Weather : રાજ્યમાં આજથી વધી શકે છે ઠંડીનું પ્રમાણ, આગામી દિવસો માટે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે વરસાદ....


  • Published By :
  • Published Date : 2024-02-09 11:25:30

એક તરફ પહાડી રાજ્યોમાં હિમવર્ષા થઈ રહી છે તો બીજી તરફ ગુજરાતમાં ગરમીનો અનુભવ થઈ રહ્યો છે! થોડા દિવસોથી ઠંડીની જગ્યાએ ગરમીનો અહેસાસ થઈ રહ્યો હતો. બપોરના સમયે પંખો ચલાવાની ફરજ પડતી હતી જેને કારણે લોકો વિચારતા હતા કે અત્યારથી આ હાલત છે તો ગરમીમાં શું થશે તેવા પ્રશ્નો થઈ રહ્યા હતા. પરંતુ આવનાર દિવસોમાં ફરી એક વખત ઠંડીનો રાઉન્ડ આવશે તેવી આગાહી કરવામાં આવી છે. ફરી એક વખત તાપમાનનો પારો ગગડશે અને હાડ થીજવતી ઠંડીનો અહેસાસ કરવા માટે તૈયાર રહેવું પડશે.  



ઠંડીથી મળ્યો હતો આંશિક રાહત પરંતુ.... 

રાજ્યમાં ઠંડીથી આંશિક રાહત મળી હતી થોડા દિવસોથી પરંતુ આજથી ફરી એક વખત ઠંડીનો રાઉન્ડ શરૂ થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ઠંડીનો  અહેસાસ કરવા માટે આપણે તૈયાર રહેવું પડશે. પવનની ગતિ હોવાને કારણે ઠંડીનું પ્રમાણ જોવા મળશે. જો તાપમાનની વાત કરીએ તો નલિયામાં તેમજ ડીસામાં તાપમાન 15 ડિગ્રી આસપાસ નોંધાયું હતું જ્યારે અમદાવાદનું લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી આસપાસ નોંધાયું હતું. 


વરસાદ આવવાની નથી સંભાવના!

આગામી પાંચ દિવસ વાતાવરણ કેવું રહેશે તે અંગેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ  રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સુકૂં રહેશે. વરસાદની કોઇ શક્યતા નથી. શુક્રવારથી તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે. જે બાદના પાંચ દિવસ તાપમાન યથાવત રહેશે.14 ફેબ્રુઆરી સુધી વરસાદની સંભાવના નથી. મહત્વનું છે કે અનેક જગ્યાઓ પર વાદળછાયું વાતાવરણ થઈ ગયું હોય તેવું લાગે છે. રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે જેને કારણે લોકો બિમાર પણ વધારે પડી રહ્યા છે. રોગચાળામાં વધારો નોંધાયો છે.    



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.