TAT-TETનાં ઉમેદવારોની અટકાયત થયા બાદ ગાંધીનગરમાં શું થયું? સાંભળો ધ્રુસકેને ધ્રુસકે રડી પડેલા ઉમેદવારની કહાની...


  • Published By :
  • Published Date : 2023-07-19 16:27:06

સમગ્ર ગુજરાતમાં જેની ચર્ચાઓ થઈ રહી છે તે મુદ્દો છે ટેટ ટાટના ઉમેદવારોનો. ગઈકાલે ગાંધીનગર ખાતે TET-TATના ઉમેદવારો શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ સાથે વિરોધ પ્રદર્શન કરવાના હતા. જ્ઞાનસહાયક યોજના અંતર્ગત શિક્ષકોની ભરતી કરાર આધારીત કરવામાં આવશે તેવી સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. સરકાર દ્વારા કરવામાં આવેલી આ જાહેરાતનો વિરોધ TET-TATના ઉમેદવારો કરી રહ્યા છે. ઉમેદવારોની માગ છે કે કરાર આધારિત ભરતી નાબુદ કરવામાં આવે અને કાયમી ભરતી કરવામાં આવે. 

કરાર આધારીત ભરતી નાબુદ કરવા ઉમેદવારોની માગ  

TET-TATના ઉમેદવારો સરકાર સામે જાણે લડી લેવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે. સરકારી નોકરી મેળવવા માટે ઉમેદવારો અનેક વર્ષો સુધી તનતોડ મહેનત કરતા હોય છે. અનેક વર્ષો સ્પાર્ધત્મક પરીક્ષાની તૈયારીઓ પાછળ સમર્પિત કરી દેતા હોય છે. ત્યારે ગુજરાતમાં અનેક વર્ષો બાદ TET-TATની પરીક્ષા લેવાઈ. પરીક્ષા યોજાઈ તેને લઈ ઉમેદવારોમાં આશા જાગી કે હવે તેમને નોકરી મળશે. પરંતુ ભરતી થાય તે પહેલા કરાર આધારીત શિક્ષકોની ભરતી કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી. આ જાહેરાતનો વિરોધ ઉમેદવારો દ્વારા કરવામાં આવી રહ્યો છે. ઉમેદવારોનું કહેવું છે કે કરાર આધારીત નોકરી મેળવવા માટે આટલા વર્ષો મહેનત નથી કરી. તેમનું એવું પણ કહેવું છે કે જે શિક્ષકનું પોતાનું ભવિષ્ય સુરક્ષિત નથી, શિક્ષકોને જ પોતાના ભવિષ્યની ચિંતા થતી હોય તેવા શિક્ષકો કેવી રીતે બાળકોને સારૂં શિક્ષણ આપી શકે છે. તેમના ભવિષ્યનું સારી રીતે ઘડતર કેવી રીતે કરી શકે છે. 

જમાવટ સમક્ષ રજૂ કરી ઉમેદવારે પોતાની પીડા 

ગઈકાલે પોતાની માગ સાથે ઉમેદવારો સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ્રદર્શન કરવાના હતા પરંતુ સ્થળ પર પહોંચે તે પહેલા જ ઉમેદવારોની અટકાયત કરી લેવામાં આવી હતી. ઉમેદવારોને જ્યાં રાખવામાં આવ્યા હતા ત્યાંથી ઉમેદવારો વીડિયો બનાવી બનાવી પોતાનો અવાજ લોકો સુધી તેમજ સરકાર સુધી પહોંચાડી રહ્યા હતા. ત્યારે સરકાર સુધી ઉમેદવારોની વાત પહોંચે તે માટે અનેક ઉમેદવારોએ જમાવટનો સંપર્ક કર્યો હતો. ત્યારે TET-TATના ઉમેદવારોએ જમાવટ સામે પોતાનું દુખ વ્યક્ત કર્યું હતું. પોતાના સંઘર્ષની કહાની સંભળાવતા સંભળાવતા ઉમેદવાર રડી પડ્યા હતા. ઉમેદવારોની પીડા સરકાર સમજે તેવી તેમની આશા છે.   



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.