West Bengal : Sandeshkhaliના મુખ્ય આરોપી શાહજહા શેખ પોલીસ ગિરફ્તમાં, કોર્ટ સમક્ષ કર્યા હાજર, આટલા દિવસની રિમાન્ડ મંજૂર!


  • Published By :
  • Published Date : 2024-02-29 15:52:57

પશ્ચિમ બંગાળની ચર્ચા છેલ્લા ઘણા સમયથી થઈ રહી છે. સંદેશખાલીમાં ભડકેલી હિંસાને કારણે રાજકારણ ગરમાઈ ગયું છે. ભાજપે ટીએમસી પર નિશાન સાધ્યું હતું. પશ્ચિમ બંગાળના સંદેશખાલી હિંસાના મુખ્ય આરોપી અને ટીએમસી નેતા શાહજહા શેખની ધરપકડ કરવામાં આવી છે. શાહજહાં શેખની ધરપકડ 28મી મોડી રાત્રે મિનાખન વિસ્તારથી કરવામાં આવી હતી. શાહજહાંની ધરપકડ કરવામાં આવે તેવા આદેશ કોલકાત્તા હાઈકોર્ટે આપ્યા બતા અને તે બાદ તેમની ધરપકડ કરવામાં આવી. કોર્ટ સમક્ષ તેમને રજૂ પણ કરવામાં આવ્યા છે અને મળતી માહિતી અનુસાર તેમના 10 દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવશે. ટીએમસી પાર્ટી દ્વારા પણ શાહજહા શેખ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. છ વર્ષ માટે તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેવી માહિતી સામે આવી છે.  

 

પાંચ જાન્યુઆરીએ શાહજહાાં શેખને ત્યાં પહોંચી હતી ઈડી!    

બુધવાર મોડી રાત્રે પોલીસે સંદેશખાલી હિંસાના મુખ્ય આરોપી શાહજહાં શેખની ધરપકડ કરી લીધી છે. કાર્યવાહીને લઈ ભાજપે તૃણુમુલ કોંગ્રેસને ઘેરી છે. સંદેશખાલીમાં હિંસા પ્રતિદિન વધી રહી હતી અને ત્યાંની પરિસ્થિતિ ખરાબ થતી હતી. ત્યાંની પરિસ્થિતિ કેવી હતી તે આપણે જાણીએ છીએ. મહિલાઓએ આરોપ લગાવ્યો હતો. ઈડીની રેડ પડી ત્યારથી શાહજહાં શેખ ફરાર હતા. શાહજહાં શેખ પહેલી વાર ચર્ચામાં ત્યારે આવ્યા જ્યારે પાંચ જાન્યુઆરીએ ઈડીની ટીમ ત્યાં તપાસ કરવા પહોંચી હતી. અનેક દિવસો બાદ શાહજહા શેખની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી હતી. કોર્ટ સમક્ષ આજે રજૂ કરવામાં આવ્યા હતા. 

ધરપકડ બાદ મહિલાઓએ કરી ઉજવણી! 

શાહજહાં શેખની ધરપકડ બાદ કોર્ટમાં તે પેશ થયા હતા અને તેમની રિમાન્ડ મંજૂર થઈ ગઈ છે તેવી માહિતી સામે આવી રહી છે. શાહજહાની ધરપકડ થયા બાદ મહિલાઓએ ખુશી મનાવી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. એકબીજાને મીઠાઈ ખવડાવી હતી. મહત્વનું છે આ ઘટનાને લઈ ભાજપે ટીએમસીને અને મમતા બેનર્જીને ઘેરવાની કોશિશ કરી છે. હાઈકોર્ટ દ્વારા પણ અનેક વખત મમતા સરકારની ઝાટકણી કાઢવામાં આવી છે. ત્યારે હાઈકોર્ટના આદેશ બાદ શાહજહા શેખની ધરપકડ કરવામાં આવી છે.     

sandeshkhali controversy shahjahan sheikh arrested women celebrated

west bengal sandeshkhali controversy shahjahan sheikh arrested women celebrated photos  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.