Weather Update - ગુજરાતમાં ધીરે ધીરે જામી ઠંડીની મૌસમ, જાણો સૌથી ઓછું તાપમાન ક્યાં નોંધાયું? શું કહે છે Paresh Goswamiની આગાહી?


  • Published By :
  • Published Date : 2024-11-29 11:25:36

ઠંડીનો અહેસાસ વહેલી સવારે તેમજ મોડી રાત્રે ધીરે ધીરે થઈ રહ્યો છે પરંતુ બપોરના સમયે ઉનાળાની ગરમી હોય તેવો થોડો થોડો અહેસાસ થઈ રહ્યો છે... લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે પરંતુ મહત્તમ તાપમાનમાં બહુ ઘટાડો નોંધાયો નથી.. નવેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં પણ મહત્તમ તાપમાનમાં બહુ મોટો ફેરફાર નથી આવ્યો... સામાન્ય રીતે આ તારીખો દરમિયાન તાપમાન 30 ડિગ્રીને નીચે આવી જતું હોય છે પરંતુ આ વખતના શિયાળામાં આ તાપમાન 30 ડિગ્રી નીચે નોંધાયું નથી.. 



ક્યાં પડી વધારે ઠંડી?

ક્યાં કેટલું તાપમાન નોંધાયું તેની વાત કરીએ તો નલિયા તેમજ વડોદરામાં સૌથી નીચું તાપમાન નોંધાયું છે... નલિયા તેમજ વડોદરાનું તાપમાન 13 ડિગ્રી નોંધાયું છે જ્યારે રાજકોટનું તાપમાન 15 ડિગ્રી આસપાસ નોંધાયું છે... ડીસાનું તાપમાન 15.2 જ્યારે ગાંધીનગરનું તાપમાન 15.2 ડિગ્રી નોંધાયું છે... અમદાવાદનું તાપમાન 16.01 ડિગ્રી જ્યાકે સુરતનું તાપમાન 18 ડિગ્રી નોંધાયું છે... વડોદરા તેમજ નલિયા સૌથી ઠંડાગાર પ્રદેશ નોંધાયા હતા... 

શું કહે છે પરેશ ગોસ્વામીની આગાહી?  

પહાડી વિસ્તારોમાં હિમ વર્ષા થવાને કારણે ગુજરાતમાં ઠંડી પ્રસરી રહી છે... હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તરીય પવનને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે... વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતમાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.... ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં ઠંડીનો વધારે ચમકારો જોવા મળી શકે છે તેવું અનુમાન પરેશ ગોસ્વામીએ કર્યું છે.... મહત્વનું છે કે બંગાળની ખાડીમાં સિસ્ટમ બનવાને કારણે વાવાઝોડું સક્રિય થયું છે.. પરંતુ તેની ગંભીર અસર ગુજરાત પર નથી પડવાની.. ગુજરાતના અનેક વિસ્તારો એવા છે જ્યાં છુટો છવાયો વરસાદ પડવાની સંભાવના છે... પરેશ ગોસ્વામીએ પણ હવામાન કેવું રહેશે આગામી દિવસો દરમિયાન તેની માહિતી આપી છે...     



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.