આદિવાસી વિસ્તારની શાળાના શિક્ષકો પર MLA Chaitar Vasavaએ સવાલ કર્યા તો શિક્ષણ મંત્રીએ શું જવાબ આપ્યો? સાંભળો


  • Published By :
  • Published Date : 2024-07-18 15:20:04

ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે ચાલતા આંતરિક ડખા આપણે સાંભળ્યા છે. બંને વચ્ચે વાક યુદ્ધ ચાલતા રહે છે.. પરંતુ આ વખતે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને ચૈતર વસાવા વચ્ચે વાક યુદ્ધ છેડાયું હોય તેવું લાગે છે.. ગઈકાલે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પુનિયાવાંટની એકલવ્ય મોડલ રેસિડેન્શીયલ સ્કૂલની મુલાકાત લીધી.. તેની મુલાકાત લીધા બાદ તેમણે સરકાર પર અનેક પ્રહારો કર્યા હતા. અનેક ખુલાસા કર્યા હતા.. ગુજરાતી મીડિયમના શિક્ષકોને ગુજરાતી વાંચતા નથી આવડતું તેવી વાત કરી હતી. ત્યારે હવે ચૈતર વસાવાના નિવેદન પર શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે પ્રતિક્રિયા આપી છે. 

ચૈતર વસાવાએ ઉઠાવ્યો હતો આ મુદ્દો

જ્યારે જ્યારે વિકાસની વાત કરવામાં આવે છે ત્યારે અનેક વખત કહેતા હોઈએ છીએ કે આદિવાસી વિસ્તારોમાં હજી સુધી વિકાસ નથી પહોંચ્યો. આદિવાસી વિસ્તારોમાં શાળાઓ છે પરંતુ શાળામાં શિક્ષકો નથી હોતા.. અનેક શાળાઓ એવી હશે.. શિક્ષકોને લઈ ચૈતર વસાવાએ અનેક વખત મુદ્દો ઉઠાવ્યો છે.. ત્યારે ગઈકાલે ચૈતર વસાવાએ એકલવ્ય મોડલ રેસિડેન્શીયલ સ્કૂલની મુલાકાત લીધી અને આક્ષેપ કર્યો હતો કે શાળાના રસોડામાં જે શાકભાજી આવે છે તે ૧૫ ૧૫ દિવસ સુધીનું સ્ટોર કરેલું હોય છે , અને સડી ગયેલું હોય છે . જેનાથી બાળકો બીમાર પડે છે . 



જ્યારે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આપી આ પ્રતિક્રિયા

બીજી વાત તેમણેએ કરી હતી કે આ શાળાના બાળકોને હિન્દીભાષી શિક્ષકો ભણાવે છે જેમને ગુજરાતી આવડતું જ નથી. જે બાદ ઘણા પ્રશ્નો ઉભા કર્યા. જ્યારે આ પ્રશ્ન શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને પૂછવામાં આવ્યો કે એકલવ્ય સ્કૂલમાં શિક્ષક નથી અને ચૈતર વસાવાના આ આક્ષેપ છે તો કુબેર ભાઈએ કહ્યું કે હિન્દી રાષ્ટ્ર ભાષા છે અને એ લોકો ગુજરાતી શીખી જશે. ગુજરાતની અનેક બેન્કમાં હિન્દી લોકો કામ કરે છે જે ગુજરાતી શીખી જાય છે. અને આગળ જતાં એકલવ્ય સ્કૂલને ઇંગ્લિશ મીડિયમમાં પણ કરવાની છે એટલે જે લોકો આક્ષેપ કરી રહ્યા છે એ પોલિટિકલ એંગલથી કરી રહ્યા છે.. બાકી એ શાળાઓમાં ગુજરાતી શિક્ષક પણ છે.. ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..    



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .