Weather : કાળઝાળ ગરમીને સહન કરવા રહેવું પડશે તૈયાર! જાણો ઉનાળાને લઈ અંબાલાલ પટેલે શું કરી છે આગાહી?


  • Published By :
  • Published Date : 2024-02-14 13:16:03

શિયાળો ધીમે ધીમે વિદાય લઈ રહ્યો છે અને ઉનાળાની શરૂઆત થઈ રહી છે. ગરમીના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે. મહત્તમ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે અને ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. થોડા દિવસ પહેલા ગરમીનું પ્રમાણ વધ્યું હતું. બપોરના સમયે ગરમી લાગતી હતી જેને કારણે પંખો ચાલું કરવો પડ્યો ત્યારે આવનાર દિવસમાં તાપમાનના પારામાં 2થી 3 ડિગ્રી જેટલું વધી શકે છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આવનાર દિવસોમાં વરસાદની સંભાવના નહીંવત છે તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુમાન અનુસાર 15 ફેબ્રુઆરી બાદ ગરમીની શરૂઆત થઈ જશે.  

ગુજરાતના 10 શહેરમાં ગરમીનો પ્રકોપ શરૂ, અંદાજીત 2 કરોડ લોકો ભોગવી રહ્યા છે  ગરમી, 40 ડિગ્રીની પાર પહોંચ્યુ તાપમાન, અમરેલીમાં સૌથી વધુ ગરમી ...

આ વખતનો ઉનાળો આકરો સાબિત થશે!

ઉનાળાના સમય દરમિયાન એવી ભયંકર ગરમી પડતી હોય છે જેને જોતા લાગે કે આ ઉનાળો ભૂક્કા કાઢી નાખશે. ગરમીને કારણે લોકોની હાલત ગંભીર બનતી હોય છે. ત્યારે આ ઉનાળો પણ આકરો રહેશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.  ઉનાળાના સમય દરમિયાન તો આકરી ગરમીનો મારો સહન કરવો પડતો હોય છે પરંતુ આ વખતે તો શિયાળાની સિઝન દરમિયાન પણ ગરમીનો માર સહન કરવો પડ્યો હતો. શિયાળા દરમિયાન પણ બપોરના સમયે પંખો ચાલુ કરવો પડ્યો હતો.

અંબાલાલ પટેલની મોટી આગાહીઃ માવઠા સાથે એપ્રિલ-મેમાં શું થશે તે પણ જણાવ્યું –  News18 ગુજરાતી

આ વખતનો ઉનાળો તોડી શકે છે અનેક રેકોર્ડને....

હવામાન નિષ્ણાતની આગાહી અનુસાર  15થી 16 ફેબ્રુઆરી બાદ રાજ્યમાં ગરમીનો પારો ધીમે ધીમે વધશે. આ વખતનો ઉનાળો આકરો રહેશે તેવું લાગી રહ્યું છે. શિયાળામાં જ્યારે ગરમી પડી હતી ત્યારે પણ આપણે કહેતા હતા કે શિયાળામાં આવી ગરમી છે તો ઉનાળામાં શું થશે? આ વખતે ગરમી તમામ રેકોર્ડ તોડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. માર્ચ મહિનામાં જ ગરમીનો પારો 40 ડિગ્રી આસપાસ પહોંચી શકે છે. મે મહિનામાં તો આના કરતા વધારે ગરમીનો પ્રકોપ સહન કરવો પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. આ વખતે કાળઝાળ ગરમી સહન કરવા તૈયાર રહેવું પડશે... 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.