TAT-TETનાં ઉમેદવારોની અટકાયત થયા બાદ ગાંધીનગરમાં શું થયું? સાંભળો ધ્રુસકેને ધ્રુસકે રડી પડેલા ઉમેદવારની કહાની...


  • Published By :
  • Published Date : 2023-07-19 16:27:06

સમગ્ર ગુજરાતમાં જેની ચર્ચાઓ થઈ રહી છે તે મુદ્દો છે ટેટ ટાટના ઉમેદવારોનો. ગઈકાલે ગાંધીનગર ખાતે TET-TATના ઉમેદવારો શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ સાથે વિરોધ પ્રદર્શન કરવાના હતા. જ્ઞાનસહાયક યોજના અંતર્ગત શિક્ષકોની ભરતી કરાર આધારીત કરવામાં આવશે તેવી સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. સરકાર દ્વારા કરવામાં આવેલી આ જાહેરાતનો વિરોધ TET-TATના ઉમેદવારો કરી રહ્યા છે. ઉમેદવારોની માગ છે કે કરાર આધારિત ભરતી નાબુદ કરવામાં આવે અને કાયમી ભરતી કરવામાં આવે. 

કરાર આધારીત ભરતી નાબુદ કરવા ઉમેદવારોની માગ  

TET-TATના ઉમેદવારો સરકાર સામે જાણે લડી લેવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે. સરકારી નોકરી મેળવવા માટે ઉમેદવારો અનેક વર્ષો સુધી તનતોડ મહેનત કરતા હોય છે. અનેક વર્ષો સ્પાર્ધત્મક પરીક્ષાની તૈયારીઓ પાછળ સમર્પિત કરી દેતા હોય છે. ત્યારે ગુજરાતમાં અનેક વર્ષો બાદ TET-TATની પરીક્ષા લેવાઈ. પરીક્ષા યોજાઈ તેને લઈ ઉમેદવારોમાં આશા જાગી કે હવે તેમને નોકરી મળશે. પરંતુ ભરતી થાય તે પહેલા કરાર આધારીત શિક્ષકોની ભરતી કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી. આ જાહેરાતનો વિરોધ ઉમેદવારો દ્વારા કરવામાં આવી રહ્યો છે. ઉમેદવારોનું કહેવું છે કે કરાર આધારીત નોકરી મેળવવા માટે આટલા વર્ષો મહેનત નથી કરી. તેમનું એવું પણ કહેવું છે કે જે શિક્ષકનું પોતાનું ભવિષ્ય સુરક્ષિત નથી, શિક્ષકોને જ પોતાના ભવિષ્યની ચિંતા થતી હોય તેવા શિક્ષકો કેવી રીતે બાળકોને સારૂં શિક્ષણ આપી શકે છે. તેમના ભવિષ્યનું સારી રીતે ઘડતર કેવી રીતે કરી શકે છે. 

જમાવટ સમક્ષ રજૂ કરી ઉમેદવારે પોતાની પીડા 

ગઈકાલે પોતાની માગ સાથે ઉમેદવારો સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ્રદર્શન કરવાના હતા પરંતુ સ્થળ પર પહોંચે તે પહેલા જ ઉમેદવારોની અટકાયત કરી લેવામાં આવી હતી. ઉમેદવારોને જ્યાં રાખવામાં આવ્યા હતા ત્યાંથી ઉમેદવારો વીડિયો બનાવી બનાવી પોતાનો અવાજ લોકો સુધી તેમજ સરકાર સુધી પહોંચાડી રહ્યા હતા. ત્યારે સરકાર સુધી ઉમેદવારોની વાત પહોંચે તે માટે અનેક ઉમેદવારોએ જમાવટનો સંપર્ક કર્યો હતો. ત્યારે TET-TATના ઉમેદવારોએ જમાવટ સામે પોતાનું દુખ વ્યક્ત કર્યું હતું. પોતાના સંઘર્ષની કહાની સંભળાવતા સંભળાવતા ઉમેદવાર રડી પડ્યા હતા. ઉમેદવારોની પીડા સરકાર સમજે તેવી તેમની આશા છે.   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.