વિશ્વ હિન્દુ પરિષદે જેને ગૌચર જેહાદ નામ આપ્યું એ અમદાવાદ જગન્નાથ મંદિરના વિસ્તારોને વેચી દેવાનો મામલો શું છે?


  • Published By :
  • Published Date : 2023-07-03 20:27:46

અરબી શબ્દ જિહાદનો અર્થ થાય છે નૈતિક મૂલ્યોના રક્ષણ માટે કરવા માટેનો પ્રયત્ન અથવા સંઘર્ષ. પણ તે જિહાદને હવે અલગ અલગ વસ્તુઓ સાથે જોડવામાં આવી રહ્યો છે. ક્યારેક લવ જિહાદ, ક્યારેક ઓનલાઈન ગેમિંગ જિહાદ, હલાલ જિહાદ, નારકોટિક્સ જિહાદ, નાઈ જિહાદ, ક્યારેક બિગ બોસ જિહાદ બાદ હવે નવો જિહાદ આવ્યો છે જેનું નામ છે ગૌચર જિહાદ. અમદાવાદના જગન્નાથ મંદિર વિસ્તારથી મામલો સામે આવ્યો છે વિગતવાર વાત કરીએ વિશ્વ હિન્દુ પરિષદને કેમ હાઈકોર્ટના દરવાજા ખખડાવવા પડ્યા?

અમદાવાદ જગન્નાથ મંદિરમાં રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ

વિશ્વ હિંદુ પરિષદે પહેલીવાર મુખ્યમંત્રી સામે કરી ફરિયાદ!

હમણા થોડા સમય પહેલા પૂરી બાદ સૌથી મોટી જગન્નાથ રથયાત્રા એટલે કે અમદાવાદ જગન્નાથ રથયાત્રા યોજાઈ. ધાર્મિક ભાવનાથી લોકોએ રથયાત્રાને વધાવી, મુસ્લીમ બિરાદરોએ કબૂતરો ઉડાડીને શાંતિનો સંદેશ આપ્યો પણ હવે તે જ જગન્નાથ મંદિરમાં વિસ્તારમાં લીઝ પર આપવામાં આવેલી જમીનનો મામલો કોર્ટ સુધી પહોંચ્યો છે. વિગતવાર વાત કરીએ તો અમદાવાદના બહેરામપુરા વિસ્તાર અને અમદાવાદ કોર્પોરેશને ગાયોના ઘાસચારા માટે 100 વર્ષ માટે ભાડા કરાર અંતર્ગત મહંત નરસિંહદાસ ગૌ સેવા ટ્રસ્ટને આપવામાં આવી. પણ હવે થયું એવું કે આ જમીન મુસ્લિમ બીરાદરોએ લીઝ ડીડ કરીને વેચી દેતા વિવાદ થઈ ગયો છે. તો જમીન ટ્રસ્ટને મળે તેના માટે વિશ્વ હિંદુ પરિષદે લડત ચલાવી. પણ તેના જ કાર્યકરને ધમકીઓ મળી. ધમકી મળતા વીએચપીના કાર્યકર ધર્મેન્દ્ર ભાવાણીએ જાહેર હિતની અરજી કરી દીધી છે, તેમણે આક્ષેપ કર્યો છે કે આ કારણોથી કરોડોની સ્ટેમ્પ ડ્યૂટીની ચોરી થઈ છે તો પણ કોઈ કાર્યવાહી નથી થઈ. અહીં સુધી તો બધુ ઠીક હતું પણ વીએચપીના કાર્યકરે ગુજરાતના મુખ્યમંત્રી, ગુજરાતના રાજ્યપાલના પીએ સામે ફરિયાદ કરી દીધી છે. આમ વિશ્વ હિન્દુ પરિષદે જાહેરાત કરી છે કે જગન્નાથ મંદિર સામેના ગૌચર જિહાદ સામે અમે કાયદાકીય રીતે લડત લડીશું, જે દેશનું કાનુન કહેશે તે મુજબ અમે આગળ વધીશું. 

જગન્નાથ મંદિરના વહીવટદારોએ 2.97 લાખ ચો.મી.જમીન વેચતા સૌથી મોટી લેન્ડ જેહાદ  થઈ, કરોડો રૂપિયા કોના ખિસ્સામાં ગયા? , VHPના કાર્યકરનો આક્ષેપ | Biggest ...

ટ્રસ્ટમાં વાડ થઈને ચીભડાં ગળે જેવી સ્થિતિ!

પણ કોઈ પણ વસ્તુને સારી રીતે અને સુક્ષ્મ રીતે સમજવું હોય તો ઈતિહાસમાં ડોકીયું કરવું જ પડે છે. ઈતિહાસથી જ સમજાય છે કે થયું શું હતું અને ઈતિહાસ જ ભવિષ્યનું નિર્માણ કરતું હોય છે. આ કેસની વાત કરીએ તો 1926માં અમદાવાદ કલેક્ટરે નરસિંહદાસજીને જમીન આપી હતી પણ ગૌ સેવા ટ્રસ્ટે મંજૂરી વગર મુસલમાન બિરાદરોને જમીન ભાડે અથવા વેચાણથી આપી દીધી હતી. આમ વીએચપીના જણાવ્યા મુજબ મંદિરના કેટલાક વહીવટદારોએ જમીન વેચી ભ્રષ્ટાચાર કરીને ગૌચર જેહાદ કર્યું છે. વાડ થઈને ચીભડાં તો ગળાઈ ગયા છે પણ હવે આ જાહેર હિતની અરજીના કેસમાં હાઈકોર્ટ શું નિર્ણય પર આવશે તે જોવાનું રહેશે. 



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.