Banaskantha Loksabha Seatના ઉમેદવાર Geniben Thakorએ જીતનો આશાવાદ વ્યક્ત કરતા શું કહ્યું? સાંભળો


  • Published By :
  • Published Date : 2024-05-13 12:53:43

ગુજરાતની અનેક એવી લોકસભા બેઠકો હતી જે ચર્ચામાં રહી.. તે પછી રાજકોટ હોય કે પછી બનાસકાંઠા હોય... ભરૂચ હોય કે પછી વલસાડની બેઠક હોય... ઉમેદવારો દ્વારા આપવામાં આવતા નિવેદનને કારણે આ બેઠકોની ચર્ચા થતી.. બનાસકાંઠા લોકસભા બેઠકની ચર્ચા એટલા માટે પણ થતી કારણ કે બંને પાર્ટીએ આ બેઠક પર મહિલાઓને ટિકીટ આપી હતી.. ગેનીબેન ઠાકોર અનેક વખત પોતાના નિવેદનને કારણે ચર્ચામાં રહેતા હોય છે ત્યારે ફરી એક વખત તેમણે નિવેદન આપ્યું છે જેમાં તેમણે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ઠાકોર સમાજના સમૂહ લગ્ન દરમિયાન તેમણે આ નિવેદન આપ્યું હતું.

શું કહ્યું ગેનીબેન ઠાકોરે? 

ગેનીબેન ઠાકોરે આ કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે સમાજે વોટ અને નોટ બંને આપ્યા છે . મારા કરવા કરતા સમાજે મારી માટે ઘણું કર્યું છે. જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા ગેનીબેને કહ્યું હતું કે , સમાજે જે પાઘડી બાંધી તેની લાજ નઈ જવા દઉં. આ સાથે જ ગેનીબેને સમાજનો પોતાના ઉપરનો ઋણ હોવાનો પણ સ્વીકાર કર્યો હતો. તેમણે કહ્યું કે ચૂંટણી દરમ્યાન ૪૦૦ સભાઓ થયી હજી પણ તાકાત અને પાવર છે . આ તાકાત પોતાની નથી પણ સમાજની છે. અને ઠાકોર સમાજને આત્મનિર્ભર બનાવવાની હાંકલ પણ તેમણે કરી હતી.


બનાસકાંઠામાં બંને મહિલા ઉમેદવાર હતા સામ સામે  

મહત્વનું છે કે બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરે માહોલ બનાવ્યો હતો તેવું કહીએ તો અતિશયોક્તિ નથી.. ભારતીય જનતા પાર્ટીએ ડો. રેખાબેન ચૌધરીને ઉમેદવાર બનાવ્યા હતા.. બનાસકાંઠાના ઉમેદવારનો પ્રચાર કરવા માટે બંને પાર્ટીના દિગ્ગજ નેતાઓ આવ્યા હતા. પીએમ મોદીએ બનાસકાંઠામાં જનસભાને સંબોધી હતી તો પ્રિયંકા ગાંધીએ પણ બનાસકાંઠામાં જનસભાને સંબોધી હતી. ત્યારે જોવું રહ્યું ચોથી જૂને કોની જીત થાય છે?    



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .