એક કિલો ઘઉંના ભાવમાં 19 ટકાનો વધારો, કેન્દ્ર સરકારની સંગ્રહખોરોને ચેતવણી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-20 13:16:07

દેશભરમાં ઘઉંનાં ભાવ આસમાને પહોંચ્યા છે. સમગ્ર દેશમાં ઘઉંનો પૂરતો જથ્થો છે તેમ છતાં પણ સટ્ટાબાજી અને સંગ્રહખોરીના કારણે ઘઉંના ભાવ વધી રહ્યાં છે. ખાદ્ય સચિવ સુધાંશુ પાંડેએ સંગ્રહખોરો સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા એક વર્ષમાં એક કિલો ઘઉંના ભાવમાં 19 ટકાનો વધારો થયો છે. એક વર્ષ અગાઉ એક કીલો ઘઉંનો ભાવ 26.01 રૂપિયા હતો જે વધીને હાલમાં 31.02 રૂપિયા થઇ ગયો છે. ઘઉના લોટના ભાવમાં પણ છેલ્લા એક વર્ષમાં 18 ટકાનો વધારો થયો છે. હાલમાં એક કીલો ઘઉંના લોટનો ભાવ વધીને 36 રૂપિયા થઇ ગયો છે.


સંગ્રહખોરો તથા કાળાબજારીયોને ચેતવણી


રોલર ફલોર મિલર્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાની વાર્ષિક સામાન્ય સભાને સંબોધતા ખાદ્ય સચિવ સુધાંશુ પાંડેએ કહ્યું હતું કે, કેન્દ્ર પાસે એફસીઆઈના ગોદામમાં 2.40 કરોડ ટન ઘઉંનો સ્ટોકસ જમાં પડયો છે.  સંગ્રહખોરી તથા કાળાબજારને રોકવા સ્ટોક લિમિટ્સ તથા ટ્રેડરોને સ્ટોકસની જાહેરાત કરવાની ફરજ પાડવા જેવા પગલાં લેતા પણ સરકાર ખચકાશે નહીં. ઘઉંના ભાવમાં વધારો થવા પાછળનું કારણ સટ્ટાકીય વેપાર હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. 


દેશમાં ઘઉંનો પુરતો જથ્થો


મિડીયા રિપોર્ટ પ્રમાણે પાંડેએ જણાવ્યું હતું કે, જુલાઈથી જુન (2021-22)ના ક્રોપ યરમાં ઘઉંનું રવી મોસમનું ઉત્પાદન 10.68 કરોડ ટન રહેવાનો સરકારે અંદાજ મૂક્યો છે. ઘઉંના ભાવ ઊંચે જશે તેવી અપેક્ષાએ ટ્રેડરો માલ પકડીને બેઠા હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. 


ઘઉંનું ઉત્પાદન ઘર આંગણેની માગને પહોંચી વળવા માટે પૂરતું હોવાનું પણ પાંડેએ જણાવ્યું હતું. વર્તમાન નાણાં વર્ષમાં સરકારે અત્યારસુધી 45 લાખ ટન ઘઉંની નિકાસ કરી છે. આમાંથી 21 લાખ ટન પ્રતિબંધ મુકાયો તે પહેલા રવાના કરાયા હતા. વર્તમાન વર્ષના 13મી મેથી સરકારે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકયો છે.  ગયા નાણાં વર્ષમાં સરકારે 72 લાખ ટન ઘઉંની નિકાસ કરી હતી. ઘર આંગણે ઘઉંનો પૂરવઠો જળવાઈ રહે તે માટે સરકાર પૂરતા પગલાં લેશે. 



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .