આદિવાસી વિસ્તારની શાળાના શિક્ષકો પર MLA Chaitar Vasavaએ સવાલ કર્યા તો શિક્ષણ મંત્રીએ શું જવાબ આપ્યો? સાંભળો


  • Published By :
  • Published Date : 2024-07-18 15:20:04

ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે ચાલતા આંતરિક ડખા આપણે સાંભળ્યા છે. બંને વચ્ચે વાક યુદ્ધ ચાલતા રહે છે.. પરંતુ આ વખતે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને ચૈતર વસાવા વચ્ચે વાક યુદ્ધ છેડાયું હોય તેવું લાગે છે.. ગઈકાલે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પુનિયાવાંટની એકલવ્ય મોડલ રેસિડેન્શીયલ સ્કૂલની મુલાકાત લીધી.. તેની મુલાકાત લીધા બાદ તેમણે સરકાર પર અનેક પ્રહારો કર્યા હતા. અનેક ખુલાસા કર્યા હતા.. ગુજરાતી મીડિયમના શિક્ષકોને ગુજરાતી વાંચતા નથી આવડતું તેવી વાત કરી હતી. ત્યારે હવે ચૈતર વસાવાના નિવેદન પર શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે પ્રતિક્રિયા આપી છે. 

ચૈતર વસાવાએ ઉઠાવ્યો હતો આ મુદ્દો

જ્યારે જ્યારે વિકાસની વાત કરવામાં આવે છે ત્યારે અનેક વખત કહેતા હોઈએ છીએ કે આદિવાસી વિસ્તારોમાં હજી સુધી વિકાસ નથી પહોંચ્યો. આદિવાસી વિસ્તારોમાં શાળાઓ છે પરંતુ શાળામાં શિક્ષકો નથી હોતા.. અનેક શાળાઓ એવી હશે.. શિક્ષકોને લઈ ચૈતર વસાવાએ અનેક વખત મુદ્દો ઉઠાવ્યો છે.. ત્યારે ગઈકાલે ચૈતર વસાવાએ એકલવ્ય મોડલ રેસિડેન્શીયલ સ્કૂલની મુલાકાત લીધી અને આક્ષેપ કર્યો હતો કે શાળાના રસોડામાં જે શાકભાજી આવે છે તે ૧૫ ૧૫ દિવસ સુધીનું સ્ટોર કરેલું હોય છે , અને સડી ગયેલું હોય છે . જેનાથી બાળકો બીમાર પડે છે . 



જ્યારે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આપી આ પ્રતિક્રિયા

બીજી વાત તેમણેએ કરી હતી કે આ શાળાના બાળકોને હિન્દીભાષી શિક્ષકો ભણાવે છે જેમને ગુજરાતી આવડતું જ નથી. જે બાદ ઘણા પ્રશ્નો ઉભા કર્યા. જ્યારે આ પ્રશ્ન શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને પૂછવામાં આવ્યો કે એકલવ્ય સ્કૂલમાં શિક્ષક નથી અને ચૈતર વસાવાના આ આક્ષેપ છે તો કુબેર ભાઈએ કહ્યું કે હિન્દી રાષ્ટ્ર ભાષા છે અને એ લોકો ગુજરાતી શીખી જશે. ગુજરાતની અનેક બેન્કમાં હિન્દી લોકો કામ કરે છે જે ગુજરાતી શીખી જાય છે. અને આગળ જતાં એકલવ્ય સ્કૂલને ઇંગ્લિશ મીડિયમમાં પણ કરવાની છે એટલે જે લોકો આક્ષેપ કરી રહ્યા છે એ પોલિટિકલ એંગલથી કરી રહ્યા છે.. બાકી એ શાળાઓમાં ગુજરાતી શિક્ષક પણ છે.. ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..    



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.