BJP માટે જે મફતની રેવડી હતી, એ બીજા રાજ્યોમાં પ્રસાદ બની ગયો! Rajasthanમાં BJP Free આપવાના વાયદા કરે છે તો Gujaratમાં કેમ નહીં?


  • Published By :
  • Published Date : 2023-11-17 11:32:49

ગઈકાલે રાજસ્થાનમાં ભાજપે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. ચૂંટણીને જીતવા માટે અનેક વાયદાઓ રાજ્યની જનતાને પાર્ટીઓ દ્વારા આપવામાં આવતા હોય છે. રાજસ્થાનમાં ભાજપના ચૂંટણી ઢંઢેરામાં ગેસ સિલિન્ડરને લઈ જાહેરાત કરવામાં આવીછે, સ્કૂટી આપવાની વાત કરવામાં આવી . ઉપરાંત અનેક એવી જાહેરાતો કરવામાં આવી છે જેને રાજકીય ભાષામાં નિષ્ણાતો રેવડી કહેતા હોય છે. ફ્રીની વાતો જ્યારે ગુજરાતમાં બીજી રાજકીય પાર્ટી દ્વારા કરવામાં આવી ત્યારે ભાજપે તેને રેવડી ગણાવી પરંતુ જ્યારે બીજા રાજ્યોમાં ભાજપ ફ્રીની વાતો કરે છે તો તેને પ્રસાદ બીજેપી ગણાવતી હોય છે! 

ગુજરાતની જનતા સાથે કરાયો મતભેદ!  

ગુજરાતમાં છેલ્લા અનેક વર્ષોથી ભાજપની સરકાર છે, ગુજરાતમાં ભાજપને જીતવા માટે પણ વધારે મહેનત નથી કરવી પડતી. આ ફ્રીમાં આપવામાં આવશે, ગેસ સિલિન્ડરની કિંમતને લઈને પણ વધારે વાયદા કરવા નથી પડતા. ગુજરાતીઓ આ વિશે કદાચ ભાજપને પ્રશ્ન પણ નહીં પૂછે કે જે વાયદા છત્તીસગઢમાં તેમજ રાજસ્થાનમાં કરાયા છે તેવા વાયદા ગુજરાતમાં કેમ ન કરાયા? ગુજરાત વિધાનસભા વખતે આમ આદમી પાર્ટી દ્વારા જે ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો હતો તેને રેવડી ગાણાવવામાં આવી પરંતુ જ્યારે ફ્રી આપવાના વાયદા ભાજપ દ્વારા કરવામાં આવે તો તે કે પ્રસાદ બની જાય છે!


મફતમાં આપવામાં આવતી વસ્તુઓ આપણી આગળની પેઢીને ભારે પડશે!

કોઈએ આ પ્રથાને બંધ કરાવવી પડશે, પરંતુ કમનસીબે આ એક કોમ્પીટિશન ચાલી રહી છે કે કોણ વધારે મફત આપી શકે છે. ફ્રીના મોહમાં આવી અનેક લોકો મતદાન કરી લેતા હોય છે પરંતુ તે લોકો નથી સમજતા કે આગળ જતા આ જ વસ્તુઓ તેમની પેઢીને ભારે પડવાનું છે. આ માત્ર રેવડી કે મફતમાં આવેલી વસ્તુઓનો સવાલ નથી પરંતુ આવતા વખતે લોકો આ તેનો અધિકાર સમજશે! આ વખતે જે વસ્તુ ફ્રીમાં મળી રહી છે જો તે આવતી વખતે ફ્રીમાં નહીં મળે તો લોકો તેને દ્રોહ સમજવાની છે. ભણેલી ગણેલી જનતા પણ ફ્રીના મોહમાં આવી રહી છે. દેરક પાર્ટી આ મફત આપવાની હરોળમાં આવી હોય તેવું લાગી રહ્યું છે. આમ આદમી પાર્ટી તો પહેલાથી જ આમાં માનતી હતી, ધીમે ધીમે કોંગ્રેસ પણ આ નક્સેકદમમાં માનતી થઈ હવે તો ભાજપ પણ આ રેસમાં છલાંગ લગાવી ચૂકી છે.   



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.