Bansakanthaમાં કયા સમીકરણોએ Geniben Thakorને જીતવામાં ફાયદો કરાવ્યો? શું ભાજપના આંતરિક ડખો હતું એક કારણ?


  • Published By :
  • Published Date : 2024-06-07 13:14:01

ગુજરાતમાં લોકસભાની એવી અનેક બેઠકો હતી જેની ચર્ચાઓ થતી રહેતી હતી.. એવું કહેવાતું કે રસાકસી જોવા મળશે.. બનાસકાંઠા બેઠક આવી ચર્ચાઓની લિસ્ટમાં એકદમ આગળ હતી. બંને પાર્ટીએ મહિલાને ઉમેદવાર બનાવ્યા.. એક તરફ ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી તો બીજી તરફ ઈન્ડિ ગઠબંધનના ઉમેદવાર ગેનીબેન ઠાકોર.. રિઝલ્ટના દિવસે આ બેઠક એકદમ ટફ ફાઈટ જોવા મળી હતી. કોઈ વખત ગેનીબેન ઠાકોર આગળ જતા રહે તો કોઈ વખત રેખાબેન ચૌધરી આગળ જતા રહે... ત્યારે આજે એવા ફેક્ટરોની વાત કરીએ જેણે ગેનીબેન ઠાકોરને જીત હાંસલ કરવામાં મદદ કરી..   

ગેનીબેન ઠાકોરે વિજય રથને રોક્યો

ભારતીય જનતા પાર્ટીનો વિજય રથ બનાસકાંઠામાં રોકાઈ ગયો.. ગુજરાતની 26એ 26 લોકસભા બેઠક ભાજપ પાસે હતી..આ વખતે પણ ભાજપના નેતાઓને લાગતું હતું કે 26એ 26 બેઠકો પર કમળ ખીલશે પરંતુ તેવું ના થયું.. બનાસકાંઠામાં ભાજપના ઉમેદવાર હારી ગયા અને ઈન્ડિ ગઠબંધનના ઉમેદવાર જીતી ગયા. 10 વર્ષ બાદ ગુજરાતમાં ભાજપને મોટો ફટકો પડ્યો જીતની હેટ્રીક પર ગેનીબેને રોક લગાવી છે.  



જીત્યા બદ ગેનીબેન ઠાકોરે આપી હતી પ્રતિક્રિયા

ગેનીબેને ભાજપનાં ઉમેદવારને 33 હજાર કરતાં પણ વધુ મતોથી હરાવી દીધાં છે.આ સાથે જ ગુજરાતમાં ભાજપનું 26માંથી 26 બેઠકો ત્રીજી વખત જીતવાનું ભાજપનું સ્વપ્ન ગેનીબહેને પૂરું થવા દીધું નથી. જ્યારે ગેનીબેનની સૌથી પહેલા પ્રતિક્રિયા આવી ત્યારે તેમણે કહ્યું હતું કે "બનાસકાંઠાની જનતાએ મને નોટ અને વોટ બંને આપ્યા છે. હું જીવિત રહું ત્યાં સુધી બનાસકાંઠાની જનતાનું ઋણ ઉતારી શકું તેમ નથી. હું પ્રયત્ન કરીશ કે હું બનાસકાંઠાની જનતાનું ઋણ ઉતારું." 


ગેનીબેન સામે ભાજપનું આખું સંગઠન હતું! 

કયા ફેક્ટરોએ બનાસકાંઠામાં કામ કર્યા એ પ્રશ્ન થાય કારણ કે ત્યાં ગેનીબેન સામે ના માત્ર રેખા બેન ચૌધરી પણ પીએમ મોદી ભાજપનું સંગઠન હતું! એટલે ગેનીબેને લડવું મુશ્કિલ હતું પણ જોવા જઇએ તો રેખાબહેન ચૌધરીની સરખામણીએ ગેનીબહેનની લોકપ્રિયતા અતિશય વધારે બીજું  રેખાબહેનનો કોઈ રાજકીય અનુભવ કે ઓળખ ન હતી.



