Weather : ફેબ્રુઆરીમાં થઈ રહ્યો છે ગરમીનો અહેસાસ! જાણો આગામી દિવસોમાં વધશે ઠંડીનું પ્રમાણ કે ગરમીનું જોર?


  • Published By :
  • Published Date : 2024-02-06 10:02:39

છેલ્લા એક બે દિવસથી રાજ્યના તાપમાનમાં વધારો નોંધાયો છે. તાપમાન વધવાને કારણે ગરમીનો અનુભવ છેલ્લા એક બે દિવસથી થઈ રહ્યો છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાયો હતો. ફેબ્રુઆરીની શરૂઆતમાં જ ગરમી પ્રકોપ સહન કરવો પડી રહ્યો છે પરંતુ આગામી દિવસોમાં ઠંડીનો અનુભવ થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 3 દિવસ બાદ ઠંડીનું પ્રમાણ વધશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. શિયાળાની શરૂઆતમાં કમોસમી વરસાદ આવ્યો હતો જેને કારણે ઠંડીનો અહેસાસ ઓછો થઈ રહ્યો હતો.


આગામી દિવસોમાં વધશે ઠંડીનું જોર!

જાન્યુઆરીમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. તાપમાન ગગડવાને કારણે કડકડતી ઠંડીનો અહેસાસ લોકોને થઈ રહ્યો હતો. બપોરના સમયે જો તમે ઘરની બહાર નિકળો તો એવું લાગે જાણે ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ હોય. લોકો ઘરમાં પંખો કરી રહ્યા છે તેવી ગરમીનો અનુભવ થઈ રહ્યો હતો. ત્યારે આગામી દિવસોમાં ફરી એક વખત ઠંડીનો ચમકારો જોવા મળશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બે-ત્રણ દિવસ બાદ ઠંડીનું પ્રમાણ વધશે. 


બેવડી ઋતુનો લોકોને થઈ રહ્યો છે અહેસાસ 

જો તાપમાનની વાત કરીએ તો નલિયામાં 14.5 તાપમાન પહોંચ્યું હતું જ્યારે અમદાવાદનું લઘુત્તમ તાપમાન 19.02 ડિગ્રી આસપાસ પહોંચ્યું હતું. બપોરના સમયે ગરમીનું પ્રમાણ વધારે હોવાને કારણે ગુજરાતમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવારે તેમજ સાંજના સમયે ઠંડી હોય છે પરંતુ બપોરના સમયે ગરમીને કારણે લોકો પરેશાન થઈ જાય છે. બેવડી ઋતુને કારણે રોગચાળો પણ વધી રહ્યો છે. ફેબ્રુઆરીમાં આટલી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે જેને લઈ લોકોને ટેન્શન થઈ રહ્યું છે કે ઉનાળામાં તાપમાન કેટલે જઈને પહોંચશે?  




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.