શું લાગે છે શિયાળો આવી ગયો ? , રાજ્યમાં કેવું તાપમાન રહશે ?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-14 13:48:28

અમદાવાદ સહિત રાજ્ય ભરમાં છેલ્લા બે દિવસથી ધીરે ધીરે ઠંડી પ્રસરી રહી છે થોડા ઠંડા પવનોનું જોર વધ્યું છે. જેના કારણે મોટાભાગના શહેરોમાં લઘુતમ તાપમાન 1થી 3 ડિગ્રી ઘટ્યું છે એટલે ઠંડકમાં સામાન્ય વધારો થયો છે.ગુરુવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 35.1 ડિગ્રી અને લઘુતમ તાપમાન 2.8 ડિગ્રી ગગડીને 22.4 ડિગ્રી નોંધાયું હતું.  

દિવસ દરમિયાન ઠંડકની અનુભૂતિ થાય છે. આમ તો ઘરમાં ઠંડક અને બહાર ગરમી હોય છે.ઠંડા પવનની અસરથી અમદાવાદ સહિત છ શહેરોમાં લઘુતમ તાપમાન 23 ડિગ્રીથી નીચે નોંધાતા ઠંડીમાં સામાન્ય વધારો થયો હતો. નલિયામાં સૌથી વધુ 21 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.


હવામાન વિભાગની આગાહી !!


હવામાન વિભાગે સતાવાર જાહેરાત કરી દીધી છે કે હવે રાજ્યમાં ચોમાસાની વિદાઇ થઈ ચૂકી છે. અને હવે રાજ્ય ભરમાં ઠંડીની શરૂવાત થઈ ચૂકી છે. ધીરે ધીરે દિવાળી સુધી તો રાજ્યમાં શિયાળો બેસી જશે. અને આ ચોમાસાની સિઝનમાં, રાજ્યમાં સરેરાશ કુલ 811 મીમી (96.65 ટકા) વરસાદ નોંધાયો હતો. જો કે, પાછલા ત્રણ વર્ષની સરખામણી કરીએ તો, તે વર્ષના આ સમય દરમિયાન નોંધાયેલો સૌથી ઓછો છે.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .