Weather Update- ગુજરાતમાં ઠંડીનો ચમકારો, જાણો ક્યાં કેટલું નોંધાયું તાપમાન? દક્ષિણ ભારતના રાજ્યો પર વાવાઝોડાનો ખતરો


  • Published By :
  • Published Date : 2024-11-28 10:57:39

ગુજરાતમાં ધીરે ધીરે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે... ગુજરાતમાં શિયાળાનો અહેસાસ થઈ રહ્યો છે.. મોડી રાત્રે તેમજ વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે પરંતુ બપોરના સમયે ગરમીનો અનુભવ થાય છે.. વહેલી સવારે મોટા ભાગના વિસ્તારોમાં ધુમ્મસ જેવું વાતાવરણ રહેતુ હોય છે... મહત્વનું છે કે પર્વતીય વિસ્તારમાં હિમવર્ષા થવાને કારણે ગુજરાતમાં ઠંડીનો અનુભવ લોકોને થઈ રહ્યો છે... લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે... મહત્તમ તાપમાન 30થી 35 ડિગ્રીની આસપાસ નોંધાયું છે... 

ક્યાં કેટલું તાપમાન નોંધાયું? 

ક્યાં કેટલું તાપમાન નોંધાયું તેની વાત કરીએ તો અમદાવાદનું તાપમાન 16.1 નોંધાયું છે જ્યારે ગાંધીનગરનું તાપમાન 15.2 નોંધાયું છે... તે ઉપરાંત ડીસાનું તાપમાન 16.5 નોંધાયું છે જ્યારે વડોદરાનું તાપમાન 13.6 ડિગ્રી નોંધાયું છે... સુરતનું તાપમાન 20.3 ડિગ્રી જ્યારે નલિયાનું તાપમાન 13.0 ડિગ્રી નોંધાયું છે... દમણનું તાપમાન 17.4 ડિગ્રી નોંધાયું છે... દ્વારકાનું તાપમાન 20.4 ડિગ્રી નોંધાયું છે... 


દક્ષિણ ભારતના રાજ્યો પર વાવાઝોડાનો ખતરો 

આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.... બે ત્રણ દિવસ બાદ ગુજરાતમાં ઉત્તરના પવન ફૂંકાશે જેને કારણે તાપમાનનો પારો ગગડ્શે અને ઠંડીનો ચમકારો લાગશે... બેથી ત્રણ ડિગ્રીનો તાપમાનમાં ફેરફાર આવશે... મહત્વનું છે કે ડિસેમ્બર મહિનામાં આના કરતા પણ વધારે ઠંડીનો અહેસાસ થશે.. ઉલ્લેખનિય છે કે બંગાળની ખાડીમાં સિસ્ટમ બનવાથી વાવાઝોડું બનશે જેને ફેંગલ નામ આપવામાં આવ્યું છે.. આ વાવાઝોડની અસર સૌથી વધારે દક્ષિણ ભારત પર થવાની છે... દક્ષિણ ભારતના રાજ્યોમાં સુરક્ષા બળોને તૈનાત કરવામાં આવી છે... તમારે ત્યાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે કે નહીં તે અમને કમેન્ટમાં જણાવજો...    



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.