વડાપ્રધાનએ જુનાગઢમાં શું જાહેરાત કરી ???


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-19 19:03:47


વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે ત્યારે તેઓ જુનાગઢમાં આજે સભા સંબોધી હતી અહી તેમણે મહત્વપૂર્ણ મુદ્દે ચર્ચા કરી તેમણે એન્જિનિયરિંગ અને ડોક્ટરીનો વ્યવસાયોનો અભ્યાસ સ્થાનિક ભાષામાં થઇ શકશે તેવી બાંહેધરી આપી હતી. તેમણે જણાવ્યું કે, હવે ગરીબનો દિકરો પણ ડોક્ટર અને એન્જિનિયર બનશે.


ગુજરાતનું આખા વર્ષનું બજેટ હતું તેટલા હજાર કરોડ રૂપિયાનાં વિકાસકાર્યોનું લોકાર્પણ શિલાન્યાસ હું આજના એક જ દિવસમાં કરી રહ્યો છું. આ તમારા બધાનો પ્રેમ જ છે કે દેશ આટલો વિકસી રહ્યો છે. રોજગાર અને સ્વરોજગારના અનેક અવસરો લઇને યોજના આવી છે. વિકાસની વણઝાર માટે પ્રકલ્પો માટે આપ સૌને દિવાળીની ભેટ રૂપે આ અવસર ઉજવવા માટે અનેક અનેક અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું. ભાઇઓ બહેનો આજે મારી છાતી ગજગજ ફુલે છે તેનું કારણ આપના આશિર્વાદ છે. મને આનંદ છે કે, ગુજરાત છોડ્યા પછી અમારી ટીમે જે પ્રકારે ગુજરાત સંભાળ્યું ભુપેન્દ્રભાઇ અને ટીમ જે પ્રકારે ગુજરાતને તેજ ગતિથી વિકાસ કરી રહી છે તેનાથી વધારે આનંદ બીજો કયો હોય. ગુજરાતનો વિકાસ દરેક ક્ષેત્રમાં ખુબ જ તેજ ગતિથી ચાલી રહ્યો છે પરંતુ ભાઇઓ બહેનો જુના દિવસો યાદ કરીએ તો આપણે કેવા દિવસો કાઢ્યા છે.



PMએ શું કહ્યું જુનાગઢના વિકાસ પર !!!


આપણા ભારત પાસે આટલો વિશાળ સમુદ્ર કિનારો અને ગુજરાત પાસે સૌથી મોટો હિસ્સો પરંતુ ભુતકાળમાં આપણને આ દરિયો બોજ લાગતોહ તો. આ ખારોપાટ ઝેર જેવી લાગતી હતી. સમય જુઓ ભાઇઓ જે દરિયો આપણને મુસીબત દેખાતી હતી તે દરિયો આજે આપણને મહેનતના ફળ આપવા લાગ્યો છે. કચ્છનું રણ અને ધુળની ડમરીઓ આપણને મુશ્કેલી પેદા કરતી હતીતે કચ્છ આજે વિશ્વ ફલક પર ડંકો વગાડી રહ્યું છે. પ્રાકૃતિક વિપરિત પરિસ્થિતિઓ સામે પણ ગુજરાતીઓએ ઝીંક ઝીલી અને પ્રગતીની નવી ઉંચાઇ પાર કરી. 25 વર્ષ પહેલા જ્યારે અમે સ્થિતિ બદલવા સંકલ્પ કર્યો અને પળ પળ ખર્ચી નાખી અને આજે 20-25 વર્ષના યુવાનો છે જેમને ખબર સુધા ન પડે અને કલ્પના પણ ન કરી શકે કે જુના દિવસો કેવા હતા એવા સારા દિવસો લાવવાની કોશીશ કરી છે. અમે અમારા માછીમારો માટે ગુજરાતમા સાગર ખેડૂ યોજના શરૂ કરી અને આ યોજના અંતર્ગત માછીમારોની સુવિધા સુરક્ષા ને વેપાર માટે તમામ જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખડુ કરી દીધું. પરિણામે 20 વર્ષમાં કોઇ પણ ગુજરાતીને ગર્વ થાય ભાઇઓ કે માછલીનું એક્સપોર્ટ દુનિયામાં 7 ગણુ વધી ગયું. જ્યારે આપણા માછલી આટલી એક્સપોર્ટ થતી હોય પછી પુછવું જ શું. જાપાનનું એક ડેલિગેશન આવેલું હું ગુજરાતના વિકાસનો વીડિયો તેમને દેખાડતો હતો. તે લોકો પણ મન દઇને સમજવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ત્યારે અચાનક એક જાપાની વ્યક્તિએ કીધું કે સર પ્લીઝ આ બંધ કરો. મને કંઇ સમજાણુ નહી તો કે ઓલી સુરમી ફીશ દેખાડી તેના કારણે મારા મોઢામાં પાણી છુટી રહ્યું છે. આ માછલીનું નામે જાપાનીઓનાં મોઢામાંથી પાણી છુટી જતા હોય તે માછલી ગુજરાત પાસે ભરપુર છે. હાલ એક્સપોર્ટ પણ ખુબ જ મોટા પ્રમાણમાં થઇ રહી છે. સુરમી પેસ્ટ માત્ર ગુજરાતની જ જાપાની લોકો ખાય છે. વલસાડમાં હવે તે સી ફુડ પાર્ક બન્યું છે અને તેમાંથી પણ એક્સપોર્ટ થઇ રહ્યું છે. ફિશરીઝ સેક્ટરમાં આપણે નવી નવી સિદ્ધિઓ સર કરી રહ્યા છીએ. ગત્ત 8 વર્ષમાં ડબલ એન્જિન સરકારનો ડબલ લાભ ગુજરાતીઓ અને ગુજરાતના સમુદ્રીકિનારે મળ્યો છે. માછલી અને સી ફુડનો વ્યાપાર વધ્યો છે. પહેલા આપણે ત્યાં ચેનલનું જે ઉંડાણ જોઇએ તે નહોતું. માછલી પકડીને લાવે પણ તે માછલી કિનારે લાવવી હોય ત્યારે મોમાં ફીણ આવી જતા. હવે સરકાર ફિશિંગ હાર્બર બનાવી રહ્યા છીએ. જુના હતા તેને પણ અપગ્રેડ કરવામાં આવ્યા. ડબલ એન્જિન સરકાર બાદ આ કામમાં તેજી આવી છે. ત્રણ ફિશિંગ હાર્બર વિકસિત કરવાનો શિલાન્યાસ થઇ રહ્યો છે. આપણા પટ્ટા પર કેવી તેજી આવવાની છે. ફિશ હાર્બરથી માછલીનું ટ્રાન્સપોર્ટ ખુબ જ સરળ બનશે. એક્સપોર્ટ પણ ખુબ જ ઝડપથી થશે. હવે આપણે ડ્રોન પોલિસિ લાવ્યા છીએ. ડ્રોન 20-50 કિલો માલ ઉઠાવીને લઇ જાય છે. જ્યાં દરિયો નથી આ ડ્રોનથી માછલી પહોંચાડવાની તૈયારીઓ ચાલી રહી છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.