BJP માટે જે મફતની રેવડી હતી, એ બીજા રાજ્યોમાં પ્રસાદ બની ગયો! Rajasthanમાં BJP Free આપવાના વાયદા કરે છે તો Gujaratમાં કેમ નહીં?


  • Published By :
  • Published Date : 2023-11-17 11:32:49

ગઈકાલે રાજસ્થાનમાં ભાજપે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. ચૂંટણીને જીતવા માટે અનેક વાયદાઓ રાજ્યની જનતાને પાર્ટીઓ દ્વારા આપવામાં આવતા હોય છે. રાજસ્થાનમાં ભાજપના ચૂંટણી ઢંઢેરામાં ગેસ સિલિન્ડરને લઈ જાહેરાત કરવામાં આવીછે, સ્કૂટી આપવાની વાત કરવામાં આવી . ઉપરાંત અનેક એવી જાહેરાતો કરવામાં આવી છે જેને રાજકીય ભાષામાં નિષ્ણાતો રેવડી કહેતા હોય છે. ફ્રીની વાતો જ્યારે ગુજરાતમાં બીજી રાજકીય પાર્ટી દ્વારા કરવામાં આવી ત્યારે ભાજપે તેને રેવડી ગણાવી પરંતુ જ્યારે બીજા રાજ્યોમાં ભાજપ ફ્રીની વાતો કરે છે તો તેને પ્રસાદ બીજેપી ગણાવતી હોય છે! 

ગુજરાતની જનતા સાથે કરાયો મતભેદ!  

ગુજરાતમાં છેલ્લા અનેક વર્ષોથી ભાજપની સરકાર છે, ગુજરાતમાં ભાજપને જીતવા માટે પણ વધારે મહેનત નથી કરવી પડતી. આ ફ્રીમાં આપવામાં આવશે, ગેસ સિલિન્ડરની કિંમતને લઈને પણ વધારે વાયદા કરવા નથી પડતા. ગુજરાતીઓ આ વિશે કદાચ ભાજપને પ્રશ્ન પણ નહીં પૂછે કે જે વાયદા છત્તીસગઢમાં તેમજ રાજસ્થાનમાં કરાયા છે તેવા વાયદા ગુજરાતમાં કેમ ન કરાયા? ગુજરાત વિધાનસભા વખતે આમ આદમી પાર્ટી દ્વારા જે ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો હતો તેને રેવડી ગાણાવવામાં આવી પરંતુ જ્યારે ફ્રી આપવાના વાયદા ભાજપ દ્વારા કરવામાં આવે તો તે કે પ્રસાદ બની જાય છે!


મફતમાં આપવામાં આવતી વસ્તુઓ આપણી આગળની પેઢીને ભારે પડશે!

કોઈએ આ પ્રથાને બંધ કરાવવી પડશે, પરંતુ કમનસીબે આ એક કોમ્પીટિશન ચાલી રહી છે કે કોણ વધારે મફત આપી શકે છે. ફ્રીના મોહમાં આવી અનેક લોકો મતદાન કરી લેતા હોય છે પરંતુ તે લોકો નથી સમજતા કે આગળ જતા આ જ વસ્તુઓ તેમની પેઢીને ભારે પડવાનું છે. આ માત્ર રેવડી કે મફતમાં આવેલી વસ્તુઓનો સવાલ નથી પરંતુ આવતા વખતે લોકો આ તેનો અધિકાર સમજશે! આ વખતે જે વસ્તુ ફ્રીમાં મળી રહી છે જો તે આવતી વખતે ફ્રીમાં નહીં મળે તો લોકો તેને દ્રોહ સમજવાની છે. ભણેલી ગણેલી જનતા પણ ફ્રીના મોહમાં આવી રહી છે. દેરક પાર્ટી આ મફત આપવાની હરોળમાં આવી હોય તેવું લાગી રહ્યું છે. આમ આદમી પાર્ટી તો પહેલાથી જ આમાં માનતી હતી, ધીમે ધીમે કોંગ્રેસ પણ આ નક્સેકદમમાં માનતી થઈ હવે તો ભાજપ પણ આ રેસમાં છલાંગ લગાવી ચૂકી છે.   



વિશ્વ યુદ્ધના ભયંકર સંકટ વચ્ચેથી પસાર થઈ રહ્યું છે. અનેક માણસો જે શિપ પર પોતાના કામ માટે સવાર થઈને નીકળ્યા હતા એમના મૃત્યુના સમાચાર છે. સનકી નેતાઓનું દુનિયાભરમાં ફેલાતુ શાસન માણસ જાતના અસ્તિત્વ સામે પડકાર બનીને ઉભુ છે. ગુજરાત જેવુ વૈશ્વિક રાજ્ય આની અસરથી બાકાત નથી. સામાન્ય માણસ જેની પાસે ગેસનું પાઈપ કનેક્શન નથી એ તો એજન્સીને કોલ કરીને બુક કરેલો ગેસનો બાટલો નથી મળતો તો એની લાઈનમાં લાગે છે. મોરબીથી માંડીને મહેસાણાના કારખાના બંધ છે. અનેક એક્સપોર્ટ ઉદ્યોગને અસર થઈ છે. ટુંકમાં મુદ્દા પર આવુ તો ચિંતા કરવા માટે, ચર્ચા કરવા માટે અનેક વિષયો છે.. પણ આપણે ધ ગ્રેટ ગુજરાતી સમાજો… આપણી ચર્ચાનો મુખ્ય મુદ્દો શું છે? છોકરીએ લગ્ન ક્યાં કરવા તે.

ગોંડલમાં આમ આદમી પાર્ટીના નેતા જિગીષા પટેલ પર હુમલો થયો હતો જેના કારણે , ત્યાંના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. આ પછી ગોંડલની પોલીસ દ્વારા જિગીષા પટેલ પર હુમલો કરનાર બે મહિલાની ધરપકડ કરવામાં આવી છે . આ ઉપરાંત , પોલીસ દ્વારા અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.