આદિવાસી વિસ્તારની શાળાના શિક્ષકો પર MLA Chaitar Vasavaએ સવાલ કર્યા તો શિક્ષણ મંત્રીએ શું જવાબ આપ્યો? સાંભળો


  • Published By :
  • Published Date : 2024-07-18 15:20:04

ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે ચાલતા આંતરિક ડખા આપણે સાંભળ્યા છે. બંને વચ્ચે વાક યુદ્ધ ચાલતા રહે છે.. પરંતુ આ વખતે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને ચૈતર વસાવા વચ્ચે વાક યુદ્ધ છેડાયું હોય તેવું લાગે છે.. ગઈકાલે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પુનિયાવાંટની એકલવ્ય મોડલ રેસિડેન્શીયલ સ્કૂલની મુલાકાત લીધી.. તેની મુલાકાત લીધા બાદ તેમણે સરકાર પર અનેક પ્રહારો કર્યા હતા. અનેક ખુલાસા કર્યા હતા.. ગુજરાતી મીડિયમના શિક્ષકોને ગુજરાતી વાંચતા નથી આવડતું તેવી વાત કરી હતી. ત્યારે હવે ચૈતર વસાવાના નિવેદન પર શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે પ્રતિક્રિયા આપી છે. 

ચૈતર વસાવાએ ઉઠાવ્યો હતો આ મુદ્દો

જ્યારે જ્યારે વિકાસની વાત કરવામાં આવે છે ત્યારે અનેક વખત કહેતા હોઈએ છીએ કે આદિવાસી વિસ્તારોમાં હજી સુધી વિકાસ નથી પહોંચ્યો. આદિવાસી વિસ્તારોમાં શાળાઓ છે પરંતુ શાળામાં શિક્ષકો નથી હોતા.. અનેક શાળાઓ એવી હશે.. શિક્ષકોને લઈ ચૈતર વસાવાએ અનેક વખત મુદ્દો ઉઠાવ્યો છે.. ત્યારે ગઈકાલે ચૈતર વસાવાએ એકલવ્ય મોડલ રેસિડેન્શીયલ સ્કૂલની મુલાકાત લીધી અને આક્ષેપ કર્યો હતો કે શાળાના રસોડામાં જે શાકભાજી આવે છે તે ૧૫ ૧૫ દિવસ સુધીનું સ્ટોર કરેલું હોય છે , અને સડી ગયેલું હોય છે . જેનાથી બાળકો બીમાર પડે છે . 



જ્યારે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આપી આ પ્રતિક્રિયા

બીજી વાત તેમણેએ કરી હતી કે આ શાળાના બાળકોને હિન્દીભાષી શિક્ષકો ભણાવે છે જેમને ગુજરાતી આવડતું જ નથી. જે બાદ ઘણા પ્રશ્નો ઉભા કર્યા. જ્યારે આ પ્રશ્ન શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને પૂછવામાં આવ્યો કે એકલવ્ય સ્કૂલમાં શિક્ષક નથી અને ચૈતર વસાવાના આ આક્ષેપ છે તો કુબેર ભાઈએ કહ્યું કે હિન્દી રાષ્ટ્ર ભાષા છે અને એ લોકો ગુજરાતી શીખી જશે. ગુજરાતની અનેક બેન્કમાં હિન્દી લોકો કામ કરે છે જે ગુજરાતી શીખી જાય છે. અને આગળ જતાં એકલવ્ય સ્કૂલને ઇંગ્લિશ મીડિયમમાં પણ કરવાની છે એટલે જે લોકો આક્ષેપ કરી રહ્યા છે એ પોલિટિકલ એંગલથી કરી રહ્યા છે.. બાકી એ શાળાઓમાં ગુજરાતી શિક્ષક પણ છે.. ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..    



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.