વડાપ્રધાનએ જુનાગઢમાં શું જાહેરાત કરી ???


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-19 19:03:47


વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે ત્યારે તેઓ જુનાગઢમાં આજે સભા સંબોધી હતી અહી તેમણે મહત્વપૂર્ણ મુદ્દે ચર્ચા કરી તેમણે એન્જિનિયરિંગ અને ડોક્ટરીનો વ્યવસાયોનો અભ્યાસ સ્થાનિક ભાષામાં થઇ શકશે તેવી બાંહેધરી આપી હતી. તેમણે જણાવ્યું કે, હવે ગરીબનો દિકરો પણ ડોક્ટર અને એન્જિનિયર બનશે.


ગુજરાતનું આખા વર્ષનું બજેટ હતું તેટલા હજાર કરોડ રૂપિયાનાં વિકાસકાર્યોનું લોકાર્પણ શિલાન્યાસ હું આજના એક જ દિવસમાં કરી રહ્યો છું. આ તમારા બધાનો પ્રેમ જ છે કે દેશ આટલો વિકસી રહ્યો છે. રોજગાર અને સ્વરોજગારના અનેક અવસરો લઇને યોજના આવી છે. વિકાસની વણઝાર માટે પ્રકલ્પો માટે આપ સૌને દિવાળીની ભેટ રૂપે આ અવસર ઉજવવા માટે અનેક અનેક અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું. ભાઇઓ બહેનો આજે મારી છાતી ગજગજ ફુલે છે તેનું કારણ આપના આશિર્વાદ છે. મને આનંદ છે કે, ગુજરાત છોડ્યા પછી અમારી ટીમે જે પ્રકારે ગુજરાત સંભાળ્યું ભુપેન્દ્રભાઇ અને ટીમ જે પ્રકારે ગુજરાતને તેજ ગતિથી વિકાસ કરી રહી છે તેનાથી વધારે આનંદ બીજો કયો હોય. ગુજરાતનો વિકાસ દરેક ક્ષેત્રમાં ખુબ જ તેજ ગતિથી ચાલી રહ્યો છે પરંતુ ભાઇઓ બહેનો જુના દિવસો યાદ કરીએ તો આપણે કેવા દિવસો કાઢ્યા છે.



PMએ શું કહ્યું જુનાગઢના વિકાસ પર !!!


