Banaskantha Loksabha Seatના ઉમેદવાર Geniben Thakorએ જીતનો આશાવાદ વ્યક્ત કરતા શું કહ્યું? સાંભળો


  • Published By :
  • Published Date : 2024-05-13 12:53:43

ગુજરાતની અનેક એવી લોકસભા બેઠકો હતી જે ચર્ચામાં રહી.. તે પછી રાજકોટ હોય કે પછી બનાસકાંઠા હોય... ભરૂચ હોય કે પછી વલસાડની બેઠક હોય... ઉમેદવારો દ્વારા આપવામાં આવતા નિવેદનને કારણે આ બેઠકોની ચર્ચા થતી.. બનાસકાંઠા લોકસભા બેઠકની ચર્ચા એટલા માટે પણ થતી કારણ કે બંને પાર્ટીએ આ બેઠક પર મહિલાઓને ટિકીટ આપી હતી.. ગેનીબેન ઠાકોર અનેક વખત પોતાના નિવેદનને કારણે ચર્ચામાં રહેતા હોય છે ત્યારે ફરી એક વખત તેમણે નિવેદન આપ્યું છે જેમાં તેમણે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ઠાકોર સમાજના સમૂહ લગ્ન દરમિયાન તેમણે આ નિવેદન આપ્યું હતું.

શું કહ્યું ગેનીબેન ઠાકોરે? 

ગેનીબેન ઠાકોરે આ કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે સમાજે વોટ અને નોટ બંને આપ્યા છે . મારા કરવા કરતા સમાજે મારી માટે ઘણું કર્યું છે. જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા ગેનીબેને કહ્યું હતું કે , સમાજે જે પાઘડી બાંધી તેની લાજ નઈ જવા દઉં. આ સાથે જ ગેનીબેને સમાજનો પોતાના ઉપરનો ઋણ હોવાનો પણ સ્વીકાર કર્યો હતો. તેમણે કહ્યું કે ચૂંટણી દરમ્યાન ૪૦૦ સભાઓ થયી હજી પણ તાકાત અને પાવર છે . આ તાકાત પોતાની નથી પણ સમાજની છે. અને ઠાકોર સમાજને આત્મનિર્ભર બનાવવાની હાંકલ પણ તેમણે કરી હતી.


બનાસકાંઠામાં બંને મહિલા ઉમેદવાર હતા સામ સામે  

મહત્વનું છે કે બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરે માહોલ બનાવ્યો હતો તેવું કહીએ તો અતિશયોક્તિ નથી.. ભારતીય જનતા પાર્ટીએ ડો. રેખાબેન ચૌધરીને ઉમેદવાર બનાવ્યા હતા.. બનાસકાંઠાના ઉમેદવારનો પ્રચાર કરવા માટે બંને પાર્ટીના દિગ્ગજ નેતાઓ આવ્યા હતા. પીએમ મોદીએ બનાસકાંઠામાં જનસભાને સંબોધી હતી તો પ્રિયંકા ગાંધીએ પણ બનાસકાંઠામાં જનસભાને સંબોધી હતી. ત્યારે જોવું રહ્યું ચોથી જૂને કોની જીત થાય છે?    



આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.