Weather Analysis : આગામી દિવસોમાં પડશે વરસાદ કે વધશે ઠંડી? જાણો શું કહે છે Ambalal Patelની આગાહી?


  • Published By :
  • Published Date : 2023-12-16 13:59:25

સામાન્ય રીતે ડિસેમ્બરમાં કડકડતી ઠંડીનો અહેસાસ થતો હોય છે. સ્વેટરમાં લપેટાયેલા લોકો દેખાતા હોય છે. જ્યાં પણ જાય ત્યાં એકસ્ટ્રા સ્વેટર લઈને જાય છે પરંતુ હવે તો લોકો રેઈનકોર્ટ પણ સાથે રાખે છે. રેઈનકોર્ટ એટલા માટે સાથે રાખે છે કારણ કે ગમે ત્યારે વરસાદ વરસી શકે છે. ઋતુ ચક્ર પર એટલી ગંભીર અસર થઈ છે કે સિઝન શિયાળાની હોય પરંતુ માવઠું આવી જાય છે. ત્યારે આગામી દિવસોમાં માવઠું આવશે તેવી સંભાવના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.      


માવઠાને લઈ શું કહે છે અંબાલાલ કાકાની આગાહી? 

અંબાલાલ કાકાની આગાહી અનુસાર 17મી ડિસેમ્બરથી ઉત્તર ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. આ ઠંડીનો ચમકારો 19મી તારીખ સુધી દેખાશે. પરંતુ 22મી તારીખથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ થશે જેવી સીધી અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળશે. કાકાની આગાહી અનુસાર 22 અને 23 ડિસેમ્બરે રાજ્યમાં માવઠાની સંભાવના છે. સૌરાષ્ટ્ર કચ્છ, દ.ગુજરાત અને બનાસકાંઠામાં વરસાદની આગાહી છે. જ્યારે 25 તારીખ એટલે નાતાલના દિવસે પણ વરસાદની સંભાવના રહેલી છે. તેમના અનુસાર બનાસકાંઠા, કચ્છ, દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ આવશે જેને કારણે ખેડૂતોને રડવાનો વારો આવશે. 


ક્યાં કેટલો ગગડ્યો તાપમાનનો પારો? 

એક તરફ લોકો ઠંડીની રાહ જોઈ રહ્યા છે તો બીજી તરફ કમોસમી વરસાદ આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં તાપમાનના પારામાં વધારો આવી રહ્યો છે પરંતુ આગામી દિવસોમાં કમોસમી વરસાદનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. અલગ અલગ શહેરોમાં નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું લઘુત્તમ તાપમાન 17.7 ડિગ્રી, ગાંધીનગરનું 16 ડિગ્રી, વડોદરાનું 22.2 ડિગ્રી, સુરતનું 21.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. તે ઉપરાંત ભાવનગરનું તાપમાન 20.0 ડિગ્રી જ્યારે પોરબંદરનું તાપમાન 19.4 નોંધાયું હતું. સુરેન્દ્રનગરનું તાપમાન 18.4 ડિગ્રી નોંધાયું હતું. મહત્વનું છે કે શિયાળા પાકનું વાવેતર ખેડૂતોએ કર્યું છે પરંતુ કમોસમી વરસાદ તેમની મહેનત પર અને તેમના પાક પર પાણી ફેરવી રહ્યું છે.   



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.