Gujaratના હવામાનમાં આવ્યો પલટો, અનેક વિસ્તારોમાં ભારે વરસાદ, જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી વિશે


  • Published By :
  • Published Date : 2024-09-27 16:53:43

ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે.. અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.. ભાદરવા મહિનામાં અષાઢ મહિના જેવો વરસાદ વરસી રહ્યો છે... બે સિસ્ટમ સક્રિય હોવાને કારણે ગુજરાતના હવામાનમાં ફેરફાર આવ્યો છે.. આજે સવારથી રાજ્યના અનેક ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે.. દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના ભાગોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા અનેક જિલ્લાઓ માટે એલર્ટ આપવામાં આવ્યું છે.. હવામાન વિભાગની આગાહી અનુસાર સુરત, નવસારી, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે..


આ વિસ્તારો માટે આપવામાં આવ્યું એલર્ટ

તે સિવાય ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, વડોદરા તેમજ છોટા ઉદેપુર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે જૂનાગઢ, રાજકોટ, બોટાદ, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સુરેન્દ્રનગર માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.. આવતી કાલ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, વડોદરા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.


ક્યાં કેટલો વરસાદ નોંધાયો 

સવારના 6થી 2 વાગ્યા દરમિયાન ક્યાં કેટલો વરસાદ પડ્યો તેની વાત કરીએ તો સાગબારામાં 3..82 ઈંચ જેટલો વરસાદ પડ્યો, ચૂડામાં 2.44, સુરતના ઉમરપાડામાં 2.09 ઈંચ જેટલો વરસાદ પડ્યો જ્યારે ખેડામાં 2.01 ઈંચ, નડિયાદમાં 1.97 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. તે સિવાય વલસાડના પારડીમાં 1.85 જ્યારે વલસાડમાં 1.65 ઈંચ વરસાદ વરસ્યો છે. અમદાવાદના દસ્ક્રોઈમાં 1.61 ઈંચ વરસાદ, મહેમદાવાદમાં 1.50 ઈંચ વરસાદ નોંધાયો છે. તે સિવાય પણ અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. મહત્વનું છે કે વરસાદને કારણે પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે.. ડેમોનું જળસ્તર વધી રહ્યું છે. એવી પણ માહિતી સામે આવી છે કે ઉકાઈ ડેમના 6 જેટલા દરવાજાઓ ખોલવામાં આવ્યા છે. 


શું કહે છે હવામાન નિષ્ણાત અંબાલાલ કાકાની આગાહી?

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવતી આગાહીની વાત કરીએ તો બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ વરસી શકે છે.. સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે... તે સિવાય ગુજરાતના અનેક ભાગોમાં પણ વરસાદ થવાની સંભાવના છે.. તે સિવાય નવરાત્રી દરમિયાન પણ છુટો છવાયો વરસાદ અનેક જગ્યાઓ પર વરસી શકે છે તેવી આગાહી તેમના દ્વારા કરવામાં આવી છે.. ત્યારે તમારે ત્યાં વરસાદી માહોલ છે કે નહીં તે અમને કમેન્ટમાં જણાવજો...     



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.