Weather Update : Gujaratના આ વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસી શકે છે વરસાદ, જાણો શું કહે છે હવામાન વિભાગની આગાહી?


  • Published By :
  • Published Date : 2024-06-11 11:58:41

ગુજરાતમાં થોડા દિવસોથી વરસાદી માહોલ જામ્યો છે. કાળઝાળ ગરમીની વચ્ચે વરસાદનું આગમન થતાં લોકો ખુશ થઈ ગયા છે.. વરસાદની રાહ લોકો આતુરતા પૂર્વક જોઈ રહ્યા હતા. ક્યારે વરસાદ આવે અને ક્યારે ગરમીથી રાહત મળે તેની રાહ લોકો જોઈ રહ્યા હતા. થોડા દિવસોમાં અથવા તો થોડા કલાકો બાદ ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ જશે તેવું લાગી રહ્યું છે પરંતુ તે પહેલા રાજ્યના અનેક ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે જ્યારે અનેક ભાગો માટે વરસાદની આગાહી કરવામાં આવી છે.

News18 Gujarati


News18 Gujarati

આજે આ વિસ્તારોમાં આવી શકે છે વરસાદ 

શનિવારથી અનેક જગ્યાઓ પર વરસાદ વરસી રહ્યો છે. રવિવારે તેમજ સોમાવરે પણ રાજ્યના અનેક ભાગોમાં વરસાદ થયો હતો.. હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે.. અનેક ભાગોમાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. આજે કયા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે તેની વાત કરીએ તો જૂનાગઢ, અમરેલી,ભરૂચ,વડોદરા, પંચમહાલ, છોટા ઉદેપુર, તાપી, નવસારી, ડાંગ, ગીર સોમનાથ, ભાવનગર, સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે.

News18 Gujarati


News18 Gujarati

બફારાને કારણે લોકો પરેશાન..!

તે સિવાય આવતી કાલ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર અમરેલી, ભાવનગર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દાદરા નગર હવેલીમાં વરસાદ વરસી શકે છે..રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 26 જેટલા તાલુકામાં વરસાદ વરસ્યો છે.. મહત્વનું છે કે વરસાદ તો વરસી રહ્યો છે પરંતુ બફારાને કારણે લોકો ત્રાસી ગયા છે. 

        



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.