એક કિલો ઘઉંના ભાવમાં 19 ટકાનો વધારો, કેન્દ્ર સરકારની સંગ્રહખોરોને ચેતવણી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-20 13:16:07

દેશભરમાં ઘઉંનાં ભાવ આસમાને પહોંચ્યા છે. સમગ્ર દેશમાં ઘઉંનો પૂરતો જથ્થો છે તેમ છતાં પણ સટ્ટાબાજી અને સંગ્રહખોરીના કારણે ઘઉંના ભાવ વધી રહ્યાં છે. ખાદ્ય સચિવ સુધાંશુ પાંડેએ સંગ્રહખોરો સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા એક વર્ષમાં એક કિલો ઘઉંના ભાવમાં 19 ટકાનો વધારો થયો છે. એક વર્ષ અગાઉ એક કીલો ઘઉંનો ભાવ 26.01 રૂપિયા હતો જે વધીને હાલમાં 31.02 રૂપિયા થઇ ગયો છે. ઘઉના લોટના ભાવમાં પણ છેલ્લા એક વર્ષમાં 18 ટકાનો વધારો થયો છે. હાલમાં એક કીલો ઘઉંના લોટનો ભાવ વધીને 36 રૂપિયા થઇ ગયો છે.


સંગ્રહખોરો તથા કાળાબજારીયોને ચેતવણી


રોલર ફલોર મિલર્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાની વાર્ષિક સામાન્ય સભાને સંબોધતા ખાદ્ય સચિવ સુધાંશુ પાંડેએ કહ્યું હતું કે, કેન્દ્ર પાસે એફસીઆઈના ગોદામમાં 2.40 કરોડ ટન ઘઉંનો સ્ટોકસ જમાં પડયો છે.  સંગ્રહખોરી તથા કાળાબજારને રોકવા સ્ટોક લિમિટ્સ તથા ટ્રેડરોને સ્ટોકસની જાહેરાત કરવાની ફરજ પાડવા જેવા પગલાં લેતા પણ સરકાર ખચકાશે નહીં. ઘઉંના ભાવમાં વધારો થવા પાછળનું કારણ સટ્ટાકીય વેપાર હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. 


દેશમાં ઘઉંનો પુરતો જથ્થો


મિડીયા રિપોર્ટ પ્રમાણે પાંડેએ જણાવ્યું હતું કે, જુલાઈથી જુન (2021-22)ના ક્રોપ યરમાં ઘઉંનું રવી મોસમનું ઉત્પાદન 10.68 કરોડ ટન રહેવાનો સરકારે અંદાજ મૂક્યો છે. ઘઉંના ભાવ ઊંચે જશે તેવી અપેક્ષાએ ટ્રેડરો માલ પકડીને બેઠા હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. 


ઘઉંનું ઉત્પાદન ઘર આંગણેની માગને પહોંચી વળવા માટે પૂરતું હોવાનું પણ પાંડેએ જણાવ્યું હતું. વર્તમાન નાણાં વર્ષમાં સરકારે અત્યારસુધી 45 લાખ ટન ઘઉંની નિકાસ કરી છે. આમાંથી 21 લાખ ટન પ્રતિબંધ મુકાયો તે પહેલા રવાના કરાયા હતા. વર્તમાન વર્ષના 13મી મેથી સરકારે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકયો છે.  ગયા નાણાં વર્ષમાં સરકારે 72 લાખ ટન ઘઉંની નિકાસ કરી હતી. ઘર આંગણે ઘઉંનો પૂરવઠો જળવાઈ રહે તે માટે સરકાર પૂરતા પગલાં લેશે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.