BJP માટે જે મફતની રેવડી હતી, એ બીજા રાજ્યોમાં પ્રસાદ બની ગયો! Rajasthanમાં BJP Free આપવાના વાયદા કરે છે તો Gujaratમાં કેમ નહીં?


  • Published By :
  • Published Date : 2023-11-17 11:32:49

ગઈકાલે રાજસ્થાનમાં ભાજપે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. ચૂંટણીને જીતવા માટે અનેક વાયદાઓ રાજ્યની જનતાને પાર્ટીઓ દ્વારા આપવામાં આવતા હોય છે. રાજસ્થાનમાં ભાજપના ચૂંટણી ઢંઢેરામાં ગેસ સિલિન્ડરને લઈ જાહેરાત કરવામાં આવીછે, સ્કૂટી આપવાની વાત કરવામાં આવી . ઉપરાંત અનેક એવી જાહેરાતો કરવામાં આવી છે જેને રાજકીય ભાષામાં નિષ્ણાતો રેવડી કહેતા હોય છે. ફ્રીની વાતો જ્યારે ગુજરાતમાં બીજી રાજકીય પાર્ટી દ્વારા કરવામાં આવી ત્યારે ભાજપે તેને રેવડી ગણાવી પરંતુ જ્યારે બીજા રાજ્યોમાં ભાજપ ફ્રીની વાતો કરે છે તો તેને પ્રસાદ બીજેપી ગણાવતી હોય છે! 

ગુજરાતની જનતા સાથે કરાયો મતભેદ!  

ગુજરાતમાં છેલ્લા અનેક વર્ષોથી ભાજપની સરકાર છે, ગુજરાતમાં ભાજપને જીતવા માટે પણ વધારે મહેનત નથી કરવી પડતી. આ ફ્રીમાં આપવામાં આવશે, ગેસ સિલિન્ડરની કિંમતને લઈને પણ વધારે વાયદા કરવા નથી પડતા. ગુજરાતીઓ આ વિશે કદાચ ભાજપને પ્રશ્ન પણ નહીં પૂછે કે જે વાયદા છત્તીસગઢમાં તેમજ રાજસ્થાનમાં કરાયા છે તેવા વાયદા ગુજરાતમાં કેમ ન કરાયા? ગુજરાત વિધાનસભા વખતે આમ આદમી પાર્ટી દ્વારા જે ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો હતો તેને રેવડી ગાણાવવામાં આવી પરંતુ જ્યારે ફ્રી આપવાના વાયદા ભાજપ દ્વારા કરવામાં આવે તો તે કે પ્રસાદ બની જાય છે!


મફતમાં આપવામાં આવતી વસ્તુઓ આપણી આગળની પેઢીને ભારે પડશે!

કોઈએ આ પ્રથાને બંધ કરાવવી પડશે, પરંતુ કમનસીબે આ એક કોમ્પીટિશન ચાલી રહી છે કે કોણ વધારે મફત આપી શકે છે. ફ્રીના મોહમાં આવી અનેક લોકો મતદાન કરી લેતા હોય છે પરંતુ તે લોકો નથી સમજતા કે આગળ જતા આ જ વસ્તુઓ તેમની પેઢીને ભારે પડવાનું છે. આ માત્ર રેવડી કે મફતમાં આવેલી વસ્તુઓનો સવાલ નથી પરંતુ આવતા વખતે લોકો આ તેનો અધિકાર સમજશે! આ વખતે જે વસ્તુ ફ્રીમાં મળી રહી છે જો તે આવતી વખતે ફ્રીમાં નહીં મળે તો લોકો તેને દ્રોહ સમજવાની છે. ભણેલી ગણેલી જનતા પણ ફ્રીના મોહમાં આવી રહી છે. દેરક પાર્ટી આ મફત આપવાની હરોળમાં આવી હોય તેવું લાગી રહ્યું છે. આમ આદમી પાર્ટી તો પહેલાથી જ આમાં માનતી હતી, ધીમે ધીમે કોંગ્રેસ પણ આ નક્સેકદમમાં માનતી થઈ હવે તો ભાજપ પણ આ રેસમાં છલાંગ લગાવી ચૂકી છે.   



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.

નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.

રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.