પ્રચાર માટે આવેલા નેતાઓ સ્ટ્રીટ ફૂડ ખાઈ શું સંદેશો આપવા માગે છે?


  • Published By :
  • Published Date : 2022-11-17 10:41:51

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવતા દરેક રાજકીય પક્ષ પ્રચાર કરી મતદારોને રિઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ચૂંટણી પ્રચાર માટે ભાજપે કેન્દ્રીય મંત્રીઓની અને સ્ટાર પ્રચારકોની ટીમને ગુજરાતમાં ઉતારી છે. ત્યારે ભાજપનો પ્રચાર કરવા સ્મૃતિ ઈરાની ગુજરાતના પ્રવાસે છે. આણંદમાં પ્રચાર માટે ગયેલા સ્મૃતિ ઈરાનીએ પોતાનો કાફલો રોકી પાણીપુરી આરોગી હતી. સ્મૃતિ ઈરાનીનો પાણીપૂરી ખાતો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. 

central minister smiriti irani stop car in anand and eat panipuri during  election campaign

સ્ટ્રીટ ફૂડ ખાઈ મતદારોને આકર્ષવા નેતાઓનો પ્રયાસ

આણંદના પ્રવાસે આવેલા કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પ્રચાર દરમિયાન પોતાનો કાફલો રોકી સામાન્ય માણસની જેમ પાણીપુરી આરોગી હતી. તેમનો પાણીપુરી ખાતો વીડિયો અને ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા  છે. ચૂંટણી સમયે સ્ટ્રીટ ફુડ ખાવાનો હવે ટ્રેન્ડ બની ગયો હોય એવું લાગી રહ્યું છે. કારણ કે નેતાઓ દ્વારા કરવામાં આવતા આવા પબ્લીસીટી સ્ટંટની અસર લોકોના દિમાગ પર મહંદ અંશે પડતી હોય છે.     

હર્ષ સંઘવી સુરત ગુજરાત ચૂંટણી ફોર્મ ભર્યું - Harsh Sanghavi in Surat  Gujarat Election form C R patil News18 Gujarati

હર્ષ સંઘવીએ વડાપાઉની મજા માણી

થોડા સમય પહેલા હર્ષ સંઘવીનો ફોટો વાયરલ થયો હતો. હર્ષ સંઘવીએ પણ પોતાનો કાફલો રોકી વડાપાઉનો આસ્વાદ માણ્યો હતો. ચૂંટણી સમયે નેતા એકદમ ડાઉન ટુ અર્થ થઈ જતા હોય છે. 

ઉત્તરપ્રદેશમાં દ્વિવાર્ષિક ચૂંટણી અંતર્ગત 11 વિધાન પરિષદની બેઠકો ઉપર મતદાન  સંપન્ન

ચૂંટણી પ્રચારની કેટલી અસર થશે તે આવનાર સમયે ખબર પડશે 

ચૂંટણી સમયે મતદારોને આકર્ષવા નેતાઓ સ્ટ્રીટ ફૂડ ખાઈ એવો સંદેશો આપવા માગતા હોય છે કે તે પણ સામાન્ય માણસની જેમ જીવન જીવે છે. કોઈ નેતા રાજકોટના ગાંઠીયા આરોગે તો સુરતમાં આવેલા નેતાઓ સુરતી જમણનો લાભ લેતા હોય છે અથવા તો ત્યાંની સ્થાનિક વસ્તુઓ આરોગ્તા હોય છે. કોંગ્રેસના અનેક નેતાઓ પણ આ રણનીતિ અપનાવતા હોય છે. ચૂંટણી સમયે આવા ફોટો આવવા સામાન્ય બાબત છે. ત્યારે નેતાઓ દ્વારા અપનાવાતો આવો સ્ટંટ મતદારોને કેટલો આકર્ષિત કરશે તે આઠમી ડિસેમ્બરના રોજ ખબર પડશે.       




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.