Weather : ફેબ્રુઆરીમાં થઈ રહ્યો છે ગરમીનો અહેસાસ! જાણો આગામી દિવસોમાં વધશે ઠંડીનું પ્રમાણ કે ગરમીનું જોર?


  • Published By :
  • Published Date : 2024-02-06 10:02:39

છેલ્લા એક બે દિવસથી રાજ્યના તાપમાનમાં વધારો નોંધાયો છે. તાપમાન વધવાને કારણે ગરમીનો અનુભવ છેલ્લા એક બે દિવસથી થઈ રહ્યો છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાયો હતો. ફેબ્રુઆરીની શરૂઆતમાં જ ગરમી પ્રકોપ સહન કરવો પડી રહ્યો છે પરંતુ આગામી દિવસોમાં ઠંડીનો અનુભવ થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 3 દિવસ બાદ ઠંડીનું પ્રમાણ વધશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. શિયાળાની શરૂઆતમાં કમોસમી વરસાદ આવ્યો હતો જેને કારણે ઠંડીનો અહેસાસ ઓછો થઈ રહ્યો હતો.


આગામી દિવસોમાં વધશે ઠંડીનું જોર!

જાન્યુઆરીમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. તાપમાન ગગડવાને કારણે કડકડતી ઠંડીનો અહેસાસ લોકોને થઈ રહ્યો હતો. બપોરના સમયે જો તમે ઘરની બહાર નિકળો તો એવું લાગે જાણે ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ હોય. લોકો ઘરમાં પંખો કરી રહ્યા છે તેવી ગરમીનો અનુભવ થઈ રહ્યો હતો. ત્યારે આગામી દિવસોમાં ફરી એક વખત ઠંડીનો ચમકારો જોવા મળશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બે-ત્રણ દિવસ બાદ ઠંડીનું પ્રમાણ વધશે. 


બેવડી ઋતુનો લોકોને થઈ રહ્યો છે અહેસાસ 

જો તાપમાનની વાત કરીએ તો નલિયામાં 14.5 તાપમાન પહોંચ્યું હતું જ્યારે અમદાવાદનું લઘુત્તમ તાપમાન 19.02 ડિગ્રી આસપાસ પહોંચ્યું હતું. બપોરના સમયે ગરમીનું પ્રમાણ વધારે હોવાને કારણે ગુજરાતમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવારે તેમજ સાંજના સમયે ઠંડી હોય છે પરંતુ બપોરના સમયે ગરમીને કારણે લોકો પરેશાન થઈ જાય છે. બેવડી ઋતુને કારણે રોગચાળો પણ વધી રહ્યો છે. ફેબ્રુઆરીમાં આટલી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે જેને લઈ લોકોને ટેન્શન થઈ રહ્યું છે કે ઉનાળામાં તાપમાન કેટલે જઈને પહોંચશે?  




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.