Weather : રાજ્યમાં આજથી વધી શકે છે ઠંડીનું પ્રમાણ, આગામી દિવસો માટે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે વરસાદ....


  • Published By :
  • Published Date : 2024-02-09 11:25:30

એક તરફ પહાડી રાજ્યોમાં હિમવર્ષા થઈ રહી છે તો બીજી તરફ ગુજરાતમાં ગરમીનો અનુભવ થઈ રહ્યો છે! થોડા દિવસોથી ઠંડીની જગ્યાએ ગરમીનો અહેસાસ થઈ રહ્યો હતો. બપોરના સમયે પંખો ચલાવાની ફરજ પડતી હતી જેને કારણે લોકો વિચારતા હતા કે અત્યારથી આ હાલત છે તો ગરમીમાં શું થશે તેવા પ્રશ્નો થઈ રહ્યા હતા. પરંતુ આવનાર દિવસોમાં ફરી એક વખત ઠંડીનો રાઉન્ડ આવશે તેવી આગાહી કરવામાં આવી છે. ફરી એક વખત તાપમાનનો પારો ગગડશે અને હાડ થીજવતી ઠંડીનો અહેસાસ કરવા માટે તૈયાર રહેવું પડશે.  



ઠંડીથી મળ્યો હતો આંશિક રાહત પરંતુ.... 

રાજ્યમાં ઠંડીથી આંશિક રાહત મળી હતી થોડા દિવસોથી પરંતુ આજથી ફરી એક વખત ઠંડીનો રાઉન્ડ શરૂ થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ઠંડીનો  અહેસાસ કરવા માટે આપણે તૈયાર રહેવું પડશે. પવનની ગતિ હોવાને કારણે ઠંડીનું પ્રમાણ જોવા મળશે. જો તાપમાનની વાત કરીએ તો નલિયામાં તેમજ ડીસામાં તાપમાન 15 ડિગ્રી આસપાસ નોંધાયું હતું જ્યારે અમદાવાદનું લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી આસપાસ નોંધાયું હતું. 


વરસાદ આવવાની નથી સંભાવના!

આગામી પાંચ દિવસ વાતાવરણ કેવું રહેશે તે અંગેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ  રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સુકૂં રહેશે. વરસાદની કોઇ શક્યતા નથી. શુક્રવારથી તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે. જે બાદના પાંચ દિવસ તાપમાન યથાવત રહેશે.14 ફેબ્રુઆરી સુધી વરસાદની સંભાવના નથી. મહત્વનું છે કે અનેક જગ્યાઓ પર વાદળછાયું વાતાવરણ થઈ ગયું હોય તેવું લાગે છે. રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે જેને કારણે લોકો બિમાર પણ વધારે પડી રહ્યા છે. રોગચાળામાં વધારો નોંધાયો છે.    



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.