Weather Update- ગુજરાતમાં ઠંડીનો ચમકારો, જાણો ક્યાં કેટલું નોંધાયું તાપમાન? દક્ષિણ ભારતના રાજ્યો પર વાવાઝોડાનો ખતરો


  • Published By :
  • Published Date : 2024-11-28 10:57:39

ગુજરાતમાં ધીરે ધીરે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે... ગુજરાતમાં શિયાળાનો અહેસાસ થઈ રહ્યો છે.. મોડી રાત્રે તેમજ વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે પરંતુ બપોરના સમયે ગરમીનો અનુભવ થાય છે.. વહેલી સવારે મોટા ભાગના વિસ્તારોમાં ધુમ્મસ જેવું વાતાવરણ રહેતુ હોય છે... મહત્વનું છે કે પર્વતીય વિસ્તારમાં હિમવર્ષા થવાને કારણે ગુજરાતમાં ઠંડીનો અનુભવ લોકોને થઈ રહ્યો છે... લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે... મહત્તમ તાપમાન 30થી 35 ડિગ્રીની આસપાસ નોંધાયું છે... 

ક્યાં કેટલું તાપમાન નોંધાયું? 

ક્યાં કેટલું તાપમાન નોંધાયું તેની વાત કરીએ તો અમદાવાદનું તાપમાન 16.1 નોંધાયું છે જ્યારે ગાંધીનગરનું તાપમાન 15.2 નોંધાયું છે... તે ઉપરાંત ડીસાનું તાપમાન 16.5 નોંધાયું છે જ્યારે વડોદરાનું તાપમાન 13.6 ડિગ્રી નોંધાયું છે... સુરતનું તાપમાન 20.3 ડિગ્રી જ્યારે નલિયાનું તાપમાન 13.0 ડિગ્રી નોંધાયું છે... દમણનું તાપમાન 17.4 ડિગ્રી નોંધાયું છે... દ્વારકાનું તાપમાન 20.4 ડિગ્રી નોંધાયું છે... 


દક્ષિણ ભારતના રાજ્યો પર વાવાઝોડાનો ખતરો 

આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.... બે ત્રણ દિવસ બાદ ગુજરાતમાં ઉત્તરના પવન ફૂંકાશે જેને કારણે તાપમાનનો પારો ગગડ્શે અને ઠંડીનો ચમકારો લાગશે... બેથી ત્રણ ડિગ્રીનો તાપમાનમાં ફેરફાર આવશે... મહત્વનું છે કે ડિસેમ્બર મહિનામાં આના કરતા પણ વધારે ઠંડીનો અહેસાસ થશે.. ઉલ્લેખનિય છે કે બંગાળની ખાડીમાં સિસ્ટમ બનવાથી વાવાઝોડું બનશે જેને ફેંગલ નામ આપવામાં આવ્યું છે.. આ વાવાઝોડની અસર સૌથી વધારે દક્ષિણ ભારત પર થવાની છે... દક્ષિણ ભારતના રાજ્યોમાં સુરક્ષા બળોને તૈનાત કરવામાં આવી છે... તમારે ત્યાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે કે નહીં તે અમને કમેન્ટમાં જણાવજો...    



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.