આરતી કરતી વખતે શેનું રાખવું જોઈએ ધ્યાન, કેવી રીતે ઉતારવી જોઈએ ભગવાનની આરતી


  • Published By :
  • Published Date : 2023-01-27 16:38:13

આરતીને હિંદુ ધર્મમાં વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. આરતી વગર કોઈ પણ પૂજા પૂર્ણ નથી માનવામાં આવતી. મુખ્યત્વે દરેક મંદિરમાં સવાર તેમજ સાંજના સમયે આરતી થતી હોય છે. તે સિવાય અનેક લોકો ઘરમાં પણ સવાર-સાંજ આરતી કરતાં હોય છે. અનેક લોકો આરતી લીધા બાદ આરતી ઉપર હાથ ફેરવીને ભગવાનને બતાવે છે. 

ચિત્ર:(1) Aarti Thali, Prayer Plate India.jpg - વિકિપીડિયા

કેવી રીતે કરવી જોઈએ ભગવાનની આરતી? 

આરતી કરતી વખતે અનેક બાબતોનું ધ્યાન રાખવામાં આવતું હોય છે. ભગવાનની આરતી કરતી વખતે દીવો ફેરવવાની રીત પર વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. આરતીની શરૂઆત હંમેશા ભગવાનના ચરણોથી શરૂ કરવામાં આવે છે. ચાર વખત આરતીને સીધી દિશામાં ફેરવવી જોઈએ અને ત્યારબાદ 2 વખત ભગવાનની નાભિની આરતી કરવી જોઈએ. તે બાદ ભગવાનના મુખની આરતી 7 વખત કરવામાં આવે છે. 


આરતી લીધા બાદ માથા પર ફેરવવામાં આવે છે હાથ 

આરતી થયા બાદ આરતીની આજુબાજુ પાણીની બોર્ડર કરવામાં આવે છે. આ દરમિયાન 2 ભાવ જોડાયેલા છે. જેનો પહેલો ભાવ એવો છે કે દીવાની જ્વાળાએ આપણને મનમોહક સુંદર દ્રશ્ય દેખાડ્યું છે. તેને આપણે મસ્તક પર ધારણ કરીએ છીએ. એવું માનવામાં આવે છે કે આરતી કરતી વખતે મૂર્તિમાં રહેલી ઉર્જા દીવેટમાં આવે છે. અને એ ઉર્જા આપણા હાથો દ્વારા આપણા શરીરમાં આવતી હોય છે. 



ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .