રાજ્યમાં ચોમાસાની કાગડોળે રાહ જોઈ રહેલા લોકોની આતુરતાનો આવશે અંત, હવામાન વિભાગે કરી આ આગાહી


  • Published By :
  • Published Date : 2023-06-02 19:55:56

ચોમાસાની કાગડોળે રાહ જોઈ રહેલા ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ચોમાસું હજુ કેરળમાં નથી પહોંચ્યું પરંતુ લક્ષ્યદ્વીપ અને માલદિવ્સ સુધી પહોંચ્યું છે. સામાન્ય રીતે કેરળમાં ચોમાસુ બેઠા પછી 15 દિવસ બાદ મુંબઇ અને દક્ષિણ ગુજરાત થઇને ગુજરાતમાં ચોમાસુ પ્રવેશતું હોય છે. વાતાવરણમાં થતા ફેરફારને આધારે કેરળમાં ચોમાસુ બેસવાની તારીખ ચાર દિવસ આગળ-પાછળ થઇ શકે છે. 


ગુજરાતમાં 20 જુનની આસપાસ ચોમાસાની સંભાવના 


હવામાન વિભાગના ડૉ. મનોરમા મોહંતીના જણાવ્યા પ્રમાણે, ચોમાસું લક્ષ્યદ્વીપ અને માલદિવ્સ સુધી પહોંચી ગયું છે. જોકે, ચોમાસું કેરળ ક્યારે પહોંચશે તે અંગે સ્પષ્ટતા થઈ ગયા બાદ આ અંગે આગાહી કરવામાં આવશે. ગુજરાતમાં 20 જુનની આસપાસ ચોમાસું પહોંચવાની સંભાવના અંગે ડૉ. મોહંતીએ જણાવ્યું કે હાલ આ પ્રકારની આગાહી કરવા માટે યોગ્ય સમય નથી, આ અંગે સ્પષ્ટતા મળ્યા બાદ આગાહી કરવામાં આવશે.


અમદાવાદ ઉપરાંત અહીં થશે માવઠું


હવામાન વિભાગે  કેટલાક કારણોના લીધે રાજ્યમાં વરસાદ થાય તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરી છે. હવામાન વિભાગે આજે અમદાવાદમાં વરસાદ થવાની સંભાવના પણ વ્યક્ત કરી છે. અમદાવાદમાં સાંજના સમયે વરસાદ થવાની શક્યતાઓ સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીની પણ સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે. અમદાવાદ શહેર ઉપરાંત બોટાદ અને આણંદમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 


તાપમાન વધવાની સંભાવના નથી


ગુજરાતનું તાપમાન આગામી 5 દિવસમાં વધવાની સંભાવના નથી તેવું પણ સ્થાનિક હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. મોટાભાગે તાપમાનમાં મોટા ફેરફારની સંભાવનાઓ નથી. બે દિવસ સુધી તાપમાનમાં ફેરફારની સંભાવના નથી પરંતુ તે પછી એકાદ ડિગ્રી મહત્તમ તાપમાનમાં વધારો થઈ શકે છે. 


ચક્રવાતની સંભાવના

 

હવામાન વિભાગે ચક્રવાતની સંભાવના પણ વ્યક્ત કરીને જણાવ્યું છે કે, હાલની સંભાવનાઓને જોતા 5 જૂને દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં સર્ક્યુલેશન બનવાની શક્યતાઓ છે. જે 7 જૂન સુધીમાં લો પ્રેશરમાં પરિવર્તિત થઈ શકે છે.રાજ્યમાં ભારે પવન ફૂંકાવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. રાજ્યની ઉત્તર દરિયાઈ પટ્ટી માટે માછીમારોને ચેતવણી આપવામાં આવી છે. ગુજરાતમાં 30-40 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.