રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા માટે 12 વાગ્યાને 29 મિનિટ અને 2 સેકન્ડના મુહૂર્તની શું છે વિશેષતા, કોણે આ અદભૂત શુભ મુહૂર્ત નક્કી કર્યું? જાણો


  • Published By :
  • Published Date : 2024-01-22 12:45:11

રામ નગરી અયોધ્યામાં રામલલાનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે. આ પ્રાણ પ્રતિષ્ઠા માટે 84 સેકન્ડનું ખાસ શુભ મુહૂર્ત નક્કી કરવામાં આવ્યું છે. એટલે કે એક મિનિટ અને 24 સેકન્ડમાં જ રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે. કાશીના પ્રખ્યાત જ્યોતિષાચાર્ય પંડિત ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડે રામલલા પ્રાણ પ્રતિષ્ઠાનું શુભ મુહૂર્ત પસંદ કર્યું છે. આ શુભ મુહૂર્ત 12 વાગ્યેને 29 મિનિટ 2 સેકન્ડથી 12 વાગ્યાને 30 મિનિટ 32 સેકન્ડ સુધી છે. આ મુહૂર્તની વિશેષતા શું છે આવો તે જાણીએ.


 


પ્રાણ પ્રતિષ્ઠા મુહૂર્તની શું છે વિશેષતા?


પંચાંગ અને અન્ય શુભ અશુભ યોગને જોતા રામલલાની મૂર્તિને પ્રાણ પ્રતિષ્ઠા આપવા માટે 22 જાન્યુઆરી 2024, પોષ મહિનાની બારસ તિથિના રોજ અભિજીત મુહૂર્ત, ઈન્દ્ર યોગ, મૃગશિરા નક્ષત્ર, મેષ લગ્ન, અને વૃશ્ચિક નવાંશને પસંદ કર્યું છે. આ શુભ મુહૂર્ત દિવસના 12 વાગ્યાને 29 મિનિટ અને 08 સેકન્ડથી 12 વાગ્યાને 30 મિનિટ અને 32 સેકન્ડ સુધી એટલે કે 84 સેકન્ડનું રહેશે. આ સમય સુધીમાં પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થશે. 


તે જ પ્રકારે અયોધ્યામાં ભવ્ય રીતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આયોજન સોમવારે થઈ રહ્યું છે, જેમાં પીએમ મોદી તમામ ધાર્મિક અનુષ્ઠાનોમાં શામેલ થશે. મંગળવારે 23 જાન્યુઆરીના રોજ મંદિર લોકો માટે ખોલવામાં આવશે. મોદી ઉપરાંત દેશ અને વિદેશના શ્રધ્ધાળુંઓ મોટી સંખ્યામાં અયોધ્યા પહોંચ્યા છે. આ જ કારણે અયોધ્યામાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. 



લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેની ચર્ચા થતી હોય છે. ત્યારે પીએમ મોદીએ એક સબામાં રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

ઘણા લોકો એવા હોય છે જેમને મૌન રહેવું ગમે છે.. જ્યારે કવિને પૂછવામાં આવે કે તમને સૌથી વધારે કોની સાથે રહેવાનું પસંદ છે તો તે કહે છે મૌન સાથે ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના .

ગઈકાલથી એક બાદ એક નેતાઓના પત્રોની ખૂબ ચર્ચા થઈ રહી છે.. પહેલા કુમાર કાનાણીનો પત્ર આવ્યો, પછી સંજય કોરડીયાનો પત્ર સામે આવ્યો અને પછી અમરેલીના ભાજપ ઉમેદવાર ભરત સુતરીયાનો પત્ર સામે આવ્યો.

ભર ઉનાળે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદને કારણે જગતના તાતને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. આવનાર દિવસમાં તાપમાનનો પારો વધશે તેવી વાત કરવામાં આવી હતી પરંતુ લોકોની એની રાહ જોઈ રહ્યા છે કે ચોમાસું ક્યારે બેસશે? ચોમાસાના આગમનને લઈ હવામાન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.