Weather Analysis : આગામી દિવસોમાં પડશે વરસાદ કે વધશે ઠંડી? જાણો શું કહે છે Ambalal Patelની આગાહી?


  • Published By :
  • Published Date : 2023-12-16 13:59:25

સામાન્ય રીતે ડિસેમ્બરમાં કડકડતી ઠંડીનો અહેસાસ થતો હોય છે. સ્વેટરમાં લપેટાયેલા લોકો દેખાતા હોય છે. જ્યાં પણ જાય ત્યાં એકસ્ટ્રા સ્વેટર લઈને જાય છે પરંતુ હવે તો લોકો રેઈનકોર્ટ પણ સાથે રાખે છે. રેઈનકોર્ટ એટલા માટે સાથે રાખે છે કારણ કે ગમે ત્યારે વરસાદ વરસી શકે છે. ઋતુ ચક્ર પર એટલી ગંભીર અસર થઈ છે કે સિઝન શિયાળાની હોય પરંતુ માવઠું આવી જાય છે. ત્યારે આગામી દિવસોમાં માવઠું આવશે તેવી સંભાવના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.      


માવઠાને લઈ શું કહે છે અંબાલાલ કાકાની આગાહી? 

અંબાલાલ કાકાની આગાહી અનુસાર 17મી ડિસેમ્બરથી ઉત્તર ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. આ ઠંડીનો ચમકારો 19મી તારીખ સુધી દેખાશે. પરંતુ 22મી તારીખથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ થશે જેવી સીધી અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળશે. કાકાની આગાહી અનુસાર 22 અને 23 ડિસેમ્બરે રાજ્યમાં માવઠાની સંભાવના છે. સૌરાષ્ટ્ર કચ્છ, દ.ગુજરાત અને બનાસકાંઠામાં વરસાદની આગાહી છે. જ્યારે 25 તારીખ એટલે નાતાલના દિવસે પણ વરસાદની સંભાવના રહેલી છે. તેમના અનુસાર બનાસકાંઠા, કચ્છ, દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ આવશે જેને કારણે ખેડૂતોને રડવાનો વારો આવશે. 


ક્યાં કેટલો ગગડ્યો તાપમાનનો પારો? 

એક તરફ લોકો ઠંડીની રાહ જોઈ રહ્યા છે તો બીજી તરફ કમોસમી વરસાદ આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં તાપમાનના પારામાં વધારો આવી રહ્યો છે પરંતુ આગામી દિવસોમાં કમોસમી વરસાદનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. અલગ અલગ શહેરોમાં નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું લઘુત્તમ તાપમાન 17.7 ડિગ્રી, ગાંધીનગરનું 16 ડિગ્રી, વડોદરાનું 22.2 ડિગ્રી, સુરતનું 21.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. તે ઉપરાંત ભાવનગરનું તાપમાન 20.0 ડિગ્રી જ્યારે પોરબંદરનું તાપમાન 19.4 નોંધાયું હતું. સુરેન્દ્રનગરનું તાપમાન 18.4 ડિગ્રી નોંધાયું હતું. મહત્વનું છે કે શિયાળા પાકનું વાવેતર ખેડૂતોએ કર્યું છે પરંતુ કમોસમી વરસાદ તેમની મહેનત પર અને તેમના પાક પર પાણી ફેરવી રહ્યું છે.   



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.