જૂનાગઢમાં ઈમારત પડી, સંતાન અને પતિ ગુમાવ્યા પછી પોતે પણ ના જીવી શકેલી મહિલાના પરિવારે દેવાંશી જોષીને શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-07-28 15:13:49

જૂનાગઢ શહેરને ઐતિહાસિક તેમજ દિવ્ય શહેર માનવામાં આવે છે. પરંતુ જૂનાગઢ શહેરમાં અનેક એવી ઈમારતો છે જે જર્જરિત હાલતમાં જોવા મળે છે. થોડા દિવસો પહેલા જૂનાગઢમાં એક ઈમારત ધરાશાયી થઈ હતી જેમાં ચાર લોકોના મૃત્યુ થયા હતા. ચાર વ્યક્તિઓમાંથી એક વ્યક્તિ એ હતો જે 130 રુપિયા માટે ચાની દુકાનમાં કામ કરતા હતા. પાપી પેટ માટે તેઓ પોતાના જીવને જોખમમાં મૂકી ચાની દુકાન પર કામ કરી રહ્યા હતા. એ મકાનમાં બીજા ત્રણ લોકો જે મૃત્યુ પામ્યા તે એક જ પરિવારના હતા. પત્ની બહાર કામથી ગઈ હતી પરંતુ જ્યારે તે ઘરે પરત આવી ત્યારે તેમની નજરોની સામે તેમનો હસતો ખેલતો પરિવાર વિખેરાઈ ગયો. એ મહિલા જ્યારે ઘરની બહાર નીકળી ત્યારે તેણે કલ્પના નહીં કરી હોય કે તે પોતાના 6 વર્ષના બાળકને, 13 વર્ષના સંતાનને, પોતાના પતિને ક્યારેય નહીં મળી શકે.



પત્નીની સામે વિખેરાયો હસતો ખેલતો પરિવાર 

કહેવાય છે કે જન્મ અને મૃત્યુ આપણાં હાથમાં નથી હોતું. વાત પણ સાચી છે કે આપણને નથી ખબર હોતી કે આપણી કઈ ક્ષણ અંતિમ ક્ષણ હશે. કઈ ક્ષણે આપણામાંથી પ્રાણ પંખેરૂ ઉડી જશે તેની જાણ નથી હોતી. ત્યારે થોડા દિવસ પહેલા જુનાગઢમાં જે ઈમારત ધરાશાયી થઈ તે દુર્ઘટનામાં એક આખે આખો પરિવારનો માળો વિખેરાઈ ગયો. આ દુર્ઘટનામાં માતાની નજરની સામે બે સંતાનોના તેમજ તેના પતિ મૃત્યુ પામ્યા. એ આઘાત મયૂરી બેન સહન ન કરી શક્યા. આઘાતમાં આવેલા મયૂરીબેને પણ આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવી દીધું. માતાને છેતરીને તેઓ બાથરૂમમાં ગયા અને ત્યાં ઝેરી દવા ઘટઘટાઈ ગયા. બહાર આવીને તેમણે પોતાની મમ્મીને કહ્યું. 


માતાનો કલ્પાંત તમેને હચમચાવી દેશે  

આ પરિવારને મળવા જ્યારે દેવાંશી જોષી ગયા ત્યારે મયુરીની માતા વલોપાત કરતા હતા, તેમનો આક્રંદ તેમની ભાષામાં છલકાતો હતો. રડતાં રડતાં તેઓ કહેતા હતા કે જેવું તેમની સાથે થયું તેવું કોઈ બીજા સાથે ન થાય. ફરિયાદોમાં એક માનું દર્દ બહાર છલકાઈ આવ્યું હતું કે આવો જોવાનો વારો કોઈ પરિવારને જોવો ન પડે. જે પરિસ્થિતિથી તે પસાર થઈ રહ્યા છે તે સહન કરવાનો વારો કોઈ બીજા પરિવારનો ન આવે. જ્યારે તેમના પરિવારના સભ્યો સાથે વાત કરી ત્યારે તેમની એક જ ફરિયાદ હતી કે આવી દુર્ઘટનાઓ કોઈ બીજા સાથે પણ બની શકે છે. જર્જરિત મકાન હોવાને કારણે ઘર પડી જવાનો ડર રહેતો હોય છે. 


દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ? 

તંત્રને ખબર હોવા છતાંય પણ કોઈ બોર્ડ લગાવવામાં આવ્યા ન હતા. જર્જરિત બિલ્ડીંગ નીચેથી અનેક રિક્ષાઓ બાળકોને લઈ પસાર થતી હોય છે. દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ? આ દુર્ઘટના સર્જાઈ છે પરંતુ તે બાદ આવી દુર્ઘટના નહીં સર્જાય તે વાતની કોઈ ગેરંટી લેશે? અનેક જર્જરિત મકાનો હોવા છતાં પણ મકાનો નીચે ઉતારવાની કામગીરી નથી કરી. કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ? 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.