કેટલી કરુણાથી ભરેલી તસવીર! MPમાં કેમ પોતાની જમીન માટે જમીન પર આળોટવુ પડ્યું જગતના તાતને? જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2024-07-18 16:36:29

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક ભાઈ આળોટી રહ્યા છે.. વીડિયો જોતા લાગશે કે ખેડૂતે કોઈ બાધા રાખી હશે અને તેને પૂરી કરવા માટે આળોટી રહ્યા છે.. જો તમે આવું વિચારતા હોય તો તમે ખોટા છો.. આ વીડિયો મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લાનો છે જ્યાં ખેડૂત કલેક્ટર કચેરીમાં આળોટી રહ્યા છે.. ખેડૂતનું નામ છે શંકરલાલ પાટીદાર. 

કલેક્ટર કચેરીમાં ખેડૂત આળોટ્યા!

આખી ઘટનાની વાત કરીએ તો ખેડૂત શંકરલાલ પાટીદારે પોતાની જમીન પરત મેળવવા માટે કલેક્ટર કચેરીમાં જાહેર સુનાવણીમાં 25 વખત અરજી કરી હતી, પરંતુ સુનાવણી ન થતાં તેમણે કલેક્ટરને ધ્યાન જાય એટલે આ રીતે જમીન પર ઢસડાઈને ગયા ને પછી તેણે ફરીથી કલેક્ટરને અરજી કરી. ખેડૂતનું આ રીતે જવું એ જોઈને એની ચર્ચાએ સમગ્ર કલેક્ટર કચેરીમાં હલચલ મચાવી દીધી હતી. તમે એ વીડિયો જુઓ પછી વાત કરીએ કે કેમ આ ખેડૂતે એવું કરવું પડ્યું!



ખેડૂતે આપી આત્મહત્યા કરવાની ચીમકી 

ખેડૂત શંકરલાલ પાટીદાર કહે છે કે તેમની પાસે સુરખેડામાં લગભગ 1.76 એટલે કે નવ વીઘા જમીન છે. કલેક્ટર કચેરીમાં તૈનાત બાબુ નારાયણ દેશમુખના પુત્ર અશ્વિન દેશમુખે આ જમીન પોતાના નામે કરાવી છે. તેઓ 14 વર્ષથી પોતાની જમીન પરત લેવા માટે લડી રહ્યા છે, પરંતુ કોઈ તેમને સાથ નથી આપી રહ્યું.દેશમુખ દરરોજ ગુંડાઓ અને બદમાશો દ્વારા તેની જમીન પર કબજો કરવા માંગે છે. સાથે જ શંકરલાલે આત્મહત્યાની ચીમકી પણ આપી 



રાજ્ય બદલાય છે પરિસ્થિતિ નથી બદલાતી!

અધિકારીઓનું કહેવું છે કે હાલમાં માફિયાઓએ શંકરલાલની જમીન પર કબજો જમાવ્યો હોય તેવી કોઈ ઘટના સામે આવી નથી. સમગ્ર અરજીની તપાસ કરવામાં આવી રહી છે. આ મામલો જમીન ખરીદી સાથે જોડાયેલો છે. અશ્વિન દેશમુખે 2010માં જમીન ખરીદી હતી. આ સમાચાર એટલા માટે આપના સુધી પહોંચાડવાનો ઉદ્દેશ એટલો જ હતો કે ગુજરાત હોય કે બીજું રાજ્ય હોય ખેડૂતોની સ્થિતી દયનિય જ છે.. તેમની પરેશાની ઓછું થવાનું નામ જ નથી લેતી તેવું લાગે...  



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.