Weather : ફેબ્રુઆરીમાં થઈ રહ્યો છે ગરમીનો અહેસાસ! જાણો આગામી દિવસોમાં વધશે ઠંડીનું પ્રમાણ કે ગરમીનું જોર?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-06 10:02:39

છેલ્લા એક બે દિવસથી રાજ્યના તાપમાનમાં વધારો નોંધાયો છે. તાપમાન વધવાને કારણે ગરમીનો અનુભવ છેલ્લા એક બે દિવસથી થઈ રહ્યો છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાયો હતો. ફેબ્રુઆરીની શરૂઆતમાં જ ગરમી પ્રકોપ સહન કરવો પડી રહ્યો છે પરંતુ આગામી દિવસોમાં ઠંડીનો અનુભવ થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 3 દિવસ બાદ ઠંડીનું પ્રમાણ વધશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. શિયાળાની શરૂઆતમાં કમોસમી વરસાદ આવ્યો હતો જેને કારણે ઠંડીનો અહેસાસ ઓછો થઈ રહ્યો હતો.


આગામી દિવસોમાં વધશે ઠંડીનું જોર!

જાન્યુઆરીમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. તાપમાન ગગડવાને કારણે કડકડતી ઠંડીનો અહેસાસ લોકોને થઈ રહ્યો હતો. બપોરના સમયે જો તમે ઘરની બહાર નિકળો તો એવું લાગે જાણે ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ હોય. લોકો ઘરમાં પંખો કરી રહ્યા છે તેવી ગરમીનો અનુભવ થઈ રહ્યો હતો. ત્યારે આગામી દિવસોમાં ફરી એક વખત ઠંડીનો ચમકારો જોવા મળશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બે-ત્રણ દિવસ બાદ ઠંડીનું પ્રમાણ વધશે. 


બેવડી ઋતુનો લોકોને થઈ રહ્યો છે અહેસાસ 

જો તાપમાનની વાત કરીએ તો નલિયામાં 14.5 તાપમાન પહોંચ્યું હતું જ્યારે અમદાવાદનું લઘુત્તમ તાપમાન 19.02 ડિગ્રી આસપાસ પહોંચ્યું હતું. બપોરના સમયે ગરમીનું પ્રમાણ વધારે હોવાને કારણે ગુજરાતમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવારે તેમજ સાંજના સમયે ઠંડી હોય છે પરંતુ બપોરના સમયે ગરમીને કારણે લોકો પરેશાન થઈ જાય છે. બેવડી ઋતુને કારણે રોગચાળો પણ વધી રહ્યો છે. ફેબ્રુઆરીમાં આટલી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે જેને લઈ લોકોને ટેન્શન થઈ રહ્યું છે કે ઉનાળામાં તાપમાન કેટલે જઈને પહોંચશે?  




ભાજપના કાર્યકરોમાં અસંતોષની લાગણી જાણે બહાર આવી રહી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા કે ત્રણ નેતા વિરૂદ્ધ પગલા લેવા માટે હાઈકમાન્ડમાં રજૂઆત કરવામાં આવી.. આ બધા વચ્ચે એવું લાગી રહ્યું છે કે જવાહર ચાવડા આવનાર સમયમાં કંઈ નવા જૂની કરી શકે છે...

આજકાલ ગુજરાતમાં અકસ્માતના અનેક ઘટનાઓ બને છે. ફરી એક વાર આણંદના વાસદમાં ઓવર સ્પીડિંગ કાર પરથી કાબૂ ગુમાવતાં ચાર યુવકોના કરૂણ મોત થયા હતા. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના બની ત્યારે યુવાન સોશિયલ મીડિયા પર લાઈવ કરી રહ્યો હતો અને દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જે વીડિયો સામે આવ્યો છે તે હચમચાવી દે તેવો છે..

મહીસાગરમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં બે વ્યક્તિના મોત થઈ ગયા છે. ખાનપુરના પાંડરવાડા ગામની આ ઘટના છે જ્યાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે.. આ ઘટનામાં બાળકનો આબાદ બચાવ થયો છે. બાબલિયા ડિટવાસ હાઈવે પર આ અકસ્માત થયો છે.

અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા અનેક કેરીનો રસ બનાવતા એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને લેબોરેટરીમાં મોકલી દેવાયા છે તેવી માહિતી સામે આવી છે..