Weather : કાળઝાળ ગરમીને સહન કરવા રહેવું પડશે તૈયાર! જાણો ઉનાળાને લઈ અંબાલાલ પટેલે શું કરી છે આગાહી?


  • Published By :
  • Published Date : 2024-02-14 13:16:03

શિયાળો ધીમે ધીમે વિદાય લઈ રહ્યો છે અને ઉનાળાની શરૂઆત થઈ રહી છે. ગરમીના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે. મહત્તમ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે અને ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. થોડા દિવસ પહેલા ગરમીનું પ્રમાણ વધ્યું હતું. બપોરના સમયે ગરમી લાગતી હતી જેને કારણે પંખો ચાલું કરવો પડ્યો ત્યારે આવનાર દિવસમાં તાપમાનના પારામાં 2થી 3 ડિગ્રી જેટલું વધી શકે છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આવનાર દિવસોમાં વરસાદની સંભાવના નહીંવત છે તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુમાન અનુસાર 15 ફેબ્રુઆરી બાદ ગરમીની શરૂઆત થઈ જશે.  

ગુજરાતના 10 શહેરમાં ગરમીનો પ્રકોપ શરૂ, અંદાજીત 2 કરોડ લોકો ભોગવી રહ્યા છે  ગરમી, 40 ડિગ્રીની પાર પહોંચ્યુ તાપમાન, અમરેલીમાં સૌથી વધુ ગરમી ...

આ વખતનો ઉનાળો આકરો સાબિત થશે!

ઉનાળાના સમય દરમિયાન એવી ભયંકર ગરમી પડતી હોય છે જેને જોતા લાગે કે આ ઉનાળો ભૂક્કા કાઢી નાખશે. ગરમીને કારણે લોકોની હાલત ગંભીર બનતી હોય છે. ત્યારે આ ઉનાળો પણ આકરો રહેશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.  ઉનાળાના સમય દરમિયાન તો આકરી ગરમીનો મારો સહન કરવો પડતો હોય છે પરંતુ આ વખતે તો શિયાળાની સિઝન દરમિયાન પણ ગરમીનો માર સહન કરવો પડ્યો હતો. શિયાળા દરમિયાન પણ બપોરના સમયે પંખો ચાલુ કરવો પડ્યો હતો.

અંબાલાલ પટેલની મોટી આગાહીઃ માવઠા સાથે એપ્રિલ-મેમાં શું થશે તે પણ જણાવ્યું –  News18 ગુજરાતી

આ વખતનો ઉનાળો તોડી શકે છે અનેક રેકોર્ડને....

હવામાન નિષ્ણાતની આગાહી અનુસાર  15થી 16 ફેબ્રુઆરી બાદ રાજ્યમાં ગરમીનો પારો ધીમે ધીમે વધશે. આ વખતનો ઉનાળો આકરો રહેશે તેવું લાગી રહ્યું છે. શિયાળામાં જ્યારે ગરમી પડી હતી ત્યારે પણ આપણે કહેતા હતા કે શિયાળામાં આવી ગરમી છે તો ઉનાળામાં શું થશે? આ વખતે ગરમી તમામ રેકોર્ડ તોડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. માર્ચ મહિનામાં જ ગરમીનો પારો 40 ડિગ્રી આસપાસ પહોંચી શકે છે. મે મહિનામાં તો આના કરતા વધારે ગરમીનો પ્રકોપ સહન કરવો પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. આ વખતે કાળઝાળ ગરમી સહન કરવા તૈયાર રહેવું પડશે... 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.