BJP માટે જે મફતની રેવડી હતી, એ બીજા રાજ્યોમાં પ્રસાદ બની ગયો! Rajasthanમાં BJP Free આપવાના વાયદા કરે છે તો Gujaratમાં કેમ નહીં?


  • Published By :
  • Published Date : 2023-11-17 11:32:49

ગઈકાલે રાજસ્થાનમાં ભાજપે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. ચૂંટણીને જીતવા માટે અનેક વાયદાઓ રાજ્યની જનતાને પાર્ટીઓ દ્વારા આપવામાં આવતા હોય છે. રાજસ્થાનમાં ભાજપના ચૂંટણી ઢંઢેરામાં ગેસ સિલિન્ડરને લઈ જાહેરાત કરવામાં આવીછે, સ્કૂટી આપવાની વાત કરવામાં આવી . ઉપરાંત અનેક એવી જાહેરાતો કરવામાં આવી છે જેને રાજકીય ભાષામાં નિષ્ણાતો રેવડી કહેતા હોય છે. ફ્રીની વાતો જ્યારે ગુજરાતમાં બીજી રાજકીય પાર્ટી દ્વારા કરવામાં આવી ત્યારે ભાજપે તેને રેવડી ગણાવી પરંતુ જ્યારે બીજા રાજ્યોમાં ભાજપ ફ્રીની વાતો કરે છે તો તેને પ્રસાદ બીજેપી ગણાવતી હોય છે! 

ગુજરાતની જનતા સાથે કરાયો મતભેદ!  

ગુજરાતમાં છેલ્લા અનેક વર્ષોથી ભાજપની સરકાર છે, ગુજરાતમાં ભાજપને જીતવા માટે પણ વધારે મહેનત નથી કરવી પડતી. આ ફ્રીમાં આપવામાં આવશે, ગેસ સિલિન્ડરની કિંમતને લઈને પણ વધારે વાયદા કરવા નથી પડતા. ગુજરાતીઓ આ વિશે કદાચ ભાજપને પ્રશ્ન પણ નહીં પૂછે કે જે વાયદા છત્તીસગઢમાં તેમજ રાજસ્થાનમાં કરાયા છે તેવા વાયદા ગુજરાતમાં કેમ ન કરાયા? ગુજરાત વિધાનસભા વખતે આમ આદમી પાર્ટી દ્વારા જે ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો હતો તેને રેવડી ગાણાવવામાં આવી પરંતુ જ્યારે ફ્રી આપવાના વાયદા ભાજપ દ્વારા કરવામાં આવે તો તે કે પ્રસાદ બની જાય છે!


મફતમાં આપવામાં આવતી વસ્તુઓ આપણી આગળની પેઢીને ભારે પડશે!

કોઈએ આ પ્રથાને બંધ કરાવવી પડશે, પરંતુ કમનસીબે આ એક કોમ્પીટિશન ચાલી રહી છે કે કોણ વધારે મફત આપી શકે છે. ફ્રીના મોહમાં આવી અનેક લોકો મતદાન કરી લેતા હોય છે પરંતુ તે લોકો નથી સમજતા કે આગળ જતા આ જ વસ્તુઓ તેમની પેઢીને ભારે પડવાનું છે. આ માત્ર રેવડી કે મફતમાં આવેલી વસ્તુઓનો સવાલ નથી પરંતુ આવતા વખતે લોકો આ તેનો અધિકાર સમજશે! આ વખતે જે વસ્તુ ફ્રીમાં મળી રહી છે જો તે આવતી વખતે ફ્રીમાં નહીં મળે તો લોકો તેને દ્રોહ સમજવાની છે. ભણેલી ગણેલી જનતા પણ ફ્રીના મોહમાં આવી રહી છે. દેરક પાર્ટી આ મફત આપવાની હરોળમાં આવી હોય તેવું લાગી રહ્યું છે. આમ આદમી પાર્ટી તો પહેલાથી જ આમાં માનતી હતી, ધીમે ધીમે કોંગ્રેસ પણ આ નક્સેકદમમાં માનતી થઈ હવે તો ભાજપ પણ આ રેસમાં છલાંગ લગાવી ચૂકી છે.   



વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે

"પેલેટ ગનથી ઘાયલ થયેલા લોકોનો દિલ્હી સરકાર ઈલાજ કરાવે." આ શબ્દો છે સુપ્રીમ કોર્ટના. આજે CJI સૂર્યકાન્ત , ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વી મોહનાની બેન્ચ દ્વારા ૨૦મી જુલાઈના રોજ પ્રદર્શનકારીઓ પર જે લાઠીચાર્જ થયો તેની પર સુનાવણી હાથ ધરાઈ છે. ૨૦મી જુલાઈના રોજ જયારે પ્રદર્શનકારીઓ દ્વારા સંસદ કૂચ કરવામાં આવી ત્યારે સુરક્ષાદળો દ્વારા ખુબ મોટાપાયે પેલેટગનનો હુમલો કરાયો છે જેમાં , ઘણા પ્રદર્શનકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.

એક મહિનામાં સિંહના હુમલા અને શંકાસ્પદ હુમલામાં ઓછામાં ઓછા સાત લોકોનાં મોત! અમરેલીથી લઈને ગિરનાર સુધી માનવ–સિંહ સંઘર્ષ કેમ વધી રહ્યો છે? સિંહ બદલાયો છે કે તેની આસપાસની ઇકોલોજી અને માનવીય પ્રવૃત્તિઓ બદલાઈ છે? વાંચો Jamawatનો વિશેષ અહેવાલ.

ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.