એક નેરેટિવ સેટ કરાયો કે લોકોએ ગેનીબેનનું મામેરૂં ભરવાનું છે!

અને પ્રચારની વાત કરી તો ઉમેદવાર તરીકે જાહેર થયાં બાદ ગેનીબહેને તેમના ચૂંટણી પ્રચારમાં ‘બનાસની બહેન ગેનીબહેન’ સૂત્રનો ભરપૂર ઉપયોગ કર્યો . અને  'બનાસની બહેન ગેનીબહેન' ના સૂત્રે તેમની જીતમાં ખૂબ મોટો ભાગ ભજવ્યો છે. કારણકે એક નરેટિવ એક પરસેપ્શન ગેનીબેને ગ્રાઉન્ડ પર સેટ કર્યો હતો કે એ બનાસના બેન છે અને બનાસના લોકોએ એમનું મામેરું ભરવાનું છે અને એ કામ કર્યું 


એવું લાગે છે કે દરેક સમાજના લોકોએ ગેનીબેનને મત આપ્યો હોય!

બનાસમાં બીજું એક સમીકરણ એ જાતિગત સમીકરણ પણ આ વખતે એ થોડું ખોરવાઇ ગયું. કારણ કે બનાસકાંઠામાં સૌથી વધુ વસ્તી ઠાકોર સમાજની છે તથા ત્યાર બાદ ચૌધરી સમાજની છે. આથી જો, બંને સમાજના લોકો પોતપોતાના ઉમેદવાર તરફી મતદાન કરે તો અહીં દલિત, મુસ્લિમ અને ક્ષત્રિય મતોનું કૉમ્બિનેશન પણ ઉમેદવારની જીત નક્કી કરવામાં અગત્યનું સાબિત થાય છે. આ ચૂંટણીમાં પણ એવું જ થયું હોવાની સંભાવના દેખાઈ રહી છે. જેમાં દરેક સમાજના લોકોને ગેનીબેનને મત આપ્યા અને સાથે જ શહેરી વિસ્તારના લોકોએ પણ ગેનીબેનને પસંદ કર્યા 



ગ્રાઉન્ડ પર ગેનીબેન રહેતા હોય છે જેને કારણે લોકો તેમને પસંદ કરે છે

બીજી એક મજબૂત વાત એ કે કૉંગ્રેસનાં ઉમેદવાર ગેનીબહેન ઠાકોર સતત બે ટર્મથી ધારાસભ્ય છે. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં આવેલા ભાજપના ઝંઝાવાતમાં પણ ગેનીબહેને ફરી વાર જીત મેળવી હતી. તેમણે જીત તો મેળવી હતી પરંતુ તેમની સરસાઈ પણ વધારી હતી.એ લોકપ્રિય ચહેરો છે ગ્રાઉંડ પર જાય છે લોકોને મળે છે એટલે વધારે લોકોને પાસદ છે કે બેન mla હોવા છતાં કામ પડે ત્યાં હજાર રહે છે 


ભાજપમા અંદરોઅંદર ચાલતો વિવાદ પણ ગેનીબેન માટે કામ કરી ગયું

અને મહત્વનું ફેક્ટર એ કે બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર ભાજપમાં જો સૌથી વધારે કોઈનું ચાલતું હોય તો એ છે શંકર ચૌધરી. બનાસ ડેરીના ચેરમેન એવા શંકર ચૌધરી મૂળ પાટણ લોકસભા વિસ્તારના છે પરંતુ તેઓ બનાસકાંઠામાં ભાજપના સર્વેસર્વા નેતા તરીકે તમામ નિર્ણય કરતા હોવાને કારણે ભાજપના અન્ય અનેક સિનિયર નેતાઓ પોતાની અવગણના થતી હોવાનું અનુભવતા હતા. અને એ અનદારો અંદરનો વિખવાદ અને સમાજ ફેક્ટર કામ કરી ગયા. આ અમુક મુખ્ય ફેક્ટરને સમીકરણ હતા જેના કારણે ભાજપનો ગઢ તૂટયો! તમારું આ મામલે શું માનવું છે અમને કમેંટમાં જણાવો!



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.