Weather : થોડા દિવસો બાદ શરૂ થઈ જશે ઉનાળાની સિઝન! જાણો હવામાનને લઈ શું કરવામાં આવી છે આગાહી?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-12 08:28:18

ગઈકાલથી રાજ્યમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. ઠંડા પવનના સૂસવાટા વહી રહ્યા છે જેને કારણે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. હમણાં ભલે ઠંડી લાગી રહી છે પરંતુ થોડા દિવસ પહેલા ગરમીનો અહેસાસ થઈ રહ્યો હતો. ફેબ્રુઆરી મહિનામાં ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. બપોરના સમયે તાપમાનમાં વધારો થવાને કારણે ગરમીનો અનુભવ થતો હતો અને જેને કારણે પંખા ચલાવવાની નોબત આવી ગઈ હતી. ત્યારે આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તેની જાણકારી આપવામાં આવી છે.


આ તારીખથી થશે ગરમીની શરૂઆત!

હાલ રાતના સમયે ઠંડી અને બપોરના સમયે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે જેને કારણે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. એક બે દિવસ પહેલા તાપમાનમાં વધારો થયો હતો પરંતુ હમણાની પરિસ્થિતિ એવી છે કે ઠંડી શરૂ થઈ ગઈ છે. એવી આગાહી કરવામાં આવી હતી કે આગામી દિવસોમાં ઠંડીનો રાઉન્ડ શરૂ થશે. કડકડતી ઠંડીનો અનુભવ થશે. પરંતુ હવે એવી આગાહી કરવામાં આવી છે કે 15 ફેબ્રુઆરીથી ગરમીનો અહેસાસ થવા લાગશે. 15 ફેબ્રુઆરી બાદ એવો અહેસાસ થશે કે જાણે ઉનાળાની શરૂઆત થઈ ગઈ હોય. 


હવામાનને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે શું કરી છે આગાહી?

જો તાપમાનની વાત કરીએ તો રાજ્યમાં લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી આસપાસ નોંધાયું હતું જ્યારે મહત્તમ તાપમાન 20 ડિગ્રી આસપાસ નોંધાયું છે. અમદાવાદનું તાપમાન 14 ડિગ્રી આસપાસ, ડીસાનું તાપમાન 11 ડિગ્રી આસપાસ નોંધાયું છે જ્યારે ગાંધીનગરનું તાપમાન 12 ડિગ્રી આસપાસ નોંધાયું છે. નલિયાનું તાપમાન 09 ડિગ્રી આસપાસ નોંધાયું છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર 12 ફેબ્રુઆરી સુધી વહેલી સવારે ઠંડીનો અહેસાસ થશે પરંતુ બપોરના સમયે ગરમીનો અનુભવ થશે. 19થી 22 ફેબ્રુઆરીથી ગરમીની શરૂઆત થઈ જશે અને તાપમાનમાં વધારો થશે. 



ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.

દરેકમાં ઈશ્વર રહેલા છે તેવું આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ. ઈશ્વરે આપણને બનાવ્યા છે.. ઈશ્વરે માણસને બનાવ્યો પરંતુ તે જ માણસ ઈશ્વરને મંદિરમાં સ્થાન આપે છે. ધર્મની અલગ અલગ વ્યાખ્યા આપણે ત્યાં લોકો કરતા હોય છે.

જ્ઞાન સહાયક જે માટે વિદ્યાર્થીઓ આટલું લડ્યા ગાંધીનગરના રસ્તાઓ પર ઢસડાયા અને અંતે સરકારે ભરતી તો બહાર પડી પણ હવે એ લટકતી તલવાર જેવી સ્થિતી છે કારણ કે હવે સરકારે જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત કરી છે એટલે હવે કાયમી શિક્ષકોની ભરતીનું શું? કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ આંદોલન કર્યું....

ગુજરાતની સહકારી મંડળીઓ અને સંઘોને નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે એનસીડીસી દ્વારા લોન તેમજ ગ્રાન્ટના સ્વરૂપમાં નાણાકીય સહાય આપવામાં આવતી હોય છે. 2021-22માં નાણાકીય સહાયનો આંક રૂ. 37.40 કરોડ હતો જે 2023-24માં વધીને રૂ. 586.99 કરોડે પહોંચી ગયો છે.