શું લાગે છે શિયાળો આવી ગયો ? , રાજ્યમાં કેવું તાપમાન રહશે ?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-14 13:48:28

અમદાવાદ સહિત રાજ્ય ભરમાં છેલ્લા બે દિવસથી ધીરે ધીરે ઠંડી પ્રસરી રહી છે થોડા ઠંડા પવનોનું જોર વધ્યું છે. જેના કારણે મોટાભાગના શહેરોમાં લઘુતમ તાપમાન 1થી 3 ડિગ્રી ઘટ્યું છે એટલે ઠંડકમાં સામાન્ય વધારો થયો છે.ગુરુવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 35.1 ડિગ્રી અને લઘુતમ તાપમાન 2.8 ડિગ્રી ગગડીને 22.4 ડિગ્રી નોંધાયું હતું.  

દિવસ દરમિયાન ઠંડકની અનુભૂતિ થાય છે. આમ તો ઘરમાં ઠંડક અને બહાર ગરમી હોય છે.ઠંડા પવનની અસરથી અમદાવાદ સહિત છ શહેરોમાં લઘુતમ તાપમાન 23 ડિગ્રીથી નીચે નોંધાતા ઠંડીમાં સામાન્ય વધારો થયો હતો. નલિયામાં સૌથી વધુ 21 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.


હવામાન વિભાગની આગાહી !!


હવામાન વિભાગે સતાવાર જાહેરાત કરી દીધી છે કે હવે રાજ્યમાં ચોમાસાની વિદાઇ થઈ ચૂકી છે. અને હવે રાજ્ય ભરમાં ઠંડીની શરૂવાત થઈ ચૂકી છે. ધીરે ધીરે દિવાળી સુધી તો રાજ્યમાં શિયાળો બેસી જશે. અને આ ચોમાસાની સિઝનમાં, રાજ્યમાં સરેરાશ કુલ 811 મીમી (96.65 ટકા) વરસાદ નોંધાયો હતો. જો કે, પાછલા ત્રણ વર્ષની સરખામણી કરીએ તો, તે વર્ષના આ સમય દરમિયાન નોંધાયેલો સૌથી ઓછો છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.