગામી દિવસોમાં કમોસમી વરસાદનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. અલગ અલગ શહેરોમાં નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું લઘુત્તમ તાપમાન 17.7 ડિગ્રી, ગાંધીનગરનું 16 ડિગ્રી, વડોદરાનું 22.2 ડિગ્રી, સુરતનું 21.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. તે ઉપરાંત ભાવનગરનું તાપમાન 20.0 ડિગ્રી જ્યારે પોરબંદરનું તાપમાન 19.4 નોંધાયું હતું. સુરેન્દ્રનગરનું તાપમાન 18.4 ડિગ્રી નોંધાયું હતું. મહત્વનું છે કે શિયાળા પાકનું વાવેતર ખેડૂતોએ કર્યું છે પરંતુ કમોસમી વરસાદ તેમની મહેનત પર અને તેમના પાક પર પાણી ફેરવી રહ્યું છે.   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.