રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા માટે 12 વાગ્યાને 29 મિનિટ અને 2 સેકન્ડના મુહૂર્તની શું છે વિશેષતા, કોણે આ અદભૂત શુભ મુહૂર્ત નક્કી કર્યું? જાણો


  • Published By :
  • Published Date : 2024-01-22 12:45:11

રામ નગરી અયોધ્યામાં રામલલાનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે. આ પ્રાણ પ્રતિષ્ઠા માટે 84 સેકન્ડનું ખાસ શુભ મુહૂર્ત નક્કી કરવામાં આવ્યું છે. એટલે કે એક મિનિટ અને 24 સેકન્ડમાં જ રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે. કાશીના પ્રખ્યાત જ્યોતિષાચાર્ય પંડિત ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડે રામલલા પ્રાણ પ્રતિષ્ઠાનું શુભ મુહૂર્ત પસંદ કર્યું છે. આ શુભ મુહૂર્ત 12 વાગ્યેને 29 મિનિટ 2 સેકન્ડથી 12 વાગ્યાને 30 મિનિટ 32 સેકન્ડ સુધી છે. આ મુહૂર્તની વિશેષતા શું છે આવો તે જાણીએ.


 


પ્રાણ પ્રતિષ્ઠા મુહૂર્તની શું છે વિશેષતા?


પંચાંગ અને અન્ય શુભ અશુભ યોગને જોતા રામલલાની મૂર્તિને પ્રાણ પ્રતિષ્ઠા આપવા માટે 22 જાન્યુઆરી 2024, પોષ મહિનાની બારસ તિથિના રોજ અભિજીત મુહૂર્ત, ઈન્દ્ર યોગ, મૃગશિરા નક્ષત્ર, મેષ લગ્ન, અને વૃશ્ચિક નવાંશને પસંદ કર્યું છે. આ શુભ મુહૂર્ત દિવસના 12 વાગ્યાને 29 મિનિટ અને 08 સેકન્ડથી 12 વાગ્યાને 30 મિનિટ અને 32 સેકન્ડ સુધી એટલે કે 84 સેકન્ડનું રહેશે. આ સમય સુધીમાં પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થશે. 


તે જ પ્રકારે અયોધ્યામાં ભવ્ય રીતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આયોજન સોમવારે થઈ રહ્યું છે, જેમાં પીએમ મોદી તમામ ધાર્મિક અનુષ્ઠાનોમાં શામેલ થશે. મંગળવારે 23 જાન્યુઆરીના રોજ મંદિર લોકો માટે ખોલવામાં આવશે. મોદી ઉપરાંત દેશ અને વિદેશના શ્રધ્ધાળુંઓ મોટી સંખ્યામાં અયોધ્યા પહોંચ્યા છે. આ જ કારણે અયોધ્યામાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. 



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.