વિશ્વ હિન્દુ પરિષદે જેને ગૌચર જેહાદ નામ આપ્યું એ અમદાવાદ જગન્નાથ મંદિરના વિસ્તારોને વેચી દેવાનો મામલો શું છે?


  • Published By :
  • Published Date : 2023-07-03 20:27:46

અરબી શબ્દ જિહાદનો અર્થ થાય છે નૈતિક મૂલ્યોના રક્ષણ માટે કરવા માટેનો પ્રયત્ન અથવા સંઘર્ષ. પણ તે જિહાદને હવે અલગ અલગ વસ્તુઓ સાથે જોડવામાં આવી રહ્યો છે. ક્યારેક લવ જિહાદ, ક્યારેક ઓનલાઈન ગેમિંગ જિહાદ, હલાલ જિહાદ, નારકોટિક્સ જિહાદ, નાઈ જિહાદ, ક્યારેક બિગ બોસ જિહાદ બાદ હવે નવો જિહાદ આવ્યો છે જેનું નામ છે ગૌચર જિહાદ. અમદાવાદના જગન્નાથ મંદિર વિસ્તારથી મામલો સામે આવ્યો છે વિગતવાર વાત કરીએ વિશ્વ હિન્દુ પરિષદને કેમ હાઈકોર્ટના દરવાજા ખખડાવવા પડ્યા?

અમદાવાદ જગન્નાથ મંદિરમાં રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ

વિશ્વ હિંદુ પરિષદે પહેલીવાર મુખ્યમંત્રી સામે કરી ફરિયાદ!

હમણા થોડા સમય પહેલા પૂરી બાદ સૌથી મોટી જગન્નાથ રથયાત્રા એટલે કે અમદાવાદ જગન્નાથ રથયાત્રા યોજાઈ. ધાર્મિક ભાવનાથી લોકોએ રથયાત્રાને વધાવી, મુસ્લીમ બિરાદરોએ કબૂતરો ઉડાડીને શાંતિનો સંદેશ આપ્યો પણ હવે તે જ જગન્નાથ મંદિરમાં વિસ્તારમાં લીઝ પર આપવામાં આવેલી જમીનનો મામલો કોર્ટ સુધી પહોંચ્યો છે. વિગતવાર વાત કરીએ તો અમદાવાદના બહેરામપુરા વિસ્તાર અને અમદાવાદ કોર્પોરેશને ગાયોના ઘાસચારા માટે 100 વર્ષ માટે ભાડા કરાર અંતર્ગત મહંત નરસિંહદાસ ગૌ સેવા ટ્રસ્ટને આપવામાં આવી. પણ હવે થયું એવું કે આ જમીન મુસ્લિમ બીરાદરોએ લીઝ ડીડ કરીને વેચી દેતા વિવાદ થઈ ગયો છે. તો જમીન ટ્રસ્ટને મળે તેના માટે વિશ્વ હિંદુ પરિષદે લડત ચલાવી. પણ તેના જ કાર્યકરને ધમકીઓ મળી. ધમકી મળતા વીએચપીના કાર્યકર ધર્મેન્દ્ર ભાવાણીએ જાહેર હિતની અરજી કરી દીધી છે, તેમણે આક્ષેપ કર્યો છે કે આ કારણોથી કરોડોની સ્ટેમ્પ ડ્યૂટીની ચોરી થઈ છે તો પણ કોઈ કાર્યવાહી નથી થઈ. અહીં સુધી તો બધુ ઠીક હતું પણ વીએચપીના કાર્યકરે ગુજરાતના મુખ્યમંત્રી, ગુજરાતના રાજ્યપાલના પીએ સામે ફરિયાદ કરી દીધી છે. આમ વિશ્વ હિન્દુ પરિષદે જાહેરાત કરી છે કે જગન્નાથ મંદિર સામેના ગૌચર જિહાદ સામે અમે કાયદાકીય રીતે લડત લડીશું, જે દેશનું કાનુન કહેશે તે મુજબ અમે આગળ વધીશું. 

જગન્નાથ મંદિરના વહીવટદારોએ 2.97 લાખ ચો.મી.જમીન વેચતા સૌથી મોટી લેન્ડ જેહાદ  થઈ, કરોડો રૂપિયા કોના ખિસ્સામાં ગયા? , VHPના કાર્યકરનો આક્ષેપ | Biggest ...

ટ્રસ્ટમાં વાડ થઈને ચીભડાં ગળે જેવી સ્થિતિ!

પણ કોઈ પણ વસ્તુને સારી રીતે અને સુક્ષ્મ રીતે સમજવું હોય તો ઈતિહાસમાં ડોકીયું કરવું જ પડે છે. ઈતિહાસથી જ સમજાય છે કે થયું શું હતું અને ઈતિહાસ જ ભવિષ્યનું નિર્માણ કરતું હોય છે. આ કેસની વાત કરીએ તો 1926માં અમદાવાદ કલેક્ટરે નરસિંહદાસજીને જમીન આપી હતી પણ ગૌ સેવા ટ્રસ્ટે મંજૂરી વગર મુસલમાન બિરાદરોને જમીન ભાડે અથવા વેચાણથી આપી દીધી હતી. આમ વીએચપીના જણાવ્યા મુજબ મંદિરના કેટલાક વહીવટદારોએ જમીન વેચી ભ્રષ્ટાચાર કરીને ગૌચર જેહાદ કર્યું છે. વાડ થઈને ચીભડાં તો ગળાઈ ગયા છે પણ હવે આ જાહેર હિતની અરજીના કેસમાં હાઈકોર્ટ શું નિર્ણય પર આવશે તે જોવાનું રહેશે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.