શું લાગે છે શિયાળો આવી ગયો ? , રાજ્યમાં કેવું તાપમાન રહશે ?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-14 13:48:28

અમદાવાદ સહિત રાજ્ય ભરમાં છેલ્લા બે દિવસથી ધીરે ધીરે ઠંડી પ્રસરી રહી છે થોડા ઠંડા પવનોનું જોર વધ્યું છે. જેના કારણે મોટાભાગના શહેરોમાં લઘુતમ તાપમાન 1થી 3 ડિગ્રી ઘટ્યું છે એટલે ઠંડકમાં સામાન્ય વધારો થયો છે.ગુરુવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 35.1 ડિગ્રી અને લઘુતમ તાપમાન 2.8 ડિગ્રી ગગડીને 22.4 ડિગ્રી નોંધાયું હતું.  

દિવસ દરમિયાન ઠંડકની અનુભૂતિ થાય છે. આમ તો ઘરમાં ઠંડક અને બહાર ગરમી હોય છે.ઠંડા પવનની અસરથી અમદાવાદ સહિત છ શહેરોમાં લઘુતમ તાપમાન 23 ડિગ્રીથી નીચે નોંધાતા ઠંડીમાં સામાન્ય વધારો થયો હતો. નલિયામાં સૌથી વધુ 21 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.


હવામાન વિભાગની આગાહી !!


હવામાન વિભાગે સતાવાર જાહેરાત કરી દીધી છે કે હવે રાજ્યમાં ચોમાસાની વિદાઇ થઈ ચૂકી છે. અને હવે રાજ્ય ભરમાં ઠંડીની શરૂવાત થઈ ચૂકી છે. ધીરે ધીરે દિવાળી સુધી તો રાજ્યમાં શિયાળો બેસી જશે. અને આ ચોમાસાની સિઝનમાં, રાજ્યમાં સરેરાશ કુલ 811 મીમી (96.65 ટકા) વરસાદ નોંધાયો હતો. જો કે, પાછલા ત્રણ વર્ષની સરખામણી કરીએ તો, તે વર્ષના આ સમય દરમિયાન નોંધાયેલો સૌથી ઓછો છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે