વિશ્વ હિન્દુ પરિષદે જેને ગૌચર જેહાદ નામ આપ્યું એ અમદાવાદ જગન્નાથ મંદિરના વિસ્તારોને વેચી દેવાનો મામલો શું છે?


  • Published By :
  • Published Date : 2023-07-03 20:27:46

અરબી શબ્દ જિહાદનો અર્થ થાય છે નૈતિક મૂલ્યોના રક્ષણ માટે કરવા માટેનો પ્રયત્ન અથવા સંઘર્ષ. પણ તે જિહાદને હવે અલગ અલગ વસ્તુઓ સાથે જોડવામાં આવી રહ્યો છે. ક્યારેક લવ જિહાદ, ક્યારેક ઓનલાઈન ગેમિંગ જિહાદ, હલાલ જિહાદ, નારકોટિક્સ જિહાદ, નાઈ જિહાદ, ક્યારેક બિગ બોસ જિહાદ બાદ હવે નવો જિહાદ આવ્યો છે જેનું નામ છે ગૌચર જિહાદ. અમદાવાદના જગન્નાથ મંદિર વિસ્તારથી મામલો સામે આવ્યો છે વિગતવાર વાત કરીએ વિશ્વ હિન્દુ પરિષદને કેમ હાઈકોર્ટના દરવાજા ખખડાવવા પડ્યા?

અમદાવાદ જગન્નાથ મંદિરમાં રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ

વિશ્વ હિંદુ પરિષદે પહેલીવાર મુખ્યમંત્રી સામે કરી ફરિયાદ!

હમણા થોડા સમય પહેલા પૂરી બાદ સૌથી મોટી જગન્નાથ રથયાત્રા એટલે કે અમદાવાદ જગન્નાથ રથયાત્રા યોજાઈ. ધાર્મિક ભાવનાથી લોકોએ રથયાત્રાને વધાવી, મુસ્લીમ બિરાદરોએ કબૂતરો ઉડાડીને શાંતિનો સંદેશ આપ્યો પણ હવે તે જ જગન્નાથ મંદિરમાં વિસ્તારમાં લીઝ પર આપવામાં આવેલી જમીનનો મામલો કોર્ટ સુધી પહોંચ્યો છે. વિગતવાર વાત કરીએ તો અમદાવાદના બહેરામપુરા વિસ્તાર અને અમદાવાદ કોર્પોરેશને ગાયોના ઘાસચારા માટે 100 વર્ષ માટે ભાડા કરાર અંતર્ગત મહંત નરસિંહદાસ ગૌ સેવા ટ્રસ્ટને આપવામાં આવી. પણ હવે થયું એવું કે આ જમીન મુસ્લિમ બીરાદરોએ લીઝ ડીડ કરીને વેચી દેતા વિવાદ થઈ ગયો છે. તો જમીન ટ્રસ્ટને મળે તેના માટે વિશ્વ હિંદુ પરિષદે લડત ચલાવી. પણ તેના જ કાર્યકરને ધમકીઓ મળી. ધમકી મળતા વીએચપીના કાર્યકર ધર્મેન્દ્ર ભાવાણીએ જાહેર હિતની અરજી કરી દીધી છે, તેમણે આક્ષેપ કર્યો છે કે આ કારણોથી કરોડોની સ્ટેમ્પ ડ્યૂટીની ચોરી થઈ છે તો પણ કોઈ કાર્યવાહી નથી થઈ. અહીં સુધી તો બધુ ઠીક હતું પણ વીએચપીના કાર્યકરે ગુજરાતના મુખ્યમંત્રી, ગુજરાતના રાજ્યપાલના પીએ સામે ફરિયાદ કરી દીધી છે. આમ વિશ્વ હિન્દુ પરિષદે જાહેરાત કરી છે કે જગન્નાથ મંદિર સામેના ગૌચર જિહાદ સામે અમે કાયદાકીય રીતે લડત લડીશું, જે દેશનું કાનુન કહેશે તે મુજબ અમે આગળ વધીશું. 

જગન્નાથ મંદિરના વહીવટદારોએ 2.97 લાખ ચો.મી.જમીન વેચતા સૌથી મોટી લેન્ડ જેહાદ  થઈ, કરોડો રૂપિયા કોના ખિસ્સામાં ગયા? , VHPના કાર્યકરનો આક્ષેપ | Biggest ...

ટ્રસ્ટમાં વાડ થઈને ચીભડાં ગળે જેવી સ્થિતિ!

પણ કોઈ પણ વસ્તુને સારી રીતે અને સુક્ષ્મ રીતે સમજવું હોય તો ઈતિહાસમાં ડોકીયું કરવું જ પડે છે. ઈતિહાસથી જ સમજાય છે કે થયું શું હતું અને ઈતિહાસ જ ભવિષ્યનું નિર્માણ કરતું હોય છે. આ કેસની વાત કરીએ તો 1926માં અમદાવાદ કલેક્ટરે નરસિંહદાસજીને જમીન આપી હતી પણ ગૌ સેવા ટ્રસ્ટે મંજૂરી વગર મુસલમાન બિરાદરોને જમીન ભાડે અથવા વેચાણથી આપી દીધી હતી. આમ વીએચપીના જણાવ્યા મુજબ મંદિરના કેટલાક વહીવટદારોએ જમીન વેચી ભ્રષ્ટાચાર કરીને ગૌચર જેહાદ કર્યું છે. વાડ થઈને ચીભડાં તો ગળાઈ ગયા છે પણ હવે આ જાહેર હિતની અરજીના કેસમાં હાઈકોર્ટ શું નિર્ણય પર આવશે તે જોવાનું રહેશે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.