Weather Analysis : આગામી દિવસોમાં પડશે વરસાદ કે વધશે ઠંડી? જાણો શું કહે છે Ambalal Patelની આગાહી?


  • Published By :
  • Published Date : 2023-12-16 13:59:25

સામાન્ય રીતે ડિસેમ્બરમાં કડકડતી ઠંડીનો અહેસાસ થતો હોય છે. સ્વેટરમાં લપેટાયેલા લોકો દેખાતા હોય છે. જ્યાં પણ જાય ત્યાં એકસ્ટ્રા સ્વેટર લઈને જાય છે પરંતુ હવે તો લોકો રેઈનકોર્ટ પણ સાથે રાખે છે. રેઈનકોર્ટ એટલા માટે સાથે રાખે છે કારણ કે ગમે ત્યારે વરસાદ વરસી શકે છે. ઋતુ ચક્ર પર એટલી ગંભીર અસર થઈ છે કે સિઝન શિયાળાની હોય પરંતુ માવઠું આવી જાય છે. ત્યારે આગામી દિવસોમાં માવઠું આવશે તેવી સંભાવના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.      


માવઠાને લઈ શું કહે છે અંબાલાલ કાકાની આગાહી? 

અંબાલાલ કાકાની આગાહી અનુસાર 17મી ડિસેમ્બરથી ઉત્તર ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. આ ઠંડીનો ચમકારો 19મી તારીખ સુધી દેખાશે. પરંતુ 22મી તારીખથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ થશે જેવી સીધી અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળશે. કાકાની આગાહી અનુસાર 22 અને 23 ડિસેમ્બરે રાજ્યમાં માવઠાની સંભાવના છે. સૌરાષ્ટ્ર કચ્છ, દ.ગુજરાત અને બનાસકાંઠામાં વરસાદની આગાહી છે. જ્યારે 25 તારીખ એટલે નાતાલના દિવસે પણ વરસાદની સંભાવના રહેલી છે. તેમના અનુસાર બનાસકાંઠા, કચ્છ, દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ આવશે જેને કારણે ખેડૂતોને રડવાનો વારો આવશે. 


ક્યાં કેટલો ગગડ્યો તાપમાનનો પારો? 

એક તરફ લોકો ઠંડીની રાહ જોઈ રહ્યા છે તો બીજી તરફ કમોસમી વરસાદ આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં તાપમાનના પારામાં વધારો આવી રહ્યો છે પરંતુ આગામી દિવસોમાં કમોસમી વરસાદનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. અલગ અલગ શહેરોમાં નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું લઘુત્તમ તાપમાન 17.7 ડિગ્રી, ગાંધીનગરનું 16 ડિગ્રી, વડોદરાનું 22.2 ડિગ્રી, સુરતનું 21.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. તે ઉપરાંત ભાવનગરનું તાપમાન 20.0 ડિગ્રી જ્યારે પોરબંદરનું તાપમાન 19.4 નોંધાયું હતું. સુરેન્દ્રનગરનું તાપમાન 18.4 ડિગ્રી નોંધાયું હતું. મહત્વનું છે કે શિયાળા પાકનું વાવેતર ખેડૂતોએ કર્યું છે પરંતુ કમોસમી વરસાદ તેમની મહેનત પર અને તેમના પાક પર પાણી ફેરવી રહ્યું છે.   



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.