શું લાગે છે શિયાળો આવી ગયો ? , રાજ્યમાં કેવું તાપમાન રહશે ?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-14 13:48:28

અમદાવાદ સહિત રાજ્ય ભરમાં છેલ્લા બે દિવસથી ધીરે ધીરે ઠંડી પ્રસરી રહી છે થોડા ઠંડા પવનોનું જોર વધ્યું છે. જેના કારણે મોટાભાગના શહેરોમાં લઘુતમ તાપમાન 1થી 3 ડિગ્રી ઘટ્યું છે એટલે ઠંડકમાં સામાન્ય વધારો થયો છે.ગુરુવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 35.1 ડિગ્રી અને લઘુતમ તાપમાન 2.8 ડિગ્રી ગગડીને 22.4 ડિગ્રી નોંધાયું હતું.  

દિવસ દરમિયાન ઠંડકની અનુભૂતિ થાય છે. આમ તો ઘરમાં ઠંડક અને બહાર ગરમી હોય છે.ઠંડા પવનની અસરથી અમદાવાદ સહિત છ શહેરોમાં લઘુતમ તાપમાન 23 ડિગ્રીથી નીચે નોંધાતા ઠંડીમાં સામાન્ય વધારો થયો હતો. નલિયામાં સૌથી વધુ 21 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.


હવામાન વિભાગની આગાહી !!


હવામાન વિભાગે સતાવાર જાહેરાત કરી દીધી છે કે હવે રાજ્યમાં ચોમાસાની વિદાઇ થઈ ચૂકી છે. અને હવે રાજ્ય ભરમાં ઠંડીની શરૂવાત થઈ ચૂકી છે. ધીરે ધીરે દિવાળી સુધી તો રાજ્યમાં શિયાળો બેસી જશે. અને આ ચોમાસાની સિઝનમાં, રાજ્યમાં સરેરાશ કુલ 811 મીમી (96.65 ટકા) વરસાદ નોંધાયો હતો. જો કે, પાછલા ત્રણ વર્ષની સરખામણી કરીએ તો, તે વર્ષના આ સમય દરમિયાન નોંધાયેલો સૌથી ઓછો છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.