Gujaratના હવામાનમાં આવ્યો પલટો, અનેક વિસ્તારોમાં ભારે વરસાદ, જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી વિશે


  • Published By :
  • Published Date : 2024-09-27 16:53:43

ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે.. અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.. ભાદરવા મહિનામાં અષાઢ મહિના જેવો વરસાદ વરસી રહ્યો છે... બે સિસ્ટમ સક્રિય હોવાને કારણે ગુજરાતના હવામાનમાં ફેરફાર આવ્યો છે.. આજે સવારથી રાજ્યના અનેક ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે.. દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના ભાગોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા અનેક જિલ્લાઓ માટે એલર્ટ આપવામાં આવ્યું છે.. હવામાન વિભાગની આગાહી અનુસાર સુરત, નવસારી, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે..


આ વિસ્તારો માટે આપવામાં આવ્યું એલર્ટ

તે સિવાય ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, વડોદરા તેમજ છોટા ઉદેપુર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે જૂનાગઢ, રાજકોટ, બોટાદ, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સુરેન્દ્રનગર માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.. આવતી કાલ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, વડોદરા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.


ક્યાં કેટલો વરસાદ નોંધાયો 

સવારના 6થી 2 વાગ્યા દરમિયાન ક્યાં કેટલો વરસાદ પડ્યો તેની વાત કરીએ તો સાગબારામાં 3..82 ઈંચ જેટલો વરસાદ પડ્યો, ચૂડામાં 2.44, સુરતના ઉમરપાડામાં 2.09 ઈંચ જેટલો વરસાદ પડ્યો જ્યારે ખેડામાં 2.01 ઈંચ, નડિયાદમાં 1.97 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. તે સિવાય વલસાડના પારડીમાં 1.85 જ્યારે વલસાડમાં 1.65 ઈંચ વરસાદ વરસ્યો છે. અમદાવાદના દસ્ક્રોઈમાં 1.61 ઈંચ વરસાદ, મહેમદાવાદમાં 1.50 ઈંચ વરસાદ નોંધાયો છે. તે સિવાય પણ અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. મહત્વનું છે કે વરસાદને કારણે પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે.. ડેમોનું જળસ્તર વધી રહ્યું છે. એવી પણ માહિતી સામે આવી છે કે ઉકાઈ ડેમના 6 જેટલા દરવાજાઓ ખોલવામાં આવ્યા છે. 


શું કહે છે હવામાન નિષ્ણાત અંબાલાલ કાકાની આગાહી?

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવતી આગાહીની વાત કરીએ તો બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ વરસી શકે છે.. સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે... તે સિવાય ગુજરાતના અનેક ભાગોમાં પણ વરસાદ થવાની સંભાવના છે.. તે સિવાય નવરાત્રી દરમિયાન પણ છુટો છવાયો વરસાદ અનેક જગ્યાઓ પર વરસી શકે છે તેવી આગાહી તેમના દ્વારા કરવામાં આવી છે.. ત્યારે તમારે ત્યાં વરસાદી માહોલ છે કે નહીં તે અમને કમેન્ટમાં જણાવજો...     



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."