શું કહે છે Aaj Tak-Axis My Indiaનો Exit Poll? INDIA - NDAને કેટલી મળી શકે છે સિટો? જાણો રાજ્ય વાઈઝ...


  • Published By :
  • Published Date : 2024-06-01 21:33:27

ચોથી તારીખે લોકસભા બેઠકની ચૂંટણી માટેનું પરિણામ આવવાનું છે.. ચૂંટણીનું પરિણામ આવે તે પહેલા એક્ઝિટ પોલના આંકડા સામે આવતા હોય છે.. એક્ઝિટ પોલ અલગ અલગ સંસ્થાઓ દ્વારા આપવામાં આવતા હોય છે.. એબીપી સી વોટરના આંકડાની વાત કરી ત્યારે હવે Aaj Tak-Axis My Indiaના એક્ઝિટ પોલની વાત કરીએ... રાજ્યવાઈઝની વાત કરીએ તો ઉત્તરાખંડની પાંચ સીટોમાંથી એનડીએને 5 સીટો મળી રહી છે.. જ્યારે હિમાચલ પ્રદેશની ચાર બેઠકોમાંથી એનડીએને ચાર સીટો મળી રહી છે.


કયા રાજ્યમાં કોને મળી શકે છે બેઠક? 

અનેક રાજ્યો માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ગઠબંધન કર્યું છે પરંતુ અનેક રાજ્યો એવા છે કે જ્યાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ અલગ અલગ ચૂંટણી લડી હતી. ત્યારે પંજાબની વાત કરીએ તો બીજેપીને 2-4 સીટો મળી શકે છે જ્યારે આમ આદમી પાર્ટીને 0-2 સીટો મળી શકે છે જ્યારે કોંગ્રેસને 07-09 સીટો મળી શકે છે... અન્યને 02-04 સીટો મળી શકે છે..પંજાબની 13 લોકસભા બેઠકો છે.. હરિયાણાની 10 બેઠકોમાંથી એનડીએને 6-8 સીટો મળી શકે છે જ્યારે ઈન્ડિયા ગઠબંધનને 02-04 સીટો મળવાની સંભાવના છે.. 



દિલ્હીમાં આમ તો આમ આદમી પાર્ટીની સરકાર છે પરંતુ ત્યાંના પરિણામ એકદમ અલગ છે.. દિલ્હીની સાત બેઠકોમાંથી 6-7 બેઠકો એનડીએને આપી છે...ગોવામાં એનડીએને એક બેઠક જ્યારે ઈન્ડિયાને પણ એક બેઠક મળી શકે છે... 25 બેઠકો વાળા રાજસ્થાનમાં એનડીએને 16-19 બેઠકો મળી શકે છે જ્યારે ઈન્ડિયા ગઠબંધનને 5-7 બેઠકો મળી શકે છે.., અન્યને 01-02 બેઠકો મળી શકે છે.. 29 બેઠકો વાળા મધ્યપ્રદેશની વાત કરીએ તો એનડીએને 28-29 બેઠકો મળી શકે છે. તે સિવાય ગુજરાતની 26 બેઠકોમાંથી એનડીએને 25-26 બેઠકો મળી શકે છે...


તે સિવાય આસામની વાત કરીએ તો કોંગેસને 02-04 બેઠકો મળી શકે છે. એનડીએને 9-11 બેઠકો મળી શકે છે.. છત્તીસગઢની વાત કરીએ તો એનડીએને 10-11 બેઠકો મળી શકે છે.. ઈન્ડિયાને 01 સીટ મળી શકે છે.. ઝારખંડની વાત કરીએ તો એનડીએને 8-10 બેઠક મળી શકે છે જ્યારે ઈન્ડિયા ગઠબંધનને 4-6 બેઠકો મળી શકે છે.. બિહારની વાત કરીએ તો એનડીએને 29-33 બેઠકો મળી શકે છે જ્યારે ઈન્ડિયાને 7-10 બેઠકો મળ શકે છે.. 



કેરળાની વાત કરીએ તો એનડીએને 2-3 સીટો મળી શકે છે જ્યારે યુડીએફને 17-18 બેઠકો મળી શકે છે જ્યારે એલડીએફને1 બેઠક મળી શકે છે. તે સિવાય કર્ણાટકની વાત કરીએ તો એનડીએને 23-25 સીટો મળી શકે છે જ્યારે એનડીએને 3-5 સીટો મળી શકે છે.. તમિલનાડુની વતા કરીએ તો એનડીએને 2-4 બેઠકો મળી શકે છે. AIADMIK+ને 2 સીટો મળી શકે છે જ્યારે ઈન્ડિયા ગઠબંધનને 33-37 બેઠકો મળી શકે છે.. મણિપુરની બે સીટોમાંથી એક સીટ અન્યને જઈ રહી છે. 



રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .