ગુજરાતમાં ચાલી શું રહ્યું છે, દવાખાનામાં દારુની ડિલિવરી, જાહેરમાં શખ્સ પી રહ્યો છે દારુ? વીડિયો વાયરલ


  • Published By :
  • Published Date : 2024-08-03 16:10:48

રાજકોટમાં કહેવાતી દારૂબંધીના લીરેલીરા ઉડાડતો વીડિયો સોશિયલ મીડિયામાં જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે. મવડી ચોકડી પાસે પાનની દુકાને એક દારૂડિયો જાહેરમાં દારૂ પી રહ્યો છે. આ વીડિયો વાયરલ થયા બાદ સવાલ થાય કે દારૂડિયાને પોલીસનો ડર જ નહીં હોય? ગુજરાતમાં દારૂબંધી છે તેનો ડર પણ નહીં હોય.! આ વીડિયો વાયરલ થયા બાદ હવે પોલીસે આ શખ્સની શોધખોળ શરૂ કરી છે. મવડી જેવા ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં અને પાનની દુકાને જાહેરમાં દારૂની બોટલમાંથી ‘પેગ’ બનાવી દારૂના ઘુટ ભરતો આ શખ્શ કોણ છે તે જાણવા પોલીસ તપાસ કરી રહી છે. આ વીડિયો વાયરલ થયા બાદ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.. ત્યારે આ બાબતે સ્થાનિકોએ આ દારૂડિયાનો છેલ્લા ઘણા વખતથી ત્રાસ હોવા છતાં પોલીસ કોઈ કાર્યવાહી નથી કરતી તેવા આક્ષેપ કર્યો છે.

આ વીડિયો વાયરલ થતા પોલીસે કરી કાર્યવાહી!

રાજકોટમાં એક વીડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થતાં પોલીસ વિભાગમાં પણ દોડધામ મચી ગઈ છે. મવડી ચોકડીએ આવેલ જય ખોડિયાર પાન નામની દુકાને એક શખ્સ દારૂની બોટલ લઈને આવે છે અને જાહેરમાં જ પાનની દુકાને પોતાના નેફામાંથી દારૂની બોટલ કાઢી પ્લાસ્ટિકના ગ્લાસમાં દારૂ ભરી અને દારૂ ગટગટાવી રહ્યો છે. જાહેરમાં વિદેશી દારૂ પી રહેલા આ શખ્સનો વીડિયો વાયરલ થતાં પોલીસ દ્વારા હવે આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.  એક તરફ દારૂ બંધીની વાતો વચ્ચે આ વીડિયો વાયરલ થયા બાદ જ્યાં આ વીડિયો શુટ થયો તે વિસ્તારમાં તપાસ કરવામાં આવતા આ દારૂડિયા શખ્સનો છેલ્લા ઘણા દિવસથી ત્રાસ હતો અને પાનની દુકાન તેમજ આસપાસના વેપારીઓ આ દરૂડિયાથી પરેશાન થઈ ગયા છે. 



એવી વિગતો પણ સામે આવી કે... 

અને આ બાબતે અનેક વખત પોલીસને પણ જાણ કર્યા છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરાતા. આ દારૂડિયાની હિંમત એટલી બધી વધી ગઈ કે તેણે જાહેરમાં દારૂ પી વીડિયોમાં જ જાણે પોલીસને પણ પડકાર ફેંક્યો છે. સિવિલ હોસ્પિટલમાં દવા સાથે દારૂ પણ મળી રહ્યો હોય તેવા બનાવો સામે આવ્યા છે. સિવિલ હોસ્પિટલમાં ઈમરજન્સી વોર્ડ પાસેથી સિકયુરિટીના સ્ટાફે દેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી લઈ પ્ર.નગર પોલીસને સોંપવામાં આવ્યો હતો.  જાણવા મળતી વિગત મુજબ, સિવિલ હોસ્પિટલમાં સિકયોરિટી તરીકે ફરજ બજાવતાં એકસ આર્મીમેન એન.પી.રાવલ, કૃષ્ણસિંહ જાડેજા, સહિતનો સ્ટાફ સિવિલ હોસ્પિટલમાં ચેકીંગ કામગીરીમાં હતો દરમિયાન સિવિલ હોસ્પિટલનાં ઈમરજન્સી બિલ્ડીંગ સામે એક શખ્સ ઓટો રીક્ષામાંથી શંકાસ્પદ રીતે કોઈ વસ્તુ ઉતારતો હોવાનું નજરે ચડતાં સિકયોરિટીના સ્ટાફે દોડી જઈ તપાસ કરતાં તે શખ્સ રીક્ષામાંથી દેશી દારૂ ભરેલી કોથળી ઉતારતો હોવાનું જાણવા મળ્યું હતું. મહત્વનું છે કે અનેક વખત દારૂબંધીના લીરેલીરા ઉડતા અનેક વીડિયો આપણી સામે આવ્યા છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.