બા સાથે બનેલી ઘટના કોઈ બીજાની સાથે ન બનવી જોઈએ! Vadodara વિસ્તારની જીવન-મરણની કચેરીએ માર્યો આ મોટો લોચો, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-07 12:38:16

કહેવાય છે કે જીવન અને મરણ કુદરતના હાથમાં હોય છે. કોન ક્યારે જનમશે અને કોન ક્યારે મરશે તે ઉપરવાળાના હાથમાં હોય છે. પરંતુ વડોદરાથી જે કિસ્સો સામે આવ્યો છે તે અજીબો ગરીબ છે. આમ તો અજીબ ન કહેવાય કારણ કે તંત્ર દ્વારા કરવામાં આવતી કામગીરી પર અનેક પ્રશ્નો ઉઠતા હોય છે. આ વખતે પણ વડોદરામાં તંત્રની બેદકારી કહો કે ગંભીર ભૂલ કહો તે સામે આવી છે. જીવતા દાદીમાના ઘરે તેમના મૃત્યુનો દાખલો મોકલી આપ્યો છે કે તમે જીવતા નથી. જો કે આ બનાવ બાદ વડોદરા મહાનગર સેવા સદદની કચેરીના અંધેર વહીવટની જાહેરમાં નિંદા થઈ રહી છે. વિગતવાર વાત કરીએ જીવતા દાદીમાને વડોદરા તંત્ર દાદીમાના નામનો મરણનો દાખલો કેમ બનાવ્યો?



જીવતા ઝવેરબાના ઘરે આવ્યો તેમના મરણનો દાખલો

તમે જીવતા હોઉં અને કોઈ તમારા હાથમાં તમારા જ મરણનો દાખલો પકડાવી દેવામાં આવે તો તમારી શું પ્રતિક્રિયા હશે? આવો જ કિસ્સો વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના હાંડોદ ગામના પરમાર ફળિયામાં રહેતા વિધવા વૃદ્ધા ઝવેરબેન સાથે થયો છે. તેમના ઘરે થોડા દિવસ પહેલા એક દાખલો આવ્યો. પરિવારને થયું શું કોઈ સરકારી યોજનામાં બાનું નામ આવ્યું છે કે કેમ તે જોવા માટે તેમણે પ્રમાણ પત્ર જોયું. પણ પત્ર જોતાની સાથે પરિવારની આંખો ખુલીની ખુલી રહી જાય છે. આખો પરિવાર ચોંકી જાય છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની જનમ મરણની શીયાબાગ ખાતેની કચેરીથી ઝવેર બાનો મરણનો દાખલો ઘરે પહોંચી ગયો હતો. 


ઝવેરબા જીવે છે તે સાબિત કરવા પરિવારે કરવી પડી ઘણી મહેનત

આ ઘટનાની જાણ પરિવારે હાંડોદની ગ્રામ પંચાયતમાં પણ કરી હતી કે વડોદરા તંત્રએ આવો ભગો માર્યો છે. પંચાયતને પછી ઝવેરબા જીવે છે તેવું હયાતીનું પંચનામું કરાવવું પડ્યું હતું. ઝવેરબાના દિકરા ગણપતભાઈએ હાંડોદ ગ્રામ પંચાયતમાં ઝવેરબા જીવે છે તેવી હયાતીનું પંચનામું કરાવ્યું હતું. ઝવેરબાની વાત કરીએ તો તે વિધવા વૃદ્ધ દાદીમાં છે. તેમને સરકાર તરફથી વિધવા પેન્શનનો લાભ પણ મળે છે. જો કે આવું સામે આવતા તે પણ ચિંતામાં આવી ગયા હતા કારણ કે બા વિધવા છે. 


સવાલ એ છે કે તંત્રએ જીવતા બાને શા માટે મૃત બતાવી દીધા?

સયાજી હોસ્પિટલ વડોદરા તરફથી જણાવામાં આવ્યું તું કે ઝવેરબાનું નિધન 17 જુલાઈ 2023ના થઈ ગયું છે. જો કે સામેની બાજુ બા તો સાજા સારા છે અને જીવે છે. જો કે હવે એ તો તપાસનો વિષય છે કે જીવતા ઝવેરબાને તંત્રએ કેમ મૃત જાહેર કરી દીધા છે. વડોદરા કોર્પોરેશનના જન્મ મરણ વિભાગની આ ગંભીર ભૂલ છે. વડોદરા તંત્રએ આવી ભૂલ કરનાર કોણ છે તેની તપાસ કરવી જોઈએ અને કસૂરવાર સામે કાયદેસરના પગલા લેવા જોઈએ કારણ કે આ તો ગંભીર ભૂલ કહેવાય કે તમે એક સાજા સારા જીવતા દાદીમાને મૃત જાહેર કરી દો છે. આવો બનાવ ગુજરાતમાં કોઈ વ્યક્તિ સાથે ન થાય, અને થવું પણ ન જોઈએ.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.