Weather Update - ગુજરાતમાં ધીરે ધીરે જામી ઠંડીની મૌસમ, જાણો સૌથી ઓછું તાપમાન ક્યાં નોંધાયું? શું કહે છે Paresh Goswamiની આગાહી?


  • Published By :
  • Published Date : 2024-11-29 11:25:36

ઠંડીનો અહેસાસ વહેલી સવારે તેમજ મોડી રાત્રે ધીરે ધીરે થઈ રહ્યો છે પરંતુ બપોરના સમયે ઉનાળાની ગરમી હોય તેવો થોડો થોડો અહેસાસ થઈ રહ્યો છે... લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે પરંતુ મહત્તમ તાપમાનમાં બહુ ઘટાડો નોંધાયો નથી.. નવેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં પણ મહત્તમ તાપમાનમાં બહુ મોટો ફેરફાર નથી આવ્યો... સામાન્ય રીતે આ તારીખો દરમિયાન તાપમાન 30 ડિગ્રીને નીચે આવી જતું હોય છે પરંતુ આ વખતના શિયાળામાં આ તાપમાન 30 ડિગ્રી નીચે નોંધાયું નથી.. 



ક્યાં પડી વધારે ઠંડી?

ક્યાં કેટલું તાપમાન નોંધાયું તેની વાત કરીએ તો નલિયા તેમજ વડોદરામાં સૌથી નીચું તાપમાન નોંધાયું છે... નલિયા તેમજ વડોદરાનું તાપમાન 13 ડિગ્રી નોંધાયું છે જ્યારે રાજકોટનું તાપમાન 15 ડિગ્રી આસપાસ નોંધાયું છે... ડીસાનું તાપમાન 15.2 જ્યારે ગાંધીનગરનું તાપમાન 15.2 ડિગ્રી નોંધાયું છે... અમદાવાદનું તાપમાન 16.01 ડિગ્રી જ્યાકે સુરતનું તાપમાન 18 ડિગ્રી નોંધાયું છે... વડોદરા તેમજ નલિયા સૌથી ઠંડાગાર પ્રદેશ નોંધાયા હતા... 

શું કહે છે પરેશ ગોસ્વામીની આગાહી?  

પહાડી વિસ્તારોમાં હિમ વર્ષા થવાને કારણે ગુજરાતમાં ઠંડી પ્રસરી રહી છે... હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તરીય પવનને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે... વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતમાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.... ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં ઠંડીનો વધારે ચમકારો જોવા મળી શકે છે તેવું અનુમાન પરેશ ગોસ્વામીએ કર્યું છે.... મહત્વનું છે કે બંગાળની ખાડીમાં સિસ્ટમ બનવાને કારણે વાવાઝોડું સક્રિય થયું છે.. પરંતુ તેની ગંભીર અસર ગુજરાત પર નથી પડવાની.. ગુજરાતના અનેક વિસ્તારો એવા છે જ્યાં છુટો છવાયો વરસાદ પડવાની સંભાવના છે... પરેશ ગોસ્વામીએ પણ હવામાન કેવું રહેશે આગામી દિવસો દરમિયાન તેની માહિતી આપી છે...     



અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.