રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા માટે 12 વાગ્યાને 29 મિનિટ અને 2 સેકન્ડના મુહૂર્તની શું છે વિશેષતા, કોણે આ અદભૂત શુભ મુહૂર્ત નક્કી કર્યું? જાણો


  • Published By :
  • Published Date : 2024-01-22 12:45:11

રામ નગરી અયોધ્યામાં રામલલાનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે. આ પ્રાણ પ્રતિષ્ઠા માટે 84 સેકન્ડનું ખાસ શુભ મુહૂર્ત નક્કી કરવામાં આવ્યું છે. એટલે કે એક મિનિટ અને 24 સેકન્ડમાં જ રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે. કાશીના પ્રખ્યાત જ્યોતિષાચાર્ય પંડિત ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડે રામલલા પ્રાણ પ્રતિષ્ઠાનું શુભ મુહૂર્ત પસંદ કર્યું છે. આ શુભ મુહૂર્ત 12 વાગ્યેને 29 મિનિટ 2 સેકન્ડથી 12 વાગ્યાને 30 મિનિટ 32 સેકન્ડ સુધી છે. આ મુહૂર્તની વિશેષતા શું છે આવો તે જાણીએ.


 


પ્રાણ પ્રતિષ્ઠા મુહૂર્તની શું છે વિશેષતા?


પંચાંગ અને અન્ય શુભ અશુભ યોગને જોતા રામલલાની મૂર્તિને પ્રાણ પ્રતિષ્ઠા આપવા માટે 22 જાન્યુઆરી 2024, પોષ મહિનાની બારસ તિથિના રોજ અભિજીત મુહૂર્ત, ઈન્દ્ર યોગ, મૃગશિરા નક્ષત્ર, મેષ લગ્ન, અને વૃશ્ચિક નવાંશને પસંદ કર્યું છે. આ શુભ મુહૂર્ત દિવસના 12 વાગ્યાને 29 મિનિટ અને 08 સેકન્ડથી 12 વાગ્યાને 30 મિનિટ અને 32 સેકન્ડ સુધી એટલે કે 84 સેકન્ડનું રહેશે. આ સમય સુધીમાં પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થશે. 


તે જ પ્રકારે અયોધ્યામાં ભવ્ય રીતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આયોજન સોમવારે થઈ રહ્યું છે, જેમાં પીએમ મોદી તમામ ધાર્મિક અનુષ્ઠાનોમાં શામેલ થશે. મંગળવારે 23 જાન્યુઆરીના રોજ મંદિર લોકો માટે ખોલવામાં આવશે. મોદી ઉપરાંત દેશ અને વિદેશના શ્રધ્ધાળુંઓ મોટી સંખ્યામાં અયોધ્યા પહોંચ્યા છે. આ જ કારણે અયોધ્યામાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.