Gujaratના હવામાનમાં આવ્યો પલટો, અનેક વિસ્તારોમાં ભારે વરસાદ, જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી વિશે


  • Published By :
  • Published Date : 2024-09-27 16:53:43

ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે.. અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.. ભાદરવા મહિનામાં અષાઢ મહિના જેવો વરસાદ વરસી રહ્યો છે... બે સિસ્ટમ સક્રિય હોવાને કારણે ગુજરાતના હવામાનમાં ફેરફાર આવ્યો છે.. આજે સવારથી રાજ્યના અનેક ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે.. દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના ભાગોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા અનેક જિલ્લાઓ માટે એલર્ટ આપવામાં આવ્યું છે.. હવામાન વિભાગની આગાહી અનુસાર સુરત, નવસારી, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે..


આ વિસ્તારો માટે આપવામાં આવ્યું એલર્ટ

તે સિવાય ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, વડોદરા તેમજ છોટા ઉદેપુર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે જૂનાગઢ, રાજકોટ, બોટાદ, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સુરેન્દ્રનગર માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.. આવતી કાલ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, વડોદરા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.


ક્યાં કેટલો વરસાદ નોંધાયો 

સવારના 6થી 2 વાગ્યા દરમિયાન ક્યાં કેટલો વરસાદ પડ્યો તેની વાત કરીએ તો સાગબારામાં 3..82 ઈંચ જેટલો વરસાદ પડ્યો, ચૂડામાં 2.44, સુરતના ઉમરપાડામાં 2.09 ઈંચ જેટલો વરસાદ પડ્યો જ્યારે ખેડામાં 2.01 ઈંચ, નડિયાદમાં 1.97 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. તે સિવાય વલસાડના પારડીમાં 1.85 જ્યારે વલસાડમાં 1.65 ઈંચ વરસાદ વરસ્યો છે. અમદાવાદના દસ્ક્રોઈમાં 1.61 ઈંચ વરસાદ, મહેમદાવાદમાં 1.50 ઈંચ વરસાદ નોંધાયો છે. તે સિવાય પણ અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. મહત્વનું છે કે વરસાદને કારણે પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે.. ડેમોનું જળસ્તર વધી રહ્યું છે. એવી પણ માહિતી સામે આવી છે કે ઉકાઈ ડેમના 6 જેટલા દરવાજાઓ ખોલવામાં આવ્યા છે. 


શું કહે છે હવામાન નિષ્ણાત અંબાલાલ કાકાની આગાહી?

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવતી આગાહીની વાત કરીએ તો બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ વરસી શકે છે.. સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે... તે સિવાય ગુજરાતના અનેક ભાગોમાં પણ વરસાદ થવાની સંભાવના છે.. તે સિવાય નવરાત્રી દરમિયાન પણ છુટો છવાયો વરસાદ અનેક જગ્યાઓ પર વરસી શકે છે તેવી આગાહી તેમના દ્વારા કરવામાં આવી છે.. ત્યારે તમારે ત્યાં વરસાદી માહોલ છે કે નહીં તે અમને કમેન્ટમાં જણાવજો...     



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.