Weather Update : Gujaratના આ વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસી શકે છે વરસાદ, જાણો શું કહે છે હવામાન વિભાગની આગાહી?


  • Published By :
  • Published Date : 2024-06-11 11:58:41

ગુજરાતમાં થોડા દિવસોથી વરસાદી માહોલ જામ્યો છે. કાળઝાળ ગરમીની વચ્ચે વરસાદનું આગમન થતાં લોકો ખુશ થઈ ગયા છે.. વરસાદની રાહ લોકો આતુરતા પૂર્વક જોઈ રહ્યા હતા. ક્યારે વરસાદ આવે અને ક્યારે ગરમીથી રાહત મળે તેની રાહ લોકો જોઈ રહ્યા હતા. થોડા દિવસોમાં અથવા તો થોડા કલાકો બાદ ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ જશે તેવું લાગી રહ્યું છે પરંતુ તે પહેલા રાજ્યના અનેક ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે જ્યારે અનેક ભાગો માટે વરસાદની આગાહી કરવામાં આવી છે.

News18 Gujarati


News18 Gujarati

આજે આ વિસ્તારોમાં આવી શકે છે વરસાદ 

શનિવારથી અનેક જગ્યાઓ પર વરસાદ વરસી રહ્યો છે. રવિવારે તેમજ સોમાવરે પણ રાજ્યના અનેક ભાગોમાં વરસાદ થયો હતો.. હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે.. અનેક ભાગોમાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. આજે કયા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે તેની વાત કરીએ તો જૂનાગઢ, અમરેલી,ભરૂચ,વડોદરા, પંચમહાલ, છોટા ઉદેપુર, તાપી, નવસારી, ડાંગ, ગીર સોમનાથ, ભાવનગર, સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે.

News18 Gujarati


News18 Gujarati

બફારાને કારણે લોકો પરેશાન..!

તે સિવાય આવતી કાલ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર અમરેલી, ભાવનગર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દાદરા નગર હવેલીમાં વરસાદ વરસી શકે છે..રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 26 જેટલા તાલુકામાં વરસાદ વરસ્યો છે.. મહત્વનું છે કે વરસાદ તો વરસી રહ્યો છે પરંતુ બફારાને કારણે લોકો ત્રાસી ગયા છે. 

        



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"