સ્ત્રી-પુરૂષના શારિરીક સંબંધો અંગે બિહારના CM નિતીશ કુમાર આ શું બોલ્યા?, Video વાયરલ


  • Published By :
  • Published Date : 2023-11-08 17:43:02

બિહારના CM નિતીશ કુમારે રાજ્યના શિયાળું સત્રના બીજા દિવસે આર્થિક સામાજીક સર્વેનો રિપોર્ટ રજુ કરવામાં આવ્યો હતો. પ્રદેશમાં 75 ટકા અનામત અમલી કરવાનો પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન રાજ્યમાં વસ્તી વૃધ્ધીની ચર્ચા થઈ હતી, સીએમ નિતીશ કુમારે વસ્તી વૃધ્ધીને રોકવા માટે મહિલાઓના શિક્ષણ પર ભાર મુક્યો હતો. તેમણે કહ્યું કે જો મહિલાઓ શિક્ષિત હશે તો ચોક્કસપણે જન્મદરમાં ઘટાડો આવશે જો કે તેમણે સ્રી-પુરૂષના શારિરીક સંબંધો અંગે જે બફાટ કર્યો તે સમગ્ર રાજ્ય અને દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે.  


નિતીશ કુમારે શું બફાટ કર્યો? 


સીએમ નીતીશ કુમાર સમજાવવા માંગતા હતા કે જો છોકરીઓ શિક્ષિત થશે તો વસ્તી આપોઆપ ઘટશે. પરંતુ આ માટે તેઓએ સમગ્ર સેક્સ્યુઅલ એક્ટિવિટી સમજાવવાનું શરૂ કર્યું. તેમણે કહેવાનું શરૂ કર્યું કે પહેલા મહિલાઓ સરળતાથી ગર્ભવતી થઈ જતી હતી, જ્યારે હવે મહિલાઓ શિક્ષિત છે, તેઓ સેક્સ્યુઅલ એક્ટિવિટીમાં અલગ રીતે વર્તે છે. નીતીશ કુમારે આ સમગ્ર પ્રક્રિયાને જે સરળતા સાથે વર્ણવી છે તે લેખિતમાં વર્ણવી યોગ્ય નથી. નીતીશ કુમારે કહ્યું હતું કે જ્યારે તેમણે સત્તા સંભાળી ત્યારે વસ્તી વૃદ્ધિ દર 4.3 ટકા હતો પરંતુ કન્યા શિક્ષણમાં સુધારાને કારણે તે ઘટીને 2.9 ટકા થઈ ગયો છે. જ્યારે નીતીશ કુમાર તેમના અભિવ્યક્તિઓ સાથે આ બધું કહી રહ્યા હતા, ત્યારે તેમના મંત્રીમંડળના સાથીદારો પણ દંગ રહી ગયા હતા. કેટલાકે એકબીજા સામે જોઈને હસતા-હસતા મોંઢું છુપાવી રહ્યા હતા. 



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.