Weather : કાળઝાળ ગરમીને સહન કરવા રહેવું પડશે તૈયાર! જાણો ઉનાળાને લઈ અંબાલાલ પટેલે શું કરી છે આગાહી?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-14 13:16:03

શિયાળો ધીમે ધીમે વિદાય લઈ રહ્યો છે અને ઉનાળાની શરૂઆત થઈ રહી છે. ગરમીના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે. મહત્તમ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે અને ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. થોડા દિવસ પહેલા ગરમીનું પ્રમાણ વધ્યું હતું. બપોરના સમયે ગરમી લાગતી હતી જેને કારણે પંખો ચાલું કરવો પડ્યો ત્યારે આવનાર દિવસમાં તાપમાનના પારામાં 2થી 3 ડિગ્રી જેટલું વધી શકે છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આવનાર દિવસોમાં વરસાદની સંભાવના નહીંવત છે તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુમાન અનુસાર 15 ફેબ્રુઆરી બાદ ગરમીની શરૂઆત થઈ જશે.  

ગુજરાતના 10 શહેરમાં ગરમીનો પ્રકોપ શરૂ, અંદાજીત 2 કરોડ લોકો ભોગવી રહ્યા છે  ગરમી, 40 ડિગ્રીની પાર પહોંચ્યુ તાપમાન, અમરેલીમાં સૌથી વધુ ગરમી ...

આ વખતનો ઉનાળો આકરો સાબિત થશે!

ઉનાળાના સમય દરમિયાન એવી ભયંકર ગરમી પડતી હોય છે જેને જોતા લાગે કે આ ઉનાળો ભૂક્કા કાઢી નાખશે. ગરમીને કારણે લોકોની હાલત ગંભીર બનતી હોય છે. ત્યારે આ ઉનાળો પણ આકરો રહેશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.  ઉનાળાના સમય દરમિયાન તો આકરી ગરમીનો મારો સહન કરવો પડતો હોય છે પરંતુ આ વખતે તો શિયાળાની સિઝન દરમિયાન પણ ગરમીનો માર સહન કરવો પડ્યો હતો. શિયાળા દરમિયાન પણ બપોરના સમયે પંખો ચાલુ કરવો પડ્યો હતો.

અંબાલાલ પટેલની મોટી આગાહીઃ માવઠા સાથે એપ્રિલ-મેમાં શું થશે તે પણ જણાવ્યું –  News18 ગુજરાતી

આ વખતનો ઉનાળો તોડી શકે છે અનેક રેકોર્ડને....

હવામાન નિષ્ણાતની આગાહી અનુસાર  15થી 16 ફેબ્રુઆરી બાદ રાજ્યમાં ગરમીનો પારો ધીમે ધીમે વધશે. આ વખતનો ઉનાળો આકરો રહેશે તેવું લાગી રહ્યું છે. શિયાળામાં જ્યારે ગરમી પડી હતી ત્યારે પણ આપણે કહેતા હતા કે શિયાળામાં આવી ગરમી છે તો ઉનાળામાં શું થશે? આ વખતે ગરમી તમામ રેકોર્ડ તોડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. માર્ચ મહિનામાં જ ગરમીનો પારો 40 ડિગ્રી આસપાસ પહોંચી શકે છે. મે મહિનામાં તો આના કરતા વધારે ગરમીનો પ્રકોપ સહન કરવો પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. આ વખતે કાળઝાળ ગરમી સહન કરવા તૈયાર રહેવું પડશે... 



ગુજરાતમાં છેલ્લા બે દિવસથી પોઈચામાં બનેલી ઘટના જેમાં નર્મદા નદીમાં ન્હાવા ગયેલા 8 લોકો ડૂબી ગયા હતા તેની ચર્ચા ચાલી રહી છે... તેમાંથી એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો.. બીજી એક ઘટના મોરબીમાં બની હતી. મચ્છુ નદીમાં ન્હાવા માટે યુવાનો ગયા હતા જેમાંથી ત્રણ લોકો ડૂબી ગયા હતા.

રાજ્ય શિક્ષણ વિભાગની પરિણામ પુસ્તિકા મુજબ આ વર્ષે એટલે કે 2024માં ગુજરાતી વિષયમાં 5.83 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, તેમાંથી 5.37 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ આંકડા પરથી સમજી શકીએ છીએ કે બોર્ડનું ઓવરઓલ પરિણામ ઊંચું આવ્યું છે છતાં 7.91% વિદ્યાર્થીઓ એટલે કે 46 હજારથી વધુ વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયમાં નાપાસ થયા છે,

ગુજરાતની અનેક લોકસભા બેઠકો એવી હતી જ્યાં ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર હતી. બનાસકાંઠા, ભરૂચ, આણંદ, જામનગન જેવી અનેક બેઠકો એવી હતી જ્યાં ઉમેદવારો સારૂ પરિણામ લાવી શકે છે.

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના અમેઠી ગામે રહેતા એક વૃદ્ધ ની અનોખી ઘટના સામે આવી છે. ખાનપુર તાલુકાના અમેઠી ગામે રહેતા એક 75 વર્ષીય દાદાએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. ગામના લોકોએ તેમના લગ્ન કરાવી દીધા હતા.