આરતી કરતી વખતે શેનું રાખવું જોઈએ ધ્યાન, કેવી રીતે ઉતારવી જોઈએ ભગવાનની આરતી


  • Published By :
  • Published Date : 2023-01-27 16:38:13

આરતીને હિંદુ ધર્મમાં વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. આરતી વગર કોઈ પણ પૂજા પૂર્ણ નથી માનવામાં આવતી. મુખ્યત્વે દરેક મંદિરમાં સવાર તેમજ સાંજના સમયે આરતી થતી હોય છે. તે સિવાય અનેક લોકો ઘરમાં પણ સવાર-સાંજ આરતી કરતાં હોય છે. અનેક લોકો આરતી લીધા બાદ આરતી ઉપર હાથ ફેરવીને ભગવાનને બતાવે છે. 

ચિત્ર:(1) Aarti Thali, Prayer Plate India.jpg - વિકિપીડિયા

કેવી રીતે કરવી જોઈએ ભગવાનની આરતી? 

આરતી કરતી વખતે અનેક બાબતોનું ધ્યાન રાખવામાં આવતું હોય છે. ભગવાનની આરતી કરતી વખતે દીવો ફેરવવાની રીત પર વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. આરતીની શરૂઆત હંમેશા ભગવાનના ચરણોથી શરૂ કરવામાં આવે છે. ચાર વખત આરતીને સીધી દિશામાં ફેરવવી જોઈએ અને ત્યારબાદ 2 વખત ભગવાનની નાભિની આરતી કરવી જોઈએ. તે બાદ ભગવાનના મુખની આરતી 7 વખત કરવામાં આવે છે. 


આરતી લીધા બાદ માથા પર ફેરવવામાં આવે છે હાથ 

આરતી થયા બાદ આરતીની આજુબાજુ પાણીની બોર્ડર કરવામાં આવે છે. આ દરમિયાન 2 ભાવ જોડાયેલા છે. જેનો પહેલો ભાવ એવો છે કે દીવાની જ્વાળાએ આપણને મનમોહક સુંદર દ્રશ્ય દેખાડ્યું છે. તેને આપણે મસ્તક પર ધારણ કરીએ છીએ. એવું માનવામાં આવે છે કે આરતી કરતી વખતે મૂર્તિમાં રહેલી ઉર્જા દીવેટમાં આવે છે. અને એ ઉર્જા આપણા હાથો દ્વારા આપણા શરીરમાં આવતી હોય છે. 



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .