Weather Update : Gujaratના આ વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસી શકે છે વરસાદ, જાણો શું કહે છે હવામાન વિભાગની આગાહી?


  • Published By :
  • Published Date : 2024-06-11 11:58:41

ગુજરાતમાં થોડા દિવસોથી વરસાદી માહોલ જામ્યો છે. કાળઝાળ ગરમીની વચ્ચે વરસાદનું આગમન થતાં લોકો ખુશ થઈ ગયા છે.. વરસાદની રાહ લોકો આતુરતા પૂર્વક જોઈ રહ્યા હતા. ક્યારે વરસાદ આવે અને ક્યારે ગરમીથી રાહત મળે તેની રાહ લોકો જોઈ રહ્યા હતા. થોડા દિવસોમાં અથવા તો થોડા કલાકો બાદ ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ જશે તેવું લાગી રહ્યું છે પરંતુ તે પહેલા રાજ્યના અનેક ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે જ્યારે અનેક ભાગો માટે વરસાદની આગાહી કરવામાં આવી છે.

News18 Gujarati


News18 Gujarati

આજે આ વિસ્તારોમાં આવી શકે છે વરસાદ 

શનિવારથી અનેક જગ્યાઓ પર વરસાદ વરસી રહ્યો છે. રવિવારે તેમજ સોમાવરે પણ રાજ્યના અનેક ભાગોમાં વરસાદ થયો હતો.. હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે.. અનેક ભાગોમાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. આજે કયા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે તેની વાત કરીએ તો જૂનાગઢ, અમરેલી,ભરૂચ,વડોદરા, પંચમહાલ, છોટા ઉદેપુર, તાપી, નવસારી, ડાંગ, ગીર સોમનાથ, ભાવનગર, સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે.

News18 Gujarati


News18 Gujarati

બફારાને કારણે લોકો પરેશાન..!

તે સિવાય આવતી કાલ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર અમરેલી, ભાવનગર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દાદરા નગર હવેલીમાં વરસાદ વરસી શકે છે..રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 26 જેટલા તાલુકામાં વરસાદ વરસ્યો છે.. મહત્વનું છે કે વરસાદ તો વરસી રહ્યો છે પરંતુ બફારાને કારણે લોકો ત્રાસી ગયા છે. 

        



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.