Weather : થોડા દિવસો બાદ શરૂ થઈ જશે ઉનાળાની સિઝન! જાણો હવામાનને લઈ શું કરવામાં આવી છે આગાહી?


  • Published By :
  • Published Date : 2024-02-12 08:28:18

ગઈકાલથી રાજ્યમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. ઠંડા પવનના સૂસવાટા વહી રહ્યા છે જેને કારણે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. હમણાં ભલે ઠંડી લાગી રહી છે પરંતુ થોડા દિવસ પહેલા ગરમીનો અહેસાસ થઈ રહ્યો હતો. ફેબ્રુઆરી મહિનામાં ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. બપોરના સમયે તાપમાનમાં વધારો થવાને કારણે ગરમીનો અનુભવ થતો હતો અને જેને કારણે પંખા ચલાવવાની નોબત આવી ગઈ હતી. ત્યારે આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તેની જાણકારી આપવામાં આવી છે.


આ તારીખથી થશે ગરમીની શરૂઆત!

હાલ રાતના સમયે ઠંડી અને બપોરના સમયે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે જેને કારણે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. એક બે દિવસ પહેલા તાપમાનમાં વધારો થયો હતો પરંતુ હમણાની પરિસ્થિતિ એવી છે કે ઠંડી શરૂ થઈ ગઈ છે. એવી આગાહી કરવામાં આવી હતી કે આગામી દિવસોમાં ઠંડીનો રાઉન્ડ શરૂ થશે. કડકડતી ઠંડીનો અનુભવ થશે. પરંતુ હવે એવી આગાહી કરવામાં આવી છે કે 15 ફેબ્રુઆરીથી ગરમીનો અહેસાસ થવા લાગશે. 15 ફેબ્રુઆરી બાદ એવો અહેસાસ થશે કે જાણે ઉનાળાની શરૂઆત થઈ ગઈ હોય. 


હવામાનને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે શું કરી છે આગાહી?

જો તાપમાનની વાત કરીએ તો રાજ્યમાં લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી આસપાસ નોંધાયું હતું જ્યારે મહત્તમ તાપમાન 20 ડિગ્રી આસપાસ નોંધાયું છે. અમદાવાદનું તાપમાન 14 ડિગ્રી આસપાસ, ડીસાનું તાપમાન 11 ડિગ્રી આસપાસ નોંધાયું છે જ્યારે ગાંધીનગરનું તાપમાન 12 ડિગ્રી આસપાસ નોંધાયું છે. નલિયાનું તાપમાન 09 ડિગ્રી આસપાસ નોંધાયું છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર 12 ફેબ્રુઆરી સુધી વહેલી સવારે ઠંડીનો અહેસાસ થશે પરંતુ બપોરના સમયે ગરમીનો અનુભવ થશે. 19થી 22 ફેબ્રુઆરીથી ગરમીની શરૂઆત થઈ જશે અને તાપમાનમાં વધારો થશે. 



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.