Weather : રાજ્યમાં આજથી વધી શકે છે ઠંડીનું પ્રમાણ, આગામી દિવસો માટે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે વરસાદ....


  • Published By :
  • Published Date : 2024-02-09 11:25:30

એક તરફ પહાડી રાજ્યોમાં હિમવર્ષા થઈ રહી છે તો બીજી તરફ ગુજરાતમાં ગરમીનો અનુભવ થઈ રહ્યો છે! થોડા દિવસોથી ઠંડીની જગ્યાએ ગરમીનો અહેસાસ થઈ રહ્યો હતો. બપોરના સમયે પંખો ચલાવાની ફરજ પડતી હતી જેને કારણે લોકો વિચારતા હતા કે અત્યારથી આ હાલત છે તો ગરમીમાં શું થશે તેવા પ્રશ્નો થઈ રહ્યા હતા. પરંતુ આવનાર દિવસોમાં ફરી એક વખત ઠંડીનો રાઉન્ડ આવશે તેવી આગાહી કરવામાં આવી છે. ફરી એક વખત તાપમાનનો પારો ગગડશે અને હાડ થીજવતી ઠંડીનો અહેસાસ કરવા માટે તૈયાર રહેવું પડશે.  



ઠંડીથી મળ્યો હતો આંશિક રાહત પરંતુ.... 

રાજ્યમાં ઠંડીથી આંશિક રાહત મળી હતી થોડા દિવસોથી પરંતુ આજથી ફરી એક વખત ઠંડીનો રાઉન્ડ શરૂ થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ઠંડીનો  અહેસાસ કરવા માટે આપણે તૈયાર રહેવું પડશે. પવનની ગતિ હોવાને કારણે ઠંડીનું પ્રમાણ જોવા મળશે. જો તાપમાનની વાત કરીએ તો નલિયામાં તેમજ ડીસામાં તાપમાન 15 ડિગ્રી આસપાસ નોંધાયું હતું જ્યારે અમદાવાદનું લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી આસપાસ નોંધાયું હતું. 


વરસાદ આવવાની નથી સંભાવના!

આગામી પાંચ દિવસ વાતાવરણ કેવું રહેશે તે અંગેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ  રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સુકૂં રહેશે. વરસાદની કોઇ શક્યતા નથી. શુક્રવારથી તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે. જે બાદના પાંચ દિવસ તાપમાન યથાવત રહેશે.14 ફેબ્રુઆરી સુધી વરસાદની સંભાવના નથી. મહત્વનું છે કે અનેક જગ્યાઓ પર વાદળછાયું વાતાવરણ થઈ ગયું હોય તેવું લાગે છે. રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે જેને કારણે લોકો બિમાર પણ વધારે પડી રહ્યા છે. રોગચાળામાં વધારો નોંધાયો છે.    



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.