પશ્ચિમ બંગાળ: રાહુલ ગાંધીની કાર પર પથ્થરમારો, અધીર રંજને TMC પર લગાવ્યો આરોપ


  • Published By :
  • Published Date : 2024-01-31 15:58:07

પશ્ચિમ બંગાળના માલદામાં કોંગ્રેસની 'ભારત જોડો ન્યાય યાત્રા' પર પથ્થરમારો થયો છે. કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ દાવો કર્યો છે કે એક કારમાં આવેલા કેટલાક અજ્ઞાત લોકોએ રાહુલ ગાંધીની કાર પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં કારની પાછળના ભાગનો કાચ તુટી ગયો છે. જો કે રાહુલ ગાંધીને કોઈ ઈજા થઈ નથી.   


અધીર રંજને TMC પર લગાવ્યો આરોપ


પશ્ચિમ બંગાળ-બિહાર સરહદે ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન રાહુલ ગાંધીના કાફલા પર હુમલો થયો છે. કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ આ હુમલા માટે મમતા બેનર્જીની પાર્ટી ટીએમસી પર આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે 'આ હુમલો માલદા જિલ્લાના હરિશ્ચંદ્રપુર વિસ્તારમાં ત્યારે થયો જ્યારે યાત્રા બિહારથી પશ્ચિમ બંગાળમાં બીજી વખત પ્રવેશ કરી રહી હતી. અધીર રંજને કહ્યું કે રાહુલ ગાંધી જે વાહનમાં પ્રવાસ કરી રહ્યા હતા તેની પાછલી બાજુની બારીનો કાચ પથ્થરો  મારીને તોડી નાખવામાં આવ્યો છે, આ બાબત અસ્વિકાર્ય છે. '  



આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.