બા સાથે બનેલી ઘટના કોઈ બીજાની સાથે ન બનવી જોઈએ! Vadodara વિસ્તારની જીવન-મરણની કચેરીએ માર્યો આ મોટો લોચો, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-07 12:38:16

કહેવાય છે કે જીવન અને મરણ કુદરતના હાથમાં હોય છે. કોન ક્યારે જનમશે અને કોન ક્યારે મરશે તે ઉપરવાળાના હાથમાં હોય છે. પરંતુ વડોદરાથી જે કિસ્સો સામે આવ્યો છે તે અજીબો ગરીબ છે. આમ તો અજીબ ન કહેવાય કારણ કે તંત્ર દ્વારા કરવામાં આવતી કામગીરી પર અનેક પ્રશ્નો ઉઠતા હોય છે. આ વખતે પણ વડોદરામાં તંત્રની બેદકારી કહો કે ગંભીર ભૂલ કહો તે સામે આવી છે. જીવતા દાદીમાના ઘરે તેમના મૃત્યુનો દાખલો મોકલી આપ્યો છે કે તમે જીવતા નથી. જો કે આ બનાવ બાદ વડોદરા મહાનગર સેવા સદદની કચેરીના અંધેર વહીવટની જાહેરમાં નિંદા થઈ રહી છે. વિગતવાર વાત કરીએ જીવતા દાદીમાને વડોદરા તંત્ર દાદીમાના નામનો મરણનો દાખલો કેમ બનાવ્યો?



જીવતા ઝવેરબાના ઘરે આવ્યો તેમના મરણનો દાખલો

તમે જીવતા હોઉં અને કોઈ તમારા હાથમાં તમારા જ મરણનો દાખલો પકડાવી દેવામાં આવે તો તમારી શું પ્રતિક્રિયા હશે? આવો જ કિસ્સો વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના હાંડોદ ગામના પરમાર ફળિયામાં રહેતા વિધવા વૃદ્ધા ઝવેરબેન સાથે થયો છે. તેમના ઘરે થોડા દિવસ પહેલા એક દાખલો આવ્યો. પરિવારને થયું શું કોઈ સરકારી યોજનામાં બાનું નામ આવ્યું છે કે કેમ તે જોવા માટે તેમણે પ્રમાણ પત્ર જોયું. પણ પત્ર જોતાની સાથે પરિવારની આંખો ખુલીની ખુલી રહી જાય છે. આખો પરિવાર ચોંકી જાય છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની જનમ મરણની શીયાબાગ ખાતેની કચેરીથી ઝવેર બાનો મરણનો દાખલો ઘરે પહોંચી ગયો હતો. 


ઝવેરબા જીવે છે તે સાબિત કરવા પરિવારે કરવી પડી ઘણી મહેનત

આ ઘટનાની જાણ પરિવારે હાંડોદની ગ્રામ પંચાયતમાં પણ કરી હતી કે વડોદરા તંત્રએ આવો ભગો માર્યો છે. પંચાયતને પછી ઝવેરબા જીવે છે તેવું હયાતીનું પંચનામું કરાવવું પડ્યું હતું. ઝવેરબાના દિકરા ગણપતભાઈએ હાંડોદ ગ્રામ પંચાયતમાં ઝવેરબા જીવે છે તેવી હયાતીનું પંચનામું કરાવ્યું હતું. ઝવેરબાની વાત કરીએ તો તે વિધવા વૃદ્ધ દાદીમાં છે. તેમને સરકાર તરફથી વિધવા પેન્શનનો લાભ પણ મળે છે. જો કે આવું સામે આવતા તે પણ ચિંતામાં આવી ગયા હતા કારણ કે બા વિધવા છે. 


સવાલ એ છે કે તંત્રએ જીવતા બાને શા માટે મૃત બતાવી દીધા?

સયાજી હોસ્પિટલ વડોદરા તરફથી જણાવામાં આવ્યું તું કે ઝવેરબાનું નિધન 17 જુલાઈ 2023ના થઈ ગયું છે. જો કે સામેની બાજુ બા તો સાજા સારા છે અને જીવે છે. જો કે હવે એ તો તપાસનો વિષય છે કે જીવતા ઝવેરબાને તંત્રએ કેમ મૃત જાહેર કરી દીધા છે. વડોદરા કોર્પોરેશનના જન્મ મરણ વિભાગની આ ગંભીર ભૂલ છે. વડોદરા તંત્રએ આવી ભૂલ કરનાર કોણ છે તેની તપાસ કરવી જોઈએ અને કસૂરવાર સામે કાયદેસરના પગલા લેવા જોઈએ કારણ કે આ તો ગંભીર ભૂલ કહેવાય કે તમે એક સાજા સારા જીવતા દાદીમાને મૃત જાહેર કરી દો છે. આવો બનાવ ગુજરાતમાં કોઈ વ્યક્તિ સાથે ન થાય, અને થવું પણ ન જોઈએ.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.