દેશમાં 71 લાખ લોકોના Whatsapp એકાઉન્ટ બંધ, કંપનીની કાર્યવાહી પાછળ આ છે મોટું કારણ


  • Published By :
  • Published Date : 2024-01-02 16:32:33

Whatsappતો લગભગ બધા જ ઉપયોગ કરે છે, પરંતું આ સંબંધિત નિયમો અંગે બહું જ ઓછા લોકો જાણે છે. માત્ર એક ભૂલના કારણે તમારૂ એકાઉન્ટ બંધ થઈ શકે છે. તાજેતરમાં જ Whatsappએ યુઝર્સ પર કાર્યવાહી કરતા લગભગ 71 લાખ એકાઉન્ટ બંધ કરી દીધા છે. તમને એવું લાગશે કે આવું શા માટે થયું  તો ચાલો અમે તમને તેના કારણો અંગે જણાવીએ છીએ. 


71 લાખ વોટ્સએપ એકાઉન્ટ બંધ


એક રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે Whatsappએ નવેમ્બર મહિનામાં લગભગ 71 લાખ વોટ્સએપ એકાઉન્ટ બંધ કરી દીધા છે. કારણ કે આ એકાઉન્ટએ  IT Rules 2021નો ઉલ્લંઘન કર્યું હતું. કંપની દ્વારા જણાવવામાં આવ્યું છે કે એકાઉન્ટ સામે કાર્યવાહી કરવામાં આવી છે. અને 1-30 વચ્ચે  કંપનીએ 71,96,000 એકાઉન્ટ્સ બંધ કરી દીધા છે. તેમાં પણ 19,54,000 એકાઉન્ટસને તાત્કાલિક અસરથી બંઘ કરી દેવામાં આવ્યા છે. વ્હોટ્સએપએ તેના મંથલી રિપોર્ટમાં આ અંગે ખુલાસો કર્યો છે. આ સાથે જ કંપનીને દેશમાં 8,841 ફરિયાદો મળી છે, એકાઉન્ટ એક્શનના નામ પર જાહેર કરાયેલી રિપોર્ટ જોઈને જાણવા મળે છે કે આ એકાઉન્ટ પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે. આ પહેલા કંપની તરફથી એકાઉન્ટ રિસ્ટોર કરવાની પણ જાણકારી આપવામાં આવી હતી. આ યુઝર્સ સેફ્ટી રિપોર્ટમાં કંપનીને મળતી ફરિયાદો અંગે જાણકારી આપવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે ભારતમાં વોટ્સ એપના 500 મિલિયન યુઝર્સ છે. 


સોશિયલ મીડિયા સામે સરકારનું આકરૂ વલણ


ભારતીય સોશિયલ મીડિયા યુઝર્સને શસક્ત કરવા માટે ભારત સરકારે તાજેતરમાં જ એક નવું ફરિયાદ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. તેમાં કન્ટેન્ટ અને અન્ય ફરિયાદોને નોંધવામાં આવી છે. જો કે તાજેતરમાં જ બનેલી પેનલ તરફથી દેશના ડિઝિટલ કાયદાઓને મજબુત કરવા માટે ભરવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મને લઈ સતત નવા પગલા લેવામાં આવી રહ્યા છે. 



સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના વાલેવડા ગામે પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ થયું છે. આ મામલે , દસાડા પોલીસ મથકે એક વ્યક્તિ સામે ફરજમાં રુકાવટ અંગેની ફરિયાદ પોતે પોલીસ કર્મચારી દ્વારા નોંધાવવામાં આવી છે. બીજી બાજુ કોંગ્રેસના પૂર્વ MLA અને ગ્રામજનો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે , સ્થાનિક PI દ્વારા રિવોલ્વર મૂકીને ધમકી આપીને માર મારવામાં આવ્યો છે.

There is a lot of discussion on the relations between India and America, whether it is Donald Trump's tariff hike or calling PM Modi a special friend, everyone's eyes are on these relations between India and America. Amidst all this, US Ambassador to India Sergio Gore reached Mumbai and this visit is considered a very important one.

ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.