Banaskantha Loksabha Seatના ઉમેદવાર Geniben Thakorએ જીતનો આશાવાદ વ્યક્ત કરતા શું કહ્યું? સાંભળો


  • Published By :
  • Published Date : 2024-05-13 12:53:43

ગુજરાતની અનેક એવી લોકસભા બેઠકો હતી જે ચર્ચામાં રહી.. તે પછી રાજકોટ હોય કે પછી બનાસકાંઠા હોય... ભરૂચ હોય કે પછી વલસાડની બેઠક હોય... ઉમેદવારો દ્વારા આપવામાં આવતા નિવેદનને કારણે આ બેઠકોની ચર્ચા થતી.. બનાસકાંઠા લોકસભા બેઠકની ચર્ચા એટલા માટે પણ થતી કારણ કે બંને પાર્ટીએ આ બેઠક પર મહિલાઓને ટિકીટ આપી હતી.. ગેનીબેન ઠાકોર અનેક વખત પોતાના નિવેદનને કારણે ચર્ચામાં રહેતા હોય છે ત્યારે ફરી એક વખત તેમણે નિવેદન આપ્યું છે જેમાં તેમણે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ઠાકોર સમાજના સમૂહ લગ્ન દરમિયાન તેમણે આ નિવેદન આપ્યું હતું.

શું કહ્યું ગેનીબેન ઠાકોરે? 

ગેનીબેન ઠાકોરે આ કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે સમાજે વોટ અને નોટ બંને આપ્યા છે . મારા કરવા કરતા સમાજે મારી માટે ઘણું કર્યું છે. જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા ગેનીબેને કહ્યું હતું કે , સમાજે જે પાઘડી બાંધી તેની લાજ નઈ જવા દઉં. આ સાથે જ ગેનીબેને સમાજનો પોતાના ઉપરનો ઋણ હોવાનો પણ સ્વીકાર કર્યો હતો. તેમણે કહ્યું કે ચૂંટણી દરમ્યાન ૪૦૦ સભાઓ થયી હજી પણ તાકાત અને પાવર છે . આ તાકાત પોતાની નથી પણ સમાજની છે. અને ઠાકોર સમાજને આત્મનિર્ભર બનાવવાની હાંકલ પણ તેમણે કરી હતી.


બનાસકાંઠામાં બંને મહિલા ઉમેદવાર હતા સામ સામે  

મહત્વનું છે કે બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરે માહોલ બનાવ્યો હતો તેવું કહીએ તો અતિશયોક્તિ નથી.. ભારતીય જનતા પાર્ટીએ ડો. રેખાબેન ચૌધરીને ઉમેદવાર બનાવ્યા હતા.. બનાસકાંઠાના ઉમેદવારનો પ્રચાર કરવા માટે બંને પાર્ટીના દિગ્ગજ નેતાઓ આવ્યા હતા. પીએમ મોદીએ બનાસકાંઠામાં જનસભાને સંબોધી હતી તો પ્રિયંકા ગાંધીએ પણ બનાસકાંઠામાં જનસભાને સંબોધી હતી. ત્યારે જોવું રહ્યું ચોથી જૂને કોની જીત થાય છે?    



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.