Weather : ફેબ્રુઆરીમાં થઈ રહ્યો છે ગરમીનો અહેસાસ! જાણો આગામી દિવસોમાં વધશે ઠંડીનું પ્રમાણ કે ગરમીનું જોર?


  • Published By :
  • Published Date : 2024-02-06 10:02:39

છેલ્લા એક બે દિવસથી રાજ્યના તાપમાનમાં વધારો નોંધાયો છે. તાપમાન વધવાને કારણે ગરમીનો અનુભવ છેલ્લા એક બે દિવસથી થઈ રહ્યો છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાયો હતો. ફેબ્રુઆરીની શરૂઆતમાં જ ગરમી પ્રકોપ સહન કરવો પડી રહ્યો છે પરંતુ આગામી દિવસોમાં ઠંડીનો અનુભવ થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 3 દિવસ બાદ ઠંડીનું પ્રમાણ વધશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. શિયાળાની શરૂઆતમાં કમોસમી વરસાદ આવ્યો હતો જેને કારણે ઠંડીનો અહેસાસ ઓછો થઈ રહ્યો હતો.


આગામી દિવસોમાં વધશે ઠંડીનું જોર!

જાન્યુઆરીમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. તાપમાન ગગડવાને કારણે કડકડતી ઠંડીનો અહેસાસ લોકોને થઈ રહ્યો હતો. બપોરના સમયે જો તમે ઘરની બહાર નિકળો તો એવું લાગે જાણે ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ હોય. લોકો ઘરમાં પંખો કરી રહ્યા છે તેવી ગરમીનો અનુભવ થઈ રહ્યો હતો. ત્યારે આગામી દિવસોમાં ફરી એક વખત ઠંડીનો ચમકારો જોવા મળશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બે-ત્રણ દિવસ બાદ ઠંડીનું પ્રમાણ વધશે. 


બેવડી ઋતુનો લોકોને થઈ રહ્યો છે અહેસાસ 

જો તાપમાનની વાત કરીએ તો નલિયામાં 14.5 તાપમાન પહોંચ્યું હતું જ્યારે અમદાવાદનું લઘુત્તમ તાપમાન 19.02 ડિગ્રી આસપાસ પહોંચ્યું હતું. બપોરના સમયે ગરમીનું પ્રમાણ વધારે હોવાને કારણે ગુજરાતમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવારે તેમજ સાંજના સમયે ઠંડી હોય છે પરંતુ બપોરના સમયે ગરમીને કારણે લોકો પરેશાન થઈ જાય છે. બેવડી ઋતુને કારણે રોગચાળો પણ વધી રહ્યો છે. ફેબ્રુઆરીમાં આટલી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે જેને લઈ લોકોને ટેન્શન થઈ રહ્યું છે કે ઉનાળામાં તાપમાન કેટલે જઈને પહોંચશે?  




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.