Weather : રાજ્યમાં આજથી વધી શકે છે ઠંડીનું પ્રમાણ, આગામી દિવસો માટે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે વરસાદ....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-09 11:25:30

એક તરફ પહાડી રાજ્યોમાં હિમવર્ષા થઈ રહી છે તો બીજી તરફ ગુજરાતમાં ગરમીનો અનુભવ થઈ રહ્યો છે! થોડા દિવસોથી ઠંડીની જગ્યાએ ગરમીનો અહેસાસ થઈ રહ્યો હતો. બપોરના સમયે પંખો ચલાવાની ફરજ પડતી હતી જેને કારણે લોકો વિચારતા હતા કે અત્યારથી આ હાલત છે તો ગરમીમાં શું થશે તેવા પ્રશ્નો થઈ રહ્યા હતા. પરંતુ આવનાર દિવસોમાં ફરી એક વખત ઠંડીનો રાઉન્ડ આવશે તેવી આગાહી કરવામાં આવી છે. ફરી એક વખત તાપમાનનો પારો ગગડશે અને હાડ થીજવતી ઠંડીનો અહેસાસ કરવા માટે તૈયાર રહેવું પડશે.  



ઠંડીથી મળ્યો હતો આંશિક રાહત પરંતુ.... 

રાજ્યમાં ઠંડીથી આંશિક રાહત મળી હતી થોડા દિવસોથી પરંતુ આજથી ફરી એક વખત ઠંડીનો રાઉન્ડ શરૂ થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ઠંડીનો  અહેસાસ કરવા માટે આપણે તૈયાર રહેવું પડશે. પવનની ગતિ હોવાને કારણે ઠંડીનું પ્રમાણ જોવા મળશે. જો તાપમાનની વાત કરીએ તો નલિયામાં તેમજ ડીસામાં તાપમાન 15 ડિગ્રી આસપાસ નોંધાયું હતું જ્યારે અમદાવાદનું લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી આસપાસ નોંધાયું હતું. 


વરસાદ આવવાની નથી સંભાવના!

આગામી પાંચ દિવસ વાતાવરણ કેવું રહેશે તે અંગેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ  રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સુકૂં રહેશે. વરસાદની કોઇ શક્યતા નથી. શુક્રવારથી તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે. જે બાદના પાંચ દિવસ તાપમાન યથાવત રહેશે.14 ફેબ્રુઆરી સુધી વરસાદની સંભાવના નથી. મહત્વનું છે કે અનેક જગ્યાઓ પર વાદળછાયું વાતાવરણ થઈ ગયું હોય તેવું લાગે છે. રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે જેને કારણે લોકો બિમાર પણ વધારે પડી રહ્યા છે. રોગચાળામાં વધારો નોંધાયો છે.    



ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.

દરેકમાં ઈશ્વર રહેલા છે તેવું આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ. ઈશ્વરે આપણને બનાવ્યા છે.. ઈશ્વરે માણસને બનાવ્યો પરંતુ તે જ માણસ ઈશ્વરને મંદિરમાં સ્થાન આપે છે. ધર્મની અલગ અલગ વ્યાખ્યા આપણે ત્યાં લોકો કરતા હોય છે.

જ્ઞાન સહાયક જે માટે વિદ્યાર્થીઓ આટલું લડ્યા ગાંધીનગરના રસ્તાઓ પર ઢસડાયા અને અંતે સરકારે ભરતી તો બહાર પડી પણ હવે એ લટકતી તલવાર જેવી સ્થિતી છે કારણ કે હવે સરકારે જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત કરી છે એટલે હવે કાયમી શિક્ષકોની ભરતીનું શું? કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ આંદોલન કર્યું....

ગુજરાતની સહકારી મંડળીઓ અને સંઘોને નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે એનસીડીસી દ્વારા લોન તેમજ ગ્રાન્ટના સ્વરૂપમાં નાણાકીય સહાય આપવામાં આવતી હોય છે. 2021-22માં નાણાકીય સહાયનો આંક રૂ. 37.40 કરોડ હતો જે 2023-24માં વધીને રૂ. 586.99 કરોડે પહોંચી ગયો છે.