બા સાથે બનેલી ઘટના કોઈ બીજાની સાથે ન બનવી જોઈએ! Vadodara વિસ્તારની જીવન-મરણની કચેરીએ માર્યો આ મોટો લોચો, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-07 12:38:16

કહેવાય છે કે જીવન અને મરણ કુદરતના હાથમાં હોય છે. કોન ક્યારે જનમશે અને કોન ક્યારે મરશે તે ઉપરવાળાના હાથમાં હોય છે. પરંતુ વડોદરાથી જે કિસ્સો સામે આવ્યો છે તે અજીબો ગરીબ છે. આમ તો અજીબ ન કહેવાય કારણ કે તંત્ર દ્વારા કરવામાં આવતી કામગીરી પર અનેક પ્રશ્નો ઉઠતા હોય છે. આ વખતે પણ વડોદરામાં તંત્રની બેદકારી કહો કે ગંભીર ભૂલ કહો તે સામે આવી છે. જીવતા દાદીમાના ઘરે તેમના મૃત્યુનો દાખલો મોકલી આપ્યો છે કે તમે જીવતા નથી. જો કે આ બનાવ બાદ વડોદરા મહાનગર સેવા સદદની કચેરીના અંધેર વહીવટની જાહેરમાં નિંદા થઈ રહી છે. વિગતવાર વાત કરીએ જીવતા દાદીમાને વડોદરા તંત્ર દાદીમાના નામનો મરણનો દાખલો કેમ બનાવ્યો?



જીવતા ઝવેરબાના ઘરે આવ્યો તેમના મરણનો દાખલો

તમે જીવતા હોઉં અને કોઈ તમારા હાથમાં તમારા જ મરણનો દાખલો પકડાવી દેવામાં આવે તો તમારી શું પ્રતિક્રિયા હશે? આવો જ કિસ્સો વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના હાંડોદ ગામના પરમાર ફળિયામાં રહેતા વિધવા વૃદ્ધા ઝવેરબેન સાથે થયો છે. તેમના ઘરે થોડા દિવસ પહેલા એક દાખલો આવ્યો. પરિવારને થયું શું કોઈ સરકારી યોજનામાં બાનું નામ આવ્યું છે કે કેમ તે જોવા માટે તેમણે પ્રમાણ પત્ર જોયું. પણ પત્ર જોતાની સાથે પરિવારની આંખો ખુલીની ખુલી રહી જાય છે. આખો પરિવાર ચોંકી જાય છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની જનમ મરણની શીયાબાગ ખાતેની કચેરીથી ઝવેર બાનો મરણનો દાખલો ઘરે પહોંચી ગયો હતો. 


ઝવેરબા જીવે છે તે સાબિત કરવા પરિવારે કરવી પડી ઘણી મહેનત

આ ઘટનાની જાણ પરિવારે હાંડોદની ગ્રામ પંચાયતમાં પણ કરી હતી કે વડોદરા તંત્રએ આવો ભગો માર્યો છે. પંચાયતને પછી ઝવેરબા જીવે છે તેવું હયાતીનું પંચનામું કરાવવું પડ્યું હતું. ઝવેરબાના દિકરા ગણપતભાઈએ હાંડોદ ગ્રામ પંચાયતમાં ઝવેરબા જીવે છે તેવી હયાતીનું પંચનામું કરાવ્યું હતું. ઝવેરબાની વાત કરીએ તો તે વિધવા વૃદ્ધ દાદીમાં છે. તેમને સરકાર તરફથી વિધવા પેન્શનનો લાભ પણ મળે છે. જો કે આવું સામે આવતા તે પણ ચિંતામાં આવી ગયા હતા કારણ કે બા વિધવા છે. 


સવાલ એ છે કે તંત્રએ જીવતા બાને શા માટે મૃત બતાવી દીધા?

સયાજી હોસ્પિટલ વડોદરા તરફથી જણાવામાં આવ્યું તું કે ઝવેરબાનું નિધન 17 જુલાઈ 2023ના થઈ ગયું છે. જો કે સામેની બાજુ બા તો સાજા સારા છે અને જીવે છે. જો કે હવે એ તો તપાસનો વિષય છે કે જીવતા ઝવેરબાને તંત્રએ કેમ મૃત જાહેર કરી દીધા છે. વડોદરા કોર્પોરેશનના જન્મ મરણ વિભાગની આ ગંભીર ભૂલ છે. વડોદરા તંત્રએ આવી ભૂલ કરનાર કોણ છે તેની તપાસ કરવી જોઈએ અને કસૂરવાર સામે કાયદેસરના પગલા લેવા જોઈએ કારણ કે આ તો ગંભીર ભૂલ કહેવાય કે તમે એક સાજા સારા જીવતા દાદીમાને મૃત જાહેર કરી દો છે. આવો બનાવ ગુજરાતમાં કોઈ વ્યક્તિ સાથે ન થાય, અને થવું પણ ન જોઈએ.



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે