Weather : થોડા દિવસો બાદ શરૂ થઈ જશે ઉનાળાની સિઝન! જાણો હવામાનને લઈ શું કરવામાં આવી છે આગાહી?


  • Published By :
  • Published Date : 2024-02-12 08:28:18

ગઈકાલથી રાજ્યમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. ઠંડા પવનના સૂસવાટા વહી રહ્યા છે જેને કારણે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. હમણાં ભલે ઠંડી લાગી રહી છે પરંતુ થોડા દિવસ પહેલા ગરમીનો અહેસાસ થઈ રહ્યો હતો. ફેબ્રુઆરી મહિનામાં ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. બપોરના સમયે તાપમાનમાં વધારો થવાને કારણે ગરમીનો અનુભવ થતો હતો અને જેને કારણે પંખા ચલાવવાની નોબત આવી ગઈ હતી. ત્યારે આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તેની જાણકારી આપવામાં આવી છે.


આ તારીખથી થશે ગરમીની શરૂઆત!

હાલ રાતના સમયે ઠંડી અને બપોરના સમયે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે જેને કારણે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. એક બે દિવસ પહેલા તાપમાનમાં વધારો થયો હતો પરંતુ હમણાની પરિસ્થિતિ એવી છે કે ઠંડી શરૂ થઈ ગઈ છે. એવી આગાહી કરવામાં આવી હતી કે આગામી દિવસોમાં ઠંડીનો રાઉન્ડ શરૂ થશે. કડકડતી ઠંડીનો અનુભવ થશે. પરંતુ હવે એવી આગાહી કરવામાં આવી છે કે 15 ફેબ્રુઆરીથી ગરમીનો અહેસાસ થવા લાગશે. 15 ફેબ્રુઆરી બાદ એવો અહેસાસ થશે કે જાણે ઉનાળાની શરૂઆત થઈ ગઈ હોય. 


હવામાનને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે શું કરી છે આગાહી?

જો તાપમાનની વાત કરીએ તો રાજ્યમાં લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી આસપાસ નોંધાયું હતું જ્યારે મહત્તમ તાપમાન 20 ડિગ્રી આસપાસ નોંધાયું છે. અમદાવાદનું તાપમાન 14 ડિગ્રી આસપાસ, ડીસાનું તાપમાન 11 ડિગ્રી આસપાસ નોંધાયું છે જ્યારે ગાંધીનગરનું તાપમાન 12 ડિગ્રી આસપાસ નોંધાયું છે. નલિયાનું તાપમાન 09 ડિગ્રી આસપાસ નોંધાયું છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર 12 ફેબ્રુઆરી સુધી વહેલી સવારે ઠંડીનો અહેસાસ થશે પરંતુ બપોરના સમયે ગરમીનો અનુભવ થશે. 19થી 22 ફેબ્રુઆરીથી ગરમીની શરૂઆત થઈ જશે અને તાપમાનમાં વધારો થશે. 



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.