કેટલી કરુણાથી ભરેલી તસવીર! MPમાં કેમ પોતાની જમીન માટે જમીન પર આળોટવુ પડ્યું જગતના તાતને? જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2024-07-18 16:36:29

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક ભાઈ આળોટી રહ્યા છે.. વીડિયો જોતા લાગશે કે ખેડૂતે કોઈ બાધા રાખી હશે અને તેને પૂરી કરવા માટે આળોટી રહ્યા છે.. જો તમે આવું વિચારતા હોય તો તમે ખોટા છો.. આ વીડિયો મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લાનો છે જ્યાં ખેડૂત કલેક્ટર કચેરીમાં આળોટી રહ્યા છે.. ખેડૂતનું નામ છે શંકરલાલ પાટીદાર. 

કલેક્ટર કચેરીમાં ખેડૂત આળોટ્યા!

આખી ઘટનાની વાત કરીએ તો ખેડૂત શંકરલાલ પાટીદારે પોતાની જમીન પરત મેળવવા માટે કલેક્ટર કચેરીમાં જાહેર સુનાવણીમાં 25 વખત અરજી કરી હતી, પરંતુ સુનાવણી ન થતાં તેમણે કલેક્ટરને ધ્યાન જાય એટલે આ રીતે જમીન પર ઢસડાઈને ગયા ને પછી તેણે ફરીથી કલેક્ટરને અરજી કરી. ખેડૂતનું આ રીતે જવું એ જોઈને એની ચર્ચાએ સમગ્ર કલેક્ટર કચેરીમાં હલચલ મચાવી દીધી હતી. તમે એ વીડિયો જુઓ પછી વાત કરીએ કે કેમ આ ખેડૂતે એવું કરવું પડ્યું!



ખેડૂતે આપી આત્મહત્યા કરવાની ચીમકી 

ખેડૂત શંકરલાલ પાટીદાર કહે છે કે તેમની પાસે સુરખેડામાં લગભગ 1.76 એટલે કે નવ વીઘા જમીન છે. કલેક્ટર કચેરીમાં તૈનાત બાબુ નારાયણ દેશમુખના પુત્ર અશ્વિન દેશમુખે આ જમીન પોતાના નામે કરાવી છે. તેઓ 14 વર્ષથી પોતાની જમીન પરત લેવા માટે લડી રહ્યા છે, પરંતુ કોઈ તેમને સાથ નથી આપી રહ્યું.દેશમુખ દરરોજ ગુંડાઓ અને બદમાશો દ્વારા તેની જમીન પર કબજો કરવા માંગે છે. સાથે જ શંકરલાલે આત્મહત્યાની ચીમકી પણ આપી 



રાજ્ય બદલાય છે પરિસ્થિતિ નથી બદલાતી!

અધિકારીઓનું કહેવું છે કે હાલમાં માફિયાઓએ શંકરલાલની જમીન પર કબજો જમાવ્યો હોય તેવી કોઈ ઘટના સામે આવી નથી. સમગ્ર અરજીની તપાસ કરવામાં આવી રહી છે. આ મામલો જમીન ખરીદી સાથે જોડાયેલો છે. અશ્વિન દેશમુખે 2010માં જમીન ખરીદી હતી. આ સમાચાર એટલા માટે આપના સુધી પહોંચાડવાનો ઉદ્દેશ એટલો જ હતો કે ગુજરાત હોય કે બીજું રાજ્ય હોય ખેડૂતોની સ્થિતી દયનિય જ છે.. તેમની પરેશાની ઓછું થવાનું નામ જ નથી લેતી તેવું લાગે...  



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .