ઈન્ઝમામ ઉલ હકે કર્યો બફાટ, દિગ્ગજ સ્પિનર હરભજન સિંહ અંગે આપ્યું આ વિવાદાસ્પદ નિવેદન


  • Published By :
  • Published Date : 2023-11-15 19:03:06

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઈન્ઝમામ ઉલ હકે ઈન્ઝમામ ઉલ હકે  ભારતના દિગ્ગજ સ્પિનર હરભજન સિંહને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. ઈન્ઝમામે કહ્યું કે હરભજન સિંહ મૌલાના તારિક જમીલથી ઘણો પ્રભાવિત હતો અને તેણે ઈસ્લામ ધર્મ અપનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.


ઈન્ઝમામે શું કહ્યું?


ઈન્ઝમામે એક વીડિયોમાં કહ્યું, 'મૌલાના તારિક જમીલ દરરોજ અમને મળવા આવતા હતા. નમાઝ પઢવા માટે એક ઓરડો હતો. તે નમાઝ પછી અમારી સાથે વાત કરતા હતા. એક-બે દિવસ પછી, અમે ઈરફાન પઠાણ, ઝહીર ખાન અને મોહમ્મદ કૈફને નમાઝ અદા કરવા માટે બોલાવવાનું શરૂ કર્યું. મેં જોયું કે 2-3 વધુ ભારતીય ખેલાડીઓ પણ જોડાતા હતા, તેઓ નમાઝ અદા કરતા ન હતા પરંતુ મૌલાનાને સાંભળતા હતા. ઈન્ઝમામે વધુમાં કહ્યું, 'હરભજને એકવાર મને કહ્યું હતું કે મારું દિલ મને કહે છે કે તે (મૌલાના) જે પણ કહે, મારે તેને સ્વીકારવું જોઈએ. મેં કહ્યું તો તેમને ફોલો કરો. તમને શું રોકી રહ્યું છે?' ભજ્જીએ જવાબ આપ્યો કે હું તમારી સામે જોઉં છું અને પછી રોકાઈ જાઉં છું. તમારી જિંદગી એવી નથી. એક અમે છીએ કે જે અમારા ધર્મનું પાલન નથી કરી રહ્યા, અમને દોષિત માનવા જોઈએ.'


ભજ્જીએ ઈન્ઝમામને લતાડ્યો


બીજી તરફ હરભજન સિંહે ઈન્ઝમામ-ઉલ-હકને તેમના વિવાદાસ્પદ નિવેદન માટે ફટકાર લગાવી હતી. હરભજને X પર લખ્યું, 'તે કયા પ્રકારનો નશો કરીને વાત કરી રહ્યો છે? હું ભારતીય અને એક શીખ હોવાનો ગર્વ અનુભવું છું. આ બકવાસ લોકો કંઈ પણ બોલતા રહે છે.'



આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.