Weather : થોડા દિવસો બાદ શરૂ થઈ જશે ઉનાળાની સિઝન! જાણો હવામાનને લઈ શું કરવામાં આવી છે આગાહી?


  • Published By :
  • Published Date : 2024-02-12 08:28:18

ગઈકાલથી રાજ્યમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. ઠંડા પવનના સૂસવાટા વહી રહ્યા છે જેને કારણે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. હમણાં ભલે ઠંડી લાગી રહી છે પરંતુ થોડા દિવસ પહેલા ગરમીનો અહેસાસ થઈ રહ્યો હતો. ફેબ્રુઆરી મહિનામાં ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. બપોરના સમયે તાપમાનમાં વધારો થવાને કારણે ગરમીનો અનુભવ થતો હતો અને જેને કારણે પંખા ચલાવવાની નોબત આવી ગઈ હતી. ત્યારે આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તેની જાણકારી આપવામાં આવી છે.


આ તારીખથી થશે ગરમીની શરૂઆત!

હાલ રાતના સમયે ઠંડી અને બપોરના સમયે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે જેને કારણે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. એક બે દિવસ પહેલા તાપમાનમાં વધારો થયો હતો પરંતુ હમણાની પરિસ્થિતિ એવી છે કે ઠંડી શરૂ થઈ ગઈ છે. એવી આગાહી કરવામાં આવી હતી કે આગામી દિવસોમાં ઠંડીનો રાઉન્ડ શરૂ થશે. કડકડતી ઠંડીનો અનુભવ થશે. પરંતુ હવે એવી આગાહી કરવામાં આવી છે કે 15 ફેબ્રુઆરીથી ગરમીનો અહેસાસ થવા લાગશે. 15 ફેબ્રુઆરી બાદ એવો અહેસાસ થશે કે જાણે ઉનાળાની શરૂઆત થઈ ગઈ હોય. 


હવામાનને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે શું કરી છે આગાહી?

જો તાપમાનની વાત કરીએ તો રાજ્યમાં લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી આસપાસ નોંધાયું હતું જ્યારે મહત્તમ તાપમાન 20 ડિગ્રી આસપાસ નોંધાયું છે. અમદાવાદનું તાપમાન 14 ડિગ્રી આસપાસ, ડીસાનું તાપમાન 11 ડિગ્રી આસપાસ નોંધાયું છે જ્યારે ગાંધીનગરનું તાપમાન 12 ડિગ્રી આસપાસ નોંધાયું છે. નલિયાનું તાપમાન 09 ડિગ્રી આસપાસ નોંધાયું છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર 12 ફેબ્રુઆરી સુધી વહેલી સવારે ઠંડીનો અહેસાસ થશે પરંતુ બપોરના સમયે ગરમીનો અનુભવ થશે. 19થી 22 ફેબ્રુઆરીથી ગરમીની શરૂઆત થઈ જશે અને તાપમાનમાં વધારો થશે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.