Gujaratના હવામાનમાં આવ્યો પલટો, અનેક વિસ્તારોમાં ભારે વરસાદ, જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી વિશે


  • Published By :
  • Published Date : 2024-09-27 16:53:43

ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે.. અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.. ભાદરવા મહિનામાં અષાઢ મહિના જેવો વરસાદ વરસી રહ્યો છે... બે સિસ્ટમ સક્રિય હોવાને કારણે ગુજરાતના હવામાનમાં ફેરફાર આવ્યો છે.. આજે સવારથી રાજ્યના અનેક ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે.. દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના ભાગોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા અનેક જિલ્લાઓ માટે એલર્ટ આપવામાં આવ્યું છે.. હવામાન વિભાગની આગાહી અનુસાર સુરત, નવસારી, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે..


આ વિસ્તારો માટે આપવામાં આવ્યું એલર્ટ

તે સિવાય ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, વડોદરા તેમજ છોટા ઉદેપુર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે જૂનાગઢ, રાજકોટ, બોટાદ, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સુરેન્દ્રનગર માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.. આવતી કાલ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, વડોદરા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.


ક્યાં કેટલો વરસાદ નોંધાયો 

સવારના 6થી 2 વાગ્યા દરમિયાન ક્યાં કેટલો વરસાદ પડ્યો તેની વાત કરીએ તો સાગબારામાં 3..82 ઈંચ જેટલો વરસાદ પડ્યો, ચૂડામાં 2.44, સુરતના ઉમરપાડામાં 2.09 ઈંચ જેટલો વરસાદ પડ્યો જ્યારે ખેડામાં 2.01 ઈંચ, નડિયાદમાં 1.97 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. તે સિવાય વલસાડના પારડીમાં 1.85 જ્યારે વલસાડમાં 1.65 ઈંચ વરસાદ વરસ્યો છે. અમદાવાદના દસ્ક્રોઈમાં 1.61 ઈંચ વરસાદ, મહેમદાવાદમાં 1.50 ઈંચ વરસાદ નોંધાયો છે. તે સિવાય પણ અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. મહત્વનું છે કે વરસાદને કારણે પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે.. ડેમોનું જળસ્તર વધી રહ્યું છે. એવી પણ માહિતી સામે આવી છે કે ઉકાઈ ડેમના 6 જેટલા દરવાજાઓ ખોલવામાં આવ્યા છે. 


શું કહે છે હવામાન નિષ્ણાત અંબાલાલ કાકાની આગાહી?

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવતી આગાહીની વાત કરીએ તો બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ વરસી શકે છે.. સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે... તે સિવાય ગુજરાતના અનેક ભાગોમાં પણ વરસાદ થવાની સંભાવના છે.. તે સિવાય નવરાત્રી દરમિયાન પણ છુટો છવાયો વરસાદ અનેક જગ્યાઓ પર વરસી શકે છે તેવી આગાહી તેમના દ્વારા કરવામાં આવી છે.. ત્યારે તમારે ત્યાં વરસાદી માહોલ છે કે નહીં તે અમને કમેન્ટમાં જણાવજો...     



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.