રાજ્યમાં ચોમાસાની કાગડોળે રાહ જોઈ રહેલા લોકોની આતુરતાનો આવશે અંત, હવામાન વિભાગે કરી આ આગાહી


  • Published By :
  • Published Date : 2023-06-02 19:55:56

ચોમાસાની કાગડોળે રાહ જોઈ રહેલા ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ચોમાસું હજુ કેરળમાં નથી પહોંચ્યું પરંતુ લક્ષ્યદ્વીપ અને માલદિવ્સ સુધી પહોંચ્યું છે. સામાન્ય રીતે કેરળમાં ચોમાસુ બેઠા પછી 15 દિવસ બાદ મુંબઇ અને દક્ષિણ ગુજરાત થઇને ગુજરાતમાં ચોમાસુ પ્રવેશતું હોય છે. વાતાવરણમાં થતા ફેરફારને આધારે કેરળમાં ચોમાસુ બેસવાની તારીખ ચાર દિવસ આગળ-પાછળ થઇ શકે છે. 


ગુજરાતમાં 20 જુનની આસપાસ ચોમાસાની સંભાવના 


હવામાન વિભાગના ડૉ. મનોરમા મોહંતીના જણાવ્યા પ્રમાણે, ચોમાસું લક્ષ્યદ્વીપ અને માલદિવ્સ સુધી પહોંચી ગયું છે. જોકે, ચોમાસું કેરળ ક્યારે પહોંચશે તે અંગે સ્પષ્ટતા થઈ ગયા બાદ આ અંગે આગાહી કરવામાં આવશે. ગુજરાતમાં 20 જુનની આસપાસ ચોમાસું પહોંચવાની સંભાવના અંગે ડૉ. મોહંતીએ જણાવ્યું કે હાલ આ પ્રકારની આગાહી કરવા માટે યોગ્ય સમય નથી, આ અંગે સ્પષ્ટતા મળ્યા બાદ આગાહી કરવામાં આવશે.


અમદાવાદ ઉપરાંત અહીં થશે માવઠું


હવામાન વિભાગે  કેટલાક કારણોના લીધે રાજ્યમાં વરસાદ થાય તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરી છે. હવામાન વિભાગે આજે અમદાવાદમાં વરસાદ થવાની સંભાવના પણ વ્યક્ત કરી છે. અમદાવાદમાં સાંજના સમયે વરસાદ થવાની શક્યતાઓ સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીની પણ સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે. અમદાવાદ શહેર ઉપરાંત બોટાદ અને આણંદમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 


તાપમાન વધવાની સંભાવના નથી


ગુજરાતનું તાપમાન આગામી 5 દિવસમાં વધવાની સંભાવના નથી તેવું પણ સ્થાનિક હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. મોટાભાગે તાપમાનમાં મોટા ફેરફારની સંભાવનાઓ નથી. બે દિવસ સુધી તાપમાનમાં ફેરફારની સંભાવના નથી પરંતુ તે પછી એકાદ ડિગ્રી મહત્તમ તાપમાનમાં વધારો થઈ શકે છે. 


ચક્રવાતની સંભાવના

 

હવામાન વિભાગે ચક્રવાતની સંભાવના પણ વ્યક્ત કરીને જણાવ્યું છે કે, હાલની સંભાવનાઓને જોતા 5 જૂને દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં સર્ક્યુલેશન બનવાની શક્યતાઓ છે. જે 7 જૂન સુધીમાં લો પ્રેશરમાં પરિવર્તિત થઈ શકે છે.રાજ્યમાં ભારે પવન ફૂંકાવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. રાજ્યની ઉત્તર દરિયાઈ પટ્ટી માટે માછીમારોને ચેતવણી આપવામાં આવી છે. ગુજરાતમાં 30-40 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.