આરતી કરતી વખતે શેનું રાખવું જોઈએ ધ્યાન, કેવી રીતે ઉતારવી જોઈએ ભગવાનની આરતી


  • Published By :
  • Published Date : 2023-01-27 16:38:13

આરતીને હિંદુ ધર્મમાં વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. આરતી વગર કોઈ પણ પૂજા પૂર્ણ નથી માનવામાં આવતી. મુખ્યત્વે દરેક મંદિરમાં સવાર તેમજ સાંજના સમયે આરતી થતી હોય છે. તે સિવાય અનેક લોકો ઘરમાં પણ સવાર-સાંજ આરતી કરતાં હોય છે. અનેક લોકો આરતી લીધા બાદ આરતી ઉપર હાથ ફેરવીને ભગવાનને બતાવે છે. 

ચિત્ર:(1) Aarti Thali, Prayer Plate India.jpg - વિકિપીડિયા

કેવી રીતે કરવી જોઈએ ભગવાનની આરતી? 

આરતી કરતી વખતે અનેક બાબતોનું ધ્યાન રાખવામાં આવતું હોય છે. ભગવાનની આરતી કરતી વખતે દીવો ફેરવવાની રીત પર વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. આરતીની શરૂઆત હંમેશા ભગવાનના ચરણોથી શરૂ કરવામાં આવે છે. ચાર વખત આરતીને સીધી દિશામાં ફેરવવી જોઈએ અને ત્યારબાદ 2 વખત ભગવાનની નાભિની આરતી કરવી જોઈએ. તે બાદ ભગવાનના મુખની આરતી 7 વખત કરવામાં આવે છે. 


આરતી લીધા બાદ માથા પર ફેરવવામાં આવે છે હાથ 

આરતી થયા બાદ આરતીની આજુબાજુ પાણીની બોર્ડર કરવામાં આવે છે. આ દરમિયાન 2 ભાવ જોડાયેલા છે. જેનો પહેલો ભાવ એવો છે કે દીવાની જ્વાળાએ આપણને મનમોહક સુંદર દ્રશ્ય દેખાડ્યું છે. તેને આપણે મસ્તક પર ધારણ કરીએ છીએ. એવું માનવામાં આવે છે કે આરતી કરતી વખતે મૂર્તિમાં રહેલી ઉર્જા દીવેટમાં આવે છે. અને એ ઉર્જા આપણા હાથો દ્વારા આપણા શરીરમાં આવતી હોય છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.