West Bengal : TMC નેતા Shankar Adhyaની EDએ કરી ધરપકડ, ગઈકાલે ઈડીની ટીમ પર ટોળાએ કર્યો હતો હુમલો, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-06 18:28:14

ગઈકાલે પશ્ચિમ બંગાળમાં ઈડીની ટીમ જ્યારે દરોડા પાડવા ગઈ હતી ત્યારે ટીમ પર 200થી 300 જેટલા લોકોએ હુમલો કરી દીધો હતો. રાશન કૌભાંડ મામલે ઈડીની ટીમ ટીએમસી નેતા અને બોનગાંવ નગરપાલિકાના ભૂતપૂર્વ અધ્યક્ષ શંકર આદ્યાની ધરપકડ કરવામાં આવી છે. 5 જાન્યુઆરીએ ઈડીએ તેમના ત્યાં રેડ કરી હતી. ઈડી દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે, મોડી રાત્રે 12વાગ્યાની આસપાસ નેતા શંકર આદ્યાની ધરપકડ કરાઈ છે. ધરપકડ મુદ્દે તેમની પત્નીએ આરોપ લગાવ્યો કે તપાસ દરમિયાન તેમના પતિએ પૂર્ણ સહયોગ આપ્યો હતો તેમ છતાંય તેમની ધરપકડ કરવામાં આવી છે. 

ઈડીની ટીમ પર નેતાના સમર્થકોએ કર્યો હુમલો 

પશ્ચિમ બંગાળ ગઈકાલથી ચર્ચામાં છે. કથિત રાશન કૌભાંડને લઈ ઈડી દ્વારા ટીએમસી નેતાને ત્યાં દરોડા પાડવામાં આવ્યા. ઈડી જ્યારે તપાસ કરી રહી હતી તે દરમિયાન અર્ધ લશ્કરી તેમજ ઈડીની ટીમ પર 200થી 300 જેટલા લોકોએ હુમલો કર્યો અને આ હુમલામાં અધિકારીઓ ઈજાગ્રસ્ત પણ થયા. રાશન વિતરણ કૌભાંડમાં શંકર આધ્યાની ધરપકડ ઈડી દ્વારા મોડી રાત્રે કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે. ટીએમસી નેતાને ત્યાં દરોડા પાડવા માટે ટીમ ગઈ હતી ત્યારે તેમની પર હુમલો કરવામાં આવ્યો હતો, તે બાદ ઈડીની પ્રતિક્રિયા સામે આવી હતી. EDએ શુક્રવારે રાત્રે થયેલા હુમલા અંગે નિવેદન બહાર પાડ્યું હતું. તપાસ એજન્સીએ સોશિયલ પ્લેટફોર્મ પર જણાવ્યું હતું કે ટોળા પાસે લાકડીઓ, પથ્થરો, ઈંટો જેવાં હથિયારો હતાં. હુમલામાં ત્રણ અધિકારીઓને ગંભીર ઈજાઓ પહોંચી છે. હાલ તેમની સારવાર ચાલી રહી છે.   

पश्चिम बंगाल: राशन घोटाले में नगर पालिका के पूर्व अध्यक्ष को ED ने किया गिरफ्तार, टीम पर हमले के बाद कार्रवाई तेज


મોડી રાત્રે નેતાની કરવામાં આવી ધરપકડ    

મહત્વનું છે કે ટીએમસી નેતાની ધરપકડ કરવામાં આવી ગઈ છે .EDએ શનિવારે સવારે પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લામાંથી TMC નેતા અને બોનગાંવ નગરપાલિકાના ભૂતપૂર્વ અધ્યક્ષ શંકર આધ્યાની ધરપકડ કરી હતી. ઈડીના નિશાના પર શંકર આદ્ય અને શાહજહાં શેખ હતા. શાહજહાં શેખના આવાસ પર દરોડા દરમિયાન 100 થી 200 સ્થાનિક લોકોએ ED અધિકારીઓ અને અર્ધલશ્કરી દળોને ઘેરી લીધા હતા. ટોળાએ ઇડી અને સેન્ટ્રલ ફોર્સના વાહનો પર હુમલો કર્યો હતો. 


રાષ્ટ્રપતિ શાસન લાદવા માટે કોંગ્રેસની માગ 

મહત્વનું છે કે ઈડી પર થયેલા હુમલાને કારણે પશ્ચિમ બંગાળનું રાજકારણ ગરમાઈ રહ્યું છે. કોંગ્રેસ દ્વારા માગ કરવામાં આવી કે પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે. કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, 'ED અધિકારીઓ પર હુમલા થઈ રહ્યા છે, રાષ્ટ્રપતિ શાસન લાદવા માટે આ યોગ્ય મામલો છે. પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખરાબ છે. ત્યારે જોવું રહ્યું કે આગામી સમયમાં પશ્ચિમ બંગાળમાં કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.