દેશમાં 71 લાખ લોકોના Whatsapp એકાઉન્ટ બંધ, કંપનીની કાર્યવાહી પાછળ આ છે મોટું કારણ


  • Published By :
  • Published Date : 2024-01-02 16:32:33

Whatsappતો લગભગ બધા જ ઉપયોગ કરે છે, પરંતું આ સંબંધિત નિયમો અંગે બહું જ ઓછા લોકો જાણે છે. માત્ર એક ભૂલના કારણે તમારૂ એકાઉન્ટ બંધ થઈ શકે છે. તાજેતરમાં જ Whatsappએ યુઝર્સ પર કાર્યવાહી કરતા લગભગ 71 લાખ એકાઉન્ટ બંધ કરી દીધા છે. તમને એવું લાગશે કે આવું શા માટે થયું  તો ચાલો અમે તમને તેના કારણો અંગે જણાવીએ છીએ. 


71 લાખ વોટ્સએપ એકાઉન્ટ બંધ


એક રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે Whatsappએ નવેમ્બર મહિનામાં લગભગ 71 લાખ વોટ્સએપ એકાઉન્ટ બંધ કરી દીધા છે. કારણ કે આ એકાઉન્ટએ  IT Rules 2021નો ઉલ્લંઘન કર્યું હતું. કંપની દ્વારા જણાવવામાં આવ્યું છે કે એકાઉન્ટ સામે કાર્યવાહી કરવામાં આવી છે. અને 1-30 વચ્ચે  કંપનીએ 71,96,000 એકાઉન્ટ્સ બંધ કરી દીધા છે. તેમાં પણ 19,54,000 એકાઉન્ટસને તાત્કાલિક અસરથી બંઘ કરી દેવામાં આવ્યા છે. વ્હોટ્સએપએ તેના મંથલી રિપોર્ટમાં આ અંગે ખુલાસો કર્યો છે. આ સાથે જ કંપનીને દેશમાં 8,841 ફરિયાદો મળી છે, એકાઉન્ટ એક્શનના નામ પર જાહેર કરાયેલી રિપોર્ટ જોઈને જાણવા મળે છે કે આ એકાઉન્ટ પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે. આ પહેલા કંપની તરફથી એકાઉન્ટ રિસ્ટોર કરવાની પણ જાણકારી આપવામાં આવી હતી. આ યુઝર્સ સેફ્ટી રિપોર્ટમાં કંપનીને મળતી ફરિયાદો અંગે જાણકારી આપવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે ભારતમાં વોટ્સ એપના 500 મિલિયન યુઝર્સ છે. 


સોશિયલ મીડિયા સામે સરકારનું આકરૂ વલણ


ભારતીય સોશિયલ મીડિયા યુઝર્સને શસક્ત કરવા માટે ભારત સરકારે તાજેતરમાં જ એક નવું ફરિયાદ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. તેમાં કન્ટેન્ટ અને અન્ય ફરિયાદોને નોંધવામાં આવી છે. જો કે તાજેતરમાં જ બનેલી પેનલ તરફથી દેશના ડિઝિટલ કાયદાઓને મજબુત કરવા માટે ભરવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મને લઈ સતત નવા પગલા લેવામાં આવી રહ્યા છે. 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.