દેશમાં 71 લાખ લોકોના Whatsapp એકાઉન્ટ બંધ, કંપનીની કાર્યવાહી પાછળ આ છે મોટું કારણ


  • Published By :
  • Published Date : 2024-01-02 16:32:33

Whatsappતો લગભગ બધા જ ઉપયોગ કરે છે, પરંતું આ સંબંધિત નિયમો અંગે બહું જ ઓછા લોકો જાણે છે. માત્ર એક ભૂલના કારણે તમારૂ એકાઉન્ટ બંધ થઈ શકે છે. તાજેતરમાં જ Whatsappએ યુઝર્સ પર કાર્યવાહી કરતા લગભગ 71 લાખ એકાઉન્ટ બંધ કરી દીધા છે. તમને એવું લાગશે કે આવું શા માટે થયું  તો ચાલો અમે તમને તેના કારણો અંગે જણાવીએ છીએ. 


71 લાખ વોટ્સએપ એકાઉન્ટ બંધ


એક રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે Whatsappએ નવેમ્બર મહિનામાં લગભગ 71 લાખ વોટ્સએપ એકાઉન્ટ બંધ કરી દીધા છે. કારણ કે આ એકાઉન્ટએ  IT Rules 2021નો ઉલ્લંઘન કર્યું હતું. કંપની દ્વારા જણાવવામાં આવ્યું છે કે એકાઉન્ટ સામે કાર્યવાહી કરવામાં આવી છે. અને 1-30 વચ્ચે  કંપનીએ 71,96,000 એકાઉન્ટ્સ બંધ કરી દીધા છે. તેમાં પણ 19,54,000 એકાઉન્ટસને તાત્કાલિક અસરથી બંઘ કરી દેવામાં આવ્યા છે. વ્હોટ્સએપએ તેના મંથલી રિપોર્ટમાં આ અંગે ખુલાસો કર્યો છે. આ સાથે જ કંપનીને દેશમાં 8,841 ફરિયાદો મળી છે, એકાઉન્ટ એક્શનના નામ પર જાહેર કરાયેલી રિપોર્ટ જોઈને જાણવા મળે છે કે આ એકાઉન્ટ પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે. આ પહેલા કંપની તરફથી એકાઉન્ટ રિસ્ટોર કરવાની પણ જાણકારી આપવામાં આવી હતી. આ યુઝર્સ સેફ્ટી રિપોર્ટમાં કંપનીને મળતી ફરિયાદો અંગે જાણકારી આપવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે ભારતમાં વોટ્સ એપના 500 મિલિયન યુઝર્સ છે. 


સોશિયલ મીડિયા સામે સરકારનું આકરૂ વલણ


ભારતીય સોશિયલ મીડિયા યુઝર્સને શસક્ત કરવા માટે ભારત સરકારે તાજેતરમાં જ એક નવું ફરિયાદ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. તેમાં કન્ટેન્ટ અને અન્ય ફરિયાદોને નોંધવામાં આવી છે. જો કે તાજેતરમાં જ બનેલી પેનલ તરફથી દેશના ડિઝિટલ કાયદાઓને મજબુત કરવા માટે ભરવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મને લઈ સતત નવા પગલા લેવામાં આવી રહ્યા છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.