આપણા ભારત પાસે આટલો વિશાળ સમુદ્ર કિનારો અને ગુજરાત પાસે સૌથી મોટો હિસ્સો પરંતુ ભુતકાળમાં આપણને આ દરિયો બોજ લાગતોહ તો. આ ખારોપાટ ઝેર જેવી લાગતી હતી. સમય જુઓ ભાઇઓ જે દરિયો આપણને મુસીબત દેખાતી હતી તે દરિયો આજે આપણને મહેનતના ફળ આપવા લાગ્યો છે. કચ્છનું રણ અને ધુળની ડમરીઓ આપણને મુશ્કેલી પેદા કરતી હતીતે કચ્છ આજે વિશ્વ ફલક પર ડંકો વગાડી રહ્યું છે. પ્રાકૃતિક વિપરિત પરિસ્થિતિઓ સામે પણ ગુજરાતીઓએ ઝીંક ઝીલી અને પ્રગતીની નવી ઉંચાઇ પાર કરી. 25 વર્ષ પહેલા જ્યારે અમે સ્થિતિ બદલવા સંકલ્પ કર્યો અને પળ પળ ખર્ચી નાખી અને આજે 20-25 વર્ષના યુવાનો છે જેમને ખબર સુધા ન પડે અને કલ્પના પણ ન કરી શકે કે જુના દિવસો કેવા હતા એવા સારા દિવસો લાવવાની કોશીશ કરી છે. અમે અમારા માછીમારો માટે ગુજરાતમા સાગર ખેડૂ યોજના શરૂ કરી અને આ યોજના અંતર્ગત માછીમારોની સુવિધા સુરક્ષા ને વેપાર માટે તમામ જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખડુ કરી દીધું. પરિણામે 20 વર્ષમાં કોઇ પણ ગુજરાતીને ગર્વ થાય ભાઇઓ કે માછલીનું એક્સપોર્ટ દુનિયામાં 7 ગણુ વધી ગયું. જ્યારે આપણા માછલી આટલી એક્સપોર્ટ થતી હોય પછી પુછવું જ શું. જાપાનનું એક ડેલિગેશન આવેલું હું ગુજરાતના વિકાસનો વીડિયો તેમને દેખાડતો હતો. તે લોકો પણ મન દઇને સમજવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ત્યારે અચાનક એક જાપાની વ્યક્તિએ કીધું કે સર પ્લીઝ આ બંધ કરો. મને કંઇ સમજાણુ નહી તો કે ઓલી સુરમી ફીશ દેખાડી તેના કારણે મારા મોઢામાં પાણી છુટી રહ્યું છે. આ માછલીનું નામે જાપાનીઓનાં મોઢામાંથી પાણી છુટી જતા હોય તે માછલી ગુજરાત પાસે ભરપુર છે. હાલ એક્સપોર્ટ પણ ખુબ જ મોટા પ્રમાણમાં થઇ રહી છે. સુરમી પેસ્ટ માત્ર ગુજરાતની જ જાપાની લોકો ખાય છે. વલસાડમાં હવે તે સી ફુડ પાર્ક બન્યું છે અને તેમાંથી પણ એક્સપોર્ટ થઇ રહ્યું છે. ફિશરીઝ સેક્ટરમાં આપણે નવી નવી સિદ્ધિઓ સર કરી રહ્યા છીએ. ગત્ત 8 વર્ષમાં ડબલ એન્જિન સરકારનો ડબલ લાભ ગુજરાતીઓ અને ગુજરાતના સમુદ્રીકિનારે મળ્યો છે. માછલી અને સી ફુડનો વ્યાપાર વધ્યો છે. પહેલા આપણે ત્યાં ચેનલનું જે ઉંડાણ જોઇએ તે નહોતું. માછલી પકડીને લાવે પણ તે માછલી કિનારે લાવવી હોય ત્યારે મોમાં ફીણ આવી જતા. હવે સરકાર ફિશિંગ હાર્બર બનાવી રહ્યા છીએ. જુના હતા તેને પણ અપગ્રેડ કરવામાં આવ્યા. ડબલ એન્જિન સરકાર બાદ આ કામમાં તેજી આવી છે. ત્રણ ફિશિંગ હાર્બર વિકસિત કરવાનો શિલાન્યાસ થઇ રહ્યો છે. આપણા પટ્ટા પર કેવી તેજી આવવાની છે. ફિશ હાર્બરથી માછલીનું ટ્રાન્સપોર્ટ ખુબ જ સરળ બનશે. એક્સપોર્ટ પણ ખુબ જ ઝડપથી થશે. હવે આપણે ડ્રોન પોલિસિ લાવ્યા છીએ. ડ્રોન 20-50 કિલો માલ ઉઠાવીને લઇ જાય છે. જ્યાં દરિયો નથી આ ડ્રોનથી માછલી પહોંચાડવાની તૈયારીઓ ચાલી રહી છે.



દેશને આ વખતના પહેલા સાંસદ મળી ગયા છે અને એ પણ બિનહરીફ સાંસદ... સુરતમાં જે આખો ઘટનાક્રમ થયો તે તો આપણે જાણીએ છીએ.. આ વખતની ચૂંટણીમાં જાણે કોંગ્રેસને રસ જ નથી તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી...

થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીના પૂર્વ નેતાઓ ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથીરિયાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. એવી ચર્ચાઓ થવા લાગી હતી કે તેઓ ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે. ત્યારે એવા સમાચાર સામે આવ્યા કે તેઓ થોડા સમયની અંદર કેસરિયો ધારણ કરી શકે છે...

નશો કરવાની આદત અનેક લોકોને હોય છે. ખબર હોય છે કે નશો કરવાથી તેમની જીંદગી ટૂંકી જાય છે તો પણ અનેક લોકો નશો કરતા હોય છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે નશો ના કરવો જોઈએ તેને સમર્પિત એક રચના..

ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓ વાણી વિલાસ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે એક વિવાદ શાંત નથી થયો ત્યારે ભાજપના વધુ એક નેતા દ્વારા બફાટ કરવામાં આવ્યો છે. ભૂપત ભાયાણીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.