શું કહે છે Aaj Tak-Axis My Indiaનો Exit Poll? INDIA - NDAને કેટલી મળી શકે છે સિટો? જાણો રાજ્ય વાઈઝ...


  • Published By :
  • Published Date : 2024-06-01 21:33:27

ચોથી તારીખે લોકસભા બેઠકની ચૂંટણી માટેનું પરિણામ આવવાનું છે.. ચૂંટણીનું પરિણામ આવે તે પહેલા એક્ઝિટ પોલના આંકડા સામે આવતા હોય છે.. એક્ઝિટ પોલ અલગ અલગ સંસ્થાઓ દ્વારા આપવામાં આવતા હોય છે.. એબીપી સી વોટરના આંકડાની વાત કરી ત્યારે હવે Aaj Tak-Axis My Indiaના એક્ઝિટ પોલની વાત કરીએ... રાજ્યવાઈઝની વાત કરીએ તો ઉત્તરાખંડની પાંચ સીટોમાંથી એનડીએને 5 સીટો મળી રહી છે.. જ્યારે હિમાચલ પ્રદેશની ચાર બેઠકોમાંથી એનડીએને ચાર સીટો મળી રહી છે.


કયા રાજ્યમાં કોને મળી શકે છે બેઠક? 

અનેક રાજ્યો માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ગઠબંધન કર્યું છે પરંતુ અનેક રાજ્યો એવા છે કે જ્યાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ અલગ અલગ ચૂંટણી લડી હતી. ત્યારે પંજાબની વાત કરીએ તો બીજેપીને 2-4 સીટો મળી શકે છે જ્યારે આમ આદમી પાર્ટીને 0-2 સીટો મળી શકે છે જ્યારે કોંગ્રેસને 07-09 સીટો મળી શકે છે... અન્યને 02-04 સીટો મળી શકે છે..પંજાબની 13 લોકસભા બેઠકો છે.. હરિયાણાની 10 બેઠકોમાંથી એનડીએને 6-8 સીટો મળી શકે છે જ્યારે ઈન્ડિયા ગઠબંધનને 02-04 સીટો મળવાની સંભાવના છે.. 



દિલ્હીમાં આમ તો આમ આદમી પાર્ટીની સરકાર છે પરંતુ ત્યાંના પરિણામ એકદમ અલગ છે.. દિલ્હીની સાત બેઠકોમાંથી 6-7 બેઠકો એનડીએને આપી છે...ગોવામાં એનડીએને એક બેઠક જ્યારે ઈન્ડિયાને પણ એક બેઠક મળી શકે છે... 25 બેઠકો વાળા રાજસ્થાનમાં એનડીએને 16-19 બેઠકો મળી શકે છે જ્યારે ઈન્ડિયા ગઠબંધનને 5-7 બેઠકો મળી શકે છે.., અન્યને 01-02 બેઠકો મળી શકે છે.. 29 બેઠકો વાળા મધ્યપ્રદેશની વાત કરીએ તો એનડીએને 28-29 બેઠકો મળી શકે છે. તે સિવાય ગુજરાતની 26 બેઠકોમાંથી એનડીએને 25-26 બેઠકો મળી શકે છે...


તે સિવાય આસામની વાત કરીએ તો કોંગેસને 02-04 બેઠકો મળી શકે છે. એનડીએને 9-11 બેઠકો મળી શકે છે.. છત્તીસગઢની વાત કરીએ તો એનડીએને 10-11 બેઠકો મળી શકે છે.. ઈન્ડિયાને 01 સીટ મળી શકે છે.. ઝારખંડની વાત કરીએ તો એનડીએને 8-10 બેઠક મળી શકે છે જ્યારે ઈન્ડિયા ગઠબંધનને 4-6 બેઠકો મળી શકે છે.. બિહારની વાત કરીએ તો એનડીએને 29-33 બેઠકો મળી શકે છે જ્યારે ઈન્ડિયાને 7-10 બેઠકો મળ શકે છે.. 



કેરળાની વાત કરીએ તો એનડીએને 2-3 સીટો મળી શકે છે જ્યારે યુડીએફને 17-18 બેઠકો મળી શકે છે જ્યારે એલડીએફને1 બેઠક મળી શકે છે. તે સિવાય કર્ણાટકની વાત કરીએ તો એનડીએને 23-25 સીટો મળી શકે છે જ્યારે એનડીએને 3-5 સીટો મળી શકે છે.. તમિલનાડુની વતા કરીએ તો એનડીએને 2-4 બેઠકો મળી શકે છે. AIADMIK+ને 2 સીટો મળી શકે છે જ્યારે ઈન્ડિયા ગઠબંધનને 33-37 બેઠકો મળી શકે છે.. મણિપુરની બે સીટોમાંથી એક સીટ અન્યને જઈ રહી છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.