રાજ્યમાં ચોમાસાની કાગડોળે રાહ જોઈ રહેલા લોકોની આતુરતાનો આવશે અંત, હવામાન વિભાગે કરી આ આગાહી


  • Published By :
  • Published Date : 2023-06-02 19:55:56

ચોમાસાની કાગડોળે રાહ જોઈ રહેલા ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ચોમાસું હજુ કેરળમાં નથી પહોંચ્યું પરંતુ લક્ષ્યદ્વીપ અને માલદિવ્સ સુધી પહોંચ્યું છે. સામાન્ય રીતે કેરળમાં ચોમાસુ બેઠા પછી 15 દિવસ બાદ મુંબઇ અને દક્ષિણ ગુજરાત થઇને ગુજરાતમાં ચોમાસુ પ્રવેશતું હોય છે. વાતાવરણમાં થતા ફેરફારને આધારે કેરળમાં ચોમાસુ બેસવાની તારીખ ચાર દિવસ આગળ-પાછળ થઇ શકે છે. 


ગુજરાતમાં 20 જુનની આસપાસ ચોમાસાની સંભાવના 


હવામાન વિભાગના ડૉ. મનોરમા મોહંતીના જણાવ્યા પ્રમાણે, ચોમાસું લક્ષ્યદ્વીપ અને માલદિવ્સ સુધી પહોંચી ગયું છે. જોકે, ચોમાસું કેરળ ક્યારે પહોંચશે તે અંગે સ્પષ્ટતા થઈ ગયા બાદ આ અંગે આગાહી કરવામાં આવશે. ગુજરાતમાં 20 જુનની આસપાસ ચોમાસું પહોંચવાની સંભાવના અંગે ડૉ. મોહંતીએ જણાવ્યું કે હાલ આ પ્રકારની આગાહી કરવા માટે યોગ્ય સમય નથી, આ અંગે સ્પષ્ટતા મળ્યા બાદ આગાહી કરવામાં આવશે.


અમદાવાદ ઉપરાંત અહીં થશે માવઠું


હવામાન વિભાગે  કેટલાક કારણોના લીધે રાજ્યમાં વરસાદ થાય તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરી છે. હવામાન વિભાગે આજે અમદાવાદમાં વરસાદ થવાની સંભાવના પણ વ્યક્ત કરી છે. અમદાવાદમાં સાંજના સમયે વરસાદ થવાની શક્યતાઓ સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીની પણ સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે. અમદાવાદ શહેર ઉપરાંત બોટાદ અને આણંદમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 


તાપમાન વધવાની સંભાવના નથી


ગુજરાતનું તાપમાન આગામી 5 દિવસમાં વધવાની સંભાવના નથી તેવું પણ સ્થાનિક હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. મોટાભાગે તાપમાનમાં મોટા ફેરફારની સંભાવનાઓ નથી. બે દિવસ સુધી તાપમાનમાં ફેરફારની સંભાવના નથી પરંતુ તે પછી એકાદ ડિગ્રી મહત્તમ તાપમાનમાં વધારો થઈ શકે છે. 


ચક્રવાતની સંભાવના

 

હવામાન વિભાગે ચક્રવાતની સંભાવના પણ વ્યક્ત કરીને જણાવ્યું છે કે, હાલની સંભાવનાઓને જોતા 5 જૂને દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં સર્ક્યુલેશન બનવાની શક્યતાઓ છે. જે 7 જૂન સુધીમાં લો પ્રેશરમાં પરિવર્તિત થઈ શકે છે.રાજ્યમાં ભારે પવન ફૂંકાવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. રાજ્યની ઉત્તર દરિયાઈ પટ્ટી માટે માછીમારોને ચેતવણી આપવામાં આવી છે. ગુજરાતમાં 30-40 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.