પશ્ચિમ બંગાળ: રાહુલ ગાંધીની કાર પર પથ્થરમારો, અધીર રંજને TMC પર લગાવ્યો આરોપ


  • Published By :
  • Published Date : 2024-01-31 15:58:07

પશ્ચિમ બંગાળના માલદામાં કોંગ્રેસની 'ભારત જોડો ન્યાય યાત્રા' પર પથ્થરમારો થયો છે. કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ દાવો કર્યો છે કે એક કારમાં આવેલા કેટલાક અજ્ઞાત લોકોએ રાહુલ ગાંધીની કાર પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં કારની પાછળના ભાગનો કાચ તુટી ગયો છે. જો કે રાહુલ ગાંધીને કોઈ ઈજા થઈ નથી.   


અધીર રંજને TMC પર લગાવ્યો આરોપ


પશ્ચિમ બંગાળ-બિહાર સરહદે ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન રાહુલ ગાંધીના કાફલા પર હુમલો થયો છે. કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ આ હુમલા માટે મમતા બેનર્જીની પાર્ટી ટીએમસી પર આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે 'આ હુમલો માલદા જિલ્લાના હરિશ્ચંદ્રપુર વિસ્તારમાં ત્યારે થયો જ્યારે યાત્રા બિહારથી પશ્ચિમ બંગાળમાં બીજી વખત પ્રવેશ કરી રહી હતી. અધીર રંજને કહ્યું કે રાહુલ ગાંધી જે વાહનમાં પ્રવાસ કરી રહ્યા હતા તેની પાછલી બાજુની બારીનો કાચ પથ્થરો  મારીને તોડી નાખવામાં આવ્યો છે, આ બાબત અસ્વિકાર્ય છે. '  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.