એક કિલો ઘઉંના ભાવમાં 19 ટકાનો વધારો, કેન્દ્ર સરકારની સંગ્રહખોરોને ચેતવણી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-20 13:16:07

દેશભરમાં ઘઉંનાં ભાવ આસમાને પહોંચ્યા છે. સમગ્ર દેશમાં ઘઉંનો પૂરતો જથ્થો છે તેમ છતાં પણ સટ્ટાબાજી અને સંગ્રહખોરીના કારણે ઘઉંના ભાવ વધી રહ્યાં છે. ખાદ્ય સચિવ સુધાંશુ પાંડેએ સંગ્રહખોરો સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા એક વર્ષમાં એક કિલો ઘઉંના ભાવમાં 19 ટકાનો વધારો થયો છે. એક વર્ષ અગાઉ એક કીલો ઘઉંનો ભાવ 26.01 રૂપિયા હતો જે વધીને હાલમાં 31.02 રૂપિયા થઇ ગયો છે. ઘઉના લોટના ભાવમાં પણ છેલ્લા એક વર્ષમાં 18 ટકાનો વધારો થયો છે. હાલમાં એક કીલો ઘઉંના લોટનો ભાવ વધીને 36 રૂપિયા થઇ ગયો છે.


સંગ્રહખોરો તથા કાળાબજારીયોને ચેતવણી


રોલર ફલોર મિલર્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાની વાર્ષિક સામાન્ય સભાને સંબોધતા ખાદ્ય સચિવ સુધાંશુ પાંડેએ કહ્યું હતું કે, કેન્દ્ર પાસે એફસીઆઈના ગોદામમાં 2.40 કરોડ ટન ઘઉંનો સ્ટોકસ જમાં પડયો છે.  સંગ્રહખોરી તથા કાળાબજારને રોકવા સ્ટોક લિમિટ્સ તથા ટ્રેડરોને સ્ટોકસની જાહેરાત કરવાની ફરજ પાડવા જેવા પગલાં લેતા પણ સરકાર ખચકાશે નહીં. ઘઉંના ભાવમાં વધારો થવા પાછળનું કારણ સટ્ટાકીય વેપાર હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. 


દેશમાં ઘઉંનો પુરતો જથ્થો


મિડીયા રિપોર્ટ પ્રમાણે પાંડેએ જણાવ્યું હતું કે, જુલાઈથી જુન (2021-22)ના ક્રોપ યરમાં ઘઉંનું રવી મોસમનું ઉત્પાદન 10.68 કરોડ ટન રહેવાનો સરકારે અંદાજ મૂક્યો છે. ઘઉંના ભાવ ઊંચે જશે તેવી અપેક્ષાએ ટ્રેડરો માલ પકડીને બેઠા હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. 


ઘઉંનું ઉત્પાદન ઘર આંગણેની માગને પહોંચી વળવા માટે પૂરતું હોવાનું પણ પાંડેએ જણાવ્યું હતું. વર્તમાન નાણાં વર્ષમાં સરકારે અત્યારસુધી 45 લાખ ટન ઘઉંની નિકાસ કરી છે. આમાંથી 21 લાખ ટન પ્રતિબંધ મુકાયો તે પહેલા રવાના કરાયા હતા. વર્તમાન વર્ષના 13મી મેથી સરકારે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકયો છે.  ગયા નાણાં વર્ષમાં સરકારે 72 લાખ ટન ઘઉંની નિકાસ કરી હતી. ઘર આંગણે ઘઉંનો પૂરવઠો જળવાઈ રહે તે માટે સરકાર પૂરતા પગલાં લેશે. 



આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .