આરતી કરતી વખતે શેનું રાખવું જોઈએ ધ્યાન, કેવી રીતે ઉતારવી જોઈએ ભગવાનની આરતી


  • Published By :
  • Published Date : 2023-01-27 16:38:13

આરતીને હિંદુ ધર્મમાં વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. આરતી વગર કોઈ પણ પૂજા પૂર્ણ નથી માનવામાં આવતી. મુખ્યત્વે દરેક મંદિરમાં સવાર તેમજ સાંજના સમયે આરતી થતી હોય છે. તે સિવાય અનેક લોકો ઘરમાં પણ સવાર-સાંજ આરતી કરતાં હોય છે. અનેક લોકો આરતી લીધા બાદ આરતી ઉપર હાથ ફેરવીને ભગવાનને બતાવે છે. 

ચિત્ર:(1) Aarti Thali, Prayer Plate India.jpg - વિકિપીડિયા

કેવી રીતે કરવી જોઈએ ભગવાનની આરતી? 

આરતી કરતી વખતે અનેક બાબતોનું ધ્યાન રાખવામાં આવતું હોય છે. ભગવાનની આરતી કરતી વખતે દીવો ફેરવવાની રીત પર વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. આરતીની શરૂઆત હંમેશા ભગવાનના ચરણોથી શરૂ કરવામાં આવે છે. ચાર વખત આરતીને સીધી દિશામાં ફેરવવી જોઈએ અને ત્યારબાદ 2 વખત ભગવાનની નાભિની આરતી કરવી જોઈએ. તે બાદ ભગવાનના મુખની આરતી 7 વખત કરવામાં આવે છે. 


આરતી લીધા બાદ માથા પર ફેરવવામાં આવે છે હાથ 

આરતી થયા બાદ આરતીની આજુબાજુ પાણીની બોર્ડર કરવામાં આવે છે. આ દરમિયાન 2 ભાવ જોડાયેલા છે. જેનો પહેલો ભાવ એવો છે કે દીવાની જ્વાળાએ આપણને મનમોહક સુંદર દ્રશ્ય દેખાડ્યું છે. તેને આપણે મસ્તક પર ધારણ કરીએ છીએ. એવું માનવામાં આવે છે કે આરતી કરતી વખતે મૂર્તિમાં રહેલી ઉર્જા દીવેટમાં આવે છે. અને એ ઉર્જા આપણા હાથો દ્વારા આપણા શરીરમાં આવતી હોય છે. 



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.