Weather Update - ગુજરાતમાં ધીરે ધીરે જામી ઠંડીની મૌસમ, જાણો સૌથી ઓછું તાપમાન ક્યાં નોંધાયું? શું કહે છે Paresh Goswamiની આગાહી?


  • Published By :
  • Published Date : 2024-11-29 11:25:36

ઠંડીનો અહેસાસ વહેલી સવારે તેમજ મોડી રાત્રે ધીરે ધીરે થઈ રહ્યો છે પરંતુ બપોરના સમયે ઉનાળાની ગરમી હોય તેવો થોડો થોડો અહેસાસ થઈ રહ્યો છે... લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે પરંતુ મહત્તમ તાપમાનમાં બહુ ઘટાડો નોંધાયો નથી.. નવેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં પણ મહત્તમ તાપમાનમાં બહુ મોટો ફેરફાર નથી આવ્યો... સામાન્ય રીતે આ તારીખો દરમિયાન તાપમાન 30 ડિગ્રીને નીચે આવી જતું હોય છે પરંતુ આ વખતના શિયાળામાં આ તાપમાન 30 ડિગ્રી નીચે નોંધાયું નથી.. 



ક્યાં પડી વધારે ઠંડી?

ક્યાં કેટલું તાપમાન નોંધાયું તેની વાત કરીએ તો નલિયા તેમજ વડોદરામાં સૌથી નીચું તાપમાન નોંધાયું છે... નલિયા તેમજ વડોદરાનું તાપમાન 13 ડિગ્રી નોંધાયું છે જ્યારે રાજકોટનું તાપમાન 15 ડિગ્રી આસપાસ નોંધાયું છે... ડીસાનું તાપમાન 15.2 જ્યારે ગાંધીનગરનું તાપમાન 15.2 ડિગ્રી નોંધાયું છે... અમદાવાદનું તાપમાન 16.01 ડિગ્રી જ્યાકે સુરતનું તાપમાન 18 ડિગ્રી નોંધાયું છે... વડોદરા તેમજ નલિયા સૌથી ઠંડાગાર પ્રદેશ નોંધાયા હતા... 

શું કહે છે પરેશ ગોસ્વામીની આગાહી?  

પહાડી વિસ્તારોમાં હિમ વર્ષા થવાને કારણે ગુજરાતમાં ઠંડી પ્રસરી રહી છે... હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તરીય પવનને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે... વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતમાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.... ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં ઠંડીનો વધારે ચમકારો જોવા મળી શકે છે તેવું અનુમાન પરેશ ગોસ્વામીએ કર્યું છે.... મહત્વનું છે કે બંગાળની ખાડીમાં સિસ્ટમ બનવાને કારણે વાવાઝોડું સક્રિય થયું છે.. પરંતુ તેની ગંભીર અસર ગુજરાત પર નથી પડવાની.. ગુજરાતના અનેક વિસ્તારો એવા છે જ્યાં છુટો છવાયો વરસાદ પડવાની સંભાવના છે... પરેશ ગોસ્વામીએ પણ હવામાન કેવું રહેશે આગામી દિવસો દરમિયાન તેની માહિતી આપી છે...     



આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.