દેશમાં 71 લાખ લોકોના Whatsapp એકાઉન્ટ બંધ, કંપનીની કાર્યવાહી પાછળ આ છે મોટું કારણ


  • Published By :
  • Published Date : 2024-01-02 16:32:33

Whatsappતો લગભગ બધા જ ઉપયોગ કરે છે, પરંતું આ સંબંધિત નિયમો અંગે બહું જ ઓછા લોકો જાણે છે. માત્ર એક ભૂલના કારણે તમારૂ એકાઉન્ટ બંધ થઈ શકે છે. તાજેતરમાં જ Whatsappએ યુઝર્સ પર કાર્યવાહી કરતા લગભગ 71 લાખ એકાઉન્ટ બંધ કરી દીધા છે. તમને એવું લાગશે કે આવું શા માટે થયું  તો ચાલો અમે તમને તેના કારણો અંગે જણાવીએ છીએ. 


71 લાખ વોટ્સએપ એકાઉન્ટ બંધ


એક રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે Whatsappએ નવેમ્બર મહિનામાં લગભગ 71 લાખ વોટ્સએપ એકાઉન્ટ બંધ કરી દીધા છે. કારણ કે આ એકાઉન્ટએ  IT Rules 2021નો ઉલ્લંઘન કર્યું હતું. કંપની દ્વારા જણાવવામાં આવ્યું છે કે એકાઉન્ટ સામે કાર્યવાહી કરવામાં આવી છે. અને 1-30 વચ્ચે  કંપનીએ 71,96,000 એકાઉન્ટ્સ બંધ કરી દીધા છે. તેમાં પણ 19,54,000 એકાઉન્ટસને તાત્કાલિક અસરથી બંઘ કરી દેવામાં આવ્યા છે. વ્હોટ્સએપએ તેના મંથલી રિપોર્ટમાં આ અંગે ખુલાસો કર્યો છે. આ સાથે જ કંપનીને દેશમાં 8,841 ફરિયાદો મળી છે, એકાઉન્ટ એક્શનના નામ પર જાહેર કરાયેલી રિપોર્ટ જોઈને જાણવા મળે છે કે આ એકાઉન્ટ પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે. આ પહેલા કંપની તરફથી એકાઉન્ટ રિસ્ટોર કરવાની પણ જાણકારી આપવામાં આવી હતી. આ યુઝર્સ સેફ્ટી રિપોર્ટમાં કંપનીને મળતી ફરિયાદો અંગે જાણકારી આપવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે ભારતમાં વોટ્સ એપના 500 મિલિયન યુઝર્સ છે. 


સોશિયલ મીડિયા સામે સરકારનું આકરૂ વલણ


ભારતીય સોશિયલ મીડિયા યુઝર્સને શસક્ત કરવા માટે ભારત સરકારે તાજેતરમાં જ એક નવું ફરિયાદ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. તેમાં કન્ટેન્ટ અને અન્ય ફરિયાદોને નોંધવામાં આવી છે. જો કે તાજેતરમાં જ બનેલી પેનલ તરફથી દેશના ડિઝિટલ કાયદાઓને મજબુત કરવા માટે ભરવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મને લઈ સતત નવા પગલા લેવામાં આવી રહ્યા છે. 



